લાલા લજપતરાય

January 28, 2008

                    આજે પોષ વદ છઠ [લાલા લજપતરાય જયંતી]

આજનો સુવિચાર:- સમય સમયનું કામ કરે તે ગાળામાં તમારે તમારું કાર્ય પૂરું કરી લેવું જોઈએ.

હેલ્થ ટીપ્સ:- જાયફળને પાણીમાં ઘસીને, અડધી ચમચીમાં મધમાં ચાટવાથી અતિસાર [ઝાડા] બંધ થાય છે.

                                લાલા લજપતરાય જયંતી

   પંજાબના હાલના મોગા જિલ્લામાં 28મી જાન્યુઆરી 1865ના રોજ મુનશી રાધાકિશન આઝાદ અને ગુલાબદેવીને ત્યાં લજપતરાયનો જન્મ થયો હતો. સ્વામી દયાનંદના વિચારોથી તેઓ ખૂબ પ્રભાવિત હતા તેમજ આર્યસમાજથી સંકળાયેલા હતા. તેમણે વકીલાતની ડિગ્રી મેળવી હતી અને 1892માં તેઓ હાઈકૉર્ટમાં પ્રેક્ટિસ કરવા લાહોર આવ્યા. 1895માં તેમણે અનાથ થયેલા હિન્દુ કુટુંબને સહાય કરવાના હેતુથી પંજાબ નેશનલ બેંકની સ્થાપના કરી. 1905માં તેઓ કૉંગ્રેસના પ્રતિનિધિ તરીકે લંડન ગયા. આઝાદીની લડતમાં સક્રિય ભાગ લેવા લાગ્યા અને વિદેશી માલનો બહિષ્કાર અને સ્વદેશીની ઝુંબેશ શરુ કરવામાં તેમણે ઘણી મદદ કરી. તેમનો પરિચય બાલ ગંગાધર તિલક અને બિપિનચંદ્ર પાલ સાથે થયો. પછી તો આ ત્રિપુટીએ પાછુ વળીને જોયું જ ન હતું. આ ત્રણે વચ્ચે એવી એકતા સધાઈ કે તેમની ત્રિપુટી લાલ, બાલ અને પાલ તરીકે ઓળખાવા લાગી. 1914થી 1920 દરમિયાન તેઓ અમેરિકામાં રહ્યા અને પાછા આવ્યા પછી તેમણે હોમરૂલ-સ્વરાજ્ય માટેનું આંદોલન શરૂ કરાવ્યું. ભારતીય બંધારણમાં અંગ્રેજોએ કરેલા સુધારાના વિરોધમાં સાયમન કમિશનને પાછા ચાલ્યા જવા તે મેદાનમાં આંદોલન શરુ થયું.

                                                    શ્રીફળ

 

        શ્રીફળ એટલે કે નારિયેળ જે આપણને ચારિત્ર્ય-પૂજાની પ્રેરણા આપે છે. બહારની સુંદરતાથી ન શરમાતાં નારિયેળ પોતાના આંતરિકસૌંદર્યથી સમૃદ્ધ છે. બહારથી કઠોર પરંતુ અંદરથી અતિ કોમળ અને મધુર શ્રીફળ મહાપુરુષોની મહાનતાનું પ્રતિક છે. નારિયેળ આપણને ઉત્કૃષ્ટ મનોવૈભવ નાં દર્શન કરાવે છે. વૈભવ એટલે શ્રી. એ દ્રષ્ટિથી નારિયેળને ‘શ્રીફળ’ નામ આપ્યું છે. મંદિરમાં દેવી, દેવતા સામે નારિયેળ ફોડવા પાછળ બલિદાનની ભાવના છે. મનુષ્ય અને પશુનું બલિદાન આપવાવાળા પ્રાચીન માનવને વિશ્વામિત્ર દ્વારા નિર્મિત પ્રતીક-સૃષ્ટિના નર અર્થાત નારિયેળનું સૂચન કર્યું છે. મંદિરમાં નારિયેળને ચઢાવી ઉપરનો અડધો ભાગ મંદિરમાં રાખીને નીચેનો ભાગ અડધો ભાગ પ્રસાદરૂપે લાવવાની પદ્ધતિ છે. આ રીતે ઋષિઓએ માનવને નરહત્યા અને પશુ હત્યામાંથી બચાવી લીધો. આમ માનવને હિંસાથી અહિંસા તરફ આગળ વધવા શ્રીફળે પોતાનું બલિદાન આપ્યું કોઈપણ શુભકાર્યની શરુઆત બલિદાન વગર સફળ થતું નથી.આ વાતની સ્મૃતિરૂપે શુભકાર્યની શરૂઆતમાં શ્રીફળ ચઢાવવાની જરરિયાતનો આપણે સ્વીકાર્ય કર્યો છે.

                                          ૐ નમઃ શિવાય

Entry Filed under: ગાથા[માહિતી]. .

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


શોધખોળ

આભાર

nandani on ઓસડિયા
Junagadh on શિવશિવાને સાનિધ્યે
Health Care Tips on પ્રેરક પ્રસંગો
pragnesh on પ્રેરક પ્રસંગો
Sasan Gir on ઘૈડા ન હોય તો ગાડા પાછા વ…

તાજેતરમાં લખાયેલુ

મહિનાની નોંધણી

તારીખીયુ

January 2008
M T W T F S S
« Dec   Feb »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

ભલે પધાર્યા

નિરીક્ષણ

ધબકારનાં ધબકતા હૈયા

Image Hosted by ImageShack.us

RSS ગીત ગુંજ

free counters