એક શરત મારી

September 22, 2007

આજે ભાદરવા સુદ દસમ
 

આજનો સુવિચાર:- લાગણીની પરવશતા એ સ્નેહનો પુરાવો છે.

હેલ્થ ટીપ્સ:- મીઠાની બરણીમાં ચોખાનાં દાણા રાખવાથી મીઠાને ભેજ નહી લાગે.

‘એક શરત મારી’ અને ‘એક શરત મારી’ એમાં મહાભારત રચાઈ.

     એક વેદ અને ચાર સંહિતાના રચૈતા શ્રી વ્યાસજીએ મનોમન મહાભારતની રચના કરી. પછી વિચાર આવ્યો કે શિષ્યોને ભણાવું શી રીતે? વ્યાસજીની મુંઝવણ બ્રહ્માજી પામ્યા અને વ્યાસજી પાસે આવ્યાં.

      વ્યાસજીએ વ્યથા રજુ કરતાં કહ્યું,” ભગવન, મનોમન મહાકાવ્યનું નિર્માણ કર્યું છે જેમાં વેદોનું રહસ્ય ઉપરાંત ઉપનિષદોનો મર્મ વણ્યાં છે. ભૂત, વર્તમાન, ભવિષ્ય; જરા,મૃત્યુ, ભય, વ્યાધિ, ભાવ અને અભાવની સમજણ; વિવિધ ધર્મો અને આશ્રમોનાં લક્ષણો ગૂંથ્યાં છે. ચાતુર્વર્ણ અને સમગ્ર પુરાણોનો સાર, તપ, બ્રહ્મચર્ય, પૃથ્વી, ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારાઓનું પ્રમાણ, યુગોનું પ્રમાણ, વેદો, અધ્યાત્મ; શિક્ષા, ચિકિત્સા, દાન, પાશુપાત, દેવો અને મનુષ્યોના જન્મોનો હેતુ, તીર્થોનુ વર્નન, વનો, સાગરો, અને નગરોના વર્ણન આવ્રી લીધાં છે. યુદ્ધ કૌશલ, વ્યાકરણ, જનતા જીવન, જે પન સર્વલોકને ઉપયોગી થઈ પડીવું પ્રભુ મેં આ એક જ ગ્રંથમાં વણી લીધુ છે. પરંતુ આ મારા કાવ્યને હું લખાવું એવો મને કોણ લેખક મળશે?”
  ત્યારે બ્રહ્માજીએ હસીને કહ્યું કે ‘એવો તો એક જ લેખક મળી શકશે અને તે છે ગણપતિજી. તેના જેવો ઉત્તમ લહિયો હે વ્યાસજી આપને કોઈ નહી મળે. અને આ તમારું કાવ્ય મહાકાવ્ય રૂપે રહેશે..આના કરતાં કોઈ કાવ્ય ચઢિયાતું નહી રચાય.’ બ્રહ્માજીનું સૂચન ધ્યાનમાં રાખી વ્યાસજી ગણપતિજીને શરણે ગયાં.

   ગણપતિએ કહ્યું કે “તમારા કાવ્યનો લેખક તો હું બનું પણ મારી એક શરત છે.” ”શી શરત છે પ્રભુ? આપની શરત મને માન્ય જ હશે”. વ્યાસજીએ કહ્યું.

   ”મારી શરત એ જ કે મહર્ષિ, તમે વચમાં થંભ્યા વગર તમારો ગ્રંથ ધારાવાહી રીતે લખાવો તો જ હું તમારો લેખક બનું.”
  “માન્ય છે પ્રભુ, સાથે મારી પણ એક શરત છે પ્રભુ”

”શી?”

”આપ જે લખો તે સમજીને જ લખશો.”

“કબૂલ.”

    અને મહાભારત લખાવવાનું ને લખવાનું શરુ થયું. વ્યાસજી લખાવતા ગયાં અને ગણપતિજી લખતા ગયાં. લગભગ એક લાખ શ્લોકોના બનેલા આ ગ્રંથમાં લગભગ આઠ હજાર આઠસોશ્લોક એવાં છે જેમાં ખુદ વ્યાસજી કહે છે

કાંતો હું સમજું,
અથવા તો શુકદેવ સમજે;
સંજય કદાચ સમજે ;
અથવા ન યે સમજે !

આમ ‘એક શરત મારી’ વચ્ચે મહાભારતનું મહાકાવ્ય વ્યાસજી અને ગણપતિજીએ પુરું કર્યું.

                            ૐ ગં ગણપતયે નમઃ

Entry Filed under: મંથન[ભક્તિરસ]. .

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


શોધખોળ

આભાર

nandani on ઓસડિયા
Junagadh on શિવશિવાને સાનિધ્યે
Health Care Tips on પ્રેરક પ્રસંગો
pragnesh on પ્રેરક પ્રસંગો
Sasan Gir on ઘૈડા ન હોય તો ગાડા પાછા વ…

તાજેતરમાં લખાયેલુ

મહિનાની નોંધણી

તારીખીયુ

September 2007
M T W T F S S
« Aug   Oct »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

ભલે પધાર્યા

નિરીક્ષણ

ધબકારનાં ધબકતા હૈયા

Image Hosted by ImageShack.us

RSS ગીત ગુંજ

free counters