Archive for May 16th, 2007
લોકગીત
આજે વૈશાખ વદ અમાસ
આજનો સુવિચાર:- જેઓ અવસર પ્રમાણે યોગ્ય વર્તન કરે તથા વાતને યોગ્ય સમયે વાળી દે તેઓ સૌના પ્રિય બને છે. — પ્રણવાનંદજી
હેલ્થ ટીપ:- ચારોળીના ઝાડની છાલને દૂધમાં વાટી તેમાં મધ ભેળવી પીવાથી રક્તાતિસાર મટે છે. – ડૉ. મલ્લિકા ઠાકુર
લોકગીત
મેં તો મથી મથી માળા ફેરવી રે
એનાં ગુંચવાઈ ગયા પારા રે
તને ક્યાંથી મળે રામ રખવાળા રે
મેં તો અમરો ને ડમરો વાવ્યો રે
મેં ન’તો વાયો તુલસીનો ક્યારો રે
તને ક્યાંથી મળે રામ રખવાળા રે
મેં તો ગોંદરે ગાયો ચારી રે
કે મારે ખૂંટે રહી ગઈ ભૂખી રે
તને ક્યાંથી મળે રામ રખવાળા રે
હું તો અડસઠ તીરથે ગયા રે
તારા માબાપ રહી ગયા ઘરે
તને ક્યાંથી મળે રામ રખવાળા રે
હું તો ગંગા જમુના નાહી રે
મારાં કાળજા રહી ગયાં કોરા રે
તને ક્યાંથી મળે રામ રખવાળા રે
મેં લખ ચોરાશી જમાડ્યાં રે
તારા ભોણિયા રહી ગયા ભૂખાં રે
તને ક્યાંથી મળે રામ રખવાળા રે
મેં તો સાધુ સંત જમાડ્યાં રે
મારું કુટુંબ રહી ગયું ભૂખ્યું રે
તને ક્યાંથી મળે રામ રખવાળા રે
પાલનપુરના હનુમાન આશ્રમની બેનો આ ગીત ગાતા ગાતા ઘઉં સાફ કરતી હતી. મને ખૂબ ગમી ગયું તેથી અહીં તેની રજુઆત કરું છું. આપણા આ આયખાની કેટલી સુંદર વાતો કહી છે આ ભજનમાં !!
ૐ નમઃ શિવાય
4 comments May 16, 2007


