મ્હાલવા જેવાં મુક્તકો
May 28, 2007
આજે અધિક જેઠ સુદ બારસ
આજનો સુવિચાર:- વિનયહીન વિદ્યા, દયાહીન દાન, ભાવહીન ભક્તિ અને સ્નેહહીન માન એ ચારે દુઃખદાયી છે.
હેલ્થ ટીપ્સ:- લીંબુનો રસ, મધ અને ગુલાબ જળ ભેળવી ચહેરા અને ગરદન પર લગાડવાથી ઉત્તમ ફેસપેક થશે.
મ્હાલવા જેવા મુક્તકો
પંચ તત્વોનો ખૂલાસો ધ્યાનથી સુણ ઓ બેખબર
પંચરંગોથી રંગાયેલું છે તારું જીવતર
દેવ દાનવ ઈશ માનવ કે પછી પશુ
જે થવું હોય તે થાય, સૌ એ નિર્ભર છે તારા કર્મ પર
સત્ય કેરું વૃક્ષ જગમાં કદીએ કોઈને ન સાંપડ્યું
માર્ગ અપનાવ્યો અ સાચો તેથીએ કશુંએ ના વળ્યું
ડાળીઓ મથતા રહ્યા સૌ થડને કોઈએ ન પકડ્યું
તેથી ફળ અને યત્ન વચ્ચે અંતર વધતું ગયું
કોણ છે નિષ્પાપ જગમાં જા જઈને બતલાવ તું
પાપ વિણ જીવાય શી રીતે મને સમજાવ તું
હું બુરાં કર્મો કરું તુ પણ આપે સજા બુરી
તો પછી તુજમાં ને મુજમાં શો ફરક બતલાવ તું
બાવરા થઈને કદી દર દર ન ભમવું જોઈએ
ભાગ્ય સારૂં હો કે નરસુ મનને ગમવં જોઈએ
વ્યોમ જો ચોપાટ છે સોગઠા પુરૂષાર્થના
જેમ પડતાં જાય પાસા એમ રમવું જોઈએ
માર્ગ ફંટાતો ગયો અને સાથીઓ વળતા ગયા
શૂન્યની સંદૂકમાં સૌએ ખડકાતા ગયા
— શૂન્ય પાલનપુરી
ૐ નમઃ શિવાય
Entry Filed under: પોયણી[કાવ્યરસ]. .
4 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed


1.
chetu | May 28, 2007 at 4:15 pm
સત્ય કેરું વૃક્ષ જગમાં કદીએ કોઈને ન સાંપડ્યું
માર્ગ અપનાવ્યો અ સાચો તેથીએ કશુંએ ના વળ્યું
ડાળીઓ મથતા રહ્યા સૌ થડને કોઈએ ન પકડ્યું
તેથી ફળ અને યત્ન વચ્ચે અંતર વધતું ગયું
very nice..!!!..its true..!!
2.
સુરેશ જાની | May 28, 2007 at 5:57 pm
મારા બહુ જ પ્રીય કવી.
હીન્દુત્વને એમણે કેટલું પચાવ્યું હતું એ પહેલા મુક્તક્માંથી જણાઇ આવે છે.
3.
વિવેક | May 29, 2007 at 6:21 pm
સુંદર સંકલન… આભાર…
4.
pravinash1 | May 31, 2007 at 7:43 am
સ્ત્યના વૃક્ષને દયાના પાન લાગે
અને પ્રેમના ફળ મળે તો
સાથીઓ જ્યારે ફંટાતા જાય તો
સુગંધ થઈને શૂન્યમાં ફેલાઈ જાય