10 કુટેવો
February 16, 2008
આજે મહા સુદ દસમ
આજનો સુવિચાર:- પ્રેમ એ એવો રસ્તો છે જેના દ્વારા તમને ખુશીનો ઢગ પ્રાપ્ત થાય છે.
હેલ્થ ટીપ્સ:- મગજને યુવાન રાખવા હંમેશા નવા નવા પડકાર ઉઠાવતા રહો.
10 કુટેવો
મગજ આપણા શરીરનું એક અતિ મહત્વનું અંગ છે. તેની કાળજી રાખીશું તો જ આપણે એક સ્વસ્થ જીવન જીવી શકીશું. જીવનની કેટલીક કુટેવો છોડવી જરૂરી છે. આમ તો આપણી ઘણી કુટેવો હોય છે પણ આપણે તેને આપણી ટેવો સમજીને છોડી દેતાં હોઈએ છીએ. પરંતુ અમુક ચોક્કસ કુટેવો પ ધ્યાન દઈએ તો જરૂરથી છોડી શકાય જે મગજની સ્વસ્થતા, કાર્યક્ષમતા અને અસરકારકતા માટે અતિ આવશ્યક છે.
* સવારનો નાસ્તો ન કરવો
જે લોકો સવારનો નાસ્તો નથી લેતા તેઓના લોહીમાં સાકરનું પ્રમાણ ઘટી જાય છે. આ મગજને જરૂરી પોષક તત્વોની ઉણપ ઊભી કરે છે. તેને કારણે મગજને ઘસારો પહોંચે છે.
* વધુ પડતું ખાવું.
આ આદત મગજની નસોને સખત અને અસંવેદનશીલ બનાવી દે છે, જેથી મગજની ક્ષમતા ઓછી થઈ જાય છે.
* ધ્રૂમપાન કરવું.
આ આદત મગજને એક કરતાં વધુ રીતે નુકશાન પહોંચાડે છે. એનાંથી સ્મૃતિભ્રંશનો રોગ ઉદભવે છે.
* વધુ પડતી સાકરનું સેવન કરવું.
આ આદતથી પ્રોટીન અને બીજા પોષક તત્વો શરીરના શોષણમાં અંતરાય પેદા કરે છે.
* હવાનું પ્રદુષણ [આ કુટેવ નથી]
પ્રદુષિત હવા શ્વાસમાં લઈએ તો મગજને ઓછો ઑક્સિજન મળે છે એટલે કાર્યશક્તિ ઘટી જાય છે.
* અપૂરતી ઊંઘ
ઊંઘ આપણા મગજને આરામ આપે છે જો એ જ પૂરી ન થાય તો મગજનાં કોષો નાશ પામે છે.
* સૂતી વખતે માથું ઢાંકેલું રાખવું.
માથું ઢાંકીને સુવાથી ઑક્સિજનનું પ્રમાણ ઘટી જાય છે અને કાર્બનડાયોક્સાઈડનું પ્રમાણ વધી જાય છે. જે મગજ માટે નુકશાનકર્તા છે.
* બીમારી વખતે મગજ અશાંત રાખવું કે તાણમાં રાખવું.
બીમારી વખતે મગજ હંમેશા શાંત રાખવું તેને શ્રમ આપવાથી કે ખૂબ અભ્યાસ કરવાથી મગજની અસરકારકતામાં ઘટાડો થાય છે અને મગજને નુકશાન પહોંચાડે છે.
* મગજને કાર્યશીલ ન રાખવું.
વિચાર કરવો એ મગજને તંદુરસ્ત રાખવાનો શ્રેષ્ઠ માર્ગ છે. જો મગજને કાર્યરત ન રાખવામાં આવે તો તે સંકુચિત થઈ જશે.
* ઓછું બોલવું.
વિચારવંત અને તંદુરસ્ત વાર્તાલાપ મગજને કાર્યક્ષમ અને અસરકારક બનાવે છે.
—- સંકલિત
ૐ નમઃ શિવાય
Entry Filed under: નિરોગી[સ્વાસ્થય]. .
3 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed


1.
વિવેક ટેલર | February 16, 2008 at 4:58 pm
મદ્યપાન ન દેખાયું…. કૌંસમાં આ કુટેવ નથી એમ લખવાને બદલે એ સ્થાને શરાબ-સેવન ન ગોઠવી શકાય?
2.
neeta | February 17, 2008 at 1:10 am
yaad rakhva jevi vato che badhii
thankssssssssss nella didi
3.
manvantpatel | February 18, 2008 at 8:25 am
ati bhalaa nahi bolanaa…..ati bhali nahi dhoop;
ati bhalaa nahi barasanaa..ati bhali nahi choop !