Archive for August 5th, 2006

ઉરનાં મંજીરા

      મારાં ભજનનાં આ વિભાગનું નામ મંજીરા આપ્યું છે.ભજન તો મંજીરાથી ખીલે છે. જેમ મંજીરા ભજનનું આવશ્યક અંગ છે તેમ તાળી એ ભજનનું આવશ્યક અંગ છે. આમ તો તાળીનાં ઘણાં ફાયદા છે.

1] તાળી એ એક્યુપ્રેશરનો પ્રકાર છે. તાળીથી એક્યુપ્રેશર થાય છે.
2] તાળી એ નાદ બ્રહ્મ સુધી આવાજ પહોંચાડવાઓ એક પ્રકાર છે.
3] જેમ આપણે કાગડાને ઉડાડવવા તાળી પાડીયે છીયે તેવી જ રીતે મનનાં દુર્ગુણરૂપી કાગડાને ઉડાડવા તાળી પાડવી જરૂરી છે.  

               રાગ:- બસંત લલિત               તાલ:- રૂપક

મારાં ઉરમાં બે મંજીરાં
એક જુનાગઢનો મેતો
બીજી મેવાડની મીરા          
        - મારાં ઉરમાં

કૃષ્ણ કૃષ્ણનાં રસબસ રણકે
પડે પરમ પડછંદા
એક મંજીરે સુરજ ઝળહળે
બીજે અમીયલ ચંદા
શ્વાસ શ્વાસનાં નામ સ્મરણનાં
સર સર વહે સમીરા          
       - મારાં ઉરમાં

રાસ ચગ્યોને હોંશે હોંશે
હાથની કીધી મશાલ
વિષનો પ્યાલો હોઠે પામીને
નરદમ બન્યો નિહાલ
હરિનાં જન તો ગહન ગંભીરા
જેમ યમુનાનાં નીરા         
       - મારાં ઉરમાં

કવિશ્રી:- ભગવતીકુમાર શર્મા

(more…)


4 comments August 5, 2006

મંથન

                 આજે શ્રાવણી એકાદશી, પવિત્રા એકાદશી,પુત્રદા એકાદશી          

                કૈલાસવાસી સુખરાશિસર્વ પ્રશાંત તેજસ્વી સુ-સૌમ્ય.રુદ્ર !          
                 પ્રકાશ આપો, સહુને સુખાર્થ, પુણ્યદા, મંગલધામ, દેવ !! [રૂદ્રાષ્ટાધ્યાયી]

       આજનો સુવિચાર:- દરેક વ્યક્તિએ પોતાનો વિકાસ માટે સમય કાઢવો જોઈયે. પોતાનાથી વધુ જાણકાર અથવા વધુ જ્ઞાની અથવા વધુ અનુભવી વ્યક્તિને અવારનવાર મળવાથી જ્ઞાનમાં વધારો થશે. 

        મેઘધનુષ નાં આ વિભાગને મેં મંથન નામ આપ્યું છે. સમુદ્ર મંથનથી જેમ રત્નો, મણી, અમૃત, વિષ, લક્ષ્મીજી, વગેરે પ્રાપ્ત થયાં હતાં તેમ જો સદવિચારોનું મંથન થાય તો જ શિસ્તરૂપી રત્નો પ્રાપ્ત થશે. 

          એકાદશી એટલે પ્રભુનાં સાનિધ્યમાં વધુ ને વધુ રહેવાનો દિવસ. આ દિવસે લોકો ફળાહાર કરવાનું પસંદ કરતાં હોય છે જેથી પ્રભુભક્તિમાં વધુ ધ્યાનમગ્ન થઈ શકાય. એની સાથે આ વાત પણ સમજવી આવશ્યક છે.   

                 હું વ્રત, એકટાણાં ઉપવાસ કરું અને મારા મનમાંથી ગુસ્સો ઈર્ષા ડંખ નિર્મૂળ ન થાય,
                 તો મારું એ તપ મિથ્યા છે.   
                 હું મંદિરમાં જાઉં, ફૂલ ચઢાવુ, માળા ગણું અને મારાં કર્મમાંથી સ્વાર્થ લોભ મોહ  નિર્મૂળ ન  થાય, 
                તો મારી પૂજા મિથ્યા છે. 
                 હું જપ કરૂં, સત્સંગ કરૂં, ધ્યાન કરૂં, અને મારા ચિત્તમાંથી અહંકાર અભિમાન મોટાઈનો  ભાવ        નિર્મૂળ ન થાય,
                તો મારી ઉપાસના મિથ્યા છે.   
                હું એકાંતમાં જાઉં, વૈરાગ્ય ગ્રહું, મૌન પાળું અને મારી ઈચ્છાઓ વૃત્તિઓનું શમન ન થાય મારો  દેહભાવ ઢીલો ન પડે
                તો મારી એ સાધના મિથ્યા છે.   
               હે, પરમાત્મા, હું પ્રાર્થના કરું ને તમારું નામ લઉં અને મારા જીવનમાં પ્રેમ કરૂણા મૈત્રી આનંદ પ્રગટ ન થાય,
              તો મારો તમારી સાથેનો સંબધ મિથ્યા છે.

                  સંત પુનિત મહારાજ કહે છે કે                   

                વિષયોમાં ભટકે એ તો અંતે ગોથાં ખાય,                     
                 દુઃખોનાં ડુંગરિયામાં, જાતેથી અથડાય,                       
                 એ તો અંતે ગોથાં ખાય……!

                         ૐ નમઃ શિવાય            

[સૌજન્ય:- જનકલ્યાણ]


Add comment August 5, 2006


વિભાગો

Recent Comments

Vital Patel on બે કવિતા
pragnaju on ગુરૂપૂર્ણિ…
manvant on આજના એસ.એ…
pragnaju on આજના એસ.એ…
પંચમ શુ… on આજના એસ.એ…

Recent Posts

Archives

Calendar

August 2006
M T W T F S S
« Jul   Sep »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

વાચક સંખ્યા

નિરીક્ષણ

ધબકારનાં ધબકતા હૈયા

Image Hosted by ImageShack.us

Links

Feeds

Flickr Photos

work in progress

More Photos