નારાયણ આશ્રમ
આજે ભાદરવા વદ બારસ, તેરસનું શ્રાદ્ધ
આજનો સુવિચારઃ-તમે જે ધારો છો તે કરી શકો છો,તમારામાં સુષુપ્ત શક્તિનો ભંડાર પડેલો છે.
નારાયણ આશ્રમ ઉત્તરાંચલ પ્રદેશમાં આવેલાં પિથોરાગઢમાં આવેલ છે.અલ્મોડા, ધારચુલા થઈને તવાઘાટથી થતી કૈલાસ માનસરોવરની યાત્રાનાં રસ્તે 9,000 ફૂટની ઉંચાઈએ આવેલ છે. અહીંનું પવિત્ર વાતાવરણ ચાલીને આવતાં યાત્રીનો થાક ઉતારી નાખે છે. અત્યંત મનોહારી વાતાવરણ મનમાં એક નિરવ શાંતિનો અનુભવ કરાવે છે. અહીંનું નૈસર્ગિક સૌંદર્ય દિંગ્મૂઠ કરી દે એવું છે. હવે તો ત્યાં પહોંચવા ગાડીનો રસ્તો પણ થયો છે. પૂર્વની ઉન્નત ગિરીશૃંખલા અને તળેટીમાં વૃક્ષોની વચમાં વહેતી મનોરમ્ય સર્પાકાર કાલીગંગા સાથે તેનો અનોખો મધુરો ઘુઘવાટ, ચારેકોર બરૂશની વનરાજીથી ભરપૂર લીલાછમ્મ પગથિયાવાળાં પહાડો…..જાણે કુદરતનાં કૅનવાસ પર દોરાયેલું અદભૂત ચિત્ર. કુદરતનાં અનોખા સૌંદર્ય વચ્ચે વસેલો આ નારાયણ આશ્રમ પણ અનોખો છે. (more…)
5 comments September 19, 2006


