ઉનાળામાં ઠંડક આપતા પ્રાણાયમ
June 3, 2007
આજે અધિક જેઠ વદ બીજ
આજનો સુવિચાર:- દુનિયામાં અકારણે વેરી ઘણાં હોય છે, તમે અકારણે ઉપકારી બનો.
હેલ્થ ટીપ્સ:-ભૂખ ન હોવા છતાં ખાવું અને ચાવ્યા વગર ઝડપથી ખાવું એ રોગોને નોતરું આપવાનું કામ કરે છે.
ઉનાળામા ઠંડક આપતા પ્રાણાયમ
શીતલી પ્રાણાયમ :-
[1] સુખાસન કાંતો વજ્રાસન અથવા તો પદ્માસન અથવા જે આસનમાં અનુકૂળ પડે તે આસનમાં બેસી હાથ ઘૂંટણ પર રાખો..
[2] જીભને તેના બંને છેડાથી ઉપરની બાજુએ નળી જ્ર્વો આકાર થાય તેમ રાખો.
[3] મોઢું ખૂલ્લું રાખો અને મોઢા વાટે જીભના નળી જેવો આકાર બનાવી તેમાંથી હવા પસાર થાય તે રીતે ફેફસાં હવાથી પૂરેપૂરાં ભરાઈ જાય તેમ શ્વાસ અંદર લો. [Inhale]
[4] થોડીવાર શ્વાસને અંદર રોકી રાખો પછી મોઢું બંધ કરી નાક વાટે હવા બહાર કાઢી નાખો.
[5] આ ક્રિયાનું પુનરાવર્તન 8 થી 10 વખત કરો.
શિયાળામાં આ પ્રાણાયામ અલ્પ માત્રામાં કરવો નહીં તો શરદી થઈ જશે.
આ પ્રાણાયામ કરવાથી ઉનાળામાં એરકંડિશન જેવી ઠંડક અનુભવશો. ભૂખ અને તરસ છિપાશે. હાઈ બી.પી.માં ફાયદો થશે.રક્તશુદ્ધિનું કાર્ય કરે છે.
સીતકારી પ્રાણાયમ:-
1] ઉપરોક્ત જણાવ્યા પ્રમાણે આસનમાં બેસો.
2] જીભને તાળવા સાથે અડાડો.
3] જીભને અંદર તરફ થોડી વાળીને ઉપર અને નીચેના દાંત થી દબાવો.
4] હોઠ ખુલ્લા રાખી સિસ્કારા જેવો ધીમો અવાજ આવે તે રીતે મોંઢાથી ફેફસા ભરાઈ જાય તે રીતે શ્વાસ ભરો.
5] થોડીવાર શ્વાસ રોકો.
6] ત્યારબાદ મોઢું બંધ રાખી નાકેથી ધીરે ધીરે શ્વાસ બહાર કાઢો.
8 થી 10 વખત આ ક્રિયાનું પુનરાવર્તન કરવું. આ ક્રિયાથી શરીર ઠંડુ પડશે. ઉનાળામાં તરસ છિપાય છે અને ગરમીમાં રાહત રહે છે. શિયાળામાં આ પ્રાણાયામ ન કરવો. શરદી અને કફ થઈ જશે.
આ પ્રાણાયામથી ઉપરોક્ત લાભ થશે. તે ઉપરાંત પાયોરિયા, દાંતનાં રોગો, ગળા અને જીભના રોગોમાં પણ ફાયદો થશે.
ૐ નમઃ શિવાય
Entry Filed under: નિરોગી[સ્વાસ્થય]. .
2 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed


1.
chetu | June 3, 2007 at 12:57 pm
GOOD INFO. THANKS..!
2.
વિશ્વદીપ બારડ | June 3, 2007 at 6:50 pm
You have good details info. all the time. Great.