અને મારી જીંદગી બની ગઈ
January 3, 2007
આજે પોષી પૂનમ
આજનો સુવિચાર:- આપ મૂઆ વિના સ્વર્ગે ન જવાય.
હેલ્થ ટીપ્સ:- મચ્છર કરડે ત્યારે ઘા પર ઠંડું પાણી ચોપડવાથી ઘાની બળતરામાં રાહત રહે છે.
‘સસ્તા સાહિત્ય’નાં પ્રણેતા શ્રી ભિક્ષુ અખંડાનંદજીનો 3/1/1874ના દિવસે બોરસદમાં લુહાણા પરિવારમાં જન્મ થયો હતો.. સ્વામી શિવાનંદજીનાં મહેણાંથી ચા બીડીનો ત્યાગ કર્યો.. એમણે ગુજરાતી પ્રજાને ગુજરાતી ભાષામાં સારા, સસ્તાં-શિષ્ટ અને સાત્વિક પુસ્તકો આપવાનો સંકલ્પ કર્યો હતો. સત્ચારિત્ર્ય, આયુર્વેદ, સમાજસેવા, ધર્મ તત્વજ્ઞાન, નીતિમય જીવન વગેરે સંબંધી અનેક મૂલ્યવાન ગ્રથ લોકો સુધી પહોંચાડ્યા છે.અમદાવાદમાંઅનેક પ્રાચીન પુસ્તાકાલયો છે.
પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પોષી પૂનમે મા અંબામાનો પ્રાગટ્ય દિવસ મનાવાય છે. ગુજરાતની આ મુખ્ય શક્તિપીઠ ગણાય છે. જૈનોના તીર્થંકર પાર્શ્વનાથજીના અધિષ્ઠાતા દેવી અંબાજી હતાં. તેથી આજે શક્તિ અને જૈન તીર્થોમાં ઉત્સવ અને મેળા ભરાય છે.
આપવીતી
દસ વર્ષ પૂર્વે મેં વિદ્યાનગરમાં એમ.એસ.સી.માં ઍડ્મિશન લીધું. અંગ્રેજી માધ્યમ, ગોથા ખવાય છતાં વિદ્યાનગર ભણતી દીદીના સહકારથી મહેનત કરતી. સત્રાંત પરીક્ષા આવી. દરરોજના બે પેપર. ઉજારગરો કરવો અનિવાર્ય… પરીક્ષાની આગલી રાત્રે પ્રયત્નો છતાં ઝોકાની આવન જાવન ચાલુ. ત્રણ કલાક સુધી દીદી અસમંજસમાં રહ્યાં. છેવટે હિંમત કરીને મને તમાચો માર્યો.. ‘પેપરમાં ફેલ થવું છે’? હું સફાળી જાગી, રડી, સ્વસ્થ થઈ કહ્યુ,’ તમાચો વહેલો માર્યો હોત તો? ‘ ખેર, જાગ્યા ત્યારથી સવાર માની તૈયારી કરી.
સવારે પરીક્ષા આપવા પગથિયાં ઊતરતી હતી. ખબર નહી, બધા મને જોઈને કેમ હસતાં હતાં ! મનમાં ઉઠતાં પ્રશ્નોને વાર્યા પેપરો લખી બહાર આવી. દીદી અને મારી બધી ફ્રેંડ્સ ખડખડાટ હસવા લાગી કારણ મેં પાયજામો ઊંધો પહેર્યો હતો. હું શરમાઈ ગઈ.
પરીક્ષા દરમિયાન ઊંધા પાયજામાની બીકથી કદાચ સારા પેપર્સ ન લખાયા હોત. કારકિર્દી બગડી ગઈ હોત અને હું લેક્ચરર ન હોત. દીદીનાં તમાચે મારી જીંદગી બની ગઈ.
— સંકલિત
ૐ નમઃ શિવાય
Entry Filed under: ગઠરીયા[વાર્તા]. .
4 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed


1.
manvant | January 4, 2007 at 3:35 am
And i forgot to turn on my zippers while in a class\
teaching and in a casino at work !
Memory of the bygone days…………..man.**(sorry)
2.
amitpisavadiya | January 4, 2007 at 10:28 pm
પ્રેરક વાત્યુ…
આજનો સુવિચાર પણ સરસ અને એકદમ સચોટ…
3.
સુરેશ જાની | January 4, 2007 at 11:09 pm
શ્રી ભિક્ષુ અખંડાનંદજીનો પૂર્ણ બાયો ડેટા આપશો? મારા પિતાજી હું નાનો હતો ત્યારે 26 જ રૂપીયામાં સસ્તુ સાહિત્યની ઢગલો ચોપડીઓ લઇ આવ્યા હતા , તે યાદ આવી ગયું . જેમાંની બહુ જ ગમતી ચોપડીઓ હતી
‘એક હતા શેઠ’ અને ‘કચ્છુ- બચ્છુ’ . કિમ્મત હતી છર કે છ આના !!!
અત્યારે તો એમાં એક અમદાવાદી અડધી ચા પણ ન આવે !
4.
ashalata | January 5, 2007 at 9:32 pm
SUNDER