અનેરી મઝા
June 1, 2007
આજે અધિક જેઠ સુદ પૂનમ
આજનો સુવિચાર:- સમાજમાં સજ્જન અને દુર્જન સાથે જ રહેતા હોય છે. જો દુર્જન પોતાનો સ્વભાવ છોડી શકતા ન હોય તો સજ્જને પોતાનો સ્વભાવ શા માટે છોડી દેવો જોઈએ? — શંકરાચાર્ય
હેલ્થ ટીપ્સ:- તાવ ઉતારવા ધાણાનું પાણી અને સાકર પીઓ. પરસેવો વળશે તો તાવ ઉતરશે.
[ આ કાવ્ય લખીને મોકલનારે પોતાનું નામ પ્રગટ કરવાની ના પાડી છે.]
અનેરી મઝા
દુઃખમાં રડી લેવાની પણ મઝા અનેરી હોય છે,
હારેલી જીંદગી જીવવાની પણ મઝા અનેરી હોય છે.
કીનારા પર વહાણ હંકારનારાઓ તમને શું ખબર,
તૂફાન માં કશ્તી ગુમાવવાની પણ મઝા અનેરી હોય છે.
તમામ ઉમર જેને પામવાની તડપ હોય પરંતુ,
તેને મેળવીને ગુમાવાની પણ મઝા અનેરી હોય છે.
બે હાથ વડે ઝીંદગી ઉલેચનારાઓ એટલું પણ જાણો કે,
છેલ્લા શ્વાસે હથેળી ખાલી જોવાની પણ મઝા અનેરી હોય છે.
એક વાટ પકડી ને ચાલનારાઓ મંઝીલ જરુર પામે છે,
કીન્તુ માર્ગ માં ભટકી જવાની પણ મઝા અનેરી હોય છે.
દુનીયા જીતનારા ઘણાં સીકંદરો ભૂલાઈ ગયાં ,
એક-બે ના દીલ જીતી ચાલી જવાની પણ મઝા અનેરી હોય છે.
ૐ નમઃ શિવાય
Entry Filed under: પોયણી[કાવ્યરસ]. .
3 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed



1.
વિશ્વદીપ &hellip | June 3, 2007 at 7:37 pm
દુઃખમાં રડી લેવાની પણ મઝા અનેરી હોય છે,
હારેલી જીંદગી જીવવાની પણ મઝા અનેરી હોય છે.
આપણા હારવામાં કોઈની જીત હોય છે,
જીતેલો માણે મજા એમાં કેવી મસ્તી હોય છે!
2.
sudhir kadakia | May 19, 2008 at 5:03 pm
excellant
3.
manvantpatel | May 20, 2008 at 10:22 am
આ કાવ્યના કવિ શ્રી . સુધીરભાઇ તો નથી ને ?