Archive for May 8th, 2007
રવિન્દ્રનાથ ઠાકુર
આજે વૈશાખ વદ છઠ
આજનો સુવિચાર:- આપઘાત, ચોરી,પરદારાગમન એ ત્રણ શારીરિક પાપોને હંમેશા ત્યજવા. – કુલિનચંદ્ર યાજ્ઞિક
હેલ્થ ટીપ્સ:- પેટના ગેસ પર કે ગઠિયા વા પર મેથીની ભાજીનું નિયમિત સેવન ફાયદાકારક છે.
રવિન્દ્રનાથ ઠાકુર
પ્રખર રાષ્ટ્રપ્રેમી, આપણા દેશના રાષ્ટ્રગીત ‘જનગણમન’ના રચયિતા કવિશ્રી રવિન્દ્રનાથ ઠાકુરનો આજે 8/5/1861માં બંગાળના એક નાના ગામમાં થયો હતો. તેમણે અપૂર્વ સંસ્થા ‘શાંતિનિકેતન’ની સ્થાપના કરી હતી. 1931માં તેમણે લખેલાઅપૂર્વ કાવ્યસંગ્રહ ‘ગીતાંજલી’ને નોબેલ પુરસ્કાર મળ્યો હતો. તેમણે હજાર જેટલાં ગીતો, કાવ્યો, નાટક, નવલકથા, નિબંધો, પ્રવાસવૃત્તાંત વગેરે લખ્યા હતા.
રવિન્દ્રવાણી
જીવન જ્યારે સૂકાઈ જાયકરૂણાધારાએ આવોસકલ માધુરી છિપાઈ જાયે
ગીત સુધારસે આવો
કર્મનાં જ્યારે કાળા વાદળગરજી ગગડી ઢાંકે સૌ સ્થળહૃદય આંગણે હે નિરવનાથ
પ્રશાંત પગલે આવો
મોટું મન જ્યારે નાનું થઈ જાયખૂણે ભરાયે તાળું દઈ જાયતાળું તોડી હે ઉદારનાથ
વાજંતા ગાજંતા આવો
કામ ક્રોધનાં આકરા તોફાનઆંધળા કરી ભૂલાવે ભાનસદા જાગત પાપ ધુવંતવિજળી ચમંકતા આવો
ૐ નમઃ શિવાય
5 comments May 8, 2007

