અજમાવી જુઓ
આજે અધિક જેઠ સુદ તેરસ
આજનો સુવિચાર:- લોભી માણસ રણ પ્રદેશની વેરાન જમીન જેવો છે, જે વરસાદનું પાણી તથા ઝાકળનું બધું પાણી આતુરતા પી જાય છે, પણ બીજાના ઉપયોગ માટે એક તણખલું કે ફળઝાડ પેદા કરતો નથી. – ફાધર વોલેસ
હેલ્થ ટીપ્સ:- સ્થૂળતા ઘટાડવા માટે ગાજર, ટામેટાં તથા કાકડીના રસનું સેવન કરો.
અજમાવી જુઓ
• પંખા અને લોખંડની બારીઓ કે ગ્રીલ પર જાળા ન જામે તે માટે તેને કેરોસિનથી સાફ કરવા.
• નોનસ્ટિક વાસણોને વિનિગરથી રગડવાથી વાસણ આસાનીથી સાફ થઈ જશે.
• ફર્નિચર પરના ડાઘ સાફ કરવા માટે સિગરેટની રાખમાં વિનિગર ભેળવી ફર્નિચર સાફ કરવું.
• પોતુ મારતી વખતે પાણીમાં થોડીક ગળી ભેળવવાથી લાદી ચમકી ઉઠશે.
• વાળમાં લગાડાવાની ડાઈના રસાયણનાં ડાઘા કપડા પર એક કાંદો કાપીને થોડીવાર મૂકી રાખો અને આ પછી સાબુથી ધોઈ નાખો.
• કપડાં પર લાગેલા ચાના ડાઘા દૂર કરવા એક કપ ગરમ પાનીમાં એક ચમચો બોરેક્સ પાઉડર ભેળવીને એ પાણીથી એ સ્થાન ધોઈ કાઢો.
• ડ્રેસિંગ ટેબલ પરની હેર પિંસ, સોય, યુપીન કે ટાંચણીઓ એક સ્થાને રાખવા માટે લોહચુંબકનો ઉપયોગ કરો.
• મધની શુદ્ધતા ચકાસવા માટે મધનાં ટીપાંને પાણી પર નાખો. શુદ્ધ મધ ગોળો બની તરશે જ્યારે અશુદ્ધ મધ પાણીમાં ઓગળી જશે.
• મરચાની ભૂકીમાં જીવાત ન પડે ત માટે મીઠાની પોટલી મૂકો.
• વાળ તૈલી હોય તો પાણી અને લીંબુના રસને ભેળવી વાળ પર છાંટો અને સૂકાઈ ગયે વાળ ઓળો.
• માથાનો દુઃખાવાથી બચવા માટે લસણની એક કળી ચાવીને ખાવી અને તેની ઉપર એક ગ્લાસ હુંફાળું પાણી પીઓ.
• ફ્રુટ સલાડ બનાવતી વકહ્તે કેળા, સફરજન, સંતરા તેમ જ પપૈયા જેવા ફળો પર વાટેલી રાઈનો લેપ લગાડો. તેથી તે કાળા નહીં પડે.
• ચાંદીના વાસણો પર ટૂથપેસ્ટ ઘસી સૂકાવા દો ત્યાર બાદ તેને સૂકા કપડાથી લૂછવાથી ચાંદી ચમકી ઉઠશે.
• રંગીન કપડાં બોળતી વખતે તેમાં મીઠું અથવા એક ચમચો વિનિગર નાખવાથી કપડાં રંગ ઉડશે નહીં.
• લીંબુને મીઠાની બરણીમાં રાખવાથી લીંબુ બગડશે નહીં.
• ભજિયા બનાવતી વખતે ચણાનાં લોટમાં ચોખાનો લોટ અથવા કૉર્ન ફ્લૉર ઉમેરવાથી ભજિયા ક્રીસ્પી બનશે.
• ઈડલી બનાવવાના આથામાં એક ચમચી મેથીનો ભૂક્કો ઉમેરવાથી ઈડલી મુલાયમ તેમજ નરમ બનશે.
• સુકાયેલા કારેલાની છાલ અનાજ સાથે રાખવાથી અનાજમાં જીવાત નહીં પડે.
— સંકલિત
ૐ નમઃ શિવાય
5 comments May 29, 2007

