Archive for March, 2008

સુશી

                            આજે ફાગણ વદ છઠ

આજનો સુવિચાર:- આજે પાડેલા પરસેવાના બિંદુઓ કાલ માટેનાં મૂલ્યવાન મોતી છે.

હેલ્થ ટીપ્સ:- દરરોજ 10 સેકેંડ સૂર્યદર્શન કરવાથી સમગ્ર શરીરની કાર્યક્ષમતા વધશે.

                            સુશી

    સુશીનો જન્મ ખૂબ ગર્ભ શ્રીમંત કુટુંબમાં થયો હતો. તેને બે ભાઈઓ હતાં. મુંબઈમાં તેનું બાળપણ વીત્યું. બાપુનો ધીકતો ધંધો હતો. મા બાપે એકની એક દીકરીને ખૂબ ભણાવી અને ભાવિ જીવન માટે તૈયાર કરી. મૃદુભાષી, મિત્રોમાં પ્રિય, દેખાવે સુંદર સુશી પોતાના વિચારોમાં ખૂબ ક્રાંતિકારી હતી. લગ્નમાં ન માનનારી સુશી ભણીગણીને નોકરીએ લાગી ગઈ. ભાઈઓ ભણીગણીને, પરણીને ધંધામાં સ્થાઈ ગયા. સુશીએ સુંદર નાનું મકાન ખરીદી, પોતાની ઢબે સજાવ્યું, રસોઈ માટે અને ઘરકામ માટે બે બાઈઓને રાખી તેણે પોતાનું જીવન વ્યવસ્થિત રીતે ગોઠવ્યું. જૂના ગીતોની શોખીન સુશી ગીતો સાંભળતી રાતનાં મોડી રાત સુધી વાંચે અને પછે સૂઈ જાય.

       આમ, એકલાં રહેતાં રહેતાં વર્ષો પસાર થઈ ગયાં. હવે એકલતા એને કોરી ખાવા લાગી. કોઈ સારી કંપની હોય તો ? માતૃત્વની ઝંખના સુશીમાં જાગવા લાગી. ક્યારેક ભાઈઓનાં બાળકોને જઈ રમાડી આવે. બાજુનાં બંગલામાં રહેતા સુહાસભાઈ સાથે સુશીને સારું લાગવા લાગ્યું હતું. તેમનાં પત્ની ત્રણેક વર્ષથી ગુજરી ગયાં હતાં. તેમનાં બે બાળકો….. અને સુહાસભાઈ ! એક ઘરડો નોકર તેમનાં ધરનાં બધાં જ કાર્ય કરતો. બાળકોને પ્રેમપૂર્વક જમાડે-ભણવા બેસાડે. મોડી રાતે સુવાસ સુશીને મળવા જાય . સુખ દુઃખની વાત કરે. ધીમે ધીમે બંને વચ્ચે અંતર ઘટતું ગયું. એક દિવસે સુહાસે હિંમતભેર સુશીને હિંમતભેર કહી નાખ્યું,” હું તને ચાહું છું. તારા વગર રહી શકું તેમ નથી. જો હું બાળકોને શાળાની હૉસ્ટેલમાં મૂકી દઈશ. વેકેશનમાં થોડોક વખત માટે આવશે.બાળકોની ચિંતા જવાબદારી તારે માથે નહીં પડે.”

      સુશીની આંખમાં પાણી આવ્યાં, તેણે સુહાસને મનની વાત કહેવા માંડી, “ તારા બાળકો એ મારાં બાળકો થાય ને ! બાળકો ભલે ને તારા હોય પણ મને બાળકો ખૂબ વ્હાલાં છે. હું તેમને છાતી સરસા ચાંપીને રાખીશ. તેમની જવાબદારી હું સહર્ષ ઉપાડીશ. ફરી મને આવી વાત કરશો નહીં. મા વગરનાં બાળકોની મા બની તેમને હુંફ અને પ્રેમ આપીશ.” સુહાસે સુશીનો હાથ પકડી લીધો.

      થોડાંક જ વખતમાં રજીસ્ટર્ડ લગ્ન કરી સુહાસને ત્યાં સુશી છોકરાંની મા બની કાયમ માટે રહેવા આવી. નાની નાની બાબતોમાં કાળજી રાખી સુશીએ બાળકોનાં જીવનને સુંદર રીતે ઘડ્યું. આમ સુહાસનું જીવન સુશીમય અને બાળકોમય બની ગયું. ઘરનું વાતાવરણ હુંફમય અને હર્યું ભર્યું બની ગયું.

    એક દિવસ સુહાસે સુશીને પૂછ્યું,” તારે એકાદ બાળક જોઈએ છે?” સુશીએ એક સુંદર વાત કહી,” તારું ને મારું વળી શું? આ બધાં મારાં જ બાળકો છે. હું બધાંને પ્રેમ કરું છું મને ખાતરી છે કે મને પ્રેમ મળશે. માએ કોઈ બાળક જોઈતું નથી. જે પ્રભુએ મને આપ્યાં છે તેમને સુંદર જીવન આપું એટલે મારું કાર્ય પૂરું થાય છે.”

      સુહાસ, સુશીનાં જીવન મૂલ્યોનું ઉદારીકરણ જોતો જ રહ્યો. કેવું વિશાળ મન ..! કેવું વિશાળ હૃદય…! કેવું વિશાળ જીવનફલક. ભીંત ટાંગેલાં પહેલી પત્નીના ફોટાને નમન કરી સુહાસ બોલ્યો,” તારાં બાળકોને તારા જેવી જે મા મળી છે. તું જરા પણ ચિંતા ન કરતી.” મરક મરક હસતાં ફોટામાં એક સંતોષ દેખાયો.

                                                                    –સ્વ. દક્ષા દેસાઈ

                                                    ૐ નમઃ શિવાય


8 comments March 28, 2008

સ્વસૂચન

                                        આજે ફાગણ વદ પાંચમ

આજનો સુવિચાર:- પશુને નહિ બોલી શકવાથી તો મનુષ્યને બોલવાને કારણે પીડાવું પડે છે.

હેલ્થ ટીપ્સ:- વાળમાં નાખવાનાં તેલમાં આંમળાનાં ટુકડા મૂકી રાખી એ તેલ વાપરવાથી વાળ સુંદર થાય છે.

                        સ્વસૂચનો [ઑટો સજેશન] કેવીરીતે આપશો.

  કહેવાય છે કે જો આપણે આપણાં મનને જો હકારાત્મક સૂચનો આપતા રહીએ તો એ સૂચનો અચૂક સફળ થાય છે. દા. ત. કે આપણે કોઈ કસરત કરવાની શરૂઆત કરીએ અને આપણું મન કસરત કરતાં કરતાં એમ વિચારીએ કે મારું શરીર બહુ દુઃખે છે એનાં કરતાં એમ વિચારીએ કે મારું શરીર દુઃખતું નથી એમ વિચારશો તો શરીરના દુઃખાવાનો અનુભવ નહી થાય. એમાં પણ જો એનાં સોનેરી નિયમોનો પાલન કરશો તો આપણા મનમાં નકારાત્મક વિચારો [નેગેટીવીટી] દૂર થશે. તો આપણે જોઈએ કે સ્વસૂચનો કેવી રીતે બનાવવા.

• સ્વસૂચનો બને તેટલા હકારાત્મક હોવા જોઈએ. એટલે એમ વિચારો કે મારું સ્વાસ્થય સારું થઈ રહ્યું છે નહીં કે મારી બીમારી ઓછી થઈ રહી છે.

• સ્વસૂચનનું વાક્ય હંમેશા ચાલુ વર્તમાનકાળનું હોવું જરૂરી છે. જેમ કે વજન ઉતારવું હોય તો એમ તમારા મનને એ સૂચન મોકલો કે દિવસે દિવસે હું પાતળો થતો કે થતી જાઉં છું.

• સ્વસૂચન જો લાંબું હોય તો ધારી અસર થતી નથી. માટે સૂચન બને તેટલું ટુંકું બનાવો. કદાચ બે શબ્દોનું સૂચન બની શકે જેમ મંગલ હો, કે પછી ૐ શાંતી જેવું બની શકે.

• સ્વસૂચનમાં સહેલા શબ્દોનો ઉપયોગ કરો.

• એક સાથે વધુ સૂચનનો ઉપયોગ ન કરવો. જો એમ થશે તો અર્ધજાગૃત મન મુંઝવણમાં મુકાઈ જશે.

• નિયમિત સમયે સ્વસૂચન આપવાની ટેવ પાડો અને તેનો સંતોષકારક પરિણામ ન આવે ત્યાં સુધી સૂચનો આપતાં રહો.

ટીપ્સ:- ‘સ્વ’ને સૂચન આપવાથી સફળતા મળશે. અન્યને સૂચનો આપવાનું બંધ કરો.
                                                                                      —- સંકલિત

                                    ૐ નમઃ શિવાય


7 comments March 27, 2008

ડૉ. ગૌતમભાઈ પટેલ સાથે એક મુલાકાત [2]

                             આજે ફાગણ વદ ચોથ [અંગારકી ચોથ]

આજનો સુવિચાર:- કંજૂસો પોતાનું ધન છુપાવે છે, શૂરવીર શક્તિ છુપાવે છે, જ્ઞાની દુઃખ છુપાવે છે, ચતુર વ્યક્તિ પોતાનું નામ છુપાવે છે. – શેખ સાદી

હેલ્થ ટીપ્સ:- અઠવાડિયામાં બે વખત વાળમાં તેલ નાખવાથી વાળ મુલાયમ રહેશે.

                                      ડૉ. ગૌતમ પટેલ:- એક પરિચય

     ડૉ. શ્રી ગૌતમ પટેલ સંસ્કૃત ભાષાના વિદ્વાન અને ભારતીય સંસ્કૃતિના જ્ઞાતા છે. તેઓ દેશ વિદેશમાં વિવિધ વુષયો પર વ્યાખ્યાનો કરે છે. તેમણે હિંદુ ધર્મ, ભારતીય સંસ્કૃતિ, હિન્દુ ધર્મના મહાન ગ્રંથો, વેદ, ઉપનિષદ, ગીતા વગેરે વિષે ઘણાં પુસ્તકો લખ્યાં છે. તેઓ સફળ અને પ્રભાવક વક્તા પણ છે. હાલમાં અમેરિકાના ‘ગુજરાત ટાઈમ્સ’માં તેમણે કરેલી કૈલાસ માનસરોવરની યાત્રા વિષે અનોખું વર્ણન કરે છે. અત્યાર સુધી 15 મણકા પ્રગટ થઈ ચુક્યાં છે.

     આપણા માનવંતા વાચક શ્રી મનવંતભાઈ પટેલ જે અમેરિકામાં રહે છે, તેઓ મને અચૂક આ મણકાઓ મોકલી આપે છે. તેમનો હું મેઘધનુષ તરફથી આભાર માનું છું.

    વાંચકોની માંગને ધ્યાનમાં રાખતા તેમણે બાલાસિનોરમાં કરેલા પ્રવચનની થોડી વધુ વિડીયો ક્લિપ્સ રજુ કરું છું. આશા રાખું છું કે આપ સહુને ગમશે.

                                       ૐ નમઃ શિવાય


1 comment March 25, 2008

ડૉ. ગૌતમભાઈ પટેલ સાથે એક મુલાકાત

                 આજે ફાગણ વદ બીજ

આજનો સુવિચાર:- જીવનનો જીવન તરીકે સ્વીકાર કરો. – શ્રી કૃષ્ણ

હેલ્થ ટીપ્સ:- બાળકોને ઝીણો તાવ કે ખાંસી હોય તો થોડા ગરમ પાણીમાં એક ચમચો મધ ભેળવીને પીવડાવવાથી મટી જશે.

          ડૉ. ગૌતમભાઈ પટેલ સાથેની એક મુલાકાત

     તા.14/3/2008ના રોજ મારે કારણોસર બાલાસિનોર જવાનું થયું હતું. ત્યાં ગયા બાદ ખબર પડી કે ‘બાલાસિનોર વિદ્યામંડળ’ સંચાલિત વ્યાખ્યાનમાળાનો 17મો મણકો રજુ થવાનો હતો અને તેમાં ગુજરાતનાં ‘સંસ્કૃત સહિત્ય ઍકેડમી’ના માજી ચૅરમેન છે અને તેમને ‘પ્રેસિડંટ ઑફ ઈંડિયા’ દ્વારા સંમાનિત કરવામાં આવ્યા છે, એવા વિદ્વાન ડૉ. શ્રી ગૌતમભાઈ પટેલનું વ્યાખ્યાન છે. તેમનો વિષય હતો ‘કૃષ્ણ’ જીવન જીવવાની કળા. હું તો એકદમ આનંદિત થઈ ગઈ કે આવા મહાનુભવને સાંભળવા આટલી સુંદર તક પ્રાપ્ત થઈ. શ્રી મોરારીબાપુ હંમેશા તેમની કથામાં શ્રી ગૌતમભાઈનો ઉલ્લેખ કરતાં હોય છે. મોરારીબાપુનાં શબ્દોમાં ‘મોટા ગજાનાં માનવી’

     શ્રી ગૌતમભાઈએ ડારવીનની જીવસૃષ્ટિની ઉત્પત્તિ વિષેની વાતો અને આપણા વેદોમાં કહેલી ભગવાન શ્રી વિષ્ણુના અવતારો સાથે સરખામણી કરી સમજાવ્યું. અને શ્રી કૃષ્ણ એ પૂર્ણપુરુષોત્તમ છે તેનો ઉલ્લેખ કરતાં કહ્યું કે

• કૃષ્ણ કહે છે કે જીવનને જીવન તરીકે સ્વીકાર કરો..

• કૃષ્ણનાં જીવનમાં ક્યાંય ફરિયાદ નથી જ્યારે આપણું જીવ ફરિયાદથી ભરપૂર છે. છે તેનો સ્વીકાર કરો..

• કૃષ્ણનું જીવન એક ક્રાંતિ છે. તેમણે ગોકુળનાં લોકોના શોષણ વિરુદ્ધ ક્રાંતિ કરી.

• ગોવર્ધન પર્વતનું પૂજન એ ઈંદ્ર વિરુદ્ધ ક્રાંતિ હતી. ‘પ્રત્યક્ષને પૂજતાં શીખો’

• કૃષ્ણે ગૌસેવાનો આદર્શ આપ્યો.. કૃષ્ણની બાળલીલા એ આનંદની પરાકાષ્ઠા છે.

• પાંડવોના અશ્વમેઘ યજ્ઞમાં એંઠી પતરાળી ઉપાદવાનું કામ સ્વીકારી તેમણે એ સાબિત કર્યું કે ‘જીવનમાં જે કામ આવ્યું તે કામ કરવામાં શરમ ન હોવી જોઈએ. જીવનમાં કોઈપણ કામ ખોટું નથી.’

• કૃષ્ણ અને અર્જુન એ મિત્રતાના આદર્શ સમ છે. એ ઉપરાંત કૃષ્ણા[દ્રોપદી] અને કૃષ્ણ પણ મિત્રતાનું ઉત્તમ ઉદાહરણ છે.

• કૃષ્ણ એટલે પ્રેમ, સત્ય, સ્નેહ. રાધા અને કૃષ્ણનો પ્રેમ કામ રહિત હતો. જ્યાં વિષય કે ભોગનું સ્થાન નથી તે રાધાકૃષ્ણનો પ્રેમ.

• રામ કહે તે ધર્મ જ્યારે કૃષ્ણ કરે ધર્મ.

• સત્ય, સાહસ, સ્નેહ, સેવા, સ્વાર્થનો ત્યાગ એ કૃષ્ણનો સંદેશ છે.

• ગીતામાં કૃષ્ણ કહે છે કે ‘હું તને પ્રેમ કરું છું’ પણ આપણે તો પ્રકાશ તરફ પીઠ માંડીને બેઠાં છીએ. પ્રભુ તો આપણને પ્રતિપલ ચાહે છે પણ આપણને ક્યાં તેની સમજ છે? આપણી પ્રત્યેક ક્ષણ કૃષ્ણને આધીન છે.

• અભયની સાક્ષાત મૂર્તિ એટલે કૃષ્ણ.

અંતમાં શ્રી કૃષ્ણાય નમઃ કહી પૂર્ણવિરામ આપ્યો.

                             ૐ નમઃ શિવાય


7 comments March 23, 2008

HAPPY HOLI

                         આજે ફાગણ વદ એકમ [ધુળેટી]

આજનો સુવિચાર:- આભાર માનવાનું ભૂલશો તો તે તમારી ભાવિ તકનાં બારણાં બંધ કરી શકે.

હેલ્થ ટીપ્સ:- ખોરાકમાં વધુ પડતું મીઠું લેવાથી મોતિયો જલ્દી આવશે.

HAPPY   HOLI

હોરી આઈ હોરી આઈ, કોયલ બોલી આવો રે
કલી કલી તુમ ગલી ગલીમેં, કેસર રસ બરસાવો રે
  હોરી આઈ

શ્રી જી શ્રી ગોવર્ધન ધરકુ, હાથ પકડ કર લાવો રે
શ્રી રાધાકે સંગમેં વાંકુ, ચૌહટ ખેલ રચાવો રે
  હોરી આઈ

બડો ગાવરીયાઁ સાઁવરીયાં હૈ, વાંકી ડાંડી રંગાવો રે
લાલમ લાલ ગુલાલ લગાકર, લાલમલાલ બનાવો રે
  હોરી આઈ

છડી હાથમેં લેકર ઠાડો, છલબલ વાંકું ઊડાવો રે
રંગ રંગીલી હોરીમેં સખી, રસીયાકો નચાવો રે
  હોરી આઈ

ફગુવા માંગો ફાગ ખીલાવો, ડફ, અરૂ, ઝાંઝ બજાવો રે
શ્યામ કીંકરી મન ભાવનસુ, હોરી આજ મનાવો રે
  હોરી આઈ

કવિયીત્રી:- શ્રી ઈંદિરા બેટીજી

———–***********************———————— 

શ્રી ગોવર્ધન મહારાજ ગીરીરાજ
તેરે માથે મુકુટ બિરાજ રહ્યો

તો પે પાન ચઢે તો પે ફૂલ ચઢે
ઔર ચઢે દૂધનકી ધાર
તેરે માથે મુકુટ બિરાજ રહ્યો

તેરે કાનન કુંડલ દમક રહ્યો
તેરી ઝાંખી બની હૈ વિશાલ
તેરે માથે મુકુટ બિરાજ રહ્યો

તેરે ગલેમૈં કંઠા સાજ રહ્યો
ઠોડી પે હીરા લાલ
તેરે માથે મુકુટ બિરાજ રહ્યો

તેરે સાત કોષકી પરિક્રમ્મા
ચકલેશ્વર પર વિશ્રામ
તેરે માથે પર મુકુટ બિરાજ રહ્યો

તેરે ઘર ઘર હોલી ખેલ રહી
ઔર ખેલે વ્રજકી નાર
તેરે માથે મુકુટ બિરાજ રહ્યો

તેરે કદમ્બ પે બંસી બાજ રહી
તેરી ટેડી ટેડી ચાલ
તેરે માથે મુકુટ બિરાજ રહ્યો

                                                         ૐ નમઃ શિવાય


1 comment March 22, 2008

રસિયા

                         આજે ફાગણ સુદ ચૌદસ

આજનો સુવિચાર:- સભ્ય અને સદ્વ્યવહાર દરેક જગ્યાએ પ્રવેશપત્રનું કામ કરે છે.

હેલ્થ ટીપ્સ:- તુલસીનાં પાંદડા ન્હાવાનાં પાણીમાં નાખી તે પાણીથી સ્નાન કરવાથી ત્વચા પર પડેલા હળવા ચાઠા દૂર થશે.

                     રસિયા

ભરકે પિચકારી મોહે માર ગયો રે
યશોદાજીકો લાલા
યશોદાકો લાલા વો તો ગોકુલ ગોવાલા
  — ભર પિચકારી

પહેલી પિચકારી મેરી બિંદીયા પે મારી
મેરી છોટીસી બિંદીયા બિગાડ ગયો રે
  –યશોદાજીકો લાલા

દૂજી પિચકારી મેરે મુખડે પે મારી
મેરો ચાંદસો મુખડો બિગાડ ગયો રે
  - યશોદાજીકો લાલા

ત્રીજી પિચકારી મેરી ચુનરી પે મારી
મેરી સુરંગી ચુનરી ભિગોય ગયો રે
  - યશોદાજીકો લાલા

ચોથી પિચકારી મેરે પાયલ પે મારી
મેરી સોનેકી પાયલ રંગ દીયો રે
  - યશોદાજીકો લાલા

                                      ૐ નમઃ શિવાય


4 comments March 20, 2008

તુમ જીઓ હજારો સાલ

                 આજે ફાગણ સુદ તેરસ

આજનો સુવિચાર:- જે ‘સ્વ’માં સ્થિર થાય છે તેને સ્થિરતા પ્રાપ્ત થાય છે.
હેલ્થ ટીપ્સ:- આંબળાને રાતના પાણીમાં ભીંજવી સવારે તે પાણીથી વાળ ધોવાથી વાળ કાળા અને ચમકીલા થાય છે.


| View Show | Create Your Own 

    આજે મારી સહેલી, સખી, જાનેમન નીતાની વર્ષગાંઠ છે. 1968ના વર્ષમાં મારા લગ્ન થયા અને અમારા નીતાબેન આ સંસારમાં પધાર્યાં હતાં. યોગાનુયોગ જુઓ મારી અને નીતાની મુલાકાત ઈંટરનેટનાં માધ્યમ દ્વારા થઈ. કુણાલ પારેખ દ્વારા અમારી મુલાકાત ઈંટરનેટ પર થઈ અને ત્યાર બાદ મહાલક્ષ્મીજીના સાનિધ્યમાં થઈ. 

     નીતાને મેં કહ્યું કે હું તને કઈ રીતે ઓળખીશ? મને તેણે તેનો ફોટો મોકલ્યો. પણ એને તો મને વિશ્વાસપૂર્વક કહ્યું,’દીદી તમને તો જરૂરથી ઓળખીશ’. કેટલો આત્મવિશ્વાસ હતો નીતામાં. અને સાચ્ચે જ એણે મને ઓળખી. સમયની પાક્કી. મારા કરતાં વહેલી આવીને મારી રાહ જોતી બેઠી હતી. બસ એ મુલાકાતમાં અમે એકબીજાની ખૂબ નજદીક આવી ગયાં. ત્યારબાદ અવારનવાર મુલાકાત થતી રહી. અને એકબીજા પ્રત્યે એટલો વિશ્વાસ અને ટેલીપથી તો જુઓ હું એના વતી નિર્ણય લઈ શકું અને એ મારાવતી. અમે એકબીજાને જાનેમન કહેતાં બિલકુલ ખંચકાતા નથી.
  જાનેમન જિંદગીમાં ખૂબ પ્રગતિ કરો એવી મારી હૃદયપૂર્વક શુભેચ્છાઓ છે.

HAPPY BIRTHDAY TO YOU.

MANY MANY HAPPY RETURN OF THE DAY.

                                 ૐ નમઃ શિવાય


14 comments March 19, 2008

જીવનું શિવ પ્રતિ પ્રયાણ [6]

                                    આજે ફાગણ સુદ છઠ

આજનો સુવિચાર:- સારું આરોગ્ય અને સારી સમજ જિંદગીના બે સર્વોત્તમ વરદાન છે.

હેલ્થ ટીપ્સ:- કમરના દુઃખાવામાં ગરમ પાણીમાં મીઠું નાખી કટિસ્નાન કરવું.


| View Show | Create Your Own

                                 માનસ કિનારે

માનસ કિનારે
ચમકતું તારું પાણી
જાણે શ્યામનાં કાનનાં કુંડળ.

તારા કિનારે વેરાયેલા પથ્થર
ફૂલો જાણે રાધા ને કુંતલ.
ઝળુંકતા સફેદ વાદળો,
શ્યામ ઘેરેલી ગાયો.
શાંત સવાર તારે કિનારે,
કૃષ્ણની વાગતી અબોલ.

- રૂચિતા દલાલ [મુંબઈ]

માનસરોવર

અમદાવાદ સ્થિત શ્રી ગૌતમભાઈ પટેલ લખે છે કે

આ યાત્રાને આપણે કૈલાસ માનસરોવર યાત્રા તરીકે ઓળખીએ છીએ. આમાં માનસરોવરનું દર્શન અને પરિક્રમા કૈલાસયાત્રા કરતાં સહેજ પણ ઓછાં આલ્હાદક નથી.’

બૌદ્ધ ધર્મની માન્યતા મુજબ દેવોએ માયાદેવીને સ્નાન કરાવ્યું હતું જેથી તેઓ બુદ્ધ જેવા મહાન આત્માને જન્મ આપવા સમર્થ બને.

     પૌરાણિક કથા મુજબ આ પ્રદેશમાં ઋષિઓ તપ કરતા હતા. વર્ષો સુધી આ પ્રદેશમાં વર્ષાનો અભાવ થયો હતો પરિણામે અહીં પીવાના પાણીની તંગી થઈ ગઈ. તેથી ઋષિઓ બ્રહ્માજી પાસે ગયા અને જળના અભાવને દૂર કરવાની વિનંતી કરવા લાગ્યા બ્રહ્માજીએ દેવોની માંગણી ધ્યાનમા રાખીને પોતાના મનમાંથી એક સરોવરનું સર્જન કર્યું અને એ મનમાંથી જન્મ્યું તેથી તે માનસસરોવર અથવા માનસરોવર કહેવાયું. તાત્વિક રૂપે માનસરોવરની વાત કરીએ તો માનસિક સત્ય તે જળ અને ધૈર્ય એ તેની ઊંડાઈ છે. આમ જોઈએ તો માનસનું જળ નિર્મળ સત્ય જેવું છે અને તેની ઊંડાઈ ધૈર્ય જેવી અમાપ છે વળી તેમાં શ્રદ્ધાપૂર્વક કરેલું સ્નાન મનુષ્યને પરમતત્વનું, શિવ તત્વનું દર્શન થાય છે. આ મહાન ક્ષણને અનુભવવી એ નિર્મળ તત્વનું શિવ તત્વનું દર્શન અનુભવવા જેવી વાત છે, હૃદયસ્પર્શી વાત છે જેને અનંતતાનો સ્પર્શ કહી શકાય.
      માનસરોવર ‘બિંદુ સાગર’ તરીકે ઓળખાતુ હતુ. કાલિદાસનાં ‘મેઘદૂત’માં માનસરોવરનું અને રાજહંસનું વર્ણન છે. માનસરોવર વિશાળ, નીલરંગી, અતિ શુદ્ધ અને સ્ફટિક સમ પારદર્શક છે. તેનો ઘેરાવો 100 કિ.મીનો અને તેની ઉંડાઈ લગભગ 300 મીટરની છે. તેનાં લહેરાતાં પાણી પર પડતાં સૂર્ય કિરણોથી પાણીનાં રંગમાં વિવિધતા જોવાનો લ્હાવો મળે છે. નીલો, લીલો વગેરે અનેક રંગોનું મિશ્રણ જોવા મળે છે.ગુર્લામાંધાતા પર્વત પરથી આવતાં સૂર્યનાં કિરણો જ્યારે ગગનમાં છવાતાં ત્યારે આ દેવભૂમિ સ્વર્ગભૂમિ બની જતી હોય તેની અનુભૂતિ થાય છે. નીલા આકાશની નીચે આવેલા રૂપેરી બરફાચ્છિત રાખોડી રંગના આ ગુર્લામાંધાતા પર્વતનાં પાદચરણો પાસે આવેલા આ નીલરંગી માનસરોવરનું રૂપ કાંઈ અનોખું છે.અહીં પહોંચ્યા બાદ એની પવિત્રતાની અનુભૂતિ ન થાય તો જીવન એળે ગયું કહેવાય.

           માનસરોવરનું સૌંદર્ય તો પૂનમની રાત્રે સોળે કળાએ ખીલી ઊઠે છે. મધ્યરાત્રિનાં શીત, શાંત, સૌમ્ય ચાંદનીમાં મહાલ્યા બાદ પરોઢનાં ધીમા ધીમા ફૂટતા પ્હોની મીઠી મીઠી આલ્હાદ્ક પળો બેમિસાલ છે. રાત્રિનાં ટમટમતાં તારલાઓ એકબીજા સાથે સંતાકૂકડી રમતાં રમતાં ધરતીને સ્પર્શ કરવાની હોડ તેમજ કરોડો દેવીદેવતાઓ આ સુંદરતાની ચરમસીમા સમ માનસરોવરમાં ઉતરતા હોય એવી અનુભૂતિ મ્હાલવી જ રહી. એમાં પણ જ્યારે મેઘધનુષ નીલા આકાશમાં પોતાની પણછ ખેંચે છે અને તેનું પ્રતિબિંબ આ નીલરંગી માનસરોવરમાં દ્રશ્યમાન થાય છે ત્યારે બનતું ‘મેઘધનુષી ચક્ર’નું દર્શન તો કોઈ વિરલને જ પ્રાપ્ત થાય છે. અવારનવાર બદલાતા રંગભર્યા આ માનસરોવરનાં અબોલ પથ્થરો જાણે પોતાની કથની કહેવા તત્પર હોય એમ આ દેવભૂમિ પર પથરાયેલા છે જે શિવલીંગની જેમ પૂજાય છે. બ્રહ્માજીનાં માનસમાંથી ઉદભવેલું આ સરોવર ચારે વેદોનો સાર છે.

     માનસરોવરની ઉત્તરે કૈલાસ પર્વત છે અને દક્ષિણે ગુર્લા માંધાતા છે પશ્ચિમે રાક્ષસતાલ છે. ગુર્લા એટલે પર્વત અને માંધાંતા એ પર્વતનું નામ છે. કહેવાય છે કે સૂર્યવંશમાં યુવનાશ્વ નામના રાજા થઈ ગયા. તેમને સંતાન ન હોવાથી પુત્ર પ્રાપ્તિ માટે ઋષિઓએ ઈંદ્રદેવનો યજ્ઞ કર્યો. યજ્ઞના મંડપમાં એક કળશમાં મંત્રેલું પાણી મૂક્યું હતું જે બીજે દિવસે રાણીને પીવા માટે આપવાનું હતું. રાજા યુવનાશ્વ રાતના તરસ લાગવાથી ઊઠ્યાં અને કળશમાં પાણી જોઈ એ પાણી પી ગયાં. મંત્રાયેલા આ પાણીથી રાજાને ગર્ભ રહ્યો. પૂરા દિવસ ગયે આજની ભાષામાં ઑપરેશનથી [સીઝેરિયન] બાળકનો જન્મ થયો. પ્રશ્ન ઊભો થયો કે કોને ધાવશે. ત્યારે ઈંદ્રે કહ્યું કે મારા યજ્ઞથી એનો જન્મ થયો માટે એ મને ધાવશે—મામ ધાતા- આથી એનું નામ માંધાતા પડ્યું. એ અત્યંત પરાક્રમી રાજા હતો. આથી આપણી ભાષામાં કહેવત છે ‘તું વળી કોણ માંધાતા?’

        પૌરાણિક કથા મુજબ આ માંધાતા રાજાએ શિવજીને હરાવવાનો પ્રયત્ન કર્યો હતો અને આશીર્વાદરૂપે તેણે શિવજીનાં સાનિધ્યમાં નત મસ્તકે રહેવાનું પસંદ કર્યું. આથી ગુર્લા માંધાંતા હંમેશા કૈલાસની સામે નત મસ્તકે છે. આમ કૈલાસ અને ગુર્લા માંધાતાની વચમાં આ ભવ્ય નિર્મળ સરોવર તે માન સરોવર.તે 15,000 ફૂટની ઊંચાઈ પર આવેલું છે.

      હોરે નો કિનારો થોડોક કાદવ કીચડવાળો હતો પાણી તો અતિશય શુદ્ધ સ્ફટિક સરીખુ પારદર્શક હતું. હિમ જેવાં ઠંડા પાણીનું પ્રથમ સ્નાન અત્યંત રોમાંચક ભર્યું હતું. શરુઆતમાં થોડી તકલિફ તો પડી પણ ‘ૐ નમઃ શિવાય’નાં પંચાક્ષરી જાપે પાપ સાથે થાક પણ ઉતારી દીધો. ઠંડા પાણીમાં સ્નાન કરવા સરસવનું તેલનું માલિશ આશીર્વાદરૂપ છે. અહીં અમને સુવામાટે બે મોટા ઓરડામાં છ પલંગ મળ્યા હતાં સાથે ઓઢવાનું અને ઓશિકું મળ્યું હતું અને એક રસોઈ કરવાનો અલાયદો ઓરડો મળ્યો હતો. 2000ની સાલમાં પણ આવી જ સગવડ હતી. શ્રી બચુભાઈ પ્રજાપતિને, જેઓ 1993માં આવેલા ત્યારે તેમણે જે જગ્યાએથી સ્નાન કરતા ચાંદીનો સિક્કો મળ્યો હતો, ત્યાં સ્નાન કરતા ફરીથી ચાંનો સિક્કો મળ્યો હતો.

    આજે મેં અમારા બૅચનાં સભ્યો માટે રાંધ્યું હતું.દરેકે ગરમ ગરમ ખાવાનો આનંદ માણ્યો હતો.. દરેકે પોતાના મગ અને ડીશ જાતે ધોવાની હતી. દરેક વિચારતાં કે આ રાંધેલા વાસણ કોણ ધોશે. અમારા ગ્રુપના શ્રી રામનાથ પૈ અને શ્રી સાગર અભ્યંકરે ઊપાડી લીધી હતી. અહીં વીજળીની સગવડ ન હોવાથી સૂર્યનાં પ્રકાશમાં જ બીજા દિવસની તૈયારી કરવાની હતી. જોકે આ દિવસો દરમિયાન અહીં સૂર્યાસ્ત રાતનાં દસ વાગે થાય છે. સૂર્યાસ્ત થતાં ઠંડીનુ જોર પકડાયું હતું. તેથી દરેક જણા વેળાસર કામકાજ પતાવી નિંદ્રાધીન થયાં.

3જી જુલાઈ 1996 ચૌદમો દિવસ:-

    હોરેથી ‘શૃંગુ’ નો રસ્તો રેતાળ છે. લગભગ 42 કિ.મી.નું અંતર છે. માનસની પરિક્રમા આ સમયે ઘોડા ઉપર અથવા ચાલીને થતી હતી. પરંતુ 1999થી આ પરિક્રમા બસમાં [ગવર્મેંટની ટુરમાં] અથવા કારમાં થાય છે. અમારા બૅચનાં છ યાત્રીઓએ આ પરિક્રમા ચાલીને કરવાનું નક્કી કર્યું હતું. બાકીનાંએ ઘોડા પર બેસીને પરિક્રમા કરવાનું નક્કી કર્યું. આ ઘોડાવાળા સ્ત્રી અથવા પુરુષ હોય છે.

     તિબેટની પ્રજા વિષે વાત કરીએ તો અહીંની પ્રજા ખૂબ ખડતલ છે. આમ પણ તિબેટ દુનિયાનું સૌથી ઊંચાઈએ આવેલો પ્રદેશ છે. અહીંની પ્રજા સૌથી ધર્મિક પ્રજા ગણાય છે. આ ઘોડાવાળા પોતાને કમરે પોતાનું નાનકડું મંદિર બાંધી ‘ૐ મણી પદમે હુમ’ નો સતત જાપ કરતાં હોય છે. અહીંની પ્રજા ગરીબ છે, માણસો મેલાં ઘેલાં લાગતાં પ્રભુમાં અત્યંત આસ્થા ધરાવે છે. તેઓ આપણીભાષા નથી સમજતાં તેમ આપણે તેમની ભાષા નથી સમજતાં પરંતુ ઈશારાની ભાષા સમજે છે. હવે તો આ લોકો આપણી ભાષા થોડી થોડી સમજવા લાગ્યા છે. અમારી સાથે ચીની ગાઈડ હોવાથી અમને થોડી તકલીફ પડી હતી.

           આમ ‘ૐ નમઃ શિવાય’નાં સતત જાપ સાથે 13 કલાકની કષ્ટદાયક યાત્રા કરતી વખતે રસ્તામાં ‘ગંગાછૂ’ નામની નદી પાર કરવાની હતી. જોકે હવે આ નદી સૂકાઈ ગઈ છે અને તેની ઉપર બ્રીજ બાંધવામાં આવ્યો છે. આ વખતે દરેક જણે ફરજિયાત ઘોડા પર બેસીને આ નદી પાર કરવાની હતી. તેનાં પાણી ઘણી વખત ઘોડાની છાતી સમાણા હોય છે અને આ પાણી એટલું ઠંડુ હોય છે કે તેમાં ઉઘાડે પગે પાર કરવાથી ‘હિમડંખ’ની શક્યતા હોય છે. આમ થોડું ચાલતાં, થોડીવાર ઘોડા પર બેસતાં અને થોડીવાર આરામ કરતાં કરતાં અમે રાતનાં 8.30 વાગે ‘શૃંગુ’નાં કેમ્પ પર પહોંચ્યાં. આ ઘોડા પરની યાત્રા લાંબી અને કષ્ટદાયક હોવાથી સહુ થાકી ગયાં હોવાથી કોઈએ માનસમાં નહાવાની હિંમત દાખવી નહીં. અહીં પણ વીજળી, પાણી અને ટોયલેટનો અભાવ હતો.. આજે પણ બધાની રસોઈ બનાવવાની જવાબદારી મારા પર હતી. આજે મારી સાથે મેઘના અને પટનાની વિજયાલક્ષ્મી જોડાઈ હતી. આમ અજવાળે અજવાળે જમીને બીજા દિવસની તૈયારી કરી અમે નિંદ્રાધિન થયાં.

4 થી જુલાઈ 1996 પંદરમો દિવસ:-

     પરિક્રમાનાં બીજા દિવસે ‘શૃંગુ’થી ‘ઝૈદી’ જવાનું હતું જે 35 કિ.મી. દૂર આવેલ છે. હવે ‘ઝૈદી’ જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. આ રસ્તો ઘાસવાળો અને ભેજવાળી પોચી જમીનવાળો છે. જીન વગરનાં ટૂંકા પેંગડાવાળા ઘોડા પરની મુસાફરી થોડીક અઘરી અને કષ્ટદાયક હતી.

     આ કિનારાની રેતી ‘પચરંગી’ રેતી કહેવાય છે. ઘણાં યાત્રાળુ અહીંની રેતીને પ્રસાદી રૂપે લઈ જતા હોય છે. તિબેટનાં લોકો આ રેતીને ‘જિલાલ’ એટલે ‘પ્રસાદી’ કહે છે. આ દિવસની પરિક્રમામાં ઘણીવખતે હજારોની સંખ્યામાં મચ્છરો આવતા હોય છે અને શરીરના કોઈપણ ભાગમાં ચોંટી જાય છે. [આમ તો આપણા શરીરનો મોઢાનો ભાગ જ ખૂલ્લો હોઅય છે.] તેથી ‘માસ્ક’થી ચહેરો ઢાંકવાનો હોય છે. પરંતુ અમારા સારા નસીબે મચ્છરોનો ત્રાસ નડયો ન હતો.
     મેઘદૂતમાં વર્ણવેલા રાજહંસ જોવા નથી મળતા પરંતુ રાખોડી રંગના બતકાં અને પચરંગી માછલીઓ અહીં જોવા મળે છે. મારા નસીબે ઘોડા પરથી પડવાનું હતું પણ પોચી જમીને મને અને મારી કમ્મરને બચાવી લીધી. પ્રભુની મહેરબાની થઈ હતી.

     માનસરોવરની પરિક્રમા દરમિયાન અને ઊંચાઈને કારણે ભોજનની માત્રા ઘટતી હોય છે અને રસ્તામાં ભોજન બનાવવાની સગવડ નથી હોતી તેથી સાથે રાખેલો સૂકો મેવો, ચોકલેટ તેમજ ચીઝનાં નાના પૅકેટ ભોજનની ગરજ સારતા હતાં. આમ શિવજીનું રટણ કરતાં લગભગ 11 કલાકે અમે ‘ઝૈદી’ કેમ્પ પહોંચ્યાં. સુધીર અને બચુકાકા વહેલા પહોંચ્યા હોવાથી મારી રાહ જોતા બહાર ઊભા હતાં. પુષ્કળ પવન હોવાથી ઠંડીનું પ્રમાણ વધતું હોવાથી બહાર ઊભા રહેવાની પણ હિંમત ન હતી. આજે મુંબઈના રામનાથ પૈએ જમવાનું બનાવવાની જવાબદારી ઊપાડી હતી.

    2000ની સાલમાં આ જગ્યાએ સ્ટવ ફાટતાં અહીંના રખેવાળની સ્ત્રી દાઝી ગઈ હતી. અમે સહુએ તેને લાગેલી આગને બુઝાવવામાં મદદ કરી હતી. અને તેને સ્થાનિક હૉસ્પિટલમાં પહોંચાડી હતી.

સ્વછતાનાં અભાવ એવા આ કેમ્પ પર બે રાત અને એક દિવસનું રોકાણ હતું.

5મી જુલાઈ 1996 દિવસ સોળમો:-

     આજે આરામનો દિવસ હોવાથી બધાં યાત્રીઓ આરામથી ઊઠ્યાં. સૂર્યનો પ્રકાશ ફેલાતાં દરેક યાત્રીઓએ માનસનું સ્નાન કર્યું. સ્નાન કરતી વખતે પોતાના વતી, કુટુંબીજનો વતી તેમજ દેશ વતી શ્રદ્ધાપૂર્વક ડૂબકી મારી હતી. મેઘના સ્નાન કરવા માટે ખૂબ દરતી હતી પણ મેંતેને મારી સાથે લઈ જઈને માનસ સ્નાન કરાવ્યું તેમ જ ડૂબકી પણ મરાવડાવી. માનસસરોવરમાંથી કાઢેલાં દરેક પથ્થરો શિવલિંગની જેમા પૂજાય છે. જ્યારે નેપાલની ગંડકી નદીમાંથી કાઢેલા દરેક પથ્થર ‘શાલિગ્રામ’ તરીકે પૂજાય છે. અમે સહુએ માનસમાંથી શિવલિંગ એકઠા કર્યાં. ઘણાએ માનસમાં ચાંદીનાં બિલિપત્રો ચઢાવ્યાંં. તો ઘણાએ સિક્કા ધરાવ્યાં. ત્યારબાદ અમે સહુએ માનસનાં કિનારે હવન કર્યું. પાલનપુરનાં સ્વામીજી શ્રી કલ્યાણગીરીજીએ આ હવન કરાવ્યું હતું.

વધુ આવતા અંકે……………..

                                             ૐ નમઃ શિવાય


7 comments March 13, 2008

HAPPY WOMEN’S DAY

                              આજે ફાગણ સુદ એકમ

આજનો સુવિચાર:- નારી તુ નારાયણી.

હેલ્થ ટીપ:- તાવ ઊતારવા ધાણાનું પાણી અને સાકર પીઓ.


| View Show | Create Your Own 

HAPPY    WOMEN’S   DAY

                                 ૐ નમઃ શિવાય


6 comments March 8, 2008

શિવ આરતી

             આજે મહા વદ ચૌદસ [મહાશિવરાત્રી]

આજનો સુવિચાર:- કપૂરગૌરં કરુણાવતારં સંસારસારં ભૂજગેંદ્રહારં
                                 સદા વસંતં હૃદયારવિંદે ભવં ભવાની સહિતં નમામી

હેલ્થ ટીપ્સ:- લીમડાનાં પાંદડાં પાણીમાં નાખી, ગરમ કરીને સ્નાન કરવાથી ચામડીનાં વિકાર દૂર થાય છે.


| View Show | Create Your Own

આજે મહાશિવરાત્રી

શિવ આરતી

જય શિવ ઑંકારા, હર શિવ ઑંકારા
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ અર્ધાંગી ધારા
 – ૐ જય

એકાનન ચતુરાનન પંચાનન રાજે
હંસાનન ગરૂડાસન વૃષવાહન સાજે
– ૐ જય

દો ભૂજ ચાર ચતુર્ભૂજ દશભૂજ તે સોહે
ત્રિગુણ રૂપ નિરખતા ત્રિભુવન જન મોહે
– ૐ જય

અક્ષમાલા વનમાલા મુંડમાલા
ધારી ચંદન મૃગમદ સોહે ભાલે શુભકારી
– ૐ જય

શ્વેતાંબર પીતાંબર વ્યાઘાંબર અંગે
બ્રહ્માદિક સનકાદિક ભૂતાદિક સંગે
– ૐ જય

લક્ષ્મીવર ઉમિયાવર સાવિક્ષી સંગે
અરધંગી અરુ ત્રિભંગી સીર સોહત ગંગે
  — ૐ જય

કરકે મધ્ય કમંડલ ચક્ર ત્રિશૂલધર્તા
જગકરતા જગહરતા જગપાલન કરતા
– ૐ જય

ત્રિગુણાત્મકકી આરતી જો કોઈ ગાવે
કહત શિવાનંદ સ્વામી સુખ સંપત્તિ પાવે
– ૐ જય

શિવ ભજન

જાગોજી જાગો શિવલહેરી સવેરા હુઆ સવેરા હુઆ
જાગોજી જાગો જટાધારી સવેરા હુઆ સવેરા હુઆ

રસ્તા ચાલન લાગ્યા પંછી ઊડન લાગ્યા
હુઈ ધર્મકી બેલા સવેરા હુઆ સવેરા હુઆ

મસ્તક શંભુકે ચંદ્ર બિરાજે, જટામેં ગંગાકી ધારા
જાગોજી જાગો શિવલહેરી સવેરા હુઆ સવેરા હુઆ

કાન શંભુકે કુંડલ બિરાજે ગલે મુંડનકી માલા
જાગોજી જાગો જટાધારી સવેરા હુઆ સવેરા હુઆ

હાથ શંભુકે કુંડી લોટા, બીચ ભંગકા ગોલા
જાગોજી જાગો શિવલહેરી સવેરા હુઆ સવેરા હુઆ

ચઢત શંભુપે બેલ નંદીયા સંગ પાર્વતીકા ડોલા
જાગોજી જાગો જટાધારી સવેરા હુઆ સવેરા હુઆ

                                           ૐ નમઃ શિવાય


2 comments March 6, 2008

Previous Posts


વિભાગો

Recent Comments

himalek32 on થોડું શોધવ…
Kartik Mistry on થોડું શોધવ…
Kartik Mistry on થોડું મગજ ક…
Harsukh Thanki on ઈલકાબો વિષ…
અનિમેષ … on થોડું મગજ ક…

Recent Posts

Archives

Calendar

March 2008
M T W T F S S
« Feb   Apr »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

વાચક સંખ્યા

નિરીક્ષણ

ધબકારનાં ધબકતા હૈયા

Image Hosted by ImageShack.us

Links