Archive for February 7th, 2007
ત્રણ વાતો અપનાવો
આજે મહાવદ પાંચમ
આજનો સુવિચાર :- હકનો ભાવ છોડો. — મુનિ તરુણસાગરજી
હેલ્થ ટિપ્સ:- બટાટાનો રસ કાઢી તેમાં લીંબુનો રસ ભેળવી ચહેરા પર લગાડવાથી તડકાને કારણે કાળી પડેલી ત્વચાની કાળાશ દૂર થાય છે.
વધુ ત્રણ વાતો
• ત્રણ વાતોથી સર્વદા સુરક્ષિત રહો
1] આત્મસ્તુતિ [પોતાની પ્રશંસા ]
2] પરનિંદા
3] પરદોષ દર્શન
• ત્રણ પર નિષ્ઠુર બનો
1] પોતાના પાપ
2] અંગની આળસ
3] ઉચ્છ્રુંખલતા [ મનમાન્યું આચરણ ]
* ત્રણનો અંકુશ સહર્ષ સ્વીકારો
1] ભગવાન
2] ધર્મ
3] વિશુદ્ધ કુલાચાર
* ત્રણથી સદા અલગ રહો
1] વ્યભિચારી
2] જુગારી
3] અસત્યવાદી
* ત્રણ વાતને શંકાને સ્થાન ન આપો
1] શાસ્ત્ર વચન
2] ગુરુવચન
3] વિશુદ્ધ અંતરનો આવાજ
* ત્રણનો હૃદયથી સત્કાર કરો.
1] પ્રભુની મૂર્તિ
2] સંત મહાત્મા
3] સત શાસ્ત્ર
* ત્રણનું શરણું સ્વીકારો
1] ઈશ્વરની શરણાગતિ
2] પ્રભુકૃપા
3] આત્મશક્તિ
* ત્રણ પર અવિશ્વાસ રાખો
1] કૂટનિતી
2] દુરાચાર
3] અસત્ય
* ત્રણ બનો
1] નમ્ર
2] સરળ
3] પ્રભુ પર આસ્થાવાળા
* ત્રણનો દિનચર્ચામાં સમાવેશ કરો.
1] સ્વાધ્યાય
2] ધ્યાન
3] માનસિક દુર્ગુણોની ચોકી
ૐ નમઃ શિવાય
1 comment February 7, 2007

