Archive for October 25th, 2006
ભક્તિ- તત્વચિંતન
આજે કારતક સુદ ત્રીજ
આજનો સુવિચાર:- એક નિશ્ચયને વળગી રહેનારા ભક્તો સર્વ કરતાં ઉત્તમ છે. ઉત્તમ ભક્તજનો તો ભગવાનના જ સ્વરૂપો છે.
ભક્તિ કોને કહેશો?

ભક્તિ એટલે…………………………….- ભયથી મુક્તિ
ભક્તિ એટલે…………………………….- રાગદ્વેષથી મુક્તિ
ભક્તિ એટલે…………………………….- કામ ક્રોધથી મુક્તિ
ભક્તિ એટલે…………………………….- મોહ મદથી મુક્તિ
ભક્તિ એટલે…………………………….- પ્રેમ,દયા,કરૂણા
ભક્તિ એટલે…………………………….- ભાવના,વિભાવના,યાચના
ભક્તિ એટલે…………………………….- આરાધના, અર્ચના
ભક્તિ એટલે…………………………… – જ્ઞાન,વૈરાગ્ય,ત્યાગ
ભક્તિ એટલે…………………………….- શરણ, સ્મરણ
ભક્તિ એટલે……………………………- સમર્પણ
ભક્તિ એટલે……………………………- શાંતિ, તૃપ્તિ, સંતોષ, ધરણ
ભક્તિ એટલે……………………………- તૃષ્ણાથી મુક્તિ
ભક્તિ એટલે………………………….. - શ્રધ્ધા, આસ્થા, પૂજા
ભક્તિ એટલે………………………….. – પ્રાર્થના,સ્તુતિ, સ્તવન
ભક્તિ એટલે…………………………..- કિર્તન, નર્તન, ભજન
ભક્તિ એટલે…………………………..- નમ્રતા, ધીરજ, સ્નેહ
ભક્તિ એટલે…………………………..- હેત, માયા, મમતા
ભક્તિ એટલે…………………………..- સમભાવ, ભાઈચારો
ભક્તિ એટલે…………………………. – સહાનુભૂતિ, અનુભૂતિ
ભક્તિ એટલે…………………………..- કૃપા, સત્સંગ
ભક્તિ એટલે……………………………- સ્વયં
ભક્તિ એટલે…………………………..- સંયમ, નિયમ, વિનય, વિવેક
ભક્તિ એટલે…………………………..- બ્રહ્મ, સત્ય, અહિંસા
ભક્તિ એટલે…………………………..- પવિત્રતા, પાવકતા
ભક્તિ એટલે…………………………..-ધરતી, આકાશ,સૂર્ય, ચંદ્ર, તારા
ભક્તિ એટલે………………………….- અચળતા, અડગતા,સદભાવના,નિઃસ્વર્થતા, જાગૃતતા
હરિને ભજતા હજી કોઈની લાજ……..
હરિને ભજતાં હજી કોઈની લાજ જતી નથી જાણી રે
જેની સુરતા શામળિયાની સાથ વદે વેદ વાણી રે
વ્હાલે ઉગાર્યો પ્રહલાદ હિરણાકંસ માર્યો રે,
વિભીષણને આપ્યું રાજ રાવણ સંહાર્યો રે
વ્હાલે નરસિંહ મહેતાને હાર હાથો હાથ આપ્યો રે,
ધ્રુવને આપ્યું અવિચળ રાજ પોતાનો કરી સ્થાપ્યો રે
વ્હાલે મીરાં તે બાઈનાં ઝેર હળાહળ પીધાં રે,
પાંચાળીનાં પૂર્યા ચીર પાંડવ કામ કીધાં રે
આવો હરિ ભજવાનો લ્હાવો ભક્તોનાં દુઃખ હરશે રે,
કર જોડી કહે પ્રેમળદાસ ભક્તોના દુઃખ હરશે રે
-પ્રેમળદાસ
ગાયિકા:- કૌમુદી મુનશી
ૐ નમઃ શિવાય
4 comments October 25, 2006
