Archive for May, 2008

રશિયન બાળકથા

                                 આજે વૈશાખ વદ બારસ

આજનો સુવિચાર:- જિંદગીમાં લંબાઈનું મહત્વ નથી પણ ઊંડાણનું મહત્વ છે.

 

હેલ્થ ટીપ:- પ્રોસેસ્ડ અને ડબ્બાબંધ પદાર્થો ખાવા કરતાં તાજા ફ્ળો તેમજ લીલાં શાકભાજી અને ફણગાવેલા કઠોળનું સેવન વધારે હિતકારક છે.

 

    વાર્તાઓમાં ‘હિતોપદેશ’ અને ‘પંચતંત્ર’ની વાર્તાની જેમ ઈસપની વાર્તાઓ નાનકડી બોધકથાઓ આખા વિશ્વમાં લોકપ્રિય બની છે. ઈ.સ. પૂર્વે છઠ્ઠી સદી પૂર્વે ગ્રીસમાં ઈસપ થઈ ગયો. મૂળે ગુલામ હોવાથી આ અસાધારણ વ્યક્તિત્વ ધરાવતા ઈસપનું જીવન ખુબ મુશ્કેલી ભર્યું હતું. કહેવાય છે કે પોતાના માલિકનાં બાલકોને ખુશ રાખવા તેમણે પશુ પક્ષીના પાત્રોને વાચા આપી તે પાત્રોને જીવંત કરી દીધા અને કથાઓ રસપ્રદ બનાવી દીધી હતી. આજે દાદીમાના મુખે પણ ઈસપની લોકપ્રિય વાર્તાઓ સાંભળવા મળે છે.

 

                             રશિયન બાળકથા

    રશિયાના ઉક્રાઈન પ્રદેશના નાના એક ગામમાં દાદા દાદી રહેતા હતા. તેમને કોઈ સંતાન ન હતું. દાદા ખેતી કરતા અને લાકડા કાપતા એટલે તેમનો સમય પસાર થઈ જતો. પરંતુ દાદીનો સમય કેમેય પસાર ન થતો. ઘરનું કામ પતાવી દે પછી નવરા બેઠાં કંટાળો આવે પણ શું કરે? એક દિવસ દાદીએ દાદાને કહ્યું મને એક વાછરડો લાવી આપો. એને વગડામાં ચરાવીશ ઘાસ પાણી નીરીશ અને મારો વખત પસાર થઈ જશે.

   દાદા કહે, ‘આપણે ગરીબ છીએ વાછરડો ક્યાંથી લાવીએ? પણ હું તને ઘાસનો વાછરડો બનાવી આપીશ. એને તેડીને વગડે લઈ જજે અને ચરાવજે. ‘ દાદાએ ઘણો બધો ગુંદર ચોંટાડીને ઘાસનો વાછરડો બનાવ્યો.

      એક દિવસ દાદીમા વાછરડાને લઈને ચરાવવા નીકળ્યા. ઘાસના વાછરડાને લઈને ઘાસમાં મૂક્યો. પોતે જરાક ઊંચી જગ્યાએ બેઠાં અને ઊન કાંતવા લાગ્યા. થોડીકવાર થઈ અને રીંછ આવ્યું. એણે વાછરડાને જોઈને કહ્યું, ‘આ વગડો મારો છે. તું અહીં કેમ આવ્યો છે?’ પણ ઘાસનો વાછેરડો કાંઈ બોલે? એતો ઊભો જ રહ્યો ! એટલે રી6છને ચઢી રીસ. એણે વાછરડાને એક પંજો માર્યો, પણ ગુંદર લીલો હતો. એમાં રીંછનો પંજો ચોંટી ગયો. બીજો પંજો માર્યો, તો બીજો પંજો પણ ચોંટી ગયો.

     દાદીએ જોયું તો તેમણે બૂમો પાડવા માંડી. ‘દોડજો રે! આપણા વાછરડાને રીંછ મારે છે……’ દાદાએ દાદીની બૂમો સાંભળી અને દાદા દોડતા આવ્યા. એમણે રીંછને ગળે દોરડું બાંધી દીધું. પછી પાણી રેડી તેનાં પંજા ગુંદરમાંથીછૂટા કર્યા. રીંછને લઈને ભંડકિયામાં પૂરી દીધું.

    બે દિવસ પછી ફરીથી દાદીમા ઘાસના વાછરડાને લઈને વગડે ગયા અને ઘાસમાં મૂક્યો. પોતે ઊન કાંતવા બેઠાં. ત્યાં એક વરુ આવ્યું. એણે વાછરડાને જોઈને કહ્યું,’વાછરડા તને હુ ખાઉં’ પણ વાછરડો કાંઈ બોલે ? એ તો એમજ ઊભો રહ્યો. તેથી વરુએ તે મારવા પંજો ઉપાડ્યો. અને જેવો તેને પંજો માર્યો ત્યાંતો ગુંદર સુકાયો ન હોવાને કારણે પંજો ચોંટી ગયો.. એટલામાં દાદીની નજર પડી અને તેમણે બૂમાબૂમ કરી મૂકી. આ સાંભળી દાદા દોડતા આવ્યા અને વરુને દોરડે બાંધી દીધું. અને વરુને ભંડકિયામાં પૂરી દીધું.

    બીજા દિવસે દાદા ભંડકિયાના બારણે બેઠા બેઠા પથરા પર લાં….બો છરો ઘસવા લાગ્યા અને બોલતા જાય ,’જાણો છો હું શું કરીશ ?’ દાદી પૂછે,’ શું કરશો?’ દાદા કહે ,’આ રીંછને મારીને મારો ડગલો સીવીશ.’ આ સાંભળીને રીંછ કહે,’ દાદાજી ! મને નહીં મારતા ! હું તમને પ્રોમિસ આપું છું કે દર અઠવાડિયે તમને મધનો પૂડો લાવી દઈશ.’ દાદા ફરીથી છરો ઘસવા લાગ્યા અને બોલ્યા,’ હવે આ વરુને મારીને હું પાણીની પખાલ બનાવીશ.’ વરુ કહે,’ મને ન મારતા હું દર અઠવાડિયે ઘેંટાનું ટોળું હાંકી લાવીશ.’ એટલે દાદાએ વરુ અને રીંછ બન્નેને છોડી મૂક્યા.

    હવે દાદા દાદીને લીલાલહેર થઈ ગઈ. રી6છ લાવે મધ અને વરુ લાવે ઘેંટા. દાદા દાદીને કહે,’ તમે સંતાનની ચિંતા કરતા હતા ને ? આ ઘાસનો વાછરડો તમારો કમાઉ દીકરો બની ગયો !’ દાદા દાદી જીવ્યાં ત્યાં સુધી લહેરથી જીવ્યાં.

 

                                                    ૐ નમઃ શિવાય

2 comments May 31, 2008

આફ્રિકન કહેવતો

                            આજે વૈશાખ વદ એકાદશી

આજનો સુવિચાર:- પ્રાર્થના બ્રહ્માસ્ત્ર છે.

હેલ્થ ટીપ:- નખ મજબૂત રાખવા અઠવાડિયામાં બે વખત હુંફાળા ઑલીવ તેલનું માલિશ કરવું.

                                   આફ્રિકન કહેવતો

• જો ઘરમાં શાંતિ જોઈતી હોય તો સ્ત્રી કહે તેમ કરો.

• જાંબુ જેટલું કાળું તેટલું વધારે મીઠું.

• બધી જ ગઈ કાલો ભેગી કરી નાખવાથી એક આવતી કાલ બનતી નથી.

• ઊંટ પોતાની ખૂંધ જોઈ શકતું નથી.

• પાણી કેટલું ઊંડુ છે તે જોવા માટે બન્ને પગ પાણીમાં ન મુકાય.

• દુઃખ એ મોંઘા ખજાના જેવું છે. થોડાક નિકટના મિત્રોને જ બતાવી શકાય.

• જે શાણો માણસ કહેવતો જાણે છે તે મુશ્કેલીઓનો સામનો સહેલાઈથી કરી શકે છે.

• ગમે તેટલો વરસાદ પડે, એનાથી ઝિબ્રાના શરીર પરના પટ્ટા ધોવાઈ જતા નથી.

• ઘડપણમાં સાધુ થવું અઘરું નથી.

 

                                        ૐ નમઃ શિવાય

4 comments May 31, 2008

આધુનિક કન્યાની આધુનિક પ્રાર્થના

                           આજે વૈશાખ વદ દસમ

આજનો સુવિચાર:- તન સુંદર હોય પણ મન કદરૂપું હોય તો એ સૌંદર્ય ધૂળમાં ચિત્ર સમાન છે.

હેલ્થ ટીપ:-તકમરિયા પાણીમાં પલાળી તેમાં ખડા સાકર અને એલચીનો ભૂકો ઉમેરી પીવાથી ઠંડક મળશે અને ઉનાળામાં લાગતી લૂ પર રાહત રહે છે.

આજકાલની છોકરીઓની પ્રાર્થના

રઘુપતિ રાઘવ રાજા રામ
ઐસા વર દેના ભગવાન

સુબહા સવેરે મુઝે ઉઠાય
મુઝે ઉઠાકર ચાય બનાયે
ઔર કહે ‘લો પીયો મેરી જાન’
ઐસા વર દેના ભગવાન

દોપહર કો જબ વો બ્રેક મે આયે
આકે જલ્દીસે લંચ બનાયે
ઔર કહે ‘લો ચખો મેરી જાન’
ઐસા વર દેના ભગવાન

શામ કો જબ વો ઑફિસસે આયે
અચ્છે થીયેટરમેં પિક્ચર દિખાયે
ઔર કહે ‘મૈં હું તેરા ગુલામ’
ઐસા વર દેના ભગવાન

1st of મંથ કો સેલરી લાયે
સેલરી લાકર મુઝે થમાય
ઔર કહે ‘લો ઉડાઓ મેરી જાન’
ઐસા વર દેના ભગવાન

 

હે ભગવાન આ તે કેવી પ્રાર્થના!!!!

                                             ૐ નમઃ શિવાય

5 comments May 29, 2008

થોડુંક વિશેષ જાણો

આજે વૈશાખ વદ નોમ

આજનો સુવિચાર:- પરિવર્તનથી ગભરાશો તો ક્યારેય પ્રગતિ કરી શકશો નહીં.

 

હેલ્થ ટીપ:- ભોજન બાદ પેટમાં ગરબડ લાગે તો અજમો અથવા ફુદીનો ચાવી જવાથી રાહત રહેશે.

 

                              થોડુંક વધુ જાણીએ

 

• છીંક ખાવાથી મગજનાં કેટલાક સેલ મરી જાય છે એટલે લોકો છીંક આવતા ‘ખમ્મા’ અથવા ‘શ્રીજી બાવા’ એવું કાંઈક બોલે છે.

• શરીરમાં રક્તકણો …લાલ કણો 20 જ સેકેંડમાં પૂરા શરીરમાં ફરી વળે છે.

• ગાયના દૂધને પચાવતા પેટને પચાવતા પેટને એક કલાક લાગે છે.

• શરીરમાં ફક્ત આંખની કીકી જ એક એવી છે કે એને લોહી પહોંચતું નથી.

• માણસ બોલે છે ત્યારે શરીરના જુદાજુદા 72 મસલ્સ કામ કરે છે.

• આપણા શરીરમાંથી દર સેકેંડે 1/50/00/000 રક્તકણો નાશ પામે છે.

• અમદાવાદને ‘માંચેસ્ટર ઑફ ઈંડિયા’નું બિરુદ મળ્યું હતું.એક સિગરેટ પીવાથી માનવીનું સરેરાશ આયુષ્ય સાડા પાંચ મિનિટ જેટલું ઘટી જાય છે.

• રશિયાએ ‘સ્પુટનિક’ નામનો કૃત્રિમ ઉપગ્રહ પ્રથમવાર અવકાશમાં મોકલ્યો હતો.

• ઍરોપ્લેનની શોધ 1903માં થઈ હતી.

• સ્વ. ચરણસિંહની સમાધિ ‘કિસાન ઘાટ’ ના નામે જાણીતી છે.

• પંડિત કાબરાનું નામ ‘ગિટાર’ સાથે સંકળાયેલુ છે.

• ‘બરફ્ની હૉકી’ કૅનેડાની રાષ્ટ્રીય રમત છે.

• ગુરુને 12 ઉપગ્રહ છે.

• સ્પેન દેશમાં કાપડ પર સમાચાર પત્ર બહાર પાડવામાં આવે છે.

• ભારતનું સૌથી જૂનું ચર્ચ પલપુર-કેરાલામાં આવેલું છે.

• ઈંદિરા ગાણ્ધી અને ઝુલ્ફીકાર ભુત્તો વચ્ચી સિમલામાં શંતિ કરાર થયા હતા.

• ‘ઈંડિયન નેશનલ કૉંગ્રેસ’ સૌથી જૂની રાજકીય પાર્ટી છે.

• ‘વ્હીલર’ ચેઈન બુકશોપ 253 રેલ્વે સ્ટેશન પર જોવા મળે છે.

• ભારતમાં પ્રથમ એસ.ટી.ડી.ની સેવા લખનૌ-કાનપુર વચ્ચે શરુ થઈ હતી.

• પ. જર્મનીના પ્રથમ ઉપગ્રહનું નામ અઝુર હતું.

• રાષ્ટ્રીય શાયરનું બિરુદ ‘ઝવેરચંદ મેઘાણી’ને આપવામાં આવ્યું હતું.

 

                                       ૐ નમઃ શિવાય

3 comments May 29, 2008

રસોડાની વસ્તુઓના રૂઢિ પ્રયોગો

                   આજે વૈશાખ વદ છઠ્ઠ

આજનો સુવિચાર:- જિંદગીમાં ગુરુ તો જોઈએ જ પછી ભલે તે માટીના બનાવેલા દ્રોણાચાર્ય હોય.

 

હેલ્થ ટીપ:- જો આપ ફિટનેસમાં માનતા હો તો ખાવા પીવાની આદત બદલીને ફિટનેસ પ્લાન કરો.

 

      રસોડામાં વપરાતી વસ્તુઓના રૂઢિ પ્રયોગો

 

રસોડામાં વપરાતી વસ્તુઓને આપણે રૂઢિ પ્રયોગોમાં વાપરતા હોઈએ છીએ. જેમ કે

લોટ- હસવું ને લોટ ફાકવો [જે સાથે થઈ શકે જ નહી]

ઘી – ઘી ઢોળાયું તો પણ ખીચડીમાં જ. [ઘરનું ઘરમાં જ રહે]

તેલ – કામ કરાવી કરાવી તેલ કાઢી લીધું.

દૂધ – દૂધનું દૂધ, પાણીનું પાણી.

દહીં – લમણાઝીક કરીને માથાનું દહીં થઈ ગયુ.

મીઠું – તમારી વાતમાં કોઈ મીઠું નથી. [એમ તો ન જ લખાયને કે તમારામાં મીઠું જ નથી ! ]

મરચું – વાતમાં મીઠું મરચું ભભરાવો નહીં.

બદામ – આ વસ્તુની કિંમત બે કોડી બદામ જેટલી પણ નથી.

રાઈ – રાઈનો પહાડ ના બનાવો.

સાકર – જેટલી સાકર નાખો તેટલું ગળ્યું થાય.

મસાલો – વાર્તામાં મસાલો ભરીને લેખકે વાર્તાને રોમાંચક બનાવી દીધી.

 

                              ૐ નમઃ શિવાય

4 comments May 25, 2008

હેલ્થ ટીપ્સ

                      આજે વૈશાખ વદ પાંચમ

 

આજનો સુવિચાર:- નિવૃત્તિ એટલે પોતાની મનગમતી પ્રવૃત્તિ કરવાનો સમય.

 

આજ સુધી મુકાયેલી હેલ્થ ટીપ્સના થોડાક અંશ

હેલ્થ ટીપ્સ :- મન ખૂબ સ્ટ્રેસમાં હોય તો ઊંડા શ્વાસ લો જેથી મન હળવું બનશે.

હેલ્થ ટીપ્સ :- નહાવાનાં પાણીમાં ખસ કે ગુલાબજળ નાખીને નહાવાથી શરીરમાં ઠંડક લાગશે.

હેલ્થ ટીપ્સ :- દ્રાક્ષના સેવનથી પેટની ગરમી દૂર થાય છે તેમજ પેટ સાફ થાય છે અને આંખોનું તેજ વધે છે.

હેલ્થ ટીપ્સ :- અઠવાડિયામાં એક વખત 15 થી 20 મિનિટ ધ્યાનમાં બેસો. પોતાના મનનાં વિચારોને પારખો. આપણી અડધી ઉપાધિ માનસિક હોય છે. તેનો રામબાણ ઈલાજ ધ્યાન છે.

હેલ્થ ટીપ્સ :- શિયાળામાં કૌંચાપાક બળવર્ધક છે.

હેલ્થ ટીપ્સ :- જીરાનું ચૂર્ણ ખાવાથી આંખોની ગરમી દૂર થાય છે.

હેલ્થ ટીપ્સ :- તુલસીનાં પાનને દહીં કે છાશ સાથે લેવાથી ઍસિડિટી મટે છે.

હેલ્થ ટીપ્સ :- રાત્રે મીઠાની કાંકરી મોંમા મૂકી રાખવાથી ઉધરસ ઓછી આવશે.

હેલ્થ ટીપ્સ :- કોપરેલ અને લીંબુનો રસ ભેળવીને શરીર પર માલિશ કરવાથી ખૂજલી,દાદર મટે છે.

હેલ્થ ટીપ્સ :- કોપરેલ અને લીમડાનું તેલ સરખા પ્રમાણમાં ભેળવી હલકે હાથે વાળની માલિશ કરવાથી ખરત વાળ ખરતાં અટકી જશે.

હેલ્થ ટીપ્સ:- રોજ સવારે તુલસીના પાન સાથે બે કાળા મરી ચાવી જવાથી કફ થતો નથી.

હેલ્થ ટીપ્સ:- મસા ઉપર કેરોસીન લગાડવાથી મસા સૂકાઈ જશે.

હેલ્થ ટીપ્સ:- લવિંગને જરા શેકીને મોંમા રાખી ચૂસવાથી ગળાનો સોજો મટે છે.

હેલ્થ ટીપ્સ:- મૂત્રાશયમાં પથરી હોય તો આમળાનું ચૂર્ણ મૂળા સાથે લેવાથી પથરી ગળી જાય છે.

હેલ્થ ટીપ્સ:- કેસરના સેવનથી પેટમાં એકઠો થયેલો ગેસ દૂર થાય છે.

હેલ્થ ટીપ્સ:- દાંતનો દુઃખાવો થતો હોય ત્યારે વજ્રદંતીનાં ચારપાંચ પાંદડા ચાવવાથી દુઃખાવો મટી જશે.

હેલ્થ ટીપ્સ:- દૂધી છીણીને પગના તળિયામાં લગાવવાથી પગની બળતરા ઓછી થશે.

 હેલ્થ ટીપ્સ:-કાચો કાંદો ખાવાથી માસિક સાફ આવે છે અને દુઃખાવો મટે છે.

હેલ્થ ટીપ્સ:- વધું પડતું નહાવાનું ગરમ પાણી ત્વચાનો ભેજ સૂકવી નાખે છે. નહાવાના પાણીમાં બે ટીપા મધ નાખવાથી ત્વચા કોમળ રહે છે.

હેલ્થ ટીપ્સ:- ત્વચા તૈલી હોય તો ફેસપેકમાં દૂધને બદલે દહીં નાખી શકો છો.

હેલ્થ ટીપ્સ:- વધુ પડતું વજન સ્ત્રીઓ માટે કૅંસરનું કારણ બને છે.

હેલ્થ ટીપ્સ:- કોથમીરને ચાવી ચાવીને ચૂસવાથી ગળાનો દુઃખાવો મટે છે.

હેલ્થ ટીપ્સ:- અજમો અને તલ ભેગા કરીને ખૂબ ચાવીને ખાવાથી વારંવાર પેશાબ કરવા જવામાં રાહત રહે છે.

હેલ્થ ટીપ્સ:- બે ચમચા ઘઉંના લોટમાં દૂધ ભેળવી ચહેરા પર રગડી ઠંડા પાણીથી ચહેરો ધોવાથી નિસ્તેજ બનેલો ચહેરો નીખરી ઊઠશે.

હેલ્થ ટીપ્સ:- કુંવારપાઠુંનો પાક શરીરમાં થતા વાયુ અને સાંધાના દુઃખાવામાં ફાયદો કરે છે.

 

                         ૐ નમઃ શિવાય

3 comments May 24, 2008

કહેવતોમાં કેરી

                  આજે વૈશાખ વદ ત્રીજ [સંકષ્ટ ચતુર્થી]

આજનો સુવિચાર:- સફળતા ધીરજવાન અને મહેનતુ લોકોની દાસી બની રહે છે.

 

હેલ્થ ટીપ:- જવના લોટમાં ઠંડું દૂધ અને લીંબુનો રસ નાખી તેની પેસ્ટ બનાવી ચહેરા ઉપર લગાવો , 20 મિનિટ બાદ ધોઈ નાખો. અઠવાડિયામાં બે થી ત્રણ વાર લગાવો. બ્લીચીંગ થઈ જશે.

 

                               કહેવતોમાં કેરી

કહેવત શબ્દનો સીધો સાદો અર્થ કરીએ તો કહે-વાત. જે કાંઈ વાત થઈ હોય, કાર્ય થયું હોય જેની કંઈ વાત કહેવાની હોય પછી તે વાત સારી હોય કે નરસી. ખોડખાંપણ બતાવતી હોય કે નોંધવા જેવી વાતને નોંધતી હોય તે ‘કહેવત’.

કહેવતમાં ડહાપણ અને અનુભવછે. પંડિતોએ તેને વ્યવહારુ જ્ઞાનનો ખજાનો કહ્યો છે. યુગયુગનું એમાં ડહાપણ છે. કાળ જાય છે પણ કહેવત તો રહે છે જ. કહેવતની જનની અનુભવ છે. અનુભવનું તે સંતાન છે. પ્રસંગ ઈતિહાસ સ્વભાવ પરથી કહેવતનું ઘડતર થયું છે. કહેવતોમાં કવિતાના પ્રાસ અને મીઠાશ પણ છે.

થોડી કેરી વિષે કહેવતો જોઈએ.

 

કેરી ફળોનો રાજા ગણાય છે અને કહેવતોમાં પણ પાછળ નથી !

1] આંબુની કમાઈ જાંબુમાં ગઈ.

2] આંબા ગાળો ને પૈસા ટાળો.

3] ઉતાવળે આંબા ન પાકે.

કેરીના રસ સાથે રોટલી વધારે ખવાય છે ત્યારે કહેવાય છે કે

4] એક ગોટલી તો સો રોટલી

5] કેરી ખાઈને પાણી પીએ એટલી બહેન વહાલી
ને ગોટલી ખાઈને પાણી પીએ એટલો બહેનને ભાઈ વહાલો.

6] કેરીની ખોટ કોંકડીઓમાં ભાંગીશું.

7] નારી કેરી ને આમલી દીઠે દાઢ ગળે,
એ ત્રણેનું સેવન કરે, તે આખરે ધૂળે મળે.

8] રસ કેરીનો ને જમણ દૂધપાકનું

9] રાંડ, ખાંડ ને કેરી એ ત્રણે શરીરના પાકાં વેરી.

10] રાયણ ખાઈને રાતી થઈ ને કેરી ખાઈને દુબળી થઈ.

11] કેરી ગાળો ને પૂંજી ટાળો.

                                             — સંકલિત

 

                                   ૐ નમઃ શિવાય

6 comments May 23, 2008

મૃત્યુનું ગણિત

                     આજે વૈશાખ વદ બીજ

 

આજનો સુવિચાર:- તમારો આત્મા જે કામ કરતાં અચકાય તે કામ કદી ન કરવું.

હેલ્થ ટીપ:- રોજિંદા ખોરાકમાં કાકડીના ઉપયોગથી શીતળતા અને તાજગી અનુભવાય છે.

 

                            મૃત્યુનું ગણિત

 

મૃત્યુનું ગણિત સ્થળ અને સમય નક્કી જ હોય છે.

મૃત્યુ એ ઉત્સવ જ નથી પણ મહોત્સવ છે.

   મનુષ્યના મૃત્યુના સ્થળ અને સમય બન્ને નક્કી જ હોય છે. યમરાજ પોકારે છે ત્યારે અને તેવા સમય અને સ્થળ પર માણસ મૃત્યુને વ્હાલો થાય છે.

       એક કબૂતર એક દિવસ પોતાના મિત્ર ગરુડને મળવા માટે ઊડતું ઊડતું ભગવાનના ધામમાં ગયું. વૈકુંઠમાં ગરુડજી વિરાજમાન હતા, બન્ને સુખદુખની વાતો કરી બહાર નીકળ્યા અને દરવાજા આગળ આવીને ઊભારહ્યા. બાય બાય ટા ટા કરવા. તેવામાં મૃત્યુના દેવ યમરાજા નીકળ્યા અને તેમણે કબૂતર તરફ જોઈને થોડુંક હાસ્ય કર્યું. આ જોઈ કબૂતર ગભરાઈ ગયું. તેણે ગરુડને કહ્યું,’ આ યમરાજા મૃત્યુના દેવ છે અને મને જોઈ હસ્યા છે તેથી મારું મૃત્યુ આટલામાં જ છે. કોઈ આવીને મને મારી નાખશે.

     ગરુડે કહ્યું,’ ચિંતા ન કર. હું બેઠો છું. તને કોઈ નહીં મારે, પણ કબૂતરે જીદ કરી અને કહ્યું,’ તું મને દૂર દૂર હિમાલયની ગુફામાં લઈ જા જ્યાં મને કોઈ મારી શકે નહીં.’ કબૂતરની જીદ આગળ ગરુડજીને નમતું મૂકવુ પડ્યું અને તે કબૂતરને હિમાલયની ગુફામાં મૂક્યુંઅને ત્યાંથી વૈકુંઠ જવા રવાના થયા.

    થોડીવાર પછી યમરાજ ભગવાનને મળી બહાર નીકળ્યા ત્યારે ગરુડજીએ પૂછ્યું,’ ભગવાન આપ પેલા કબૂતરને જોઈ કેમ હસ્યા હતા?’ યમરાજાએ જવાબ આપ્યો કે કબૂતરનું આજે હિમાલયની ગુફામાં એક સાપ કરડવાથી મૃત્યુ થવાનું હતું અને તે હજુ તમારી સાથે વાત કરતું હતું તેથી મને હસવું આવ્યું, ત્યારે ગરુડજીને ફાળ પડી અને બધી વાત કહી. યમરાજએ કહ્યું,’ભાઈ, જે સમયએ જે જગ્યા અને જ્યારે કોઈનું મૃત્યુ લખ્યું હોય ત્યાં થાય જ તેમાં બ્રહ્માજી પણ ફેરફાર કરી શકે નહીં.’

                                                                                       સૌજન્ય:- જન્મભૂમિ – મેઘધનુષ

 

                                    ૐ નમઃ શિવાય

3 comments May 21, 2008

ચુનમુન ચકલીની બર્થ ડે

                         આજે વૈશાખ વદ એકમ [નારદ જયંતી]

આજનો સુવિચાર:- હેતુ શુદ્ધ હોય તો કોઈપણ ક્ષેત્રમાં સફળતા મળશે.

 

હેલ્થ ટીપ:- રોજિંદા ખાણામાં કાચી કેરીનું કચુંબર ખાવાથી ગરમીમાં લૂ નહી લાગે.

 

ચુનમુન ચકલીની બર્થ ડે

* કેદાર વનમાં ચુનમુન ચકલી રહેતી હતી.

* ચુનમુન ચકલીને પ્રાણી અને પક્ષીઓ પ્રેમ કરતા હતા કારણ કે ચુનમુન બહુ ભોળી હતી.

* ચુનમુન દરરોજ રીચાનાં આંગણામાં જતી. રીચાની મમ્મી શીતલ ચોખાનાં દાણા આંગણામાં રોજ નાખતી અને ચુનમુન તેની સહેલી સાથે ચણતી.

* એક દિવસ ચુનમુન દાણા ચણવા રીચાના ઘેર ગઈ. તો તેણે રીચાના ઘરે મહેમાનોને વાતો કરતા સાંભળ્યા.

* રીચાનો જન્મદિવસ હતો. એટલે બધા મહેમાનો તેના માટે રમકડાં લાવ્યાં હતા. રીચાના હાથમાં પણ સુંદર મજાની બાર્બી હતી.

* ચુનમુન થોડી ઉદાસ થઈ ગઈ. તે મનોમન વિચારવા લાગી, ‘મારા મમ્મી-પપ્પા હોત તો મારો પણ જન્મદિવસ ઉજવાતે’. તે ઉદાસ મને પોતાના માળામાં જઈને બેસી ગઈ.

* બધા પ્રાણી-પક્ષીઓએ તેની ઉદાસીનું કારણ પૂછ્યું પણ તેણે કંઈ જવાબ ના આપ્યો. હંમેશા હસતી, ગીત ગાતી ચુનમુન ચૂપ હતી.

* એક દિવસ પોપટ અને કોયલ ચુનમુનની પાસે આવ્યા. તેમણે કહ્યું,’ચુનમુન અમે તને ઉદાસ નથી જોઈ શકતા. તું કહે તને શું થયું છે?’ ચુનમુને રડતાં રડતાં પોપટ અને કોયલને બધી વાત કરી.

* બીજા દિવસે સવારે ચુનમુન ચણવા ગઈ. સાંજે પાછી ફરી તો…તેનું આખું ઘર શણગારાયેલું હતું. તેનો માળો પણ સજાવેલો હતો.

* આ જોઈને ચુનમુન વિચારમાં પડી ગઈ. તે ખુશ થઈ ગઈ, પણ તેને બહુ નવાઈ લાગી.

* પ્રાણીઓ અને પક્ષીઓ પણ ત્યાં હાજર હતાં. કાબર ચુનમુન માટે કિચનસેટ લાવી તો પોપટ તેને માટે બાર્બી લાવ્યો, કોયલ તેને માટે નાનકડી કાર લાવી તો બિલાડી ટેડી બેર લઈ આવી. સસલાભાઈ કેક લાવ્યા હતા.

* ચુનમુને પૂછ્યું,’આ બધું શું છે ? તમે લોકો મારા માટે શા માટે ગિફ્ટ લઈ આવ્યા છો ? મારું ઘર પણ શણગાર્યું છે. કઈ ખાસ કારણ ?

* પોપટ કહે ,’ ચુન્મુન તું એકલી નથી. અમે બધા તારા મિત્રો છે. અમે ભેગા મળીને નક્કી કર્યું કે આજે તારો જન્મદિવસ ઉજવીએ અને ખૂબ ધમાલમસ્તી કરીએ.’

* પછી બધાએ ચુનમુનને રમકડાંની ભેટ આપી અને ખૂબ મસ્તી કરી.

આ વાર્તા પરથી મને એક ગીત યાદ આવ્યું કે

હમભી અગર બચ્ચે હોતે નામ હમારા હોતા ચુનમુન
તો ખાને કો મિલતે લડ્ડૂ ઔર મિલતા હમકો ગુડ્ડુ ગુડ્ડુ
ઔર દુનિયા કહેતે હેપી બર્થ ડે તો યુ.

 

                                     ૐ નમઃ શિવાય

1 comment May 20, 2008

આજના SMS

આજે વૈશાખ સુદ પૂનમ [બુદ્ધ પૂર્ણિમા]

આજનો સુવિચાર:- જિંદગીથી મોટી પાઠશાળા આ વિશ્વમાં બીજી કોઈ નથી.

 

હેલ્થ ટીપ્સ:- કટિસ્નાન પાચનતંત્રના રોગોનો એક ઈલાજ છે.

 

આજના SMS

સફલ હોને કે લિયે 3 ફેક્ટરી લગાઓ

1. બ્રેઈનમેં આઈસ – ફેક્ટરી
2. જુબાનમેં સુગર – ફેક્ટરી
3. હાર્ટમેં લવ – ફેક્ટરી

ફિર લાઈફમેં હોગી સેટીસફેક્ટરી

 

 

સોચા થા ઈસ કદર ઉનકો ભૂલ જાયેંગે,
દેખકર ભી અનદેખા કર જાયેંગે
પર જબ જબ સામને આયા ઉનકા ચહેરા
સોચા ઈસ બાર દેખ લેંગે
અગલી બાર ભૂલ જાયેંગે.

 

 

પલ દો પલમેં હી
મિલતી હૈ ખુશી
પલ દો પલમેં હી
મિલતા હૈ ગમ,
પર જો હર પલ
સાથ નિભાયે,
વો દોસ્ત મિલતે હૈ કમ.

 

મુઝસે દોસ્તી કરોગે ??????????

                                  ૐ નમઃ શિવાય

6 comments May 19, 2008

Previous Posts


શોધખોળ

આભાર

bhavik on જીવન જીવવાની જડીબુટ્ટી
snehaakshat on આવુ પણ થાય
Ramesh Patel on સહસ્ત્રલિંગ તળાવ પરથી પાટણનો…
shivshiva on યોગ અને પ્રાણાયામ
Dr. Chandravadan Mis… on સહસ્ત્રલિંગ તળાવ પરથી પાટણનો…

તાજેતરમાં લખાયેલુ

મહિનાની નોંધણી

તારીખીયુ

May 2008
M T W T F S S
« Apr   Jun »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

ભલે પધાર્યા

નિરીક્ષણ

ધબકારનાં ધબકતા હૈયા

Image Hosted by ImageShack.us

RSS ગીત ગુંજ

free counters