Archive for February 17th, 2007

મહાશિવરાત્રિ

        આજે મહા વદ અમાસ

ગઈકાલે સરવરમાં પ્રોબ્લેમ હતો તેથી આજે મહાશિવરાત્રિની પોસ્ટ છે.

આજનો સુવિચાર :- તમે ભગવાનની નજીક છો કે દૂર એ તમારી કરણી વડે જ નક્કી થાય છે.

હેલ્થ ટીપ્સ:- સૂર્યોદય વખતે લીલા ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી આરોગ્યમાં ફાયદો થાય છે.

 

     આજે મહાશિવરાત્રિનો મહા પર્વ, યોગ સિદ્ધિની મહારાત્રિ. ‘ઈશાન સંહિતા’ મુજબ આજના પર્વે શિવનું સ્વયંભૂ લિંગનું પ્રાગટ્ય થયું હતું.

   કથા મહિમા પ્રમાણે પારધીની વાર્તા તો સૌ જાણે છે. તેમજ આજનો દિવસ શિવ પાર્વતીના વિવાહના દિવસ તરીકે ઉજવવાય છે.

   ધર્મને વિજ્ઞાન સાથે જોડીયે તો તો બ્રહ્માએ સૃષ્ટિનું સર્જન કરે છે. તેનું સંચાલન વિષ્ણુ કરે છે અને ભગવાન શિવ સમગ્ર સૃષ્ટિને નિયંત્રણમાં રાખે છે. આમ વિષ્ણુ અને શિવની શક્તિ વડે સમગ્ર સૃષ્ટિનો વ્યહેવાર ચાલે છે અને તેમાં સિદ્ધાંતોને લઈ મતભેદ ઊભો થવાથી બે ફાંટા પડ્યા છે. શૈવ પંથ અને વિષ્ણુ પંથ. પરંતુ સૃષ્ટિની રચનામાં જીવનનાં બે મહ્ત્વનાં પાસા છે તે જીવન અને મૃત્યુ તો વિષ્ણુ અને શિવ વગર તો આ સૃષ્ટિ ચાલે જ નહીં. શિવ મૃત્યુના દાતા ગણાય છે તો તેમની પાસે આરોગ્ય , આયુષ્ય વૃદ્ધિ તેમ જ અંત સમયે કોઈની સેવા લેવી ન પડે તેને માટે શિવજી પર અવલંબન રહેવું પડે છે. અને આપણે તેમની પાસે એ જ માંગીયે.

        જેમ ચોમાસાના આગમન પૂર્વે અષાઢી એકાદશીએ આપણે ઉપવાસ કરતાં હોઈએ છીએ તેજ પ્રમાણે ઉનાળાનાં આગમન પૂર્વે તન મન અને આરોગ્ય સ્વસ્થ રાખવા મહાશિવરાત્રિનો ઉપવાસ અને જાગરણ જરૂરી છે. ફાગણથી ગરમીની શરૂઆત થાય છે એ પૂર્વે લગ્નોની મહેફિલ અને ભોજન સમારંભોમાં વિવિધ પ્રકારની વાનગીઓ આરોગ્યા બાદ વૈજ્ઞાનિક દૃષ્ટિએ આપણે મહાશિવરાત્રિના દિવસે આરોગ્ય માટે ઉપવાસ કરીયે એ વ્યાજબી જ છે.

    મહાદેવને બીલીપત્ર ચઢાવવાય છે. શિવ સ્વભાવે ગરમ પ્રકૃતિના ગણાય છે તો તેમને શાંત રાખવા બીલીપત્ર નો ઉપયોગ થાય છે. આમ પણ બીલીના રસનો ઉપયોગ આંખને સ્વસ્થ રાખવામાં થાય છે. તેને વાટીને પા%પણ ઉપર લગાડવાથી ફાયદો થાય છે. તેમજ બીલીપત્ર કફ અને વાયુનાશક છે. તેમજ ડાયાબિટીસમાં બીલીપત્રનું સેવન ઉપયોગી છે. તેનું સેવન પેટનાં રોગો પર પણ ઉત્તમ છે.

      શિવજીને કાચા દૂધનો અભિષેક થાય છે. આકાચુ દૂધ આપણી ત્વચા માટે કુદરતી ક્લિંઝરનું કામ કરે છે. અને ઉનાળામાં મોઈશ્ચરાઈઝનું કામ કરે છે. દૂધ જેટલું પીવામાં ઉત્તમ છે તેટલું સ્નાન માટે પણ ઉત્તમ છે. દૂધમાં બીટા હાઈડ્રોકસી ઍસિડ નામનું કુદરતી કંડિશનર ચામડીના મૃતકોષોને દૂર કરીને તેને સ્થિતિસ્થાપક અને ચમકીલી બનાવે છે.

          શિવજી રુદ્રાક્ષ ધારણ કરે છે. વ્રત કથાઓમાં કોઢ અને રક્તપિત્તિઆઓને શિવજીનું શરણું લેવાનું કહ્યું છે. રુદ્રાક્ષ ચામડી માટે ઉત્તમ ઔષધ છે. ગળામાં કે હાથમાં રુદ્રાક્ષ પહેરવાથી તે ચર્મરોગને જળોની જેમ ચૂસી કાઢે છે, જ્યાં રુદ્રાક્ષ ન બંધાય ત્યાં તેનાં ચૂર્ણનો લેપ લગાડવાથી તે રોગ મટે છે.બંને જાતનાં લોહીનાં દબાણમાં ઉત્તમ છે.

       આટલું જાણ્યા બાદ શિવરાત્રિનું વ્રત તન, મનથી કરી અને  ઉત્તમ પરિણામ મેળવીએ.

      આપ સૌને મહાશિવરાત્રિની શુભકામના

                             ૐ નમઃ શિવાય

5 comments February 17, 2007


શોધખોળ

આભાર

saheldi on શિવાલયની પ્રથમ વર્ષગાંઠ ન…
ramesh &renuka on શિવાલયની પ્રથમ વર્ષગાંઠ ન…
Amritgiri Goswami on શિવાલયની પ્રથમ વર્ષગાંઠ ન…
Suresh Jani on જીવનમાં
Yogi on આજનો સુવિચાર

તાજેતરમાં લખાયેલુ

મહિનાની નોંધણી

તારીખીયુ

February 2007
M T W T F S S
« Jan   Mar »
 1234
567891011
12131415161718
19202122232425
262728  

ભલે પધાર્યા

નિરીક્ષણ

ધબકારનાં ધબકતા હૈયા

Image Hosted by ImageShack.us

RSS ગીત ગુંજ

free counters