Archive for October, 2007

મારા સાથિયાનો બીજો ખૂણો

                   આજે આસો વદ બીજ

આજનો સુવિચાર:- આધ્યાત્મિક તપસાધના દ્વારા આત્મા, જ્ઞાનવરણાદિ કર્મથી મુક્ત થઈ જાય છે.

હેલ્થ ટીપ્સ:- દાઝ્યા પર એલોવેરા જેલ લગાડવાથી રાહત રહે છે.

કૅનેડા સ્થિત મારી પૂજાનો આઠમા વર્ષમાં પ્રવેશ


| View Show | Create Your Own

                                     ૐ નમઃ શિવાય          

16 comments October 27, 2007

શરદપૂનમની રાતે

                           આસો સુદ ચૌદસ [ શરદ પૂનમ]

આજનો સુવિચાર:- કર્યા વગર મળતું નથી, કરેલું ફોગટ જતું નથી. કરવાની શક્તિ તારામાં છે., કામ કરતો જા, હાક મારતો જા, મદદ તૈયાર છે. ———– પાંડુરંગ શાસ્ત્રી

હેલ્થ ટીપ્સ:- બે ચમચા મુલતાની માટી, એક નાનો ચમચો બદામનું તેલ, એક મોટો ચમચો મધભેળવી પેસ્ટ બનાવી 20 મિનિટ સુધી લગાડી રાખવું. સુકાયા બાદ ધોવાથી ત્વચા કાંતિમય બનશે. અઠવાડિયામાં એક વખત આ પેક લગાડી શકો છો.

આજે સ્વાધ્યાય પ્રવૃતિના પ્રણેતા પૂ. પાંડુરંગ શાસ્ત્રીનો નિર્વાણ દિવસ છે.

               આજે શરદપૂનમ અથવા માણેકઠારી અથવા કોજાગરી પૂનમ છે.

        શરદઋતુની રાત્રિઓ ‘શરદોત્ફુલ્લ રાત્રિઓ’ કહેવાય છે. શ્રીમદ ભાગવત આધારે કહેવાય છે કે શરદ પૂર્ણિમાના શાંત પવિત્ર વાતાવરણમાં શ્રીકૃષ્ણે બંસીનાદ કરી આખા વૃંદાવનને ઘેલું કર્યું હતું.

અંજવાળી રાતલડી ને તારાનો ઝબકાર
સરખે સરખી સાહેલી ને ઝાંઝરનો ઝણકાર

મીઠી મીઠી વાટલડી ને હાલે હારોહાર
સરખે સરખી સાહેલી ને ઝાંઝરનો ઝણકાર

એને કમખે ફુમતા ફરકે છે
એમાં આભલા ચમ ચમ ચમકે છે
ઘમ્મર ઘેરદાર ઘાઘરોને ઘુઘરીનો ઘમકાર
એનું લ્હેરણિયું લહેરાતું આંખે શરમનો ભાર
ઝીણી પછેડી ભાતીગળ માંહે ચીતર્યા મોરલા ચાર
સરખે સરખી સાહેલીને ઝાંઝરનો ઝણકાર
– અંજવાળી રાતલડીને

રૂપનો કટકો ને જોબનનો ચટકો
આંખ્યુનો મટકો, વ્હારે તારો લટકો
નેણલે ચમકે વીજલડી ને પાંપણનો પલકાર
એનું મુખલડું મલકંતું હૈયે થનક થનકાર
સાદ સાકરનો કટકો જાણે કોયલનો ટહુકાર
સરખે સરખી સાહેલી ને ઝાંઝરનો ઝણકાર
– અંજવાળી રાતલડીને

અમે નાજુક નમણી મતવાલી અમે કોમળ ફુલડાની ડાળી
મસ્તીમાં ઝૂમનારી છોરી વહેતી રસની ધાર
અમે મદઘેલી મસ્તાની છોને બળે સંસાર
ભોળી અણસમજુ રે કળીઓ થઈએ ખબરદાર
સરખે સરખી સાહેલડીને ઝાંઝરનો ઝણકાર
—- અંજવાળી રાતલડીને

***************************************

કહો પૂનમનાં ચાંદને આજે ઉગે આથમની ઓર

મારા મનડાના મીત,
મારા જીવન સંગીત લઈને આવ્યા છે મારી પ્રીત
— કહો પૂનમનાં ચાંદને

આજે અમારાજીવનનો આ કેટલો સુંદર દિવસ છે.
આજે અમે રમશું પ્રીતમની સાથે હાથોમાં રાખીને હાથ
  — કહો પૂનમનાં ચાંદને

પૂનમની રાત થંભી જાશે તો ઝૂલશું ફૂલડાંની સેજ કરીને
નદીઓનાં નીરમાં નાવલડી તારશું ગીતોનાં ગુંજન કરીને
– કહો પૂનમનાં ચાંદને

ક્યારે ફરી આવશે અવસર અનેરો પ્રીતમની સંગે રહેવાનો
ક્યારે ફરી મળશું રઢિયાળી રાતમાં, મનડામાં પ્રીત ભરીને
 — કહો પૂનમ નાં ચાંદને

                                               ૐ નમઃ શિવાય

5 comments October 25, 2007

દશેરા

                    

                સહુને દશેરાની શુભેચ્છાઓ

                

                       ૐ    નમઃ    શિવાય

                

1 comment October 21, 2007

મારા સાથિયાનો ત્રીજો ખૂણો – જીષા

જીષા


| View Show | Create Your Own 

દાદી                               દાદા

                                                    

                                                      ૐ નમઃ શિવાય

11 comments October 20, 2007

ગરબા

આસો સુદ પાંચમ [સ્કંદમાતાનું પૂજન]

આજનો સુવિચાર:- રોગનો મિત્ર વૈદ્ય, રાજાનો મિત્ર મીઠાં વચન બોલનારો, સંસારથી પીડિત માનસનો મિત્ર સંત તેમજ લક્ષ્મી ખોઈ બેઠેલાનો મિત્ર જોષી છે. —- કવિ નિકોલસ

હેલ્થ ટીપ્સ:- મોસંબી ખાવાથી મેદ ઘટે છે.

                      ગરબા

શંખલપુર સોહામણું જીરે,
ચુવાળ બાંધ્યો ચોક માડી બહુચરા
દર્શન આપોને માત બહુચરા જીરે

આવું તમારે દ્વાર માડી બહુચરા
દર્શન આપો ને માત બહુચરા જીરે

માતા વાંચી છે તારી વાર્તા જીરે
વાંચ્યો છે પુણ્ય પ્રતાપ માડી બહુચરા
દર્શન આપોને માત બહુચરા જીરે

તેજ તણા તારા તારલા જીરે
ઝીલું હું માઝમ રાત માડી બહુચરા
દર્શન આપોને માત બહુચરા જીરે

વાણી આપો ને પરમેશ્વરી જીરે
ગુણ તમારા ગાવું માડી બહુચરા
દર્શન આપોને માત બહુચરા જીરે

સોલંકી નારના અંગમાં જીરે
પૂર્યો તે પ્રાણ પ્રકાશ માડી બહુચરા
દર્શન આપોને માત બહુચરા જીરે

************************************

હે માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે
સજી સોળ રે શણગાર મેલી દિવડા કેરી હાર
માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે

સકળની લઈ માંડવી માથે ઘુમતી મોરી માત
ચુંદલડીમાં ચમકે ગાજે રૂપલે મઢી રાત
જોગ માયાને અંગ ગયો નીતરી ઉમંગ
રમે જોગણીઓ સંગ માએ પાથર્યો
પરકાશ ચૌદ લોકમાં રે
હે માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે

ચારે જુગનો ચુડલો માને સોળ કળાનો પાઘ
અંબાના અણસારા વિના હાલે નહી પાન
હે માના રૂપની નહીં જોડ, માને ગરબા કેરી હોડ
માને રમવાના બહુ કોડ
માએ ગરબો ચગાવ્યો ચાચર ચોકમાં રે
હે માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે

               જય માતાજી જય ભવાની

5 comments October 16, 2007

મહાલક્ષ્મીમાતાનું મંદિર

         આસો સુદ ચોથ [આજે કુષ્માંડામાનું પૂજન,જેમણે બ્રહ્માંડની રચના કરી]

આજનો સુવિચાર:- પુસ્તકોનું મૂલ્ય રતો કરતાં વધુ હોય છે જે માનવનાં અંતઃકરણને ઉજ્જ્વળ બનાવે છે. –ગાંધીજી

હેલ્થ ટીપ્સ:- પેટ સાફ ન આવતું હોય તો કાળી દ્રાક્ષ [કીસમીસ]ને ચાવીને ખાવાથી ફાયદો થાય છે.

                                    મહાલક્ષ્મીમાતાનું મંદિર


          તળ મુંબઈ ભુલાભાઈ દેસાઈ રૉડ પર સ્થિત ‘મહાલક્ષ્મી’ માતાજીનું મંદિર ખૂબ પ્રખ્યાત છે. ખૂબ સુંદર મંદિર બનાવ્યું છે. લગભગ ઈ.સ.1785ના વર્ષમાં ‘પાઠારે પ્રભુ’ નામના ચીફ ઍંજિનીયરે બનાવ્યું હતું.

        ઈતિહાસ પ્રમાણે મુંબઈને માનવ રચિત બંદર બનાવવા માટે વર્લીના કિનારા પર દરિયાઈ મોજાથી થતા નુકશાનને અટકાવવા દિવાલ બનાવવાની હતી. પરંતુ કોઈપણ કારણોસર આ દિવાલ બે વખત પડી ગઈ. એક રાતે અહીંના ચીફ ઍંજિનીયરને માતાજી સપનામાં આવ્યા અને એમની મૂર્તી વર્લીનાં દરિયામાંથી કાઢવા કહ્યું. આમ દરિયામાં શોધખોળ કર્યા બાદ મહાલક્ષ્મી માની મૂર્તિ મળી આવી અને ત્યારબાદ આ દિવાલ કદી પડી નથી. આ મૂર્તિ મળવાથી ‘પાઠારે પ્રભુ’ અહીં મહાલક્ષ્મી માનું મંદિર બનાવ્યું. અવારનવાર આ મંદિરનો જિર્ણોદ્ધાર કરવામાં આવે છે.

         મને યાદ આવે છે કે હું જ્યારે નાની હતી ત્યારે મારા બાપુજી અમને [ભાઈ બહેનોને] અહીં મગની દાળનાં વડા ખાવા લઈ આવતાં પડિયામાં વડા સાથે આમલીની મીઠી ચટણી પણ હોય. હજી એ દિવસો યાદ કરીને મોંમા પાણી આવે છે. મંદિરના પાછળનાં ભાગમાં નીચે ઉતરીને દરિયા કિનારે જવાતું હતું, મોટા મોટા પથ્થરો પર બેસીને આ વડા ખાવાની અનેરી મઝા આવતી હવે તો દુકાનો અને હૉટલો થઈ ગઈ છે.

           મંદિરના પરિસરમાં શેરડીનો રસ કાઢવાના સંચાની સાથે બાંધેલા ઘુઘરાનો મીઠો અવાજ અને રસ પીવા આમંત્રિત કરતા ગામઠી માણસોની મીઠી લહેકભર્યા ગીતો યાદ આવે છે. જોકે હજીપણ બેઠા હોય છે પણ એ દિવસોની મઝા કંઈક ઑર જ હતી. દિવાળીના દિવસે ચોપડા પૂજન કર્યાં બાદ માતાજીનાં દર્શન કરવા ચણિયા ચોળી પહેરી ઘોડાગાડીમાં બેસી મંદિરે જતાં. હવે તો એટલી બધી ભીડ હોય છે કે કલાકોના કલાકો લાઈનમાં ઊભા રહો તો પણ એટલી મિનિટો માટે દર્શન કરવાનો લ્હાવો નથી મળતો.

      મંદિરના પરિસરમાં પ્રસાદ,મીઠાઈ વેંચવા દુકાનો હોય છે. ફૂલવાળાઓ [મોટેભાગે બહેનો જ ફૂલ વેંચવા બેઠી હોય છે.]ની દુકાન છે. જેમાં પ્રસાદ [સાકરિયા], નાળિયેર, માતાજીને ચઢાવવા માટે ચુંદડી, ફૂલ હાર, કંકુ ચોખા અબીલ ગુલાલ અગરબત્તી વગેરે પૂજાનો સામાન મળતો હોય છે. પહેલા તો દરેક પગથિયે ભીખ માંગણિયા બેસી રહેતા હતા. પરંતુ હવે ઓછા થઈ ગયા છે. પરંતુ બાવાજીઓ કે નાગપંચમી વખતે નાગને દૂધ પીવડાવવાને બહાને મદારીઓ બેસતા હોય છે.

           ઈંસ્ટંટ ફોટો પાડવાવાળાની દુકાનો પણ છે. અમે નાના હતાં ત્યારે મોટરમાં બેસીને ફોટો પડાવતાં. એમાં પણ આ નવરાત્રીનાં દિવસોમાં મેળો ભરાતો હોય છે. ઉપરોક્ત બધુ હાજર હોય છે પણ તે ઉપરાંત જાયંટ વ્હીલ, મેરિગો રાઉંડ વગેરે નાના બાળકોને ગમતી રમતો ,પીપુડા તેમજ ફુગ્ગા વેંચવાવાળા બધા હાજર હોય.

      આમ દશેરા સુધી મહાલક્ષ્મીમાતાનાં મંદિરમાં દર્શન સાથે મેળો ભરાતો હોય છે. દિકરાઓ નાના હતાં ત્યારે તેઓને અહીં લઈને આવીને ખૂબ આનંદ મેળવ્યો હતો. હવે તો મારે માટે ‘વો દિન યાદ કરો’.

                                        જય માતાજી જય ભવાની

6 comments October 15, 2007

નવરાત્રિ ગરબા

આસો સુદ ત્રીજ [ચંદ્રઘંટામાનું પૂજન]

આજનો સુવિચાર:- માનસનું મન જે વિચારે છે અને માને છે તે મેળવે પણ છે.

હેલ્થ ટીપ્સ:- માથા પર પસીનો થાય ત્યારે તેને ભીના ટુવાલથી દૂર કરો.

નવરાત્રી ચાલતી હોય અને આપણે ગરબા ગાયા વગરનાં કોરા કેમ રહીએ?


| View Show | Create Your Own 

આસમાની રંગની ચુંદડી રે
 માની ચુંદડી લહેરાણી
ચુંદડીમાં ચમકે તારલા રે
માની ચુંદડી લહેરાણી

હો….. નવરંગી રંગી ચુંદડી મા
નવરંગી રંગી ચુંદડી રે
માની ચુંદડી લહેરાણી
ચુંદડીમાં ચમકે હીરલા રે
માની ચુંદડી લહેરાણી
— આસમાની રંગની

હો……શોભે છે માની ચુંદડી રે
શોભે છે માની ચંદડી રે
માની ચુંદડી લહેરાણી
ચુંદડીમાં ચમકે મુખડું રે
માની ચુંદડી લહેરાણી
— આસમાની રંગની

હો……લહેરે પવન ઊડે ચુંદડી રે
લહેરે પવન ઊડે ચુંદડી રે
માની ચુંદડી લહેરાણી
ચુંદડીમાં ચમકે આભલા રે
માની ચુંદડી લહેરાણી.
— આસમાની રંગની

શત શત શગની દિવડી રંગ માંડવડી
હો રંગ માંડવડી
હે….. માનો બાજઠ રતન જડેલ
રંગ રંગ માંડવડી હો રંગ માંડવડી
– શત શત શગની

સોના જડેલ માનો હીર રે રંગ માંડવડી
હો રંગ માંડવડી
હે….. માનો બાજઠ રતન જડેલ
રંગ રંગ માંડવડી
હો રંગ માંડવડી
– શત શત શગની

ચાંદનીનાં ચંદરવા ઝૂલતાં રંગ માંડવડી
હો રંગ માંડવડી
હે…..જાણે મધરાતે ઉષા ઊગેલ
રંગ રંગ માડવડી હો રંગ માંડવડી
  — શત શત શગની

                                      જય ભવાની જય અંબે

2 comments October 14, 2007

નવ સ્વરૂપે મા દુર્ગા

આસો સુદ બીજ

આજનો સુવિચાર:- થોડો વખત ખામોશ રહેશો તો મૌનની ટેવ પડશે. શબ્દોનાં મૌન સાથે વિચારોનાં મૌનનો અભ્યાસ થશે તો મનની શાંતી મળશે.

હેલ્થ ટીપ્સ:- ચણાના લોટમાં ચંદન, હળદર,ગુલાબજળ, તથા મધ ભેળવીમુલાયમ પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવાથી ત્વચા નિખરી ઊઠશે.

                                 મા દુર્ગાનાં નવ સ્વરૂપ


| View Show | Create Your Own

    મહાદેવનાં ત્રણ સ્વરૂપ છે જેવા કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તેવી જ રીતે મહાદેવીનાં ત્રણ સ્વરૂપો છે. સરસ્વતી, લક્ષ્મી અને દુર્ગા.

        સરસ્વતીમાતા બુદ્ધિ અને વિવેકનાં દેવી છે. લક્ષ્મીમાતા ધન અને ઐશ્વર્યનાં દેવી છે. મહિષાસુરનો સંહાર કરવા માટે બ્રહ્મા, વિષ્ણુ, મહેશે શક્તિ સ્વરૂપે મા દુર્ગાનું સર્જન કર્યું.

      નવરાત્રિના પર્વમાં મા દુર્ગાની ઉપાસના કરવામાં આવે છે. પુરાણકાળથી ‘નવ’નો આંકડો અતિશુભ માનવામાં આવ્યો છે. આદ્યશક્તિનાં પણ ‘નવ’ સ્વરૂપ મનાયા છે. નવશક્તિ, નવદુર્ગા, નવરાત્રિ, નવપ્રભા જેવા શબ્દો મા દુર્ગાની યાદ અપાવે છે. મા દુર્ગાનાં ‘નવ’ સ્વરૂપો છે. શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી અને સિદ્ધિદાત્રી.

‘શૈલપુત્રી’ દુર્ગામાનું પહેલું સ્વરૂપ છે. નવરાત્રિના પ્રથમ દિવસે દુર્ગામા શૈલપુત્રી તરીકે પુજાય છે. તેમણે પર્વતરાજ હિમાલયના ઘરે જન્મ લીધો હતો તેથી તેઓ ‘શૈલપુત્રી’ તરીકે ઓળખાયા. તેમના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબાહાથમાં કમળનું ફૂલ શોભે છે. તેમનું વાહન ‘બળદ’ છે.

નવરાત્રિનાં બીજા દિવસે ‘બ્રહ્મચારિણીમા’નું પુજન થાય છે.તેમનું સ્વરૂપ અત્યંત સુંદર છે પરંતુ અત્યં કઠોર તપશ્ચર્યાને કારણે તેમનું નામ બ્રહ્મચારિણી નામ પડ્યું. તેમનાં જમણા હાથમાં જપમાળા અને ડાબા હાથમાં કમંડળ શોભે છે.

    ‘ચંદ્રઘંટા’ દુર્ગામાનું ત્રીજુ સ્વરૂપ છે. તેમના મસ્તક પર ઘંટ આકારનો અર્ધચંદ્ર હોવાને કારણે તેમનું નામ ‘ચંદ્રઘંટા’ નામ પડ્યું. નવરાત્રિનાં ત્રીજા દિવસના પૂજનનું મહત્વ વધારે છે. તેમના શરીરનો રંગ સોનાજેવો છે. અને તેમના દસ હાથમાં શસ્ત્રો છે અને તેમનું વાહન વાઘ છે.

    ‘કુષ્માંડા’ માતાજીનું ચોથુ સ્વરૂપ છે. જેમની પૂજા નવરાત્રિના ચોથે દિવસે કરવામાં આવે છે. મંદ હાસ્ય દ્વારા સમસ્ત બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેઓ ‘કુષ્માંડા’ તરીકે ઓળખાયા. તેમના સાત હાથમાં કમંડળ, કમળનું ફૂલ, કળશ તથા શસ્ત્રો ધારણ છે તેમજ આટઃઅમા હાથમાં જાપમાળા છે. તેમનું વાહન વાઘ છે.

       ‘સ્કંદમાતા’ દુર્ગામાતાનું પાંચમું સ્વરૂપ છે. તેમની પૂજા નવરાત્રિનાં પાંચમા દિવસે થાય છે. તેમનાં ખોળામાં ભગવાન ‘સ્કંદ’ એટલે ‘કાર્તિકેય’ છે. એમના બે હાથમાં કમળનાં ફૂલ છે અને એક હાથ આશીર્વાદની મુદ્રામાં છે. તેમનું વાહન સિંહ છે.

      નવરાત્રિનાં છઠ્ઠા દિવસે જેમનું પૂજન થાય છે તે ‘કાત્યાયની’ મા તરીકે ઓળખાય છે. તેમનું વાહન સિંહ છે.

   રંગે અત્યંત કાળા, વિખરાયેલા વાળ, ગળામાં વિદ્યુત સરીખી માળા એ દુર્ગામાનું સાતમું સ્વરૂપ છે જે ‘કાલરાત્રી’ તરીકે ઓળખાય છે. તેમનું વાહન ગદર્ભ છે. અત્યંત ભયાનક સ્વરૂપે માતાજી પ્રગટ થાય છે.

     મા દુર્ગાની આઠમી શક્તિ રૂપે ‘મહાગૌરી’ પ્રગટ થયા. અત્યંત ગૌર વર્ણીય ‘મહાગૌરી’નું વાહન વૃષભ એટલે બળદ છે.

‘સિદ્ધિદાત્રી’ માનું નવમું સ્વરૂપ છે. તેમનું પૂજન નવરાત્રિના નવમે દિવસે થાય છે. તેઓ કમળનાં ફૂલ પર બિરાજમાન છે.

                  નવદુર્ગાને નમન હો 

                                       

                                       ૐ નમઃ શિવાય

3 comments October 13, 2007

એ ટુ ઝેડમાં માતાજી

આસો સુદ એકમ [આજથી નવરાત્રીનો આરંભ]

 આજનો સુવિચાર:- ભગવાનના નામના બીજરોપી પ્રેમના જ કાર્યો કરશે તો પ્રેમનું બીજ ઊગીને વિકસવા માંડશે.

                                                         – ગુરુ નાનક

 હેલ્થ ટીપ્સ:- ભાતનાં ઓસામણમાં ચંદન ઘસીને મધ અને સાકર સાથે પીવાથી ઍસીડિટી તેમ તરસની વ્યાધિ દૂર થાય છે. 

       

       શક્તિનો શાબ્દિક અર્થ છે સામર્થવાન હોવું. શક્તિ ત્રણ પ્રકારની હોય છે. પ્રભાવથી, ઉત્સાહથી અથવા મંત્રથી ઉત્પન્ન થયેલી હોય. પુરાણોમાં આ શક્તિ ઘણા નામે પ્રચલિત છે. આજનાં આધુનિક જમાના પ્રમાણે આપણે માતાજીને એ ટુ ઝેડમાં પારખીએ.    

અંબાજી

બી બહુચરાજી

સી ચામુંડા

ડી દુર્ગા

ઈશાની

એફફૂલમા

જી ગૌરી

એચ હરસિદ્ધ

આઈ ઈન્દ્રાણી

જે  – જગદંબા

કે  – કાલી

એલ  – લક્ષ્મી

એમ મા મેઘા

એન  – નારસિંહી, નર્મદા

ૐ શ્રીજયમાઈ

પી  – પરિમ્બા

ક્યુ  –કામાક્ષી

આર રાધા

એસ શ્રી સ્વાધા

ટી  – તારા

યુ  – ઉર્વશી, ઉમા

વી  – વારાહી

ડબ્લ્યુ વાઘેશ્વરી

એક્સ  – ક્ષમવાય  – યમુના

ઝેડ  – ઝંબિકા                    -

——– સંકલિત     

                                                                  ૐ નમઃ શિવાય

7 comments October 12, 2007

રંગીલા SMS

ભાદરવા વદ ચૌદસ [ચૌદસ, પૂનમ, અમાસ તથા સર્વપિતૃ શ્રાદ્ધ]

આજનો સુવિચાર:- નિરાંતને જીવે ધામો નાખી જીવનની કળાને ગુમાવી આપણે સુખને બાહ્ય દુનિયામાં ફંફોસીએ છીએ. આપણે જ અગ્નિ પ્રગટાવીને કહીએ છીએ કે અમારે નસીબે રોજ રોજ અગ્નિ પરીક્ષા છે.

હેલ્થ ટીપ્સ:- ચામડીનાં રોગોમાં મલમ સાથે ચંદન ઘસીને લગાડવાથી ઉત્તમ પરિણામ આપે છે.

આજકાલ મોબાઈલનો અને યુવાન પેઢીમાં SMS નો જમાનો આવ્યો છે. થોડાક મસ્તીભર્યાં SMS ની મઝા લઈએ.

જબ જબ ઘીરે બાદલ,
તેરી યાદ આઈ,
ઝૂમકે જબ ભી બરસા સાવન,
તેરી યાદ આઈ,
ભીગા મૈં ફિર ઔર ભી
તેરી યાદ આઈ,
અબ મુજસે નહીં રહા જાતા,
મેરી છત્રી લૌટા દે ભાઈ !

***************************************

અમિતાભકે પેટમેં દર્દ ક્યું હૈ?

1. ચ્યવનપ્રાશ જ્યાદા હો ગયા?
2. પેપ્સી જ્યાદા હો ગઈ?
3. હાજમૌલા કમ પડ ગયા ?
4. ટીકા નહીં લગવાયા હોગા ?
5. કૅટબરીમેં કીડે થે?

****************************************

તું ચંદ્રમુખી
મૈં સૂરજમુખી
તુ મુજસે દુઃખી
મૈં તુજસે દુઃખી
છત સે છલાંગ
લગા કે મર જા
ફિર તુ સુખી
ઔર મૈં ભી સુખી.

*************************************************

રામને ધનુષ તોડા
સીતા આયી……..
અર્જુનને તીર ચલાયા,
દ્રોપદી આયી……….
કૃષ્ણને બંસી બજાઈ
મીરા આયી………..
મૈંને સીટી બજાઈ
પતા નહીં વો
બાપ કો લેકે ક્યું આયી??????

***************************************************

દુઃખ હૈ દર્દ તો દવા હૈ દોસ્તી,
ઈસ ઘુટન ભરી જિંદગી કી ફીઝા હૈ દોસ્તી,
જો ના સમજે ઉસકે લિયે
કુછ નહીં પર દોસ્તો કે તો ભગવાન હૈ દોસ્તી

******************************************

                                                  ૐ નમઃ શિવાય

7 comments October 10, 2007

Previous Posts


શોધખોળ

આભાર

Dr. Chandravadan Mis… on સિંહ ચાલીસા
TAJDIN on વિચારોને મેળે
shivshiva on આસ્વાદ
amit pisavadiya on આસ્વાદ
Dilip Gajjar on આસ્વાદ

તાજેતરમાં લખાયેલુ

મહિનાની નોંધણી

તારીખીયુ

October 2007
M T W T F S S
« Sep   Nov »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

ભલે પધાર્યા

નિરીક્ષણ

ધબકારનાં ધબકતા હૈયા

Image Hosted by ImageShack.us

RSS ગીત ગુંજ

free counters