ગણેશ ભજન
September 21, 2007
આજે ભાદરવા સુદ નોમ
આજનો સુવિચાર:- આયુષ્ય, સંપત્તિ,ઘરનું છિદ્ર, દાન, માન, અપમાન ગુપ્ત રાખવા- જાહેર કરવા નહિં.
હેલ્થ ટીપ્સ:- પાકેલા નાસપતિનો ગર ત્વચા પર રગડવાથી શુષ્કતા દૂર થાય છે.
ગણપતિ સ્વરૂપ કથા
ગણેશજીના ચાર અવતાર મનાયા છે. સતયુગમાં કશ્યપપુત્ર વિનાયક, જેઓ સિંહ પર આરૂઢ હતા. આ આવતારમાં આપે દેવાંતક નરાંતક રાક્ષસનો નાશ કર્યો હતો.. દ્વાપરયુગમાં શિવપુત્ર ગજાનન, જેમણે સિંદૂરનો વધ કર્યો હતો અને વરેણ્ય રાજાને ગણેશગીતા સંભળાવી હતી. ત્રેતાયુગમાં મયુર પર આરુઢ રહેનાર આ શિવપુત્ર મયુરેશ્વરે સિંધુ દૈત્યનો નાશ કર્યો હતો.
ગણપતિની ઉપાસના એટલે ૐકાર-પ્રણવ- પરબ્રહ્મની ઉપાસના. ૐકારથી ગજમુખ ગણેશજીના સ્વરૂપનો વિકાસ થયો. વેદમાં, ઉપનિષદમાં પ્રથમ ૐ કાર અને મંગલ કાર્યોમાં અધિપતિ મનાય છે. રિદ્ધિ સિદ્ધિના આ સ્વામીએ મહાભારતનો વિરાટ ગ્રંથ લખવામાં વ્યાસજીને મદદ કરી હતી.
શ્રી ગણેશચતુર્થી નિમિત્તે અમારા ભજન ગ્રુપ દ્વારા ગવાયેલું એક ગણપતિજીનું પલના ભજન સાંભળો.
મારવાડી ભજનનાં શબ્દો નીચે પ્રમાણે છે.
ગણપતિ ઝૂલે પાલન ગજાનન
કાહે કો થારો બન્યો રે પાલનો
કાહેકી લગ રહી ડોર ગજાનન
અગડ ચંદનકો બન્યો રે પાલના
રેશમકી લગ રહી ડોર ગજાનન
કૌન જ ઝૂલાવે કૌન જ ઝૂલે
કૌન જ મનમેં ફૂલે ગજાનન
ગૌરા ઝૂલાવે, ગણપતિ ઝૂલે
શિવશંકર મન હી મન ફૂલે
ૐ ગં ગણપતયે નમઃ
Entry Filed under: મંથન[ભક્તિરસ]. .
4 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed


1.
Harish Dave | September 22, 2007 at 6:27 am
You silently go on adding colours to the rainbow of Gujarati Net Jagat …
…… Harish Dave Ahmedabad
2.
chetu | September 22, 2007 at 12:48 pm
ekdam saras … ganeshji na darshan kari ne dhany thai javayu..!!
thanks
3.
neetakotecha | September 22, 2007 at 2:42 pm
gr88888888888
4.
kinnariParikh | September 22, 2007 at 5:33 pm
Its amazing. Thnk you for remembering me