Archive for June, 2007

ભારતીય સંગીત

                     આજે જેઠ સુદ છઠ

આજનો સુવિચાર:- ક્રોધ અને અહંકાર જો આજે નહીં જીતાય તો આવતી કાલે તેના ઉપર જીત મેળવવી કઠિન બનશે.

હેલ્થ ટીપ્સ:- વિનેગરના ઉપયોગથી ફક્ત વજન જ નથી ઘટતું પરંતુ લોહીમાં રહેલી સુગરને રોકવામાં મદદ કરે છે તેમજ અપચાની તકલીફ દૂર કરે છે.

                         ભારતીય સંગીત


| View Show | Create Your Own

   ભારતીય સંગીતની દુનિયામાં બે પ્રકાર પ્રચલિત છે. એક તો ‘ઉત્તરીય પદ્ધતિ’ અથવા ‘હિંદુસ્તાની સંગીત’અને બીજી ‘કર્ણાટક પદ્ધતિ’ અથવા ‘કર્ણાટકી સંગીત’.

       હિંદુસ્તાની સંગીત મુંબઈ, ગુજરાત,સૌરાષ્ટ્ર,રાજસ્થાન,મધ્યભારત, બંગાલ, બિહાર વગેરે પ્રાંતોમાં પ્રચલિત છે. જ્યારે કર્ણાટક સંગીત કર્ણાટક, ચેન્નાઈ, મૈસુર, તામિલનાડુ વગેરે પ્રાંતોમાં પ્રચલિત છે. વાસ્તવિકમાં સંગીત તો બંને પ્રકારમા6 સરખું જ છે પણ પ્રસ્તુત કરવાની ઢબ અલગ છે.

સંગીત મુખ્ય તાલ અને સૂર પર આધારિત છે.

સૂર એટલે ધ્વનિ. ધ્વનિને નાદ કહે છે. આ નાદ કોઈ એક વસ્તુના ઘર્ષણથી ઉત્પન્ન થાય છે. રેલ્વેની સીટી કે હૉર્ન વગેરે ઉત્પન્ન થતો ધ્વનિ નાદનું એક રૂપ છે. આ દરેક નાદ સંગીતોપયોગી નથી હોતા પરંતુ જે નાદ સંગીતોપયોગી હોય છે તેને ‘સ્વર’ કહે છે. જે નાદમાં અસ્થિરતા અને અનિયમિતા હોય છે તેને ઘોંઘાટ અથવા કોલાહલ કહેવાય છે.

આ નાદનાં ત્રણ વિશિષ્ટ ગુણ છે.

1] જેમ જેમ સ્વર કંપનની સંખ્યા વધતી જાય તેમ તેમ સ્વર ઊંચો થતો જાય છે. એવી જ રીતે જેમ જેમ સ્વર કંપનની સંખ્યા ઘટતી જાય તેમ તેમ સ્વર નીચે ઉતરતો જાય છે. આ ક્રિયાને ‘તારતા’ કહેવાય છે.
2] એક જ સ્વર કંપનને તાકાતથી વધતો કે ઓછો કરવામાં આવે અવાજ નાનો મોટો થાય છે આને અવાજની ‘તીવ્રતા’ કહેવાય છે.

3] જાતિ અથવા ગુણ એ સ્વરની આવશ્યક પાસુ છે.

પ્રત્યેક વ્યક્તિનો અવાજ વિભિન્ન હોય છે. એક વ્યક્તિનો અવાજ બીજા સાથે કદાપિ મળતો નથી એવી જ રીતે વાદ્યનો અવાજ અલગ હોય છે. આમ દરેક વસ્તુની ખાસિયતને તેની ‘જાતિ’ અથવા તો ‘ગુણ’ કહેવાય છે.

ગાયકીનાં પાંચ પ્રકાર છે ધમાર, ટપ્પા, ઠુમરી, ભજન, ગઝલ.આ વિષે વધુ વાત પછી કરીશું.

આ થઈ ‘સૂર’અને ‘ગાયકી’ની વાત. તાલ વિષે પછી ક્યારેક વાતો કરીશું.

                                      ૐ નમઃ શિવાય


3 comments June 20, 2007

એલિફંટા

               આજે જેઠ સુદ પાંચમ [શિવ-પાર્વતી વિવાહ]

આજનો સુવિચાર:-ભૂત , ભવિષ્ય, વર્તમાન સંપૂર્ણ જ્ઞાનનો આધાર વેદ છે.

હેલ્થ ટીપ્સ:- નખ પરના સફેદ ડાઘ એ કેલ્શિયમની નહીં પણ પ્રોટીનની ખામીની નિશાની છે.

                                   એલિફંટા


| View Show | Create Your Own 

      મુંબઈથી 10 કિ.મી.ના અંતરે અરબી સમુદ્રમાં એક ટાપુ આવ્યો છે. જ્યાં એલિફંટાની ગુફાઓ આવી છે. ત્યાં પહોંચવા મોટરબોટમાં કે લૉંચમાં બેસી જઈ શકાય છે. રાજબંદર પર ઉતર્યા બાદ 2 કિ.મી.ચાલવું પડે છે જોકે હવે મીની ટ્રેનની સગવડ કરવામાં આવી છે. તેમાંથી ઉતરીને લગભગ 120 જેટલાં પગથિયા ચઢી ગુફા સુધી પહોંચાય અછે. ત્યાં અંદર જવા ટિકિટ ખરીદવી પડે છે. અંદર જતાં સરકારી ગાઈડ મળી રહે છે જે ગુફામાંની મૂર્તીઓનો પરિચય આપતા હોય છે તેમજ ગુફાનો ઈતિહાસ જણાવે છે.

        પ્રાચીનમાં આ ધારાપુરી દ્વિપ તરીકે ઓળખાતો હતો. ધારા એટલે કિલ્લાની દિવાલ અને પુરી એટલે નગરી એટલે કિલ્લાબંદીથી સુરક્ષિત નગર. 11મી સદીના એક તામ્રપત્ર પર આ નગરનો ઉલ્લેખ ‘શ્રીપુરી’ના નામે હતો. ખરેખર એ દિવસોમાં આ નગરી ખૂબજ સમૃધ્ધ હોવી જોઈએ.

     ઈ.સ. 1534માં પુર્તગાલી આ રાજબંદરે ઉતર્યા હતાં. તેઓએ ગુફાને બહાર વિરાટ કદના હાથીનું શિલ્પ જોયું તેથી તેઓએ આ સ્થળનું નામ ‘એલિફંટા કેવ્ઝ’ નામ આપ્યું. જોકે પાછળથી આ વિરાટ હાથીનું શિલ્પ મુંબઈ લાવવામાં આવ્યું અને ‘જિજામાતા ઉદ્યાન’ ભાયખાલામાં સ્થાપિત કરવામાં આવ્યુ. અહીં ચાલુક્ય અને ગુપ્ત કાળની કળાનો અદભૂત સમનવય જોવા મળે છે.

    એ દિવસોમાં હિંદુ ધર્મમાં બે સંપ્રદાય મુખ્ય હતા. શૈવ અને વૈષ્ણવ. એલિફંટાની ગુફામાં કડરાયેલી શિવ, પાર્વતી તથા ગણોની પ્રચલિત કથાઓ પરથી એ સાબિત થાય છે કે અહીં શૈવ સંપ્રદાયનો પ્રભાવ હતો.

      અહીં મુખ્ય 4 ગુફાઓ છે. પ્રથમ ગુફાનો વિસ્તાર લગભગ 130 ફૂટનો છે. ગુફામાં દાખલ થતાં જમણી બાજુએ નૃત્ય મુદ્રામાં ‘નટરાજ’ શિવજીની પ્રતિમા દ્રશ્યમાન થાય છે. પરમશાંતિનો અલૌકિક ભાવનો અનુભવ થાય છે.

     ત્યારબાદ શિવમંદિર આવે છે. તેના ચાર દ્વાર છે અને ચારે દ્વાર પર દ્વારપાળની 8 મૂર્તિઓ છે. મૂખ્ય દ્વાર પૂર્વાભિમુખ છે. પૂર્વમાં અલંકારકૃત ઈંદ્રદેવ ઊભાછે. દક્ષિણમાં હાથમાં માનવની ખોપરી લઈ યમરાજા ઊભા છે. પશ્ચિમમાં વરુણદેવ છે અને ઊત્તરમાં કુબેરજી ઊભા છે. દરેક દ્વારપાળ ખૂબ સુંદર રીતે કંડારાયેલા છે. મંદિરના મધ્યભાગમાં શિવલિંગ છે. મહાશિવરાત્રિએ અહીં મેળો ભરાય છે.

        શિવમંદિરના પાછળ પશ્ચિમ ભાગમાં અંધકાસુરનો વધ કરતા શિવજીની મૂર્તિ છે. અહંકાર રૂપી અંધકારનો જ્ઞાનરૂપી તલવારથી વધ કરવામાં આવે છે.

      ત્યારબાદ શિવ-પાર્વતી વિવાહના શિલ્પ જોવા મળે છે. શિવજીનો કલ્યાણકારી ચહેરો સાત્વિકભાવની અનુભૂતિ કરાવે છે. ત્યાં જળકુંડ છે. અહીં શિવમંદિર છે. અહીં ગંગાધર શિવજીની પ્રતિમા જોવા મળે છે. ભાગીરથી ગંગાને શિવજી જટામાં ધારણ કરે છે.

     મહેશ મૂર્તિમાં શિવજી હાજર છે. આ મૂર્તિ ત્રિમૂર્તિ તરીકે પ્રચલ્લિત છે. આ મૂર્તિ ભારતીય કળાની ચરમ સીમાએ છે. મધ્ય ચહેરો અત્યંત શાંત તત્પુરુષનો છે. સુવર્ણ મોતીથી આભૂષિત, માથે અલંકૃત મુકુટથી સુશોભિત મૂર્તી છે. ડાબી બાજુ રુદ્ર સ્વરૂપે શિવજીનું સંહારક સ્વરૂપ પ્રગટ થાય છે. જમણી બાજુએ ઈશ્વરીય ચહેરો પ્રગટ છે. શાંત સર્જન સ્વરૂપે છે.

      અર્ધનારીશ્વરરૂપે શિવ-શક્તિની [શિવ-શિવા] પ્રતિમા જોવા મળે છે. શિવ-શિવાનું મિલન એટલે દિલ અને દેહનું ઐક્ય. સીતા રામનાં કે પછી રાધા કૃષ્ણનાં હૃદયમાં એકતા છે પરંતુ ઉમા મહેશ તો હૃદય અને દેહથી પણ એક થઈ ગયા હોવાથી અર્ધનારીનટેશ્વર બની ગયા.

     શિવ પાર્વતી સોગઠાબાજી રમે છે તેવી મૂર્તીઓ પણ જોવા મળે છે. તેમ રાવણ કૈલાસને ખેંચવાનો પ્રયત્ન કરે છે તેવી પ્રતિમા જોવા મળે છે. મહાયોગી શિવજીની પ્રતિમા જોવા લાયક છે.

            અંતમા એલિફંટાની ગુફાઓ શિવધામ છે.

          મુંબઈમાં ગેટવે ઇંડિયાથી અને ભાઉ ચા ધક્કાથી દર કલાકે લૉંચ દ્વારા એલિફંટા જઈ શકાય છે. ચોમાસાના દિવસો છોડીને દરરોજ જઈ શકાય છે.

                           ૐ નમઃ શિવાય


9 comments June 19, 2007

HAPPY FATHER’S DAY

                               આજે જેઠ સુદ ત્રીજ [બીજનો ક્ષય]

આજનો સુવિચાર:- છાયા તો વડલા જેવી,
                                 ભાવ તો નદના સમ,
                                 દેવોના ધામના જેવું
                                 હૈડું જાણે હિમાલય

હેલ્થ ટીપ્સ:- બે ચમચી મેંદાની થોડાક કાચા દૂધમાં ઓગાળી પેસ્ટ બનાવી પીઠ પર લગાડો. 10 મિનિટ પછી ધોઈ કાઢો. મેંદો ખભા અને પીઠનો જામેલા મેલને દૂર કરશે.


| View Show | Create Your Own

                                      HAPPY FATHER’S DAY

                                 પિતૃ દેવો ભવઃ પિતાને દેવ સમાન માનો.

          વિષ્ણુ ભગવાનની નાભિમાંથી ખીલેલા કમળમાંથી બ્રહ્માની ઉત્પ્ત્તિ અને બ્રહ્માજીના અંશમાંથી ઉત્પન્ન થયેલા મનુ અને શતરૂપાએ [EVE AND ADAM] જગતનું સર્જન કર્યું. આજે ‘ફાધર્સ ડે’ નિમિત્તે આવા પ્રજાપતિ બ્રહ્માજીને વંદન ! દરેક પિતા બ્રહ્માજીનો અંશ છે. પિતા બીજ છે અને જેવું બીજ તેવું વૃક્ષ ફાલે છે. પિતા તો પ્રેરણાનો સ્ત્રોત્ર છે તેમ જ પ્રેમની ઉર્જા છે. જ્યારે ‘બાપ કરતાં બેટો સવાયો ‘ થાય છે ત્યારે બાપને બમણો આનંદ થાય છે. બાપ અને બેટીનો નાતો તો કોઈ ઑર જ છે. તેથી જ ‘ફાધર્સ ડે’ નિમિત્તે દરેક પિતાને શુભેચ્છાઓ !

                                                             ૐ નમઃ શિવાય


6 comments June 17, 2007

પૂતળીની કિંમત

                                  આજે જેઠ સુદ એકમ [ગંગા દશહરા]

આજનો સુવિચાર:- મહેનત સાથે મહોબ્બત રાખો, જેનુ શરીર કેલવાય છે તેનું મગજ પણ સાથોસાથ ખીલે છે.

હેલ્થ ટીપ્સ:- સફરજનનો રસ અને કેળાનું સેવન અસ્થમા અટકાવે છે.

                                        પૂતળીની કિંમત


| View Show | Create Your Own

     એક સમયે રાજા ભોજ પોતાનો દરબાર ભરીને બેઠાં હતા. બધા પંડિતો પણ હાજર હતા. પંડિત કાલિદાસ કાંઈ કારણસર બહાર ગયા હતા. આ સમયે એક પૂતળી વાળો પોતાની પૂતળીઓ વેચવા આવ્યો. તેણે રાજાને વિનંતી કરી,” મહારાજ, આ ત્રણે સોનાની ઘડેલી પૂતળીઓ છે. હું ઘણા દરબારોમાં ગયો પણ આજ સુધી આ પૂતળીઓની કોઈ કિંમત આંકી શક્યું નથી. એની સાચી કિંમત કોઈ કહી શકતું નથી. મહારાજ તમારી અને તમારા પંડિતોની નામના સાંભળી આવ્યો છું. તો આપ આપૂતળીઓની સાચી કિંમત અંકાવો એવી મારી વિનંતી છે.”

        રાજાએ પંડિતો તરફ જોયું. પંડિતોએ માંહેમાંહે મસલત કરી રાજાને કહ્યું કે આ પૂતળીઓ સોનાની છે તેથી આ કામ કોઈ ઝવેરીનું છે પંડિતોનું નથી. આથી રાજા ભોજે રાજ્યનાં કુશળ ઝવેરીઓને બોલાવ્યા અને પૂતળીઓની કિંમત આંકવા કહ્યું. ઝવેરીઓએ પૂતળીઓ હાથમાં લઈ અને તપાસ કરી. કસોટી પથ્થર પર તેમનો કસ લીધો અને તોલમાપ કર્યું. તેઓને વજનમાં પન રતીભાર વજનનો ફેર ન લાગ્યો.. તેઓએ રાજાને જણાવ્યું કે,”કે મહારાજ આ ત્રણે પૂતળીઓ દેખાવમાં કદમાં અને વજનમાં એકસરખી છે તેથી દરેકની કિંમત એકસરખી જ થાય.”

       પૂતળીનો વેપારી આ જવાબ સાંભળી હસી પડ્યો અને તેણે રાજાને કહ્યું,” મહારાજ, આપના ઝવેરીઓની આંકેલી કિંમત ખોટી છે. આપના દરબારમાં કિંમત આંકનાર આવા હશે તેની જો મને જાણ હોત તો હું અહીં આવત જ નહીં.” રાજા ભોજને થયું કે આ પૂતળીમાં કાંઈ જરૂરથી ભેદ છે તેથી રાજા ભોજે તેને જણાવ્યું કે, “વેપારી, તું આજનો દિવસ થોભી જા, આવતી કાલે દરબારમાં આ પૂતળીઓ લઈ ફરી આવજે તારી આ પૂતળીની કિંમત જરૂરથી આંકીશુ.”

         બીજે દિવસે દરબારમાં પંડિત કાલિદાસ હાજર હતા. તેમણે પૂતળીઓને બરાબર નીરખી ત્યારે તેણે દરેક પૂતળીના માથા પર એક ઝીણું કાણું જોયું તેથી તેમણે એક સળી મંગાવી. પહેલી પૂતળીના માથામાં માથામાં સળી નાખવાથી સળી કાનમાંથી બહાર આવી. બીજી પૂતળીના માથામાં નાખેલી સળી મોંઢામાંથી બહાર આવી જ્યારે ત્રીજી પૂતળીના પેટમાં સોંસરવી ઉતરી ગઈ. કાલિદાસે આ પૂતળીઓની કિંમત રાજાભોજને જણાવી. રાજા ભોજે આ પૂતળીઓની કિંમત જણાવતા કહ્યુ કે,” હું એક જ પૂતળી આંકેલી કિંમત પ્રમાણે લઈશ.” વેપારીએ હા પાડી.

      પ્રથમ પૂતળીની કિંમત ત્રણ કોડી, બીજી પૂતળીની દસ કોડી અને ત્રીજી પૂતળીની સવાલાખ રૂપિયાની અંકાઈ. સભા વિચારમાં પડી ગઈ પરંતુ વેપારીને સંતોષ થયો અને તેણે રાજાને કહ્યું કે,”આપના દરબારમાં સાચો પંડિત છે અને તેણે પૂતળીઓની સાચી કિંમત આંકી છે.” રાજાએ વચન મુજબ એક પૂતળી ખરીદવાની હતી અને તેણે ત્રીજી પૂતળી ખરીદી. પૂતળીના વેપારીએ બીજી બે પણ રાજાને ભેટમાં આપી દીધી.

           રાજા ભોજનાં બીજા દરબારીએ આ કિંમત વિષે પ્રકાશ પાડવા કહ્યું ત્યારે કાલિદાસે ફોડ પાડતાં કહ્યું કે, “ પહેલી પૂતળીના કાનમાંથી સળી બહાર આવી તેનો અર્થ એ થયો કે આ પૂતળી જેવા માણસો કોઈની સલાહ સાંભળતા નથી. તેઓ એક કાને સાંભળે છે અને બીજે કાનેથી બહાર કાઢી કાઢે છે. બીજી પૂતળી કે જેના મોંઢામાંથી સળી બહાર આવી. એનો અર્થ એ થયો કે આ પૂતળી જેવા માણસો ઢોંગી છે કે જેઓ હંમેશા બીજાને ઉપદેશ આપે છે, પણ પોતે કાંઈ કરતા નથી. જ્યારે ત્રીજી પૂતળી કે જેના પેટમાં સળી સોંસરવી ઉતરી ગઈ એટલે એનો અર્થ એવો થયો કે આ પૂતળી જેવા માણસો જે કાંઈ સાંભળે છે તે પચાવે છે અને નકામો ઉપદેશ આપવા મોં ખોલતા નથી. આવા લોકો સાંભળેલી સારી વસ્તુને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરે છે. “

       આમ આસન પર ગોઠવાયેલી સુંદર ઝગારા મારતી સોનાની ત્રણે પૂતળીઓને લોકો જોઈ રહ્યાં ના કોઈ મોટી, ના કોઈ નાની ત્રણે દેખાવડી સુંદર પણ હવે ત્રીજી સૌથી વધારે મોટી અને ઝગારા મારતી હતી. 

                                                         ૐ નમઃ શિવાય


1 comment June 16, 2007

જનેતાનું હૈયું

                     આજે અધિક જેઠ વદ અમાસ [અધિક માસની સમાપ્તિ]

આજનો સુવિચાર:- મનુષ્ય વંદનીય છે પણ પ્રભુ પૂજનીય છે.

હેલ્થ ટીપ્સ:- લોક આયુર્વેદ – હૃદય રોગમાં અર્જુન ઝાડની છાલનો કવાથ ઉત્તમ છે.

                                        જનેતાનું હૈયું

                   આ ટૂંકી વાર્તા મુસાફરી કરતાં એક પ્રવાસીએ કરેલા અનુભવથી લખાયેલી છે.

     રામપુર જીલ્લાનું ગામ અને અનાજના વેપારનું ધીકતું ધામ. ગામ વચ્ચે આવેલા રેલ્વે સ્ટેશનનું પ્લેટફૉર્મ વ્હેલી સવારથી મોડી રાત સુધી ઉતારુઓની અવરજવરથી ભર્યું રહે. મધરાતે છેલ્લો પેસેંજર ગયા પછી જંપી જાય અને પ્લેટફોર્મ પર રહે માત્ર ચોકી ભરતા પોલીસો, રાત્રીનાં કાયમી હમાલો, માથાભેર મવાલીઓ, ભીખારીઓ અને રઝળતાં કૂતરાઓ.
  આ કાયમી વસ્તીમાં ચાર પાંચ વર્ષથી એક અર્ધી હાલેલી, ઓછાબોલી, શ્યામવર્ણી અબળાનો ઉમેરો થયો હતો. પ્લેટફોર્મનાં છેડે આવેલા રેલ્વે-બ્રીજની નીચે પોલીસ અને બીજા દાદાની મહેરબાની હેઠળ સુવા લાગી. લગભગ વીસ બાવીસ વયની આ યુવતી ભીખ માંગી પેટ ભરી લેતી. આ યુવતી કોણ હતી ? એનું કોઈ સગુંવ્હાલુ છે કે નહીં ? તેની કોઈને જાણ નથી. પ્લેટફોર્મ પર એ રાધાને નામે ઓળખાતી હતી. આસ્તે આસ્તે તે પ્લેટ્ફોર્મના દાદાઓની હવસનું રમકડું બની ગઈ પણ રાધા પણ એક માનવી હતી. ખોળે પ્રાપ્ત થયેલાં બાળકનો કોણ પિતા હતો તે પણ તેને ચોક્કસ ખબર ન હતી. પરંતુ એક માતા હતી એ સત્ય હતું. સૌને એ બાળક્ના પિતાનું નામ જાણવાની ઈંતેજારી તો હતી પરંતુ એક અસ્થિર મગજની સ્ત્રીનાં બાળકનું નામ શું હોઈ શકે?

    આમ તો ‘રાધેય’ સુતપુત્ર કર્ણ પણ રાધેય તરીકે ઓળખાયો હતો કે જાબાલીનો પુત્ર ‘સત્યકામ જાબાલ’ તરીકે ઓળખાયો હતો પણ આપ્લેટફોર્મની રાધાનો પુત્ર મુન્નો તરીકે ઓળખાયો. એને માટે તો રાધા જ જનક અને જનેતા હતી. અન્ય સંસારી ગૃહસ્થી માતા જેટલાં જ રાધા મુન્નાને લાડપાન કરતી. રાધાના આ લાડથી મુન્નો બગ્ડ્યો અને જીદ્દી થઈ ગયો હતો.

      એક દિવસની વાત છે. દિવસ આખો જોરદાર વરસાદ પડ્યો. ખૂબ રઝળપાટ છતાં ભીખમાં કાંઈ જ ન મળ્યું. પોતે તો ભૂખી રહી શકે પણ મુન્નાનું શું? સ્ટેશનની કેંટીનમાં કામ કરતી સ્ત્રીઓને રાધાની દયા આવી એટલે વધેલાં ટાઢા દાળભાત આપ્યાં. રાધા આ દાળભાત ચોળી મુન્નાને પાસે બેસાડી ખવડાવવાનો પ્રયત્ન કરતી પરંતુ મુન્નો તેનો હાથ હડસેલી મૂકતો. અને ‘રોટી’નું રટણ લઈ બેઠેલો મુન્નો દાળભાત ખાવાનો ઈંકાર કરતો રહ્યો. રધાનાં ખૂબ સમજાવટ છતાં મુન્નો માન્યો નહીં. બાળહઠ ! છેવટે રાધા વિફરીને તમાચો ચોડ્યો. ત્યારબાદ તો તમાચા અને ગડદા પાટુ સાથે મેણા અને ગાળોંનો ધોધ વરસ્યો. બોલી ‘મૂઆ અભાગિયા રોટલી ખાવી હતી તો આ અભાગણને પેટે શું કામ પડ્યો? મા ભિખારી અને બેટા ખાનજાદા, મારા રોયા જનમતાં જ મરી કેમ ન ગયો? આવું આવું ક્વચિત બોલતી રાધા ઘણું ઘણું બધુ બોલી ગઈ. મુન્નો તો ઢોરમારના સપાટાથી હબકી ગયો અને ખૂણે ઊભો ઊભો ડૂસકાં ભરી રડવા લાગ્યો.

    લાડકા દિકરાનાં આંસુ જોઈ આ જનેતા થંભી ગઈ હૈયુ ફાટી પડ્યું. પોતાના હાથે પોતાના ગાલ અને પેટ કૂટી નાખ્યાં ધ્રુસ્કે ધ્રુસ્કે રોતી અને બોર બોર આંસુ સારતી પોતાની માને જોઈ ડઘાયેલો મુન્નો ભૂખ અને દુઃખ ભૂલી જઈ રડતી માને વળગી પડ્યો.

       મા બેટાનાં આ સુભગ મિલનનું દ્રશ્ય જોઈ ધન્યતા અનુભવતો પ્રવાસી મુન્ના અને તેની મા રાધાની સ્મૃતિમાં ખોવાઈ ગયો અને સ્મૃતિ પટમાં કોતરાયેલા શબ્દો વાગોળવા લાગ્યો.

“અગણિત આશિષો મારી, માંડુ જો ક્રમવાર,
  અગ્રેસર છે, જ્યાં વિંધાયું મુજ હૈયું આરપાર
  દીધો કઠોર ઘાવ, કારણ ચાહું છું પારાવાર.”

                                                         સૌજન્ય:- જ્યોતિપુંજ

                                           ૐ નમઃ શિવાય


Add comment June 15, 2007

મંદિર સાથે પરણી મીરાં

                              આજે અધિક જેઠ વદ ચૌદસ

આજનો સુવિચાર:- પોતાના જ ઘરમાં રહેતા માણસને નહીં ઓળખી શકતો માણસ જ્યારે ભગવાનને ઓળખવા નીકળે છે ત્યારે એની વિકૃત મનોવૃતિ પર હસવું આવી જાય છે. — ફાધર વૉલેસ

હેલ્થ ટીપ્સ:- કારેલાથી તાવ,ઉધરસ, ચામડીને લગતા રોગો,એનિમિયા, ડાયાબિટીસ તેમજ કૃમિ પર લાભદાયક છે.


| View Show | Create Your Own

કવિ:- શ્રી. સુરેશ દલાલ

મંદિર સાથે પરણી મીરા રાજ મહેલથી છૂટી રે
કૃષ્ણ નામની ચૂડી પહેરી માધવની અંગૂઠી રે
  મારા માધવની અંગૂઠી રે

આધી રાતે દરશન માટે આંખ ઝરૂખે મૂકી રે
મીરા શબરી જનમ જનમથી ભૂખી રે
  મંદિર સાથે પરણી મીરા

તુલસીની આ માળા પહેરી મીરા સદાની સુખી રે
શ્યામ શ્યામનો સૂરજ માથે મીરા સૂરજમૂખી રે
  મંદિર સાથે પરણી મીરા

કાળી રાતનો કંબલ ઓઢી મીરા જાગે સૂતી રે
ઘાયલ કી ગત ઘાયલ જાણે, જગની માયા ઝૂઠી રે
  મંદિર સાથે પરણી મીરા

ગાનાર કલાકાર:- સંગીતા દેશમુખ [Live]

                                         ૐ નમઃ શિવાય


2 comments June 14, 2007

થોડાક ધાર્મિક ચતુર થઈએ

                                આજે અધિક જેઠ વદ તેરસ

આજનો સુવિચાર:- શબ્દોથી સદગુરુને મહાત નથી કરી શકાતા, પૈસાથી સદગુરુને ખરીદી નથી શકતા તેમજ સત્તાથી સદગુરુને ગુલામ નથી બનાવી શકાતા.—મોરારી બાપુ

હેલ્થ ટીપ્સ:- પગમાં ગરમીને કારણે થતા પસીનાની દુર્ગંધ દૂર કરવા પગને મેડિકેટેડ સાબુથી ધોઈને 10 મિનિટ સુધી 1 ચમચી યુડિકૉલોન ઉમેરેલા હુંફાળા પાણીમાં ડુબાડી રાખો. થાક પણ દૂર થઈ જશે અને પસીનાની દુર્ગંધ દૂર થશે.

અધિક માસ પૂર્ણતાને આરે આવી ઊભો છે તો થોડી ધર્મ વિષે જાણકારી મેળવીએ.

• અધિક માસ દર ત્રીજે વર્ષે આવે છે.

• ભગવાન શિવજી પાર્વતીજીને અમરકથા કહેવા માટે અમરનાથજીની પસંદગી કરી હતી.

• ભગવાન ભાર્ગવ તરીકે ઓળખાતા પરશુરામ ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર હતા.

• ગાયત્રી મંત્રમાં કુલ ચોવીસ અક્ષરો છે.

• વટવૃક્ષમાં મૂળ વાસ બ્રહ્માજીનો છે.

• કબીરજી જીવનપર્યંત કાશીમાં રહ્યા હતા.

• હિમાલયનાં કેદારશૃંગ પર નર-નારાયણે તપશ્ચર્યા કરી હતી.

• ભગવાન બુદ્ધનો જન્મ કપિલવસ્તુમાં થયો હતો.

• સૌરાષ્ટ્રના સંત ગંગાસતીનો જન્મ ભાવનગર જિલ્લામા થયો હતો.

• શ્રીમદ રાજચંદ્રનો જન્મ સૌરાષ્ટ્રના વવાણિયા ગામે થયો હતો.

• ભેરુતારક ધામ આબુની તળેટીમાં આવ્યું છે.

• કોયલા પર્વત પર હરસિદ્ધ માતાનું મંદિર આવ્યું છે.

• કર્ણનું બાળપણ પવિત્ર ગંગા નદીને કિનારે વીત્યું હતું.

• શંકરાચાર્યનો પગ મગરે પકડ્યો હતો.

• ચંદ્રાસ્વામી રામસેતુની સુરક્ષા માટે રાષ્ટ્રીય સાંસ્કૃતિ જાગરણ અભિયાન ચલાવી રહ્યા છે.

• શીખ ધર્મના નવમા ગુરુ તેગબહાદૂરે ધર્મ અને સંસ્કૃતિની રક્ષા માટે બલિદાન આપ્યું હતું.

• બદરીનાથ ઉત્તરાખંડની અલકનંદા પર આવેલું છે.

• પ.પૂ. કૃષ્ણશંકર શાસ્ત્રીનું મૂળ નામ શ્રી કૃષ્ણ હતું.

• મહાવીર સ્વામી પાવાપુરીમાં નિર્વાણ પામ્યા હતાં અને તે યાત્રાધામ કહેવાય છે.

• પુનિત મહારાજે ભજનનો વેપાર ન કરવાનો સંકલ્પ લીધો હતો.

• માળામાં 54 મણકા હોય તો તે માળા મધ્યમ ગણાય.

• વિનોબા ભાવે ભૂદાનયજ્ઞ દ્વારા સમાજ પરિવર્તન કરનાર મહાપુરુષ હતા.

• સંત જ્ઞાનેશ્વરે માત્ર 22 વર્ષની વયે સમાધિ લીધી હતી.

• અર્જુનની યુધ્ધ કરવાની દ્વિધાને કારણે ભગવત ગીતાની ઉત્પત્તિ થઈ.

• નરસિંહ મહેતાએ પોતાનો કેદાર રાગ શામળશા શેઠ પાસે ગીરવી મૂક્યો હતો.

• જમણી સૂંઢવાળા ગણપતિની ઉપાસના અત્યંત કઠિન છે.

• વેદકાળમાં ઈંદ્રદેવને મુખ્ય દેવ તરીકે માનવામાં આવતાં હતાં.

• ઘંટાકર્ણ મહાવીર મહુડીના દેરાસરમાં બિરાજમાન છે.

                                            ૐ નમઃ શિવાય


1 comment June 13, 2007

કેળાં

                       આજે અધિક જેઠ વદ બારસ

આજનો સુવિચાર:- કૃષ્ણ ધર્માતિત છે, ગુણાતીત છે. બધાથી પર છે. – મોરારી બાપુ

હેલ્થ ટીપ્સ:- પાંચ બદામને પલાડી, વાટીને ચહેરા પર લગાડી 15 મિનિટ સૂકાવા દો ત્યારબાદ નવશેકા પાણીથી ચહેરો ધોવાથી ચહેરાનો ભેજ અને તેલનું સમતુલન રહેશે.

                                                     કેળાં


| View Show | Create Your Own 

     ઘણીવાર આપણે સવારે ઊઠીએ ત્યારે થાક અને કંટાળો વર્તાતો હોય છે. જેને મોર્નિંગ સીકનેસ કહેવાય છે. આ લાગણી દૂર કરવા સવારના નાસ્તા અને ભોજન વચ્ચે એક કેળું ખાવાથી રક્તનું પરિભ્રમણ વધે છે અને સ્ફૂર્તિ અનુભવાય છે.

    કેળાંમાં રહેલાં ખનિજ તત્વો અને વિટામિન આપણા સ્વાસ્થ્યને અનેક રીતે સારું રાખે છે. સફરજન કરતાં પણ કેળાં વધુ ગુણકારી છે. તેમાં ત્રણ પ્રકારની શર્કરા [શુગર] છે જેવી કે સુક્રોઝ, ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ છે સાથે સાથે કેળામાં ફાઈબર પણ છે. માત્ર બે કેળાં ખાવાથી દોઢ કલાક સક્રિય કાર્ય કરી શકાય છે. આપણી કેટલીય સામાન્ય શારીરિક સમસ્યાઓ કેળાંના ઉપયોગથી દૂર થય છે.

       કેળામાં રહેલો ટ્રિપ્ટોફેમ નામક પ્રોટીન શરીરમાં જઈને સેરોટિનાઅં પ્રવર્તિત થાઈને શરીરને આરામ આપે છે તેથી કેળું ડિપ્રેશનમાં આરામદાયક છે અને આનંદનો અનુભવ થાય છે.

         કેળામાં રહેલું વિટામિન બી-6 લોહીમાં રહેલી શર્કરાનું નિયમન કરતું હોવાથી મહિલાઓને માસિકધર્મમાં કેળાં ખાવા હિતાવહ છે. જેનામાં હેમોગ્લોબિન ઓછું હોય છે તો કેળામાં રહેલું આયન પૂરું પાડે છે. એનેમિક વ્યક્તિએ કેળાનો ઉપયોગ કરવો હિતાવહ છે.

      કેળાંમાં રહેલું પોટેશિયમ બ્લડપ્રેશરની સમસ્યા ઓછી કરવામાં મદદ કરે છે. કેળામાં ખૂબ ફાઈબર હોવાને કારણે કબજિયાતની તકલિફ દૂર થાય છે. પાચક ફળ હોવાને કારણે એસિડિટી પણ દૂર કરે છે તેથી અલ્સરનાં દરદી માટે કેળાં ઉત્તમ છે. કેળામાં કુદરતી એંટાએસિડ હોવાને કારણે છાતીની બળતરા દૂર કરે છે.

ઘણી સંસ્કૃતિમાં સગર્ભા મહિલાઓ માટે કેળાં શારીરિક અને ભાવનાત્મક દૃષ્ટિએ ‘ઠંડક ધરાવનાર’ માનવામાં આવે છે. થાઈલેંડમાં સગર્ભા સ્ત્રીઓ કેળાં વધારે ખાય છે જેથી આવનાર બાળક શાંત પ્રકૃતિનું થાય. આજે લગભગ દરેક વ્યક્તિ ઓછા વધતા પ્રમાણમાં સ્ટ્રેસનો અનુભવ કરતાં હોય છે એવામાં કેળામાં રહેલું પોટેશિયમ હૃદયનાં ધબકારા નિયમિત બનાવવામાં તેમજ મસ્તિષ્ક સુધી ઑક્સિજન પહોંચડવામાં મદદ કરે છે. તે ઉપરાંત શરીરમાનાં પાણીનું પ્રમાણ જાળવી રાખે છે આ કેળાં. આમ કેળાં શરીર માટે ઉત્તમ છે. તેનું સેવન હિતકારી છે.

      કેળાંની અનેક જાતો છે જેવી કે લીલા કેળાં જે શાક તરીકે વપરાય છે [ઉંધિયામાં]. કેળાંની વેફર બનાવવાનાં કેળાં, એલચી કેળાં, જે ખૂબ મીઠાં હોય છે, ગોલ્ડન કેળાં , જે પીળા હોય છે, ખાવામાં ખૂબ મીઠાં હોય છે. કાચા કેળાંમાંથી અનેક વાનગી પણ બને છે. જૈન ધર્મી બટાટાની જગ્યાએ કાચા કેળાનો ઉપયોગ કરતાં હોય છે.

ૐ નમઃ શિવાય


Add comment June 12, 2007

હિમાલયે તું કેદારમ

                                     આજે અધિક જેઠ વદ આઠમ

આજનો સુવિચાર:- જો શ્રધ્ધા અને આસ્થા હોય તો કોઈ પણ કાર્યની સફળતા માટે ઉંમર આડખીલી રૂપ નથી.

હેલ્થ ટીપ્સ:- ગરમ દિવેલના ચાર ચાર ટીપા નાકમાં નાખવાથી બંધ નાક ખૂલી જશે.

 
| View Show | Create Your Own

                                            કેદારનાથ

    ઉત્તરાંચલની ચારધામની યાત્રા એટલે બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમનોત્રીની યાત્રા. મુંબઈથી આ યાત્રા 19 દિવસમાં થાય છે. મુંબઈથી દિલ્હી અને દિલ્હીથી આગળ બસમાં અથવા તો પ્રાઈવેટ ટેક્સી દ્વારા થઈ શકે છે. બદ્રીનાથ અને ગંગોત્રી સુધી તો ટેક્સી પહોંચી શકે છે. યમનોત્રી અને કેદારનાથ ઊંચાઈએ આવ્યા હોવાથી તે યાત્રા ધોડા પર કાંતો ડોલી પર અથવા પગપાળા કરી શકાય છે. નાના બાળકોને મજબૂત પહાડી જુવાનો કંડીલમાં લઈને ચઢી જાય છે.

        કેદાર શબ્દનો અર્થ જળથી સભર ધરતી થાય છે.

       ગઢવાલ જિલ્લામાં 11,750 ફૂટની ઊંચાઈએ આવેલા કેદારનાથનું એક અનોખું માહત્મ્ય છે. પથ્થરના આ મંદિરને ઈ.સ. 1099માં ભોજરાજાએ બનાવ્યુ6 હતું અને તેનો જિર્ણોદ્ધાર 1800માં અહિલ્યાબાઈ કરાવ્યો હતો.. આ યાત્રા બદ્રીનાથ, કેદારનાથ, પશુપતિનાથની ભેગી થઈને એક થાય છે. પશુપતિનાથ નેપાલમાં આવ્યું છે. પરંતુ કેદારનાથ અને બદ્રીનારાયણની યાત્રા સાથે થઈ શકે છે.
     કેદારનાથનું આ લિંગ શિવલિંગ નથી. પણ ફક્ત ત્રિકોણાકાર ઊંચો ભાગ છે, જે નંદીનો પુષ્ઠભાગ ગણાય છે. આ કેદારનાથની કથા કાંઈ અનોખી છે. શિવજીના આ દિવ્ય જ્યોતિર્લિંગની કથા મહાભારતમાં છે. કૌરવ અને પાંડવોના આ યુદ્ધમાં અનેકની હત્યા થઈ હતી, તેનાં પાપ નિવારણ માટે પાંડવો કાશી ગયા. ત્યાં પાંડવોને ખબર પડી કે ભગવાન શિવજી હિમાલયમાં છે તેથી તેઓ શિવજીનાં દર્શનાર્થે હિમાલય ગયા. પરંતુ શિવજી અંતર્ધ્યાન થઈ ગયા. પાંડવો તેમની શોધમાં ગૌરીકુંડ વિસ્તારમાં પહોંચ્યા. ત્યારે એક નંદીને નકુલ સહદેવે જોયો જેનાં શીંગડા જમીનમાં ખોંસાયેલા હતાં. ભીમે તેને બહાર કાઢવા ગદા પ્રહાર કરી ઘાયલ કર્યો પરંતુ શીગ જમીનમાં ખોસાયેલા હોવાને કારણે નંદી બહાર નાનીકળી શક્યો તેથી ભીમે તેને બળપૂર્વક બહાર કાઢતા તેનું માથું અને ધડ અલગ થઈ ગયા અને માથું નેપાળમાં જઈ પડ્યું અને પૂંઠનો ભાગ કેદારધામમાં પડ્યો.

ત્યારબાદ પ્રભુએ પાંડવોને જ્યોતિરૂપે દર્શન આપ્યાં. ભીમને પોતાના કૃત્યનો ક્ષોભ થતાં તેણે નંદીના પુષ્ઠભાગને ઘીથી મર્દન કરી આપ્યું. આમ આજે પણ ભાવિકો કેદારનાથમાં કેદારનાથજીની પૂજા ઘી ચોળીને કરે છે.

        કહેવાય છે કે કેદારનાથજી દર્શન વગર બદ્રીનાથની યાત્રા અધૂરી ગણાય છે. અને આ યાત્રા સફળ નથી થતી. કેદારનાથ પહોંચવા હૃષીકેશ અને કોટદ્વાર સુધી પહોંચ્યા બાદ ગૌરીકુંડ પહોંચવું પડે છે. ત્યારબાદ 14 કિ.મી.ની યાત્રા પગપાળા કાંતો ઘોડા પર કાંતો ડોલીમાં કરવામાં આવે છે. આમ આ બદ્રીકેદારની યાત્રા સંપૂર્ણ થાય છે.

                                    ૐ નમઃ શિવાય


1 comment June 8, 2007

હેલ્થ ટીપ્સ

                            આજે અધિક જેઠ વદ પાંચમ

આજનો સુવિચાર:- દુઃખનું કારણ ન જણાય તેને ક્લેશ કહેવાય.

હેલ્થ ટીપ્સ:- ત્રિફળાના પાણીથી આંખો ધોવાથી આંખોની બળતરા ઓછી થાય છે.

                     અત્યાર સુધી મૂકાયેલી હેલ્થ ટીપ્સનો થોડો સારાંશ

હેલ્થ ટીપ્સ:- વધુ પડતા હેરડાઈ કે હેરડ્રાયરનો ઉપયોગ વાળની તંદુરસ્તીને હાનિ પહોંચાડે છે.

હેલ્થ ટીપ્સ:- બદામ, પિસ્તા, કાજુ અને અખરોટની પેસ્ટમાં થોડું કાચું દૂધ ભેળવી ચહેરા પર હળવેથી મસાજ કરવાથી ચહેરા પરનાં મૃતકોષો દૂર થાય છે. આ પેસ્ટ સારા સ્ક્રબરની ગરજ છે.

હેલ્થ ટીપ્સ:-બાળકની I.Q. વધારવી હોય તો તે મહિનાનું થાય કે થોડું મોટું થાય ત્યારે તેને ચોખ્ખું સોનુ ઘસી મધ સાથે 21 દિવસ સુધી ચટાડવું.

હેલ્થ ટીપ્સ:-મેથીનાં દાણા રાતનાં પલાડી સવારે ચાવીને ખાવાથી ડાયાબીટીસમાં ફરક પડે છે.

હેલ્થ ટીપ્સ:- છાતીમાં બળતરા થતી હોય તો પા ભાગ પાણીમાં લીંબુ નિચોવીને પીવું જોઈએ.

હેલ્થ ટીપ્સ:- પપૈયાનું નિયમિત સેવન કબજિયાત દૂર કરે છે તેમજ ત્વચા ચમકીલી થાય છે. વાળ પણ મજબૂત બનશે.

હેલ્થ ટીપ્સ:-આમળાનું સેવન વાળ,આંખોની રોશની તેમજ પેટ માટે ગુણકારી છે.

હેલ્થ ટીપ્સ:- શરીરની દુર્ગંધ દૂર કરવા સ્નાનનાં પાણીમાં બે ચમચા વિનીગર અને એક ચમચો લીંબુનો રસ ઉમેરી સ્નાન કરવું

હેલ્થ ટીપ્સ:-દાઢમાં દુઃખતું હોય તો લવિંગનું તેલ લગાડવું.

હેલ્થ ટીપ્સ:- ચૈત્ર માસમાં અલૂણા રાખવાથી લોહી, ત્વચાનાં રોગો દૂર થાય છે. કીડનીને આરામ મળશે.

હેલ્થ ટીપ્સ:-સપ્રમાણમાં મરચાનું સેવન પિત્તસ્ત્રાવ વધારે છે અને પિત્ત પાતળું રહે છે જેથી પાચન સુધરે છે અને પિત્તાશયમાં પથરી થતી નથી. [હેલ્થબુલેટીન- ગુજરાત સમાચાર]

હેલ્થ ટીપ્સ:- તૈલી ત્વચા માટે મુલતાની માટી, દ્રાક્ષનો રસ અને સુખડની પેસ્ટનો ઉપયોગી છે.

હેલ્થ ટીપ્સ:- જાયફળને કાચા દૂધમાં ઘસી ખીલ પર લગાડવાથી ખીલ પર રાહત રહે છે

હેલ્થ ટીપ્સ:- નિયમિત આઠ-દસ ગ્લાસ પાણી પીવાથી શરીર ઠંડુ રહેશે, તાજગી મળશે, બ્લડપ્રેશર કંટ્રોલમાં રહેશે અને પેટ સંબંધી રોગોમાં રાહત રહેશે.

હેલ્થ ટીપ્સ:- નયણાકોઠે તુલસીનાં પાન ખાવાથી શરદી અને કફમાં રાહત રહે છે.

હેલ્થ ટીપ્સ:- લીંબુનું સેવન ત્વચાનાં રોગો મટાડવામાં મદદ કરે છે.

હેલ્થ ટીપ્સ:- સૂતા પહેલા એક ચમચી ત્રિફળા ચૂર્ણ ગરમ દૂધ અથવાગરમ પાણી સાથે લેવાથી કબજિઆત દૂર થાય છે.

હેલ્થ ટીપ્સ:- લસણની એક બે કળીને છોલીને થોડા ગરમ પાણીમાં લીંબુના રસ અને મધ સાથે મેળવીને પીવાથી વાયુ શાંત થઈ જશે.

હેલ્થ ટીપ્સ:- ખાલી પેટે આંબળાનો મુરબ્બો નિયમીત ખાવાથી ત્વચાનો રંગ નીખરે છે.

હેલ્થ ટીપ્સ:- .કમરના દુઃખાવામાં અડધી ચમચી અજમો, અડધી ચમચી સૂંઠ અને બે ચમચી ઘી ભેગુ કરીને સવારે ને રાત્રે ખાવાથી રાહત રહે છે

હેલ્થ ટીપ્સ:- . ગુલકંદને ગરમ દૂધ સાથે લેવાથી કબજીયાતની ફરિયાદ દૂર થશે.

હેલ્થ ટીપ્સ:-શેકેલું જીરું અને સીંધાલુણ મીઠું સંતરાના રસમાં ભેળવી પીવાથી એસીડિટી પર ફાયદાકારક છે.

હેલ્થ ટીપ્સ:- સાંધના દુઃખાવામાં એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુનો રસ ભેળવીને આઠથી દસ વખત પીવું જોઈયે

હેલ્થ ટીપ્સ:- શ્વાસના રોગમાં સૂંઠ ખૂબ જ ફાયદાકારક છે. સૂંઠનો ઉકાળો બનાવી તેમાં મધ ઉમેરી પીવાથી શ્વાસનાં રોગ પર ફાયદાકારક સાબિત થયો છે.

હેલ્થ ટીપ્સ:- ગરમીની ઋતુમાં ઠંડા પાણીથી દિવસમાં બે થી ત્રણ વખતવાર ન્હાવાથી ગરમીમાં રાહત રહે છે.

                                           ૐ નમઃ શિવાય


1 comment June 6, 2007

Next Posts Previous Posts


વિભાગો

Recent Comments

Vital Patel on બે કવિતા
pragnaju on ગુરૂપૂર્ણિ…
manvant on આજના એસ.એ…
pragnaju on આજના એસ.એ…
પંચમ શુ… on આજના એસ.એ…

Recent Posts

Archives

Calendar

June 2007
M T W T F S S
« May   Jul »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

વાચક સંખ્યા

નિરીક્ષણ

ધબકારનાં ધબકતા હૈયા

Image Hosted by ImageShack.us

Links

Feeds

Flickr Photos

work in progress

More Photos