Archive for January, 2008
લાલા લજપતરાય
આજે પોષ વદ છઠ [લાલા લજપતરાય જયંતી]
આજનો સુવિચાર:- સમય સમયનું કામ કરે તે ગાળામાં તમારે તમારું કાર્ય પૂરું કરી લેવું જોઈએ.
હેલ્થ ટીપ્સ:- જાયફળને પાણીમાં ઘસીને, અડધી ચમચીમાં મધમાં ચાટવાથી અતિસાર [ઝાડા] બંધ થાય છે.
લાલા લજપતરાય જયંતી

પંજાબના હાલના મોગા જિલ્લામાં 28મી જાન્યુઆરી 1865ના રોજ મુનશી રાધાકિશન આઝાદ અને ગુલાબદેવીને ત્યાં લજપતરાયનો જન્મ થયો હતો. સ્વામી દયાનંદના વિચારોથી તેઓ ખૂબ પ્રભાવિત હતા તેમજ આર્યસમાજથી સંકળાયેલા હતા. તેમણે વકીલાતની ડિગ્રી મેળવી હતી અને 1892માં તેઓ હાઈકૉર્ટમાં પ્રેક્ટિસ કરવા લાહોર આવ્યા. 1895માં તેમણે અનાથ થયેલા હિન્દુ કુટુંબને સહાય કરવાના હેતુથી પંજાબ નેશનલ બેંકની સ્થાપના કરી. 1905માં તેઓ કૉંગ્રેસના પ્રતિનિધિ તરીકે લંડન ગયા. આઝાદીની લડતમાં સક્રિય ભાગ લેવા લાગ્યા અને વિદેશી માલનો બહિષ્કાર અને સ્વદેશીની ઝુંબેશ શરુ કરવામાં તેમણે ઘણી મદદ કરી. તેમનો પરિચય બાલ ગંગાધર તિલક અને બિપિનચંદ્ર પાલ સાથે થયો. પછી તો આ ત્રિપુટીએ પાછુ વળીને જોયું જ ન હતું. આ ત્રણે વચ્ચે એવી એકતા સધાઈ કે તેમની ત્રિપુટી લાલ, બાલ અને પાલ તરીકે ઓળખાવા લાગી. 1914થી 1920 દરમિયાન તેઓ અમેરિકામાં રહ્યા અને પાછા આવ્યા પછી તેમણે હોમરૂલ-સ્વરાજ્ય માટેનું આંદોલન શરૂ કરાવ્યું. ભારતીય બંધારણમાં અંગ્રેજોએ કરેલા સુધારાના વિરોધમાં સાયમન કમિશનને પાછા ચાલ્યા જવા તે મેદાનમાં આંદોલન શરુ થયું.
શ્રીફળ
શ્રીફળ એટલે કે નારિયેળ જે આપણને ચારિત્ર્ય-પૂજાની પ્રેરણા આપે છે. બહારની સુંદરતાથી ન શરમાતાં નારિયેળ પોતાના આંતરિકસૌંદર્યથી સમૃદ્ધ છે. બહારથી કઠોર પરંતુ અંદરથી અતિ કોમળ અને મધુર શ્રીફળ મહાપુરુષોની મહાનતાનું પ્રતિક છે. નારિયેળ આપણને ઉત્કૃષ્ટ મનોવૈભવ નાં દર્શન કરાવે છે. વૈભવ એટલે શ્રી. એ દ્રષ્ટિથી નારિયેળને ‘શ્રીફળ’ નામ આપ્યું છે. મંદિરમાં દેવી, દેવતા સામે નારિયેળ ફોડવા પાછળ બલિદાનની ભાવના છે. મનુષ્ય અને પશુનું બલિદાન આપવાવાળા પ્રાચીન માનવને વિશ્વામિત્ર દ્વારા નિર્મિત પ્રતીક-સૃષ્ટિના નર અર્થાત નારિયેળનું સૂચન કર્યું છે. મંદિરમાં નારિયેળને ચઢાવી ઉપરનો અડધો ભાગ મંદિરમાં રાખીને નીચેનો ભાગ અડધો ભાગ પ્રસાદરૂપે લાવવાની પદ્ધતિ છે. આ રીતે ઋષિઓએ માનવને નરહત્યા અને પશુ હત્યામાંથી બચાવી લીધો. આમ માનવને હિંસાથી અહિંસા તરફ આગળ વધવા શ્રીફળે પોતાનું બલિદાન આપ્યું કોઈપણ શુભકાર્યની શરુઆત બલિદાન વગર સફળ થતું નથી.આ વાતની સ્મૃતિરૂપે શુભકાર્યની શરૂઆતમાં શ્રીફળ ચઢાવવાની જરરિયાતનો આપણે સ્વીકાર્ય કર્યો છે.
ૐ નમઃ શિવાય
Add comment January 28, 2008
તુમ મુઝે ખૂન દો મૈં તુમ્હે આઝાદી દૂંગા
આજે પોષ વદ એકમ
આજનો સુવિચાર:- આપણે જો ઈચ્છીએ તો નાની કે મોટી દરેક ભૂલ આપણી શિક્ષક બની શકે છે.
હેલ્થ ટીપ્સ:- કુંવારપાઠુંનો પાક શરીરમાં થતા વાયુ અને સાંધાના દુઃખાવામાં ફાયદો કરે છે.
જય હિન્દનો જય ઘોષ આપનારા સુભાષચંદ્ર બોઝ
‘તુમ મુઝે ખૂન દો, મૈ તુમ્હે આઝાદી દૂંગા’
જેમનો લલકાર હતો તે સુભાષચંદ્ર બોઝની આજે જન્મદિન છે. 23 જાન્યુઆરી 1897માં સ્વાતંત્ર્ય સેનાની સુભાષચંદ્ર બોઝનો જન્મ બંગાળના કોડિલિયા ગામે થયો હતો. એ સદીમાં જન્મ લેવો સદભાગ્ય ગણાતુ હતું. દેશની બુરી હાલત જોઈ તેમના મન પર ભારે અસર થઈ હતી. મેટ્રિક થયા બાદ હિમાલયમાં ગુરુની શોધમાં નીકળી પડ્યા. ગુરુ પાસેથી તેમને મોક્ષની સિદ્ધિની અપેક્ષા ન હતી પરંતુ માતૃભૂમિની સેવા શીખવે તેવો ધર્મ શીખવો હતો. થાકી પાછા ફરી તેઓ ચિત્તરંજનબાબુ પાસે આવી રહ્યા. દેશબંધુએ તમને રાષ્ટ્રિય વિદ્યાપીઠના આચાર્ય બનાવ્યા હતા. પછી તો જેલવાસનો સિલસિલો ચાલુ થયો. સુભાષબાબુએ જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના આઝાદ સૌ સાથે કામ કર્યું હતું.
1937માં તેઓ હરિપુરા કોંગ્રેસનાં પ્રમુખ બન્યા. પછી તો તેમણે કોંગ્રેસ પણ છોડી.ગુપ્ત વેશે દેશદેશાવર ફર્યા. આઝાદ હિંદની ફોજની સ્થાપના કરી. યુવાનોને પડકાર ફેંક્યો,’તુમ મુઝે ખૂન દો મૈં તુમ્હે આઝાદી દૂંગા’. તેઓ દ્રઢતાપૂર્વક માનતા હતા કે લશ્કરી તાકાતથી જ ભારતની મુક્તિ શક્ય થશે. જાપાને જીતેલા આંદામાન નિકોબાર ટાપુઓ તેમને સોંપાયા. એમના પડકારથી જ ભારતીય ભૂમિસેના, નૌસેના અને વાયુદળનો વિદ્રોહ ફાટ્યો.
સુભાષચંદ્ર બોઝે મશહૂર ‘જય હિન્દ’નું સૂત્ર ગૂંજતું કર્યું. 19-8-1945ના દિવસે ટોકિયો જતા વિમાની અક્સ્માતમાં તેમનું અવસાન થયું. આવા વીર પુરુષને શત શત પ્રણામ.
ૐ નમઃ શિવાય
2 comments January 23, 2008
ત્રણ માછલીઓ
આજે પોષ સુદ પૂનમ
આજનો સુવિચાર:- મોટી અને દિલદરિયાવ નિષ્ફળતાઓ દ્વારા માણસ પ્રગતિ કરતો હોય છે.
હેલ્થ ટીપ્સ:- બે ચમચા ઘઉંના લોટમાં દૂધ ભેળવી ચહેરા પર રગડી ઠંડા પાણીથી ચહેરો ધોવાથી નિસ્તેજ બનેલો ચહેરો નીખરી ઊઠશે.
ત્રણ માછલીઓ

એક સરોવર હતું.
તેમાં ત્રણ માછલીઓ રહેતી હતી.
આ ત્રણ માછલીઓમાં એક માછલી ચતુર હતી.
બીજી માછલી ભોળી હતી.
અને ત્રીજી માછલી આળસુ હતી.
એક દિવસ ચતુર માછલીને એક વિચાર આવ્યો કે
આ સરોવરના કિનારે માછીમારો આવે છે
અને કોને ખબર છે કે આ માછીમારો ક્યારે જાળ નાખી અમને પકડી લેશે.
માટે તેણે બીજી બે માછલીઓને કહ્યું કે,
‘ ચાલો બહેનો આપણે આ સરોવર છોડી બીજે જતાં રહીએ.
ભોળી માછલી કહે,’ માછીમારો મારી નાખશે?
આવશે ત્યારે જોયું જશે.
આવા વિચારે આપણે શા માટે
આપણું સરોવર છોડી નાસી જવું?’
આળસુ માછલી કહે,’ હું તો ક્યાંય નથી જવાની જે થવું હોય તે થાય.’
આમ ચતુર માછલી તો પહેલેથી જ દૂર દૂર જતી રહી.
માછીમારોએ જાળ નાખી.
આ જોઈને ભોળી માછલી ઝડપથી નાસવા લાગી.
એટલે તે બચી ગઈ.
પણ આળસુ માછલી તો ત્યાં જ પડી રહી.
છેવટે તે માછીમારોની જાળમાં ફસાઈ ગઈ.
બોધ: આળસુનો અંત વહેલો આવે છે.
નવો બોધ: આળસુ લોકોએ ચતુર લોકોની સલાહ માનવામાં આળસ ન કરવી.
સૌજન્ય:- રીડીફ ગુજરાતી
ૐ નમઃ શિવાય
2 comments January 22, 2008
અત્યાર સુધી લખાયેલી હેલ્થ ટીપ્સનાં થોડાંક અંશ
આજે પોષ સુદ બારસ [અગિયારસનો ક્ષય]
આજનો સુવિચાર:- બીજાનાં સારાં કામનાં વખાણ કરવાનું ચૂકશો નહિ, જેથી તે સારાં કામ કરવા પ્રયાસ કરે.
હેલ્થ ટીપ્સ:- 5 ગ્રામ મુલતાની માટી, 2 ગ્રામ મધ, 1.5 બદામ રોગન, 5 ml દૂધ ભેગા કરી ફેસપેક બનાવી ચહેરા અને ગરદન પર લગાવી 15 મિનિટ રહેવા દઈ પહેલા ગરમ પાણી અને ત્યારબાદ ઠંડા પાણી ધોઈ કાઢો. ચહેરો નીખરી ઉઠશે.
હેલ્થ ટીપ્સ:- તડબૂચની અંદરના ગર્ભનો ગર કરી તેમાં ગુલાબજળ ભેળવી સાકર સાથે પીવાથી પેટની ગરમી દૂર થાય છે.
હેલ્થ ટીપ્સ:- માત્ર કાકડી ખાઈ થોડા દિવસ રહેવાથી મેદ ઘટે છે.
હેલ્થ ટીપ્સ:- દ્રાક્ષ અને ધાણાને ઠંડા પાણીમાં પલાળી પીવાથી આધાશીશી મટે છે.
હેલ્થ ટીપ્સ:-સૂંઠને પાણીમાં ઘસી તેની પેસ્ટ કપાળે લગાડવાથી આધાશીશી મટે છે.
હેલ્થ ટીપ્સ:- અઠવાડિયે એક વખત હૉટ ટૉવેલ અને ઑઈલિંગ કર્યા પછી 10 થી 15 મિનિટ માટે વાળમાં દહીં નાખવું વાળનાં ટેક્શચર પ્રમાણે શેમ્પૂ કરવું આનાથી વાળનો ગ્રોથ વધે છે અને ખરતાં અટકે છે.
હેલ્થ ટીપ્સ:- આમળાનું ચૂર્ણ, સાકર અને ઘી સરખે ભાગે લઈ ખાવાથી માથાનો દુઃખાવો મટે છે.
હેલ્થ ટીપ્સ:- એક ચમચી મેથીનું ચૂર્ણ સવાર-સાંજ લેવાથી સાંધાના વા માં અને ડાયાબિટીસમાં ફાયદો થાય છે.
હેલ્થ ટીપ્સ:- બે ચમચી લીલી હળદરનો રસ અને એક ચમચી તુલસીનો રસ મિક્ષ કરી પીવાથી અવાજ ખૂલી જાય છે.
હેલ્થ ટીપ્સ:- 3 થી 4 હીમજને એરંડિયામાં શેકીને રોજ રાત્રે લેવાથી કબજિયાત દૂર થાય છે.
હેલ્થ ટીપ્સ:- સૂકામેવાના પ્રમાણસરના ઉપયોગથી શરીરના રક્તની અમ્લતા અને ક્ષારતાની સમતુલા જળવાય છે, આથી સ્વસ્થતા જળવાય છે.
હેલ્થ ટીપ્સ:- ઉલટી જેવું લાગતું હોય ત્યારે જીરૂ ચાવીને ખાવું.
હેલ્થ ટીપ્સ:-. સુકા રહેતા હોઠ પર દિવસમાં એકવાર કોપરેલ અથવા ઑલિવ ઑઈલનું પાંચ મિનિટ માલિશ કરવાથી ફાયદો થાય છે.
હેલ્થ ટીપ્સ:- 1 ગ્રામ કેસરમાં 5 ગ્રામ ઈલાયચીનો ભૂકો ભેળવી રાખો. ચામાં ચપટી પાઉડર નાખી પીવાથી ચાનો સ્વાદ તથા સુગંધી આલ્હાદક થઈ જશે.
હેલ્થ ટીપ્સ:- બે ટીપાં સરસવના તેલમાં એક ચપટી મીઠું ભેળવી દાંત સાફ કરવાથી દાંત અને પેઢા મજબૂત થાય છે.
હેલ્થ ટીપ્સ:- પાણીમાં મીઠું ભેળવીને ઘરમાં તથા રસોડાના પ્લેટફોર્મ પર પોતું કરવાથી માખીનો ત્રાસ ઓછો થશે.
હેલ્થ ટીપ્સ:- બે ચમચી ગ્લિસરિનમાં અડધા લીંબુનો રસ ભેળવો. આ મિશ્રણથી નિયમિત નખ પર માલિશ કરવામાં આવે તો નખ એક અઠવાડિયામાં ચમકીલા અને મજબૂત બનશે.
હેલ્થ ટીપ્સ:- આંબાની ગોટલી અને આમળાને પાણીમાં પલાડી ચોળીને માથામાં લેપ કરવાથી વાળ કાળા અને લાંબા થાય છે.
હેલ્થ ટીપ્સ:- નવી માન્યતા મુજબ ભોજન સાથે લીધેલા ડૅરી પ્રોડક્ટમાંના કેલ્શિયમથી કિડનીમાં થતા સ્ટોન અટકે છે.
હેલ્થ ટીપ્સ:- જાયફળ વાટીને ચહેરા પર લગાડવાથી ચહેરા પરની કરચલીમાં રાહત રહેશે.
ૐ નમઃ શિવાય
1 comment January 19, 2008
કોશિશ તો કરો !
આજે પોષ સુદ નોમ
આજનો સુવિચાર:- ઉપર જવાનો કે નીચે ઉતરવાનો રસ્તો એક જ હોય છે.
હેલ્થ ટીપ:- મધનું સેવન શરીરનો મેદ હરે છે.
ચાંદને તો દરેક લોકો ચાહે છે,
ક્યારેક સૂરજને ચાહવાની કોશિશ તો કરો;
સુખ તો દરેક લોકો માંગે છે,
ક્યારેક દુઃખ માંગવાની કોશિશ તો કરો;
પ્રેમ તો દરેક લોકો કરે છે,
ક્યારેક નફરત કરવાની કોશિશ તો કરો;
વચન તો દરેક લોકો આપે છે,
ક્યારેક નિભાવાની કોશિશ તો કરો;
વિદેશ ગમનની દરેક લોકોની ઇચ્છા હોય છે,
ક્યારેક પોતાના દેશને ઓળખવાની કોશિશ તો કરો;
હવામાં ઉડવાની દરેક લોકોની ઇચ્છા હોય છે,
ક્યારેક આ ધરતી પર પગ જમાવવાની કોશિશ તો કરો .
જિંદગીને તો દરેક લોકો ચાહતા હોય છે,
ક્યારેક મૌતની પાસે જવાની કોશિશ તો કરો;
પોતાના માટે તો દરેક લોકો જીવતા હોય છે,
ક્યારેક બીજાના માટે જીવવાની કોશિશ તો કરો
કવિ:- ?
ૐ નમઃ શિવાય
7 comments January 17, 2008
આજનો S. M. S.
આજે પોષ સુદ આઠમ
આજનો સુવિચાર:- આપણા સમય અને શક્તિ જો વ્યર્થ વિચારોમાં જ ખર્ચાઈ જાય તો આપણા કામમાં અસરકારકતા કઈ રીતે આવી શકે? — પ્રધાનમંત્રી મનમોહનસિંહ
હેલ્થ ટીપ:- મેથીનાં કુમળા પાનનું શાક બનાવીને ખાવાથી લોહીનો સુધારો થાય છે.
આજનો S. M. S.
મીઠે ગુડમેં મિલ ગયા તીલ,
ઊડી પતંગ ઔર ખીલ ગયા દિલ,
હર પલ સુખ ઔર હર દિન શાંતિ,
આપકે લિયે હેપી સંક્રાંતિ.
ૐ નમઃ શિવાય
Add comment January 16, 2008
મકર સંક્રાંતિ
આજે પોષ સુદ સાતમ
આજનો સુવિચાર:- મૌન અને હાસ્ય એ બન્ને જીવનનાં મજબૂત શસ્ત્ર છે.
મૌનથી જીવનનાં ઘણી સમસ્યા ટાળી શકાય છે. જ્યારે…
હાસ્યથી જીવનની ઘણી સમસ્યા ઉકેલી શકાય છે.
આજની હેલ્થ ટીપ:- સૂંઠના પાઉડરને છાશમાં મેળવી બબ્બે કલાકે લેવાથી અતિસાર [ઝાડા] મટે છે.
મકર સંક્રાંતિ [ઉત્તરાયણ]
સામાન્ય રીતે મકર સંક્રાંતિ એટલે ઉત્તરાયણ 14મી જાનુઆરીએ આવે છે પણ આ વખતે તા. 14મીની મધરાત્રી પછી સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરતો હોવાથી મકર સંક્રાંતિ તા. 15મી જાન્યુઆરીએ ગણાશે.
તો આ વખતે ઉત્તરાયણ 15મી જાન્યુઆરીએ શા માટે આવે છે તે જોઈએ.
આપણે વર્ષોથી 14મી જાન્યુઆરીએ મનાવતા આવ્યાં છીએ એટલે 15મી જાન્યુઆરીએ મકર સંક્રાંતિ આવે છે એ સાંભળતા અજુગતુ લાગે છે. આજની પેઢી અને ગઈકાલની પેઢીને આ પ્રથમવાર સાંભળે છે. સૂર્ય જ્યારે ઉત્તરાયણ કરે ત્યારે તેની શક્તિ અને ગરમીમાં વધારો થાય છે. જેની અસર પૂરી દુનિયા પર પડે છે. સૂર્ય એક વર્ષમાં 12 રાશિમાંથી પસાર થાય છે. સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં જાય ત્યારે તેને સંક્રાંતિ કહેવાય છે. જ્યારે સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશે છે ત્યારે મકરસંક્રાંતિ કહેવાય છે.
હવે એનું ભૌગોકિલ કારણ જાણીયે. સૂર્ય દક્ષિણની જગ્યા ઉત્તર તરફ ગતિ કરે છે. સૂર્ય 72 વર્ષમાં એક અંશ આગળ વધે છે. આજ પછી 2080ની સાલ સુધી 15મી જાન્યુઆરીએ મકરસંક્રાંતિ મનાવાશે. હિંદુઓનાં દરેક તહેવાર ચંદ્ર રાશિ પ્રમાણે મનાવવામાં આવે છે. ફક્ત મકરસંક્રાંતિ સૂર્ય રાશિ પ્રમાણે મનાવવામાં આવે છે. નોંધવા જેવી વાત એ છે કે ઈ.સ. 280માં 21મી ડિસેંબરના રોજ મકરસંક્રાંતિ મનાવવામાં આવી હતી.
દુનિયાનાં લગભગ દરેક દેશમાં મકર સંક્રાંતિની ઉજવણી પતંગ ઉડાડીને થાય છે. પતંગની શરૂઆત ઈ.સ. પૂર્વની ત્રીજી સદીમાં ચીનમાં થઈ હતી. ત્યારબાદ વિશ્વના જુદા જુદા પ્રદેશોમાં આગવી પતંગ સંસ્કૃતિનો જન્મ લીધો.
આજના જમાના પ્રમાણે પતંગ આપણને સરસ વાત સમજાવે છે. પતંગ એને કહેવાય કે જે પાંચને હેરાન કરે. આ પાંચ તે
1] વાલીઓ 2] વાહનચાલક 3] પોલીસ 4] ડૉક્ટર 5] સરકાર.
બીજી વાત લોકૌક્તિ પ્રમાણે પતંગ પાંચને ખૂશ કરે છે.
1] બાળકો 2] યુવાનો 3] તોફાનીઓ 4] પતંગના વેપારીઓને 5] પતંગની દોરી તૈયાર કરનારાને
છે ને મઝાની વાત ! ! ! ! !!!!!!
આપ સૌને મકર સંક્રાંતિની શુભેચ્છાઓ
ૐ નમઃ શિવાય
5 comments January 15, 2008
તલની ચીકી
આજે પોષ સુદ ચોથ
આજનો સુવિચાર:- ઈશ્વરનું કામ કરનારો એકલવીર ક્યારેય એકલો હોતો નથી.
હેલ્થ ટીપ્સ:- અજમો અને તલ ભેગા કરીને ખૂબ ચાવીને ખાવાથી વારંવાર પેશાબ કરવા જવામાં રાહત રહે છે.
તા. 14 જાનુઆરી એટલે મકર સંક્રાંતીનો દિવસ. મહારાષ્ટ્રમાં આ ઉત્સવ અનોખી રીતે ઉજવાય છે. સ્ત્રીઓ એકબીજાને મળે છે. કપાળે કંકુ ચોખા લગાડે છે અને તલનાં લાડુ એકબીજાને આપી કહે છે.
તીલગુળ ગ્યા આણી ગોડ ગોડ બોલા
એટલે તલનાં લાડુ ખાઓ અને મીઠું મીઠું બોલો..
આજે આપણે તલની ચીકી બનાવીએ.
[મુંબઈ સ્થિત શ્રીમતી રત્નાબેન કડકિયાએ આ તલની ચીકીની રીત આપી એ બદલ મેઘધનુષ આભારી છે.]
તલની ચીકી

સામગ્રી:-
2 વાડકી શેકેલા તલ
1 વાડકી પાણી
1 વાડકી ગોળ
રીત :-
પાણી અને ગોળ ભેગા કરી ધીમી આંચે ઉકાળવા મૂકો..
આ પાણી જ્યારે જાડું ફીણ જેવું થવા માંડે એટલે તેમાં શેકેલાં તલ નાખવા અને ત્યારબાદ ગેસ બંધ કરી દેવો.
આ મિશ્રણ ગોળો વળે તેવું થાય ત્યાં સુધી હલાવવું.
ત્યાર બાદ ઘીવાળા હાથ કરી તેનાં ગોળા કરવા.
આડણી ઉપર પ્લાસ્ટિક પાથરી આ ગોળાને પાતળા વણવા.
આ વણતા વણતા જ ઠંડા પડી જશે.
ત્યાર બાદ તેના પીઝા કટરથી કટકા કરવા.
તો આપણી તલની ચીકી તૈયાર.
આ રીતે શેકેલી શીંગના બારીક ભૂકાની ચીકી બનાવી શકાય છે. તો ચાલો મકર સંક્રાંતિ માટે ચીકીની તૈયારી કરીએ.
[મુંબઈ સ્થિત શ્રીમતી અરુણાબેન શાહે તલનાં પેંડા અને ખજૂર પાક બનાવવાની રીત મોકલી આપવા બદલ મેઘધનુષ ખૂબ આભારી છે. ]
તલનાં પેંડા
સામગ્રી:-
100 ગ્રામ શેકેલા તલ
100 ગ્રામ માવો
50 ગ્રામ ઝીણો સમારેલો ગોળ
થોડું ઘી
રીત:-
ઘીમાં ગુલાબી તેટલો માવો શેકવો.
આ શેકાઈ ગયેલા માવામાં ઝીણો સમારેલો ગોળ ભેળવવો.
ગોળ પીગળે ત્યારે તેમાં શેકેલા તલ નાખી હલાવવું.
ઘી છૂટું પડે એટલે ગેસ બંધ કરવો..
જેવું આ મિશ્રણ જેવું ઠંડુ પડવા માંડે ત્યાએ તેનાં નાના પેંડા આકારનાં ગોળા વાળવા.
તો આપણાં પેંડા પણ તૈયાર થઈ ગયા.
અત્યારે ઠંડી ઋતુ છે. આ ઋતુમાં આપણે આખા વર્ષની શક્તિ મેળવી લેવી જોઈએ. તો ચાલો આપણે એવો જ એક પાક બનાવીએ. અને પાછો ડાયેટ છે એટલે ડાયબીટીસવાળાઓ પણ ખાઈ શકશે.
ડાયેટ ખજૂરપાક

સામગ્રી:-
250 ગ્રામ નરમ કાળુ ખજૂર
3 નંગ સૂકા અંજીર [option]
થોડું ઘી
1 ચમચો બદામ પીસ્તાનો ભૂકો
1 નાનો ચમચી સૂંઠનો પાઉડર
કાજૂ અથવા બદામ [અડધા કરેલા બદામની છાલ કાઢી લેવી]
ચાંદીનો વરખ [optional]
રીત:-
આ ખજૂરનાં ઠળિયા કાઢી લેવાં અથવા તો ઠળિયા વગરનાં ખજૂર લેવાં.
આ ખજૂરને સમારી થોડા ઘીમાં શેકી લેવુ.
જો અંજીર પણ નાખવા હોય તો તેને પણ ઝીણા સમારી ઘીમાં શેકી લેવાં
નરમ પડે તેમાં બદામ પીસ્તાનો ભૂકો અને સૂંઠનો પાઉડર ભેળવી દો.
મિશ્રણ ઠરે ત્યારે તેનાં લંબગોળ ગોળા [કટલેસ જેવા] બનાવો.
તેની વચ્ચે કાજુ અથવા બદામ મૂકો.
જો ચાંદીનો વરખ લગાડવો હોય તો કાજુ કે બદામ નહીં લગાડાય.
ૐ નમઃ શિવાય
4 comments January 12, 2008
ભેજુ કસો [જવાબ]
આજે પોષ સુદ ત્રીજ
આજનો સુવિચાર:- બીજાએ શું કરવું જોઈએ એ અંગે વિચાર કરવા કરતા પોતે શું કરવું તે વિચારવું જરૂરી છે. – રત્નસુંદરવિજયજી
હેલ્થ ટીપ્સ:- કોથમીરને ચાવી ચાવીને ચૂસવાથી ગળાનો દુઃખાવો મટે છે.
ભેજુ કસો [જવાબ]
• જીભના કયા ભાગમાં કડવો સ્વાદ પરખાય છે?
જીભના છેક અંદરના ભાગમાં કડવો સ્વાદ પરખાય છે.
• માનવના ચહેરાનું કયું એકમાત્ર હાડકું હલનચલન કરી શકે છે ?
માનવના ચહેરાનું ‘લોઅર જો’ નામનું હાડકું જ માત્ર હલન ચલન કરી શકે છે.
• કયા ઝાડનાં પાનમાંથી બીડી બનાવવામાં આવે છે ?
’તેન્દુ’ ઝાડનાં પાનમાંથી બીડી બનાવવામાં આવે છે.
• કઈ ફિલ્મ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પર આધારિત હતી ?
’બૉર્ડર’ નામની ફિલ્મ 1971ના ભારત પાકિસ્તાન લડાઈ પર આધારિત હતી.
• અવકાશ યાન મોકલનાર પ્રથમ દેશ કયો છે ?
અવકાશ યાન મોકલનાર પ્રથમ દેશ ‘રશિયા, યુ. એસ.. એસ. આર.’ હતો..
• ‘એ ટ્રીસ્ટ વીથ ડેસ્ટિની’ નામે ઓળખાતું સંબોધન કોણે આપ્યું હતું?
’એ ટ્રીસ્ટ વીથ ડેસ્ટિની’ સંબોધન ‘જવાહરલાલ નહેરુ’એ આપ્યું હતુ.
• સાહિત્યમાં ‘1992’નું નૉબેલ પુરસ્કાર કોને મળ્યું હતું ?
’ડિરેક વોલકોટને ‘1992’નું સાહિત્ય નોબેલ પ્રાઈઝ મળ્યું હતું.
• આંદામાન –નિકોબાર ટાપુ પર દક્ષિણમાં કયો પૉઈંટ આવેલો છે ?
ઈંદિરા પોઈંટ આવેલો છે.
• ‘શોલે’ પિક્ચરમાં જેલરની ભૂમિકા કોણે ભજવી હતી?
અસરાનીએ આ ભૂમિકા ભજવી હતી.
• કન્યાકુમારી ભારતના કયા રાજ્યમાં આવેલું છે ?
‘કન્યાકુમારી’ તામિલનાડુમાં આવેલું છે.
• કયા દેશમાં એક પણ નદી નથી ?
’સાઉદી અરેબિયા’માં એકપણ નદી નથી.
• વિશ્વની સૌથી જૂની યુનિવર્સિટીનું નામ શું ?
ઈટાલીની ‘પામિયા યુનિવર્સિટી’ વિશ્વની સૌથી જૂની યુનિવર્સિટી છે.
• કઈ સાલમાં દિલ્હીને ભારતની રાજધાની બનાવવામાં આવી હતી ?
ઈ.સ.1911ની સાલમાં દિલ્હીની રાજધાની બનાવવામાં આવી હતી.
• ભારતીય ખેલાડીના નામ પર શતરંજમાં કઈ આંતરરાષ્ટ્રીય ટ્રોફી અપાય છે ?
’ખાડીલકર’ ટ્રોફી જે ભારતીય ખેલાડીઓ પરથી રાખવામાં આવ્યું હતું.
• કયા ઑસ્ટ્રેલિયન ખેલાડીએ તેની પ્રથમ અને છેલ્લી બંને ટેસ્ટમાં સદી નોંધાવી છે ?
ગ્રેગ ચેપલે પ્રથમ અને છેલ્લી બન્ને ટેસ્ટમાં સદી નોંધવી છે.
ૐ નમઃ શિવાય
2 comments January 11, 2008
LIFE
આજે પોષ સુદ એકમ
આજનો સુવિચાર:- પ્રાર્થના ઈશ્વરને બદલતી નથી, પણ જે પ્રાર્થે છે એ માણસને બદલે છે.
— સોરેન કિર્કગાર્ડ
હેલ્થ ટીપ્સ:- કોલેસ્ટ્રોલ ઘટાડવા મોસંબીનો રસ પીઓ અથવા મોસંબી છોલીને ખાવ.

LIFE
Life is challenge meet it.
Life is gift accept it.
Life is adventure Dare it.
Life is sorrow overcome it.
Life is tragedy face it.
Life is duty perform it.
Life is game play it.
Life is muster unfold it.
Life is a song Sing it.
Life is opportunity Take it.
Life is journey complete it.
Life is promise Fulfill it.
Life is love enjoy it.
Life is beauty praise it.
Life is spirit realize it.
Life is struggle fight it.
Life is puzzle solve it.
Life is goal achieve it.
From BHAGAVAT GEETA.
ૐ નમઃ શિવાય
6 comments January 9, 2008

