દેવ ઊઠી અગિયારસ
November 21, 2007
કારતક સુદ એકાદશી [દેવ ઊઠી એકાદશી, પ્રબોધિની એકાદશી]
આજનો સુવિચાર:- દુનિયામાં સતત દુખઃને યાદ અપાવનાર મોજુદ હોય છે, તેથી પરિવારની છેલ્લી વ્યક્તિ જીવે ત્યાં સુધી વેરભાવના ટકી રહે છે. — મહાભારત
હેલ્થ ટીપ્સ :- રાત્રે મીઠાની કાંકરી મોંમા મૂકી રાખવાથી ઉધરસ ઓછી આવશે.
આજથી પાંચ દિવસ સુધી દેવદિવાળીનું પર્વ ગણાય છે. આજે તુલસી વિવાહનો ઉત્સવ મનાવાય છે.
આજથી પાંચ દિવસ સુધી ભીષ્મપિતામહે બાણશૈયા પર સૂતા સૂતા રાજધર્મ, વર્ણધર્મ, દાનધર્મ અને મોક્ષધર્મનો મહત્વપૂર્ણ ઉપદેશ આપ્યો હતો. આથી આજથી પાંચ દિવસ ‘ભીષ્મ પંચક’ તરીકે ઓળખાય છે.

ભજન
હવેલી બંધાવી દઉં શ્રીજી તારા નામની
ધજાઓ ફરકાવી દઉં હરિ તારા ધામની
રેતીએ પ્રેમની લાવી હું તોલાવી સ્નેહની ઈંટો
રેડી મેં લાગણીઓને ચણાવી છે ભાવની ઈંટો
દિવાલો રંગાવી દઉં ગોકુળિયા ગામની
ધજાઓ ફરકાવી દઉં હરિ તારા નામની
માનવતણાં ફળીયે મેં બોલાવ્યા મેં દેવોને
સતસંગને અપનાવીને છોડીને કુટેવોને
હૃદયમાં કંડારી દઉં મુરત શ્રીનાથની
ધજાઓઅ ફરકાવી દઉં હરિ તારા ધામની
કવિ:- ?
ૐ નમઃ શિવાય
Entry Filed under: મંજીરા[ભજન]. .
2 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed


1.
pravinash1 | November 21, 2007 at 6:56 pm
શ્રીજી તારી હવેલી દૂરથી દેખાય
નજીક સરુ તો દૂર દૂર જાય
2.
manvant | November 22, 2007 at 7:31 am
Hradayma kandari dau moorat Shreenathni ;
Dhajao farkavi dau Hari tara dhamni !!!!!!!!!!!!!!!!!!!
aabhar bena !