વિજયા દસમી
આજે આસો સુદ દસમ , વિજયા દસમી
આજનો સુવિચાર:- અહિંસા સત્યની શોધનો આધાર છે.
- ગાંધીજી
આજે વિજયાદશમી અસત્યો પર સત્યનો વિજય. રામ દ્વારા રાવણનો સંહાર. મહિષાસુરનો મા મહિષમર્દિની [અંબામા] દ્વારા નાશ. આજે 2nd ઑક્ટોબર છે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો તથા લાલબહાદૂર શાસ્ર્ત્રીજીનો જન્મદિવસ છે.

પૌરાણિક કથા મુજબ મહિષાસુરે તપ કરી અગ્નિદેવને પ્રસન્ન કરી નરજાતિનાં નામવાળાં શસ્ર્ત્રોથી મૃત્યુ ન થાય તેનુ વરદાન મેળવ્યું અને દેવલોકમાં હાહાકાર મચાવ્યો.. ઈંદ્રાસન મેળવ્યુ તેમજ ઋષિઓનાં આશ્રમોનો નાશ કર્યો.. મહિષાસુરનાં ત્રાસથી મુક્તિ મેળવવા દેવોએ શિવજીની આરાધના કરી. શિવજીએ માતાજીની આરાધના કરવા જણાવ્યું દેવોની આરાધનાથી આદ્યશક્તિ પ્રગટ થયાં અને મહિષાસુરનો નાશ કર્યો. આથી મા ‘મહિષમર્દિની’ તરીકે ઓળખાયા.
અન્ય કથા અનુસાર સીતાજીની શોધ કરતાં આબુ પર્વતનાં જંગલમાં આવેલા શૃંગી ઋષિનાં આશ્રમે આવ્યા. ભગવાન રામે પોતાની વાત કરી અને શૃંગી ઋષિએ અંબામાની આરાધના કરવા કહ્યું. રામ લક્ષમણની આરાધનાથી પ્રસન્ન થઈ માતાજીએ ‘અજય’ બાણ આપ્યું અને આ બાણથી રામે રાવણનો વધ કર્યો. (more…)
2 comments October 2, 2006

