સ્વાતંત્ર્ય દિન
August 15, 2007
આજે શ્રાવણ સુદ ત્રીજ [સ્વાતંત્ર્ય દિન]
આજનો સુવિચાર:- સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પ્રસંગે આત્મનિરીક્ષણ જરૂરી છે.
હેલ્થ ટીપ્સ:- તડબૂચની અંદરના ગર્ભનો ગર કરી તેમાં ગુલાબજળ ભેળવી સાકર સાથે પીવાથી પેટની ગરમી દૂર થાય છે.
આજે 15મી ઑગસ્ટ, સ્વાતંત્ર્ય દિન છે સહુને આજના દિનની મુબારક.

મેડમ ભિખાઈજી કામા
ભારતમાં ત્રિરંગો ઝંડો લહેરાવાનો પ્રથમ અવસર આપણા પ્રથમ વડા પ્રધાન શ્રી. જવાહરલાલ નહેરુજીને હસ્તે થયો હતો. પરંતુ વિદેશની ધરતી પર ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાનું બહુમાન મેડમ ભિખાઈજી કામાને મળ્યું હતું.
મેડમ ભિખાઈજી કામાનો જન્મ ઈ.સ. 1861માં થયો હતો. આઝાદીનાં જંગમાં આ બાનુએ અનોખી વીરતા દાખવી હતી. ઈ.સ. 1902માં સારવાર માટે લંડન ગયા હતા જ્યાં તેમની મુલાકાત દાદાભાઇ નવરોજી સાથે થઈ હતી. ત્યારબાદ એમની આઝાદી જંગમાં સક્રિયતા વધી હતી. ઈ.સ. 1907માં વિદેશ ભૂમિ ઉપર યોજાયેલા આંતરરાષ્ટ્રીય અધિવેશનમાં બધા દેશો દ્વારા પોતપોતાના રાષ્ટ્રીયધ્વજ લહેરાવ્યો હતો. તેની સાથે આ બાનુએ ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો હતો. આ ધ્વજમાં સૂર્ય ચંદ્ર અને સપ્તર્ષિના સાત તારાઓનું પ્રતીક હતું તેમજ ધ્વજની વચ્ચે દેવનાગરી લિપિમાં ‘વંદે માતરમ’ લખ્યું હતું. દેશભક્તિ અને શૂરવીરતાનો અનોખો સંગમ હતો મેડમ ભિખાજીમાં. એમણે યુરોપ અને અમેરિકામાં ભારતની આઝાદીનો નાદ જગાડ્યો હતો. તેમના હાથે ક્રાંતિકારીઓની સંસ્થા ‘અભિનવ ભારત’નો શુભારંભ કરાવાયો હતો. ઈ.સ. 1935માં 74 વર્ષે તેઓ ભારત પાછા ફર્યા. ઈ.સ. 1936માં 13મી ઑગસ્ટના રોજ મુંબઈની એક પારસી હૉસ્પિટલમાં તેમનું અવસાન થયુ હતું.
સારે જહાઁસે અચ્છા હિદુસ્તાઁ હમારા
હમ બુલબુલે હૈ ઈસકી યે ગુલસિતાઁ હમારા
ૐ નમઃ શિવાય
Entry Filed under: ગાથા[માહિતી]. .
3 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed


1.
સુરેશ | August 15, 2007 at 7:49 pm
મને તેમની વધારે વીગતો મેળવી આપશો તો આભારી થઈશ.
બને તો ફોટો પણ .
2.
પંચમ શુક્&hellip | August 15, 2007 at 9:32 pm
નવી વાત જાણી આનંદ થયો.
3.
chetu | August 16, 2007 at 10:35 pm
thanks for this new info…!..