આજે આસો સુદ આઠમ [માતાજીનો હવન]
આજનો સુવિચાર:- યા કુંદેન્દુતુષારહાર ધવલા, યા શુભ્રવસ્ત્રાવૃતા
યા વીણાવરદણ્ડ્મણ્ડિતકરા યા શ્વેતપદ્માસના

સ્વરોની દેવી
વીણાધારિણી
નિત નામ જપું હું
સંગીત તણું
એવું ગીત દે
ભક્તિતણું
મુને જ્ઞાન દે
પ્રેમતણું વર દે
કરુણા કર
વરદાયીની
મેઘધનુષી
ઓઢી ચુંદડી
મા સોળે શણગાર
સખીઓ સંગ
ગરબે ઘુમે (more…)
September 30, 2006
આજે આસો સુદ સાતમ
આજનો સુવિચાર:- મામ પાહી ૐ ભગવતી ભવદુઃખ કાપો

સાચી રે મારી સત રે ભવાની મા અંબા ભવાની મા
હું તો તારી સેવા કરીશ મૈયા
લાલ નવ નવ રાતનાં નોરતા કરીશ મા, પૂજાઓ કરીશ મા
વિરાટનો ગરબો તારો ઝીલીશ મૈયા લાલ
- સાચી રે
સારા જગમાં ખૂણા ખૂણાએ મા, તારા અવતાર રે
તોએ તુજથી જુદા પડેલાં દુઃખિયાનો નહીં પાર રે
એ સહુની સેવા એ તારી સેવા હું ગણીશ મા, પૂજાઓ ગણીશ મા
વિરાટનો ગરબો તારો ઝીલીશ મૈયા લાલ
- સાચી રે
જગત જનની મા જગદંબે તું, સર્વ કોઈની માત રે
સંસારે સંભારીયે સંતાન અમે દિન રાત રે
તારા જેવી માત થવાને આશિષો હું લઈશ મા, તેજ સ્વરૂપે થઈશ મા
વિરાટનો ગરબો તારો ઝીલીશ મૈયા લાલ
- સાચી રે
તુજને ભૂલી ભાન ભૂલેલા ખેલે જંગ અનેક રે
એ વિનાશમાંથી અવિનાશી સત્ય નિરંજન એક રે
તારો એ સંદેશ અમારા જીવનમાં વણીશ મા, સહુને સુણાવીશ મા
વિરાટનો ગરબો તારો ઝીલીશ મૈયા લાલ
- સાચી રે (more…)
September 29, 2006
આજે આસો સુદ ચોથ
આજનો સુવિચાર:- યા દેવી સર્વ ભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ
શરણ્યે વરણ્યે સુકારણ્યપૂર્ણે હિરણ્યોદરાદ્યૈરગમ્યેSતિ પુણ્યે
ભવારણ્યભીતં ચ માં પાહિ ભદ્રે નમસ્તે નમસ્તે નમસ્તે ભવાનિ

રાગ:- યમન તાલ:- કેરવો
વિશ્વંભરી જગદેશ્વરી ગિરિનંદીની જય હો તેરી
હે શંકરી તું રક્ષ મામ પરમેશ્વરી તું પાહી મામ
ભવ તારીણી ભયભંજની ગિરિનંદીની જય હો તેરી
- વિશ્વંભરી જગદેશ્વરી
હે ત્રિશુલ ષડરિપુ માર દે અજ્ઞાન દૈત્ય માર દે
કરુણાકરી સુખદાયીની ગિરિનંદીની જય હો તેરી
- વિશ્વંભરી જગદેશ્વરી
જિસને પુકારા પ્યારસે તારા ઉસે સંસારસે
સિંહવાહિની વરદાયિની ગિરિનંદીની જય હો તેરી
- વિશ્વંભરી જગદેશ્વરી
મોહે પ્રેમકા તું દાન દે મોહે ભક્તિ દે મા તું જ્ઞાન દે
આનંદમયી હે ભગવતી ગિરિનંદીની જય હો તેરી
- વિશ્વંભરી જગદેશ્વરી (more…)
September 26, 2006
આજે આસો સુદ ત્રીજ
આજનો સુવિચાર:- ‘ગરબો’ શબ્દનો ઉપયોગ આપણાં કવિશ્રી નરસિંહ મહેતાએ કર્યો હતો.
સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાધસાધિકે
શરણ્યે ત્ર્યબકે ગૌરી નારાયણી નમો સ્તુતે
ગઈકાલે આપણે શક્તિપીઠ વિષે જાણ્યું. આજે આપણે તેનાં નામ અને ક્યાં આવી છે તે જાણીએ.

1] કામાખ્યા:- આ શક્તિપીઠ આસામમાં છે. વિશ્વનું સૌથી મોટું તાંત્રિક શક્તિપીઠ છે. માને કામાખ્યા અને શિવજીને ઉમાનંદ ભૈરવના નામથી પૂજવામાં આવે છે.
2] વૃંદાવન:- આ શક્તિપીઠ ઉત્તરપ્રદેશમાં છે. અહીં મા ઉમાને નામે અને શિવજી ભૂતેશને નામે ઓળખાય છે.
3] કરવીર:- આ શક્તિપીઠ મહારાષ્ટ્રમાં છે. મા મહિષમર્દિની અને શિવજી ક્રોધીશના નામે ઓળખાયછે.
4] શ્રીપર્વત:- આ શક્તિપીઠ કાશ્મીરમાં છે. મા શ્રીસુંદરી અને શિવજી સુંદરાનંદ તરીકે પૂજાય છે.
5] શુચિ:- આ શક્તિપીઠ કન્યાકુમારી પાસે છે. માતાજી નારાયણી તરીકે અને શિવજી સંહાર અથવા સંકુર તરીકે પૂજાય છે.
6] ભૈરવ પર્વત:- મધ્ય પ્રદેશમાં આ શક્તિપીઠ આવેલી છે. માતાજી અવંતિ અને શિવજી લમ્બકર્ણ તરીકે પૂજાય છે.
7] વારાણસી:- અહીં માતાજી વિશાલાક્ષી અને શિવજી કાળભૈરવ કહેવાય છે.
8] ગોદાવરી તટ:- આંધ્ર પ્રદેશમાં આવેલી આ શક્તિપીઠમાં સતી રુકમણી વિશ્વમાતૃકા અને શિવજી દંડપાણી તરીકે પૂજાય છે.
9] જ્વાલામુખી:- હિમાચલ પ્રદેશમાં આવેલી આ શક્તિપીઠનાં સતી અમ્બિકા અને શિવજી ઉન્મત્ત કહેવાય છે.
10] જનસ્થાન:- મહારષ્ટ્રમાં આવેલી આ શક્તિપીઠનાં સતી ભ્રામરી અને શિવજી વિકૃતાક્ષ તરીકે પૂજાય છે. (more…)
September 25, 2006
આજે આસો સુદ બીજ [નવરાત્રીનો બીજો દિવસ]
આજનો સુવિચાર:- ન હોય જો કશું તો અભાવ નડે છે, મળે જો બધું તો સ્વભાવ નડે છે. – જયશ્રી ભક્ત

જગત જનની આદ્યશક્તિની શક્તિપીઠોની સંખ્યા અંગે વિભિન્ન મતો છે. કેટલાક 51 કહે છે તો કેટલાક 108ની સંખ્યા ભારતમાં હોવાનું જણાવે છે. આ 51 શક્તિપીઠમાંથી 42 ભારતમાં છે. અને અન્યમાં 1 શ્રીલંકામાં છે, 1 તિબેટમાં, 4 બાંગ્લાદેશમાં, 1 પાકિસ્તાનમાં અને 2 નેપાળમાં છે.
પુરાણોમાં મહામાયા, પરાશક્તિ, પ્રકૃતિ,યોગનિંદ્રા, યોગમાયા,યોગેશ્વરી વગેરે નામોથી પ્રચલિત છે. એક પ્રશ્ન ઉભો હતો કે શું સતી સાથેનો સંબંધ સૃષ્ટિનાં પ્રારંભથી હતો? શ્રીમદ ભાગવત અનુસાર વિષ્ણુ ભગવાન નિશ્ર્ચેત પડ્યાં હતાં પરંતુ મહામાયા દ્વારા જ તેમનામાં ચેતના જાગૃત થઈ અને તેમને સૃષ્ટિ રચવાની ઈચ્છા થઈ અને નાભિકમળમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયાં. પ્રજાવૃદ્ધિ માટે બ્રહ્માજીએ દસ પુત્રો ઉત્પન્ન કર્યાં. એમાનાં એક દક્ષ પ્રજાપતિ હતાં. મહામાયાનો અવતાર ન થયો હોવાથી બ્રહ્માજીનાં આદેશથી દક્ષ પ્રજાપતિએ ‘મા’ ને પ્રસન્ન કરવા તપ આદર્યું. આમ જ્યોતિપુંજ સ્વરૂપા માનાં વરદાનથી વિષ્ણુનાં સત્યાંશરૂપે સતીની ઉત્પત્તિ થઈ અને તેઓ શિવજીને વર્યાં.
દક્ષનાં મનમાં કારણોસર શિવજી માટે દુર્ભાવ ઉત્પન્ન થતા, તેમણે યોજેલાં યજ્ઞમાં શિવજીને નિમંત્રણ ના આપ્યું. શિવજીની મનાઈ છતાં સતી પિતાને સમજાવવા ગયાં. પતિનું અપમાન સહન ન થતાં સતી પોતાની કાયા યજ્ઞમાં હોમી દીધી. જ્યારે શિવજીને આ વૃતાંતની જાણ થઈ ત્યારે તેમના ક્રોધાગ્નિથી ભદ્રકાળી અને વીરભદ્ર ઉત્પન્ન થયાં અને દક્ષનો સંહાર કર્યો અને યજ્ઞ વેરણછેરણ કરી દીધો..દેવોની સ્તુતિ દ્વારા પ્રસન્ન થયેલાં શિવજીએ યજ્ઞ સ્થળે પહોંચી અમંગળ સમાપ્ત યજ્ઞનો પુનઃ પ્રારંભ કરાવ્યો. પરંતુ સતીના શરીરને જોઈ મોહવશ બની સતીનાં પાર્થિવ દેહને ઊંચકી અહીંતહીં દોડવા લાગ્યા. એમનો આ મોહભંગ કરવા વિષ્ણુજીએ પોતાનાં સુદર્શન ચક્ર વદે સતીનાં દેહનાં ટુકડે ટુકડા કર્યાં. વિકળ થયેલાં શિવજીનાં ખભા પરથી સતીના શરીરનાં ટુકડા અહીંતહી જમીન પર પડ્યાં. જે જગ્યાએ સતીનાં શરીરનાં ટુકડાં પડ્યાં તે જ્ગ્યા ‘શક્તિપીઠ’ તરીકે ઓળખાવા લાગી.
[ શક્તિપીઠનાં નામ વગેરે આવતી કાલનાં અંકમાં] (more…)
September 24, 2006
આજે આસો મહિનાની શરૂઆત એટલે કે આસો સુદ એકમ
આજનો સુવિચાર:- ગરબો એ વિશ્વકર્તા વિશ્વેશ્વરનાં વિશ્વેશ્વરી સ્વરૂપનું માતારૂપે સ્તવન પૂજન-અર્ચન છે.
“માડી તારું કંકુ ખર્યુંને સૂરજ ઊગ્યો.” .
આજથી નવરાત્રીનો પ્રારંભ થાય છે. દેવોનાં પરિવારોમાં સૌથી નાનું પરિવાર અને એ પરિવારની દરેક સભ્યની પૂજા થતી હોય તો આ શિવજીનો પરિવાર છે. શ્રાવણ મહિનો એટલે શિવજીની આરાધનાનો મહિનો. ત્યારબાદ ભાદરવો મહિનો ગણેશ પૂજનનો મહિમાનો મહિનો ગણાય છે. અને આસો મહિનો માતાજીનો મહિનો . કાર્તિકજીનો મહિમા દક્ષિણ ભારતમાં વધારે જણાય છે. આમ શિવજીનો આખો પરિવાર પૂજાય છે.
માતાજીનાં પ્રાગટ્ય વિષે ઘણી કથાઓ છે. જગતનું પ્રાગટ્ય ‘મા’ થકી થયું છે.
ત્ત્વ્મર્કસ્ત્વમગ્નિસ્ત્વમિંદુસ્ત્વમિંદુસ્ત્વમાપસ્ત્વમાકાશભૂવાયવસ્ત્વં ચિદાત્મા
ત્વદન્યો ન કશ્ચિત્પ્રકાશોSસ્તિ સર્વં સદાનંદસંવિત્સ્વરુપં તવેદમ
ભાવાર્થ—– હે દેવી ! સૂર્ય, અગ્નિ, ચંદ્ર, જળ, આકાશ, પૃથ્વી, વાયુ અને ચિદાત્મા રૂપે પણ આપ છો. આપની ઈચ્છા વિના કોઈ પણ પદાર્થ કે પ્રકાશ અસ્તિત્વમાં આવી શકે તેમ જ નથી. આથી આ સમગ્ર વિશ્વમાં જે કાંઈ પણ પ્રાણી-પદાર્થ, વસ્તુ-સ્થિતિ કે પદ-પદાર્થ ઈત્યાદિ છે, તે આપનું જ સદાનંદ અવિસ્મરણિય સ્વરૂપ છે.
સ્વયં ભગવાન વિષ્ણુએ પણ વિષ્ણુ સ્વરૂપમાં ‘મધુ કૈટભ’નાં ત્રાસથી મુક્ત થવા યુધ્ધ કરવાં મા ભગવતીની પ્રાર્થના કરી છે. વિષ્ણુ ભગવાન પોતે જ પોતાના કરતાં ભગવતીને શ્રેષ્ઠ ભાવે અર્થાત પોતાની જનનીના ભાવે સ્તુતિ કરે છે.
બ્રહ્મા વિષ્ણુને શિવજીએ સ્રીપણાને પામીને ભગવતીની સ્તુતિ કરી છે. બ્રહ્મા વિષ્ણુ અને શિવને સ્ત્રી સ્વરૂપમાં બતાવીને બ્રહ્મ અને શક્તિનું ઐક્ય સમજાવ્યું છે.
આવી જગત જનનીને પ્રણામ
નમો દેવ્યૈ મહાદેવ્યૈ શિવાયૈ સતતં નમઃ
નમઃ પ્રકૃતૈ ભદ્રાયૈ નિયતા પ્રણતા સ્મતાં
જય માતાજી
September 23, 2006
આજે ભાદરવા વદ અમાસ, કંકણાકૃતિ સૂર્યગ્રહણ
આજનો સુવિચારઃ-..સફળતાનો માર્ગ જોખમ ભર્યો છે. તેની સામે લડનાર પુરૂષાર્થી જ પોતાનું જીવન સફળ બનાવી શકે છે.
સ્નાન
• સ્નાનમાં તાજગી લાવવા યુકેલિપ્ટસ તેલનાં 2 થી 3 ટીપાં પાણીમાં ભેળવવાં. યુકેલિપ્ટસ ઉત્તમ એંટિસેપ્ટિક છે અને શરીરની દુર્ગંધ દૂર કરે છે.
• સ્નાનનાં પાણીમાં રૉઝમેરીનાં થોડા ટીપાં નાખવાથી માથાના દુખાવામાં રાહત થાય છે તથા વાળને પોષણ મળે છે.
• સ્નાનનાં પાણીમાં પા કપ જેટલું મધ ભેળવવાથી ત્વચા મુલાયમ બને છે.
• સ્નાનનાં પાણીમાં તુલસીનો અર્ક નાખી સ્નાન કરવાથી ઊંઘ સારી આવે છે તથા ત્વચા તાજગી અનુભવે છે.
• ચંદન તેલનાં થોડા ટીપા સ્નાનનાં પાણીમાં ભેળવવાથી તાજગી આવે છે.
• રૉઝ ઓઈલ ઉમેરી સ્નાન કરવાથી ત્વચાસબંધી રોગ દૂર થાય છે.
• પિપરમેંટનાં થોડા ટીપાં ભેળવી સ્નાન કરવાથી તાજગી આવે છે. (more…)
September 22, 2006
આજે ભાદરવા વદ ચૌદસ
આજનો સુવિચારઃ-..આ જગતમાં ભાગ્યે જ એવી કોઈ વ્યક્તિ હશે કે જેનો એક પણ શત્રુ કે મિત્ર ન હોય.- ચિનુ મોદી.
કવિશ્રીઃ- ભાસ્કર વોરા સંગીતઃ- દિલીપ ધોળકિઆ
રાગઃ- ભૈરવી તાલઃ- કેરવો
આ રંગ ભીના ભમરાને કહોને કેમ કરી ઉડાડું
ફૂલ ફટાયો પજવે મુજને ના પાડું ? હા પાડું ?
- આ રંગ ભીના
પ્રીતભર્યાં સરવરનાં નીરે ગળાબૂડ ઊભી જ્યાં ધીરે
ઘૂંઘટ ખેંચી લજવે મુજને ના પાડું ? હા પાડું ?
- આ રંગ ભીના
ઉરકમળને કોરી કોરી ગુન ગુન તો ગાતો રસહોરી
રૂપરસિલો રીઝવે મુજને ના પાડું ? હા પાડું ?
- આ રંગ ભીના
ગાયિકા:- શ્રીમતી કૌમુદી મુનશી
(more…)
September 21, 2006
આજે ભાદરવા વદ તેરસ અપમૃત્યુ અથવા અકસ્માતથી મૃત્યુ પામેલાનું શ્રાદ્ધ
આજનો સુવિચારઃ-સાચા દિલથી કરેલી પ્રાર્થના કદી વ્યર્થ નથી જતી..

મારા એક મિત્રને એક જ પુત્ર. પુત્રને ગુટખા ખાવાની આદતથી મિત્ર દુઃખી રહેતા. અચાનક ટૂંકી માંદગીમાં એક રાત્રે અમારા મિત્રનું અવસાન થયું. બીજા દિવસે સ્મશાનમાં પુત્રએ પિતાને અગ્નિદાહ દીધો અને ત્યારબાદ અમે સૌ મિત્રો તેને આશ્વાસન આપતા હતા, ત્યારે એક મિત્રથી બોલાઈ ગયું કે આ ક્ષણે તું ગુટખા છોડવાની પ્રતિજ્ઞા લે. મેં વાતમાં સૂર પુરાવ્યો કે જો તારા પિતાની ચિતા કેટલી ઊંચી ચઢી છે. થોડા સમયમાં તે રાખ થઈ પંચમહાભૂતમાં ભળી જશે, પણ તેનો આત્મા તારા ગુટખા ન છોડવાથી મૂંઝાતો રહેશે. જો તું મરણોત્તર વિધિ ન કરશે તોપણ ચાલશે, પરંતુ તું ચિતાની સાક્ષીએ ગુટખાને તિલાંજલી આપશે તો કદાચ એક પુત્રની તેની પિતાને અપાયેલી સાચી શ્રદ્ધાંજલિ કહેવાશે.
કોણ જાણે કેમ તેના હૃદયમાં રામ વસ્યા અને તેણે ગુટખા ન ખાવાનો સંકલ્પ જાહેર કર્યો.. જતાંજતાં એક પિતાએ પુત્રને સ્વસ્થ આરોગ્યની દીક્ષા આપી. આનાથી ઉત્તમ બીજી કઈ શ્રદ્ધાંજલિ હોઈ શકે!!!!!!!!
વ્યારા [સુરત] જનક વ્યાસ
[સૌજન્ય:- જન્મભૂમિ]
ૐ નમઃ શિવાય
September 20, 2006
આજે ભાદરવા વદ બારસ, તેરસનું શ્રાદ્ધ
આજનો સુવિચારઃ-તમે જે ધારો છો તે કરી શકો છો,તમારામાં સુષુપ્ત શક્તિનો ભંડાર પડેલો છે.
click on photo
નારાયણ આશ્રમ ઉત્તરાંચલ પ્રદેશમાં આવેલાં પિથોરાગઢમાં આવેલ છે.અલ્મોડા, ધારચુલા થઈને તવાઘાટથી થતી કૈલાસ માનસરોવરની યાત્રાનાં રસ્તે 9,000 ફૂટની ઉંચાઈએ આવેલ છે. અહીંનું પવિત્ર વાતાવરણ ચાલીને આવતાં યાત્રીનો થાક ઉતારી નાખે છે. અત્યંત મનોહારી વાતાવરણ મનમાં એક નિરવ શાંતિનો અનુભવ કરાવે છે. અહીંનું નૈસર્ગિક સૌંદર્ય દિંગ્મૂઠ કરી દે એવું છે. હવે તો ત્યાં પહોંચવા ગાડીનો રસ્તો પણ થયો છે. પૂર્વની ઉન્નત ગિરીશૃંખલા અને તળેટીમાં વૃક્ષોની વચમાં વહેતી મનોરમ્ય સર્પાકાર કાલીગંગા સાથે તેનો અનોખો મધુરો ઘુઘવાટ, ચારેકોર બરૂશની વનરાજીથી ભરપૂર લીલાછમ્મ પગથિયાવાળાં પહાડો…..જાણે કુદરતનાં કૅનવાસ પર દોરાયેલું અદભૂત ચિત્ર. કુદરતનાં અનોખા સૌંદર્ય વચ્ચે વસેલો આ નારાયણ આશ્રમ પણ અનોખો છે. (more…)
September 19, 2006