Archive for August 15th, 2006
સ્વાતંત્ર્ય દિન
આજની તિથી શ્રાવણ વદ સાતમ [ટાઢી સાતમ અથવા શીતળા સાતમ] આજનો સુવિચાર:- પ્રભુએ જેનો સ્વીકાર કર્યો છે તે અવંદનીય પણ વંદનીય થઈ જાય છે.
આજે પંદરમી ઑગષ્ટ, આપણી સ્વાતંત્ર્ય દિન.

આમ તો આપણે સૈકાથી સ્વતંત્રતા માટે લડતા આવ્યાં છીએ અને જ્યારે સ્વતંત્રતા પામીએ છીએ તો એ દિવસ આપણે મનાવતા હોઈયે છીએ. પુરાણકાળમાં આસુરી તત્વો સામે પ્રહલાદની લડાઈ પોતાના પિતાની સામે હતી જેની જીત રૂપે આપણે ધૂળેટી રૂપે ઉજવીયે છીએ. રામાવતાર પણ આસુરી તત્વ સામે લડત રૂપે હતો. રાવણ એક આસુરી તત્વ અને એની સામે વિજય એ વિજયાદશમી જેની આપણે ઉજવણી કરીયે છીએ. અરાજકતા અને અનીતિ સામેની લડત મહાભારતમાં પણ થઈ હતી. જેનાં પ્રતિકરૂપે આપણે ગીતાજયંતી રૂપે ઉજવીયે છીએ. આવી રીતે આધુનિક યુગમાં સો સો વર્ષોની લડત પછી આપણનેમળેલી આજની આઝાદીને આપણે પંદરમી ઑગષ્ટના રૂપે ઉજવીએ છીએ. આજે આઝાદીનાં ઓગણસાઠ વર્ષ પૂરા થયાં. ભલે આઝાદીનાં શરૂઆતનાં વર્ષોમાં આઝાદીનો રંગ લોકોને ચઢ્યો હતો પણ આટલા વર્ષો પછી લોકોમાં ભ્રષ્ટાચારનો રંગ ચઢ્યો છે. પ્રભુ જ જાણે આ રંગ ક્યારે ઉતરશે? આપણાં સમાજના તન, મન, ધન અને દરેક ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર ભર્યો છે.ક્યારે મળશે આમાંથી આઝાદી????????
3 comments August 15, 2006
