Archive for June 13th, 2007

થોડાક ધાર્મિક ચતુર થઈએ

                                આજે અધિક જેઠ વદ તેરસ

આજનો સુવિચાર:- શબ્દોથી સદગુરુને મહાત નથી કરી શકાતા, પૈસાથી સદગુરુને ખરીદી નથી શકતા તેમજ સત્તાથી સદગુરુને ગુલામ નથી બનાવી શકાતા.—મોરારી બાપુ

હેલ્થ ટીપ્સ:- પગમાં ગરમીને કારણે થતા પસીનાની દુર્ગંધ દૂર કરવા પગને મેડિકેટેડ સાબુથી ધોઈને 10 મિનિટ સુધી 1 ચમચી યુડિકૉલોન ઉમેરેલા હુંફાળા પાણીમાં ડુબાડી રાખો. થાક પણ દૂર થઈ જશે અને પસીનાની દુર્ગંધ દૂર થશે.

અધિક માસ પૂર્ણતાને આરે આવી ઊભો છે તો થોડી ધર્મ વિષે જાણકારી મેળવીએ.

• અધિક માસ દર ત્રીજે વર્ષે આવે છે.

• ભગવાન શિવજી પાર્વતીજીને અમરકથા કહેવા માટે અમરનાથજીની પસંદગી કરી હતી.

• ભગવાન ભાર્ગવ તરીકે ઓળખાતા પરશુરામ ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર હતા.

• ગાયત્રી મંત્રમાં કુલ ચોવીસ અક્ષરો છે.

• વટવૃક્ષમાં મૂળ વાસ બ્રહ્માજીનો છે.

• કબીરજી જીવનપર્યંત કાશીમાં રહ્યા હતા.

• હિમાલયનાં કેદારશૃંગ પર નર-નારાયણે તપશ્ચર્યા કરી હતી.

• ભગવાન બુદ્ધનો જન્મ કપિલવસ્તુમાં થયો હતો.

• સૌરાષ્ટ્રના સંત ગંગાસતીનો જન્મ ભાવનગર જિલ્લામા થયો હતો.

• શ્રીમદ રાજચંદ્રનો જન્મ સૌરાષ્ટ્રના વવાણિયા ગામે થયો હતો.

• ભેરુતારક ધામ આબુની તળેટીમાં આવ્યું છે.

• કોયલા પર્વત પર હરસિદ્ધ માતાનું મંદિર આવ્યું છે.

• કર્ણનું બાળપણ પવિત્ર ગંગા નદીને કિનારે વીત્યું હતું.

• શંકરાચાર્યનો પગ મગરે પકડ્યો હતો.

• ચંદ્રાસ્વામી રામસેતુની સુરક્ષા માટે રાષ્ટ્રીય સાંસ્કૃતિ જાગરણ અભિયાન ચલાવી રહ્યા છે.

• શીખ ધર્મના નવમા ગુરુ તેગબહાદૂરે ધર્મ અને સંસ્કૃતિની રક્ષા માટે બલિદાન આપ્યું હતું.

• બદરીનાથ ઉત્તરાખંડની અલકનંદા પર આવેલું છે.

• પ.પૂ. કૃષ્ણશંકર શાસ્ત્રીનું મૂળ નામ શ્રી કૃષ્ણ હતું.

• મહાવીર સ્વામી પાવાપુરીમાં નિર્વાણ પામ્યા હતાં અને તે યાત્રાધામ કહેવાય છે.

• પુનિત મહારાજે ભજનનો વેપાર ન કરવાનો સંકલ્પ લીધો હતો.

• માળામાં 54 મણકા હોય તો તે માળા મધ્યમ ગણાય.

• વિનોબા ભાવે ભૂદાનયજ્ઞ દ્વારા સમાજ પરિવર્તન કરનાર મહાપુરુષ હતા.

• સંત જ્ઞાનેશ્વરે માત્ર 22 વર્ષની વયે સમાધિ લીધી હતી.

• અર્જુનની યુધ્ધ કરવાની દ્વિધાને કારણે ભગવત ગીતાની ઉત્પત્તિ થઈ.

• નરસિંહ મહેતાએ પોતાનો કેદાર રાગ શામળશા શેઠ પાસે ગીરવી મૂક્યો હતો.

• જમણી સૂંઢવાળા ગણપતિની ઉપાસના અત્યંત કઠિન છે.

• વેદકાળમાં ઈંદ્રદેવને મુખ્ય દેવ તરીકે માનવામાં આવતાં હતાં.

• ઘંટાકર્ણ મહાવીર મહુડીના દેરાસરમાં બિરાજમાન છે.

                                            ૐ નમઃ શિવાય


1 comment June 13, 2007


વિભાગો

Recent Comments

Vital Patel on બે કવિતા
pragnaju on ગુરૂપૂર્ણિ…
manvant on આજના એસ.એ…
pragnaju on આજના એસ.એ…
પંચમ શુ… on આજના એસ.એ…

Recent Posts

Archives

Calendar

June 2007
M T W T F S S
« May   Jul »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

વાચક સંખ્યા

નિરીક્ષણ

ધબકારનાં ધબકતા હૈયા

Image Hosted by ImageShack.us

Links

Feeds

Flickr Photos

work in progress

More Photos