ક્ષમા વડે પરિવર્તન
September 18, 2006
આજે ભાદરવા વદ એકાદશી, ઇંદિરા એકાદશી, બારસનું શ્રાદ્ધ
આજનો સુવિચારઃ-કોઈ પણ અતિથિનો સત્કાર કરવામાં કદી નાનું મન રાખવુ નહીં એટલે તો ‘અતિથિ દેવો ભવ’ કહેવાય છે.

મહર્ષિ દયાનંદ સરસ્વતી કાનપુરમાં ગંગા કિનારે નિવાસ કરી રહેલા હતાં. એમણે પોતાના પ્રવચનમાં મૂર્તિપૂજનનો ભારોભાર વિરોધ કર્યો અને એક ભાઇને હાડૉહાડ લાગી આવ્યું હતું.
સવારે જ્યારે તે ગંગામાં સ્નાન કરવા ગયો ત્યારે ત્યાં દયાનંદને જોય અને અંદરનો ક્રોદ્ધ ઉભરાવા માંડ્યો. દયાનંદ સરસ્વતી કુસ્તીબાજ તો હતાં જ, ત્યાં આ બિચારાનું શું ગજું? શારીરિક ઈજા પહોચાડવામાં અશક્તિમાન એવાં આ ભાઈએ અપશબ્દોનો સહારો લીધો. ત્યારબાદ તે ત્યાંથી ચાલી ગયો. આવો ક્રમ વીસ દિવસ સુધી એકધારો ચાલ્યો.
એકવીસમાં દિવસનું પ્રભાત થયું અને ગંગાભક્ત રોજના નિયમ પ્રમાણે ગાળો બોલતો ત્યાંથી નીકળ્યો. સ્વામીજીએ તેને પ્રેમથી બોલાવ્યો,’ભાઈ, તું ખરો છે. ગળો દઈને તારું ગળું દુઃખી ગયું હશે, તારે ગાળો દેવી હોય તેટલી દેજે પણ આ મીઠાઈ તો ખા.’
સ્વામીજીના નિર્મળપ્રેમે એ ભાઈનાં અંતરની કાળાશ ધોઈ નાખી. એનું અંતર ઉજ્જવળ બની ગયું, એને પોતાના વર્તનથી ખૂબ પસ્તાવો થયો. તે સ્વામીજીના ચરણોમાં ઢળી પડતા બોલ્યો,’ મહારાજ, મારા આ ખરાબ વર્તન માટે મને ક્ષમા આપો.’.
સ્વામીજી તો એ શા માટે ગાળો આપે છે, તે સમજતા હતા તેથી એનો કોઈ પ્રતિકાર ન કર્યો.
ક્ષમા વીરસ્ય ભૂષણમ, કાયરસ્ય ય દૂષણમ
ક્ષમા એ વીર પુરુષોનું ભૂષણ છે નબળાઓનું દૂષણ છે. સશ્ક્ત હોવા છતાં દયાનંદ સરસ્વતીએ પેલા ભાઈને માફ કરી દીધો આ પ્રસંગથી ઘણું શીખવા મળે છે.
ૐ નમઃ શિવાય
Entry Filed under: ગઠરીયા[વાર્તા]. .
3 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed

1.
indianpics | September 18, 2006 at 12:55 pm
vow gr8 site, and thanks for ur comment
best regards
2.
piyush bhatt | September 18, 2006 at 6:28 pm
Good stories on your blog.
By the way, got to here reading your comment for Bhomiyo. Hope it becomes useful to you.
3.
manvant | September 19, 2006 at 1:23 am
વાર્તા સુંદર બોધદાયક છે.સ્વામિજીનું ‘સત્યાર્થ પ્રકાશ’ પુસ્તક
વાંચવા લાયક છે.