Archive for September 21st, 2007

ગણેશ ભજન

                     આજે ભાદરવા સુદ નોમ

આજનો સુવિચાર:- આયુષ્ય, સંપત્તિ,ઘરનું છિદ્ર, દાન, માન, અપમાન ગુપ્ત રાખવા- જાહેર કરવા નહિં.

હેલ્થ ટીપ્સ:- પાકેલા નાસપતિનો ગર ત્વચા પર રગડવાથી શુષ્કતા દૂર થાય છે.

ગણપતિ સ્વરૂપ કથા

    ગણેશજીના ચાર અવતાર મનાયા છે. સતયુગમાં કશ્યપપુત્ર વિનાયક, જેઓ સિંહ પર આરૂઢ હતા. આ આવતારમાં આપે દેવાંતક નરાંતક રાક્ષસનો નાશ કર્યો હતો.. દ્વાપરયુગમાં શિવપુત્ર ગજાનન, જેમણે સિંદૂરનો વધ કર્યો હતો અને વરેણ્ય રાજાને ગણેશગીતા સંભળાવી હતી. ત્રેતાયુગમાં મયુર પર આરુઢ રહેનાર આ શિવપુત્ર મયુરેશ્વરે સિંધુ દૈત્યનો નાશ કર્યો હતો.

     ગણપતિની ઉપાસના એટલે ૐકાર-પ્રણવ- પરબ્રહ્મની ઉપાસના. ૐકારથી ગજમુખ ગણેશજીના સ્વરૂપનો વિકાસ થયો. વેદમાં, ઉપનિષદમાં પ્રથમ ૐ કાર અને મંગલ કાર્યોમાં અધિપતિ મનાય છે. રિદ્ધિ સિદ્ધિના આ સ્વામીએ મહાભારતનો વિરાટ ગ્રંથ લખવામાં વ્યાસજીને મદદ કરી હતી.

શ્રી ગણેશચતુર્થી નિમિત્તે અમારા ભજન ગ્રુપ દ્વારા ગવાયેલું એક ગણપતિજીનું પલના ભજન સાંભળો.

મારવાડી ભજનનાં શબ્દો નીચે પ્રમાણે છે.

ગણપતિ ઝૂલે પાલન ગજાનન

કાહે કો થારો બન્યો રે પાલનો
કાહેકી લગ રહી ડોર ગજાનન

અગડ ચંદનકો બન્યો રે પાલના
રેશમકી લગ રહી ડોર ગજાનન

કૌન જ ઝૂલાવે કૌન જ ઝૂલે
કૌન જ મનમેં ફૂલે ગજાનન

ગૌરા ઝૂલાવે, ગણપતિ ઝૂલે
શિવશંકર મન હી મન ફૂલે

ૐ ગં ગણપતયે નમઃ


4 comments September 21, 2007


વિભાગો

Recent Comments

વિશ્વદ… on મિચ્છા મિ…
Ramesh Patel on મિચ્છા મિ…
Tarun Patel on મિચ્છા મિ…
pragnaju on મિચ્છા મિ…
Koyal Ben on પલડું પલડ…

Recent Posts

Archives

Calendar

September 2007
M T W T F S S
« Aug   Oct »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

વાચક સંખ્યા

નિરીક્ષણ

ધબકારનાં ધબકતા હૈયા

Image Hosted by ImageShack.us

Links

Feeds