Archive for June 21st, 2007

તબીબી સત્ય

                                 આજે જેઠ સુદ સાતમ

આજનો સુવિચાર:- ફળ આવે ત્યારે વૃક્ષ ઝૂકી જાય છે. વર્ષાના સમયે મેઘ પણ ઝૂકી જાય છે. સંપત્તિ આવે ત્યારે ઘણા સજ્જ્નો સુદ્ધાં નમ્ર બની જાય છે, કેમ કે પરોપકારી વ્યક્તિઓના સ્વભાવમાં જ ઝૂકી જવાનો તથા નમ્ર બની રહેવાનો ગુણ રહેલો છે. — વિનોબા ભાવે

હેલ્થ ટીપ્સ:- રોજ રાત્રે ચાર-પાંચ તુલસીના પાંદડા નાખી તાંબાના લોટામાં પાણી ભરવું. નયણાકોઠે આ પાણી પીવાથી કુષ્ઠ રોગ, આંખોની તકલીફ, માથાનો દુઃખાવો, વાયુ, કફ વગેરેમાં રાહત મળે છે.

                                    તબીબી સત્ય

• આપણા શરીરમાં રહેલા લાલ રક્તકણો 120 દિવસ સુધી જીવંત રહે છે.

• આપણા શરીરમાં એક સમયે 2.5 અબજ લાલ રક્તકણો હોય છે. આ આંકડો જાળવી રાખવા અઢી કરોડ નવા રક્તકણો બોનમેરોએ બહાર પાડવા પડે છે.

• રક્તકણો ફક્ત 20 સેકંડમાં સંપૂર્ણ શરીરનું ચક્કર લઈ શકે છે.

• આપણું હૃદય દરરોજ લગભગ 10,000 વખત ધડકે છે.

• આપણા શરીરમાંરુધિર 60,000 માઈલની મુસાફરી કરે છે.

• આપણી આંખો દસ કરોડ રંગોને ઓળખીને પીછાણી શકે છે અને સૌથી મોટા ટેલિસ્કોપનીની સરખામણીએ વધારે માહિતી ગ્રહણ કરે છે.

• પૃથ્વીની ધરી પર અસ્તિત્વ પામેલા સુક્ષ્મ જીવો કરતાં વધારે જીવો આપણા શરીર પર જીવે છે.

• સામાન્ય રીતે 30 વર્ષ બાદ માનવીનું શરીર ધીરે ધીરે સંકોચાવાનું શરૂ કરે છે.

• મોટા ભાગના માણસો 60 વયે પહોંચતા પહોંચતા 50 ટ્કા સ્વાદેન્દ્રિય ગુમાવે છે.

• માનવશરીરમાં પતંગિયા કરતાં ઓછા સ્નાયુઓ હોય છે.

• જ્યારે માનવ હસે કે શરમાય ત્યારે ઘણીવાર તેનું મોઢું લાલ થાય છે સાથે પેટ પણ લાલ થાય છે.

                                                                                      — સંકલિત

                                 ચાલવાથી થતાં ફાયદાઓ

        જેટલું વધું ચાલશો તેટલું જ વધારે અને ભરપેટ ખાઈ શકશો. એક વખત ઈચ્છિત વજન પ્રાપ્ત કરી લીધા પછી વધુ ખાવા છતાં સ્લિમ અને પરફેક્ટ રહેવાશે. ચાલવાથી શાંતિ મળશે અને માંસપેશિયોને આરામ મળશે.

• દરરોજ ત્રણ કિ.મી. ચાલવાથી ત્રણ અઠવાડિયામાં તો આત્મવિશ્વાસ વધે છે તેમજ તણાવ દૂર થાય છે અને પ્રસન્નતા મળે છે.

• ચાલવા જતાં પહેલા એક ગ્લાસ પાણી જરૂરથી પીજો..

• ખાવાનું ખાધા પછી ચાલવાનું તેમજ લાંબી મજલ કાપવાનું ટાળજો.

• ચાલતી વખતે આરામદાયક ચંપલ કે શૂઝ પહેરજો જેથી ચાલવામાં તકલીફ ન પડે.

• એકલા ચાલવામાં જો કંટાળો આવતો હોય તો મિત્રોને પણ ચાલવા માટે આમંત્રિત કરો.

• શ્વાસ ફૂલે તેટલું ઝડપથી નહીં પણ ઝડપથી ચાલવાનું જરૂરથી રાખવું.

• ચાલવાથી જરૂર ફાયદો છે પરંતુ દરેક વ્યક્તિને માટે અલગ અલગ ફાયદો હોય છે.

                                                                       — સંકલિત

                                    ૐ નમઃ શિવાય


4 comments June 21, 2007


વિભાગો

Recent Comments

Vital Patel on બે કવિતા
pragnaju on ગુરૂપૂર્ણિ…
manvant on આજના એસ.એ…
pragnaju on આજના એસ.એ…
પંચમ શુ… on આજના એસ.એ…

Recent Posts

Archives

Calendar

June 2007
M T W T F S S
« May   Jul »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

વાચક સંખ્યા

નિરીક્ષણ

ધબકારનાં ધબકતા હૈયા

Image Hosted by ImageShack.us

Links

Feeds

Flickr Photos

work in progress

More Photos