કવિ દયારામ

August 18, 2007

                        આજે શ્રાવણ સુદ પાંચમ [નાગ પંચમી]

આજનો સુવિચાર:- લંકાવિજયી શ્રીરામને સોનાની લંકામાં રુચી ન હતી કારણ જન્મદાતા માતૃભૂમિ સ્વર્ગથી પણ મહાન છે.

હેલ્થ ટીપ્સ:- દ્રાક્ષ અને ધાણાને ઠંડા પાણીમાં પલાળી પીવાથી આધાશીશી મટે છે.

                                      કવિશ્રી દયારામ

આજે 18મી ઑગસ્ટના દિને ગુજરાતમાં અને ગુજરાતીઓના દિલમાં પ્રિય અને આદરણીય બનેલા કવિશ્રી દયારામનો જન્મદિન છે. ઈ.સ. 1777માં નર્મદા નદીને કિનારે આવેલા ચાંદોદ ગામે જન્મેલા દયારામે દસ વર્ષની આયુમાં પિતા અને બારમે વર્ષે માતાની છત્રછાયા ગુમાવી હતી. સ્વામિનારાયણના સાધુ પ્રેમાનંદ સ્વામીના પરિચયથી તેમજ સત્સંગથી કાવ્યરચનાને બળ મળ્યું. 13 વર્ષની કુમળી વયે 66 કડીનું કાવ્ય રચ્યું હતું. વૈષ્ણવ મંદિરોમા મધુરકંઠે ભક્તિ ગાન કરતા. ગુજરાતી ભાષા ઉપરાંત તેમણે વ્રજ, મરાઠી, પંજાબી અને કચ્છી ભાષામાં ભાવગીતોની રચના કરી હતી. 60 વર્ષની ઉમર દર્મિયાન તેમણે 300 થી વધુ ગદ્ય અને પદ્યની રચના કરી હતી. તેમની શ્રેષ્ઠ કૃતિ ‘રસિક વલ્લ્ભ’ ગણવામા આવે છે. આ ઉપરાંત રૂકમણી વિવાહ, અજામિલ વ્યાખ્યાન, ભક્તિ પોષણ, પ્રેમરસગીતા, કૃષ્ણલીલા જેવી અનેક કૃતિઓની રચના કરી હતી.

ઓધવ નંદનો છોરો તે નમેરો થયો જો;
મુને એકલી મૂકીને મથુરા ગયો જો………ઓધવ !

એને મૂકી જાતાં દયા નવ ઊપની જો;
મુને ભ્રાંતિ પડી છે એના રૂપની જો ……..ઓધવ !

કોઈએ કામણ કર્યું કે ફટક્યો ફરે જો;
કેમ દિલ એનું મુજ પર ના ઠરે જો………ઓધવ !

ઓધવ ! સંદેશો કહીને વ્હેલા આવજો જો;
સાથે દયાના પ્રીતમને તેડી લાવજો જો……….ઓધવ !

                                                  ૐ નમઃ શિવાય

Entry Filed under: ગાથા[માહિતી]. .

7 Comments Add your own

  • 1. વિવેક  |  August 18, 2007 at 6:55 pm

    સુંદર કાવ્ય અને એવો જ સુંદર પરિચય…

    આભાર…

  • 2. Manthan Bhavsar  |  August 18, 2007 at 7:08 pm

    thanks for such a important information

  • 3. સુરેશ જાની  |  August 18, 2007 at 7:56 pm

    Read his life sketch
    http://sureshbjani.wordpress.com/2006/08/27/dayaram/

  • 4. hemantpunekar  |  August 18, 2007 at 10:37 pm

    sundar kaavya ane sundar parichay!

  • 5. manvant@aol.com  |  August 19, 2007 at 9:35 am

    શ્યામ રંગ સમીપે ન જાવું મારે આજથકી શ્યામ….

    શોભા સલુણા શ્યામની તું જોને સખિ !….શોભા……

    પ્રેમાનંદ અને દયારામ આપણી ભાષાના ઉત્તમ હીરલા !

  • 6. પંચમ શુક્લ  |  August 19, 2007 at 3:29 pm

    સુંદર પરિચય અને કાવ્ય. આભાર.

  • 7. જુગલકીશોર  |  August 19, 2007 at 5:49 pm

    સુરદાસે જે કૃષ્ણ-ગીતો ગાયાં છે એની જેમ જ આપણા આ ગરબીના ગાયકે કૃષ્ણગીતો ગાયાં છે. એમની યાદમાં તમે આજે સાચે જ એક સમય-ખંડને જીવતો કરી આપ્યો !

    વૈષ્ણવોના તો તેઓ લાડકા સર્જક.

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિભાગો

Recent Comments

Vital Patel on બે કવિતા
pragnaju on ગુરૂપૂર્ણિ…
manvant on આજના એસ.એ…
pragnaju on આજના એસ.એ…
પંચમ શુ… on આજના એસ.એ…

Recent Posts

Archives

Calendar

August 2007
M T W T F S S
« Jul   Sep »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

વાચક સંખ્યા

નિરીક્ષણ

ધબકારનાં ધબકતા હૈયા

Image Hosted by ImageShack.us

Links

Feeds

Flickr Photos

tu hermana

More Photos