પહેલું સુખ તે જાતે નર્યા [ભાગ 1]
December 14, 2006
આજે માગશર વદ નોમ
આજનો સુવિચાર:- કલિયુગ એટલે સંઘશક્તિનો યુગ.
હેલ્થ ટીપ્સ:- લીંબુનો રસ ઠંડા કે ગરમ પાણીમાં સવારે અને રાત્રે પીવાથી કબજીયાત મટે છે.

આજ સુધીની મુકાયેલી હેલ્થ ટીપ્સને એક અલગથી નવા વિભાગમાં મૂકી છે.
હેલ્થ ટીપ્સ:-એક ભાગ જાયફળને ચાર ભાગ પાણી સાથે લેવાથી ઉંઘ સારી આવે છે.
હેલ્થ ટીપ્સ:- તુલસીનાં પાન વાટીને સોજા ઉપર લગાડવાથી સોજો ઉતરી જાય છે.
હેલ્થ ટીપ્સ:- લીમડાનાં પાનને પાણીમાં વાટીને, તે પાણીથી માથું ધોવાથી માથાનો ખોડો મટે છે.
હેલ્થ ટીપ્સ:- મરીનું ચૂર્ણ ઘી અને સાકરમાં લેવાથી ચક્કર આવતાં બંધ થાય છે.
હેલ્થ ટીપ્સ:- તુલસીનાં પાનને દહીં કે છશ સાથે લેવાથી એસિડિ મટે છે.
હેલ્થ ટીપ્સ:- ગરમ પાણીમાં હળદર,મીઠું અને ઘી મેળવી પીવાથી ઉધરસ અને કફ મટે છે.
હેલ્થ ટીપ્સ:- જીરાને શેકીને ખાવાથી પાયોરીયાની દુર્ગંધ દૂર થશે.
હેલ્થ ટીપ્સ:- લવિંગનું તેલ ઘસવાથી માથાનો દુઃખાવો મટે છે.
હેલ્થ ટીપ્સ:- ફુદીનાનો અને તુલસીનો ઉકાળો પીવાથી ઝીણો તાવ મટે છે.
હેલ્થ ટીપ્સ:- તાજી મોળી છાશ પીવાથી મોંના ચાંદા મટે છે.
હેલ્થ ટીપ્સ:- કેળાં વધારે ખવાઈ ગયા તો ઈલાયેચી ખાઈ લો તો કેળાં હજમ થઈ જશે.
હેલ્થ ટીપ્સ:- સૂંઠ નાખી ઉકાળેલા પાણીને પીવાથી શરદીમાં ઘણી રાહત રહે છે.
હેલ્થ ટીપ્સ:- અરડૂસીનાં પાનના રસ સાથે મધ લેવાથી ઉધરસ મટે છે.
હેલ્થ ટીપ્સ:- મરીનાં બે ત્રણ દાણા રોજ ખાવાથી કોઈ પણ રોગ થતો નથી.
હેલ્થ ટીપ્સ:- જીરાનું ચૂર્ણ રોજ ફાકવાથી આંખોની ગરમી ઓછી થાય છે
ૐ નમઃ શિવાય
Entry Filed under: નિરોગી[સ્વાસ્થય]. .
4 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed

1.
જયદીપ | December 14, 2006 at 3:24 pm
આભાર, નીલા આન્ટી…!!!
–જયદીપ.
2.
ashalata | December 15, 2006 at 9:21 pm
Abhar neelaben
3.
chetu | December 19, 2006 at 4:17 am
thanks for tips..
4.
kiritsinh | April 6, 2007 at 7:03 pm
Ati Sundar