ત્રિકાળ સંધ્યા
December 15, 2006
આજે માગશર વદ દસમ
આજનો સુવિચાર:- જે વસ્તુમાં સચ્ચાઈ નથી તે વસ્તુ ક્યારે મહાન નથી બની શકતી.
હેલ્થ ટીપ્સ:- અજમાને શેકીને અને વાટીને તેની પોટલી બનાવીને સૂંઘવાથી શરદી મટે છે.

માનસના જીવનમાં ત્રણ મોટી વાત છે. સ્મૃતિ, શક્તિ અને શાંતિ. આ ત્રણ વગર માનવજીવન શક્ય નથી.
સવારે મને પ્રેમથી મને ઉઠાડી સ્મૃતિદાન આપે છે. બપોરે જમતી વખતે શક્તિદાન આપે છે અને રાત્રે સૂતી વખતે શાંતિદાન આપે છે એવા પરમેશ્વરને જો હું ભૂલી જાઉં તો મારા અને પશુમાં શો તફાવત? આમ સવારે ઉઠી, બપોરે જમી અને રાતે સૂતી વખતે ભગવાનનું કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કરવું જોઈએ. બીજા શબ્દોમાં ઉત્પત્તિ, સ્થિતિ અને લય કહી શકાય.
શરીરમાં પહેલાં વિચાર આવે અને કૃતિ થાય પણ રોજ સવારે ઉઠતાં આંખ ખોલીએ એટલે પહેલાં કૃતિ થાય અને પછી વિચાર આવે. ઉઠીયે ત્યારે કૃતિ, જમીયે ત્યારે સ્થિતિ અને સૂઈયે ત્યારે લય.
ત્રિકાળસંધ્યા નામ સાંભળતાં સામાન્ય માણસને લાગે છે કે આ કાર્ય બ્રાહ્મણોએ કરવાનું કાર્ય હશે પરંતુ વાસ્તવમાં એમ નથી. આપણું જીવન ચલાવનાર પ્રભુને દિવસના ત્રણ વખત મહત્વનાં સમયે યાદ કરાય તે ત્રિકાળ સંધ્યા. આ ત્રણ સમય એટલે ઉઠવાનો, જમવાનો અને રાતે સૂવાનો.. પ્રભુ ચોવીસ કલાક મારી સાથે છે તેનું સતત ભાન રહે તે માટે ત્રિકાળ સંધ્યા કરવી જોઈયે.
ઈશ્વર મારી સાથે છે, મારી કાળજી રાખશે, હું કરુણામય ભગવાનનો કૃતજ્ઞ છું આ ભાવથી માણસ પોતાની વિકાસ પગથી પર ધીમે ધીમે આગળ વધશે એમાં સંશય નથી.
પૂ. પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજી [દાદા]ના પ્રવચનોના આધારે
ૐ નમઃ શિવાય
Entry Filed under: મંથન[ભક્તિરસ]. .
2 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed


1.
સુરેશ જાની | December 15, 2006 at 7:33 pm
આપણી ભક્તિની પ્રણાલિકાઓ જડ થઇ ગઇ છે, તેમાં આવા વિચાર જ સાચો ભાવ પ્રગટાવશે.
2.
ashalata | December 15, 2006 at 9:29 pm
tikalsandhya—-aajna yantra jevi jindagi jivata manave
atali BHAKTI to karvi j joie
ABHAR