Archive for August 21st, 2007
શ્રાવણી કોયડાનો ઉકેલ
આજે શ્રાવણ સુદ આઠમ
આજનો સુવિચાર:- એવો કોઈ અક્ષર નથી કે જે મંત્ર બની શકે નહિ, કોઈ મૂળીયું એવું નથી કે જે ઔષધ તરીકે ઉપયોગમાં ન લેવાય, કોઈ પણ માણસ અયોગ્ય નથી માત્ર આ બધાનો યોજક- ઉપયોગ કરનાર જ દુર્લભ છે.
હેલ્થ ટીપ્સ:- આદુનો રસ અને તુલસી રસ સૂંઘવાથી અને નાકમાં ટીપાં નાખવાથી આધાશીશી અને માથાનો દુઃખાવો મટે છે.
શ્રાવણી કોયડાનો ઉકેલ
1] શિવજી પાર્વતી તરફ આકર્ષાય તે માટે દેવોએ કોને નિયુક્ત કર્યા?
[ક] કામદેવ
2] શિવજી શરીરે કોનુ ચર્મ ધારણ કરતા હતા?
[અ] વાઘ
3] શિવજી ક્યા દેવ તરીકે જાણીતા છે?
[ક] મહાદેવ
4] ભગવાન શ્રીરામે શિવલિંગની પૂજા ક્યાં કરી હતી?
[બ] રામેશ્વર
5] શિવજી ગળામાં કઈ માળા ધારણ કરે છે?
[બ] મૂંડમાળા
6] શ્રાવણ મહિનામાં કોની પૂજાનો મહિમા છે?
[ક] મહેશ
7] સૂર્ય સ્વાસ્થ્ય પ્રદાન કરે છે તો શિવજી શું પ્રદાન કરે છે?
[અ] ઐશ્વર્ય
8] ભગવાન શિવજી પર શ્રી શિવ મહિમ્નસ્ત્રોત્રથી કરાતા અભિષેકને શું કહેવાય છે?
[બ] રુદ્રાભિષેક
9] શિવજીની પૂજામાં કયું ફૂલ ચઢાવવામાં આવે છે?
[ક] ધતૂરો
10] શિવજી ખૂબ સરળતાથી પ્રસન્ન થતા હોવાથી તે કહેવાય છે?
[અ] આશુતોષ
11] પાર્વતીજીના માતાનું નામ શું હતું?
[ક] મેના
12] બાર જ્યોતિર્લિંગમાં મલ્લિકાર્જુન ક્યા ક્રમનું જ્યોતિર્લિંગ છે?
[અ] બીજા
13] આગમ સાહિત્ય તથા તાંત્રિક ગ્રંથોમાં ઉલૂકવાહિની કોને કહ્યાં છે?
[બ] લક્ષ્મીજી
14] નેપાળની ગંગા તરીકે કઈ નદી ઓળખાય છે?
[બ] બાગમણિ
15] અમરનાથની માનીતી નદી કઈ ગણાય છે?
[અ] અમરગંગા
ૐ નમઃ શિવાય
6 comments August 21, 2007
