Archive for May 19th, 2007
આપણે ઉપવાસ શા માટે કરીએ છીએ ?
આજે અધિક જ્યેષ્ઠ સુદ ત્રીજ
આજનો સુવિચાર:- મિત્રતા એને કહેવાય કે જેમના પરિવારો વચ્ચે ભોજન લેવાનો સંબંધ હોય.
હેલ્થ ટીપ:- આંસુને વહેવા દો. તેનું દમન, ભય, ક્રોધ,ઉદ્વિગ્નતા જેવા ભાવો ઉત્પન્ન કરે છે.
આપણે ઉપવાસ શા માટે કરીયે છીએ???
મોટા ભાગના શ્રદ્ધાળુ લોકો નિયમિત રીતે કે તહેવારોના દિવસે ઉપવાસ કરતા હોય છે. ઉપવાસના દિવસે તેઓ બિલકુલ ખાતા નથી અથવા તો એકટાણું કરે છે. કે ફળાહાર કે હલકો ખોરાક લે છે. કેટલાક તો આખો દિવસ પાણી પણ નથી પીતા. પરમેશ્વરને પ્રસન્ન કરવા, પોતાના જીવનને અનુશાસિત કરવા, કોઈ પ્રકારનો વિરોધ કરવા માટે, એમ વિવિધ કારણે ઉપવાસ કરવામાં આવે છે.
આપણે ઉપવાસ કેમ કરીએ છીએ?
અન્નનો બચાવ કરવા ઉપવાસ કરીયે છી, કે ઉપવાસ પછી વધુ ખાવા માટે? ખરેખર ઉપવાસ એ માટે નથી. તો ઉપવાસ શા માટે?
‘ઉપ’ એટલે સમીપ અને ‘વાસ’ એટલે રહેવું તેથી ઉપવાસ એટલે ઈશ્વરની સમીપે રહેવું, એટલે મનથી ઈશ્વરનું સામીપ્ય પ્રાપ્ત કરવું. તો ઉપવાસને ખોરાક સાથે શો સંબંધ?
ખોરાક મેળવવો, સાફ કરવો, તેને રાંધવો, ખાવો અને પચાવવો- આ બધામાં પુષ્કળ સમય અને શક્તિ ખરચાઈ જાય છે. અમુક ખોરાકથી આપણું મન ઉદ્વેગ્નિ થાય છે. તેથી અમુક અમુક દિવસે હલકો ખોરાક ખાઈને કે બિલકુલ ખાધા વિના, માણસ સમય અને શક્તિનો બચાવ કરવાનો સંકલ્પ કરે છે. તેથી તેનું મન જાગૃત અને પવિત્ર રહે છે. સાથે સાથે માનસિક બળની વૃદ્ધિ થાય છે. અને આ અનુશાસન સ્વેચ્છાપૂર્વક સ્વીકાર્યુ હોવાથી તેનું પાલન પણ આનંદપૂર્વક થાય છે.
જોકે દરેક તંત્રને વચ્ચે વિરામ જરૂરી છે જેથી તે પુનઃસજ્જ થઈ જાય છે. આમ ઉપવાસ આપણા શરીરની પાચંક્રિયા માટે શુભ છે. ઉપવાસથી નબળાઈ આવવી, મનમાં ઉદ્વેગ થવો કે ભોગેચ્છા જાગૃત થવી, એ ન થવી જોઈએ. ઉપવાસ પાછલ પ્રભુભક્તિની ભાવના ન હોય ત્યારે આવું બનતું હોય છે. કેટલાક લોકો વજન ઉતારવા માટે પણ કરતા હોય છે. ઉપવાસ મનોબળ દ્રઢ, ઈંદ્રિયસંયમ કેળવવા કે તપશ્ચર્યાર્થે થાય તો ઉત્તમ ફળ મળે છે.
ૐ નમઃ શિવાય
2 comments May 19, 2007

