ડૉ. ગૌતમભાઈ પટેલ સાથે એક મુલાકાત [2]
આજે ફાગણ વદ ચોથ [અંગારકી ચોથ]
આજનો સુવિચાર:- કંજૂસો પોતાનું ધન છુપાવે છે, શૂરવીર શક્તિ છુપાવે છે, જ્ઞાની દુઃખ છુપાવે છે, ચતુર વ્યક્તિ પોતાનું નામ છુપાવે છે. – શેખ સાદી
હેલ્થ ટીપ્સ:- અઠવાડિયામાં બે વખત વાળમાં તેલ નાખવાથી વાળ મુલાયમ રહેશે.
ડૉ. ગૌતમ પટેલ:- એક પરિચય
ડૉ. શ્રી ગૌતમ પટેલ સંસ્કૃત ભાષાના વિદ્વાન અને ભારતીય સંસ્કૃતિના જ્ઞાતા છે. તેઓ દેશ વિદેશમાં વિવિધ વુષયો પર વ્યાખ્યાનો કરે છે. તેમણે હિંદુ ધર્મ, ભારતીય સંસ્કૃતિ, હિન્દુ ધર્મના મહાન ગ્રંથો, વેદ, ઉપનિષદ, ગીતા વગેરે વિષે ઘણાં પુસ્તકો લખ્યાં છે. તેઓ સફળ અને પ્રભાવક વક્તા પણ છે. હાલમાં અમેરિકાના ‘ગુજરાત ટાઈમ્સ’માં તેમણે કરેલી કૈલાસ માનસરોવરની યાત્રા વિષે અનોખું વર્ણન કરે છે. અત્યાર સુધી 15 મણકા પ્રગટ થઈ ચુક્યાં છે.
આપણા માનવંતા વાચક શ્રી મનવંતભાઈ પટેલ જે અમેરિકામાં રહે છે, તેઓ મને અચૂક આ મણકાઓ મોકલી આપે છે. તેમનો હું મેઘધનુષ તરફથી આભાર માનું છું.
વાંચકોની માંગને ધ્યાનમાં રાખતા તેમણે બાલાસિનોરમાં કરેલા પ્રવચનની થોડી વધુ વિડીયો ક્લિપ્સ રજુ કરું છું. આશા રાખું છું કે આપ સહુને ગમશે.
ૐ નમઃ શિવાય
1 comment March 25, 2008

