સૂર્ય ગ્રહણ
March 19, 2007
આજે ચૈત્ર સુદ એકમ [ગુડી પડવો], [મહારાષ્ટ્રીયન ભાઈબહેનો નવા વર્ષની શુભેચ્છાઓ][સીંધી ભાઈબહેનોને ચેટી ચાંદની શુભેચ્છાઓ], ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ, દક્ષિણ ભારતીય માટે આજે નવા વર્ષનો પ્રારંભ [યુગાડી કહેવાય છે.]
આજનો સુવિચાર:- નિષ્ફળતા એ બુદ્ધિમત્તાની સીડી છે.
હેલ્થ ટીપ્સ:-આમળાનું સેવન વાળ,આંખોની રોશની તેમજ પેટ માટે ગુણકારી છે.
આજે ગુડી પડવો છે. તેમજ ચેટી ચાંદ એટલે સીંધી ભાઈબહેનોનું નવું વર્ષ. સાથે સાથે સૂર્ય ગ્રહણ પણ છે.

આપણે ગ્રહણની વૈજ્ઞાનિક દૃષ્ટિથી મહત્તા જાણીએ.
પૃથ્વીનુ સર્જન થયું અને તેની આસપાસ વાતાવરણનાં વર્તુળો સર્જાયાં અને ઋતુઓ સર્જાઈ. કુદરતનાં આપણા પર એટલાં બધા ઉપકારો છે, તે આપણને સ્વસ્થ રાખવા કેટલી બધી મહેનત કરે છે. શિયાળામાં વાયુ સ્નાન કરાવે છે. ચોમાસામાં વરસાદનાં પાણીથી વાતાવરણને ચોખ્ખું બનાવે છે અને પૃથ્વીની અશુદ્ધિઓ સાફ કરે છે. ઉનાળામાં સૂર્યનાં પ્રખર કિરણોથી ચોમાસાથી ઉત્પન્ન થયેલા હાનિકારક જીવાણુથી મુક્તિ અપાવે છે. આમાંયે જો ખામી રહી હોય તો ગ્રહણ રૂપે આપણને કુદરતની આફતથી બચાવે છે.
પૃથ્વી પર ઘણાં એવાં વિષાણુઓ છે જ્યાં સૂર્યનાં કિરણો પહોંચી નથી શકતાં અને ઘણી વખત એવું પન બને છે કે એ કિરણો એવાં વિષાણુઓનો સફાયો કરી નથી શકતાં ત્યારે ગ્રહણ વખતે ચૂટેલાં કિરણો આ સફાયો કરવાનું કામ કરે છે. જ્યારે સૂર્ય ચંદ્ર અને પૃથ્વી એક સીધી લીટીમાં ગોઠવાઈ જાય છે ત્યારે સૂર્ય પૂર્ણ રીતે ઢંકાઈ જાય છે. આ પરિસ્થિતીને સૂર્ય ગ્રહણ કહે છે. આ વખતે સોનાને વીંટી સૂર્યની કિનારીએ છૂટેલાં આ કિરણો સૂર્યનાં કિરણો કરતાં વધુ દૂર જઈ શકે છે. જે વિષાણુઓનો નાશ સૂર્યનાં કિરણો ન કરી શકતાં હોય તે આ કિરણોની તીવ્રતાથી નાશ પામે છે. જ્યારે ચંદ્ર વડે સૂર્યનાં કિરણો અવરોધાય છે ત્યારે તેઓ પ્રચંડ દબાણ અનુભવે છે, પછી તેઓ ચંદ્રની કિનારીએથી વધુ જોશથી છૂટે છે તેથી તેમની તીવ્રતા વધી જાય છે અને આમ જ્યાં સૂર્યનાં કિરણો પહોંચી નથી શકતા તે જગ્યાએ ગ્રહણ વખતે છૂટેલાં કિરણો પહોંચે છે.
ગ્રહણનાં જો ફાયદા પાળવામાં આવે તો તે શુભ બની જાય છે જેમકે તેના તીવ્ર કિરણોથી હઠીલા વાઈરસનો નાશ થાય છે પણ જો આપણે તેના માર્ગમાં આવીયે તો એ આપણાં નાજુક અવયવોને નુકશાન કરે છે જેવાકે આંખ કે ગર્ભવતી સ્ત્રીનાં ગર્ભ પર અસર કરે છે માટે ગ્રહણને નરી આંખે ન જોવું અને ગર્ભવતી સ્ત્રીએ બહાર ન નીકળવું.
આ સમય દરમિયાન પૃથ્વી અને વાતાવરણ સાફ થતું હોય છે તેથી જાપ મંત્રને કોઈ અવરોધ નડતો નથી અને તે પરમશક્તિ સુધી પહોંચી શકે છે તેથી ગ્રહણ દરમિયાન મંત્ર જાપ ઉત્તમ કહેવાય. ગ્રહણ દરમિયાન નીકળેલાં કિરણો નદી તળાવનાં પાણીને પણ શુદ્ધ કરતાં હોવાથી ગ્રહણ બાદ તેમાં કરાતું સ્નાન પણ ઉત્તમ ગણાય છે અને શારિરીક તેમજ માનસિક લાભ મળી શકે છે. આ સમય દરમિયાન કરાતું દાન પણ ઉત્તમ ગણાય છે. ગ્રહણ દરમિયાન રાંધેલી રસોઈનો આ કિરણો બગાડી નાખતાં હોય છે તેથી રાંધેલી રસોઈ ન રાખવી અગર રાખીયે તો તેની ઉપર દર્ભ મૂકવામાં આવે છે. આ દર્ભમાં ગ્રહણ દરમિયાન છૂટતાં કિરણોને પાછા વાળવાની શક્તિ હોય છે. તેથી અનાજ કે રસોઈ બગડતી નથી.
જો આપણે ગ્રહણનું આ વિજ્ઞાન જાણી લઈયે તો ફાયદો જ છે ને !!!
— સંકલિત
[આ લેખ 14/3/2007 બુધવારે પ્રગટ થયેલી મેઘધનુષ નામક જન્મભૂમિની પૂર્તિમાંથી લીધેલો છે. તેનાં લેખક શ્રી મુકેશભાઈ પંડ્યા છે.]
ૐ નમઃ શિવાય
Entry Filed under: ગાથા[માહિતી]. .
2 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed


1.
વિશ્વદીપ બારડ | March 21, 2007 at 12:51 am
ગ્રહણ વિષે સમજાવતી સુંદર માહિતી આપી છે.. આભાર્.
2.
ઊર્મિસાગર | March 21, 2007 at 6:30 am
very good info…. thanx aunty!