Archive for May 1st, 2008

શ્રી વલ્લભાચાર્ય

           આજે ચૈત્ર વદ બારસ [અગિયારસનો ક્ષય]

આજનો સુવિચાર:- સફળતા એવી સીડી છે જેના પર ખીસ્સામાં હાથ રાખીને ન ચઢી શકો.

 

હેલ્થ ટીપ્સ:- સંતરાનો જ્યુસ પીવાથી શરીરની પૉટાશની ખામી દૂર થશે અને ચહેરાની કરચલીઓ દૂર કરવામાં મદદ કરશે.

                        આજે વલ્લભાચાર્યનો 531મો પ્રાગટ્ય દિવસ છે.

 

       લક્ષમણ ભટ્ટજીની પત્ની ઈલ્લમાગારૂજીએ પોતાના અધૂરા માસે જ્ન્મેલાબાળકને મૃત સમજીને એ બાળકને વૃક્ષની બખોલમાં પોતાની  સાડીમાં વીંટાળીને મૂકી દીધુ અને ઉપર સૂકાપાંદડાં ઢાંકી દીધા.ચૌડા ગામમાં રાત્રીનાં મુકામ વખતે ઊંઘમાં પ્રભુની આજ્ઞાથી તેઓ જ્યાં બાળકને મૂક્યું હતું ત્યાં પાછા ફ્રર્યાં. પ્રભુનાં આ પ્રાગટ્ય દિવસ એટલે ચૈત્ર વદ એકાદશી.  સાલ 1535ની હતી. રવિવારના દિવસે મધ્યાંતરે થયું હતુ. આ બાળક એટલે પુષિમાર્ગના પ્રણેતા વલ્લભાચાર્ય અથવા શ્રી મહાપ્રભુજી. કાશીમાં’શુદ્ધાદ્વૈત’નો સિદ્ધાંત રજુ કરી તે સમયનાં શંકરાચાર્યને પરાજિત કર્યાં ત્યારથી તેમને ‘મહાપ્રભુજી’ની પદવી એનાયત થઈ.

   અગ્યાર વર્ષની વયે  આપશ્રીએ પ્રથમ પરિક્રમાની શરૂઆત કાશીથી કરી. આપશ્રીએ ત્રણ વખત ચાલીને દેશભરમાં ભ્રમણ કરીને પુષ્ટિમાર્ગીય ધર્મનો પ્રચાર કર્યો. યાત્રા દરમિયાન જ્યાં જ્યાં આપે ત્રણ દિવસથી વધારે દિવસનો મુકામ કરીને શ્રી ભાગવતનું પારાયણ કર્યું તેને શ્રી મહાપ્રભુજીની ‘બેઠકજી’ કહેવામાં આવે છે. આવી બેઠકો આપણા દેશમાં 84 છે. તેમાં ઘણી અપ્રગટ છે. એમાં મુખ્ય ચંપારણ્યની ગણાય છે.

 

આપે અષ્ટાક્ષરી મંત્ર એટલે કે શ્રી કૃષ્ણ શરણં મમ આપ્યો.

 

શ્રી…… ના ઉચ્ચારથી સૌભાગ્ય્ની પ્રાપ્તિ થાય છે.
કૃ……….ના ઉચ્ચારથી સર્વ અપરાધનો [પાપનો] નાશ થાય છે.
ષ્ણ……..ના ઉચ્ચારથી ત્રિવિધ તાપનો નાશ થાય છે.
શ………ના ઉચ્ચારથી જન્મનું દહન થાય છે- જન્મને બાળી નાખે છે.
ર……….ના ઉચ્ચારથી જ્ઞાન પ્રાપ્ત થાય છે.
ણં………ના ઉચ્ચારથી પ્રભુમાં હંમેશા દૃઢ ભક્તિ થાય છે.
મ………ના ઉચ્ચારથી શ્રી કૃષ્ણ રત્નનો ઉપદેશ કરનાર ગુરૂદેવમાં પ્રેમ થાય છે.
મ……….ના ઉચ્ચારથી પ્રભુની સાથે મળી જવાથી અન્ય યોનિમાં જવાનું બંધ થાય છે. અર્થાત જન્મ-મરણ છૂટે છે.

 

વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદા
દ્વારિકાના નાથ ભજો રાધે ગોવિંદા

 

                                       જૈ જૈ શ્રી ગોકુલેશ


5 comments May 1, 2008

ચૈતર વૈશાખના વાયરા

                   આજે ચૈત્ર વદ દસમ

આજનો સુવિચાર:- પરિશ્રમ એ મનુષ્યનું આભુષણ છે.

 

હેલ્થ ટીપ્સ:- સવારનાંસૂરજનો કૂમળો તડકો નિયમિત લેવાથી સફેદ કોઢનાં ડાઘ ઝાંખા પડી જશે.

 

આજે ગુજરાત રાજ્ય સ્થાપન દિન, મહારાષ્ટ્ર દિન અને મે દિન અથવા મજૂર દિન

     ઈ.સ. 19960માં “ મહાદ્વિભાષી રાજ્ય”-બૃહત મુંબઈ રાજ્યનું વિભાજન થયું. મહા ગુજરાત આંદોલન સફળ રહ્યું. ગુજરાત અને મહારાષ્ટ્ર નામના બે અલગ અને એકભાષી-ગુજરાતી અને મરાઠીભાષી રાજ્યની રચના થઈ. ગુજરાતના પ્રસિદ્ધ મૂકસેવક રવિશંકર મહારાજના આશીર્વાદ-હસ્તે રાજ્યનું આજે 1-5-1960ના દિવસે ઉદઘાટન થયું હતું. બે વર્ષ પછી એટલે કે ઈ.સ. 2010માં ગુજરાત રાજ્ય સ્થાપનના 50 વર્ષ પૂરા થશે. જય જય ગરવી ગુજરાત.

 

આજે મે ડે એટલે કે મજૂર દિન તરીકે પણ ઉજવાય છે.

     આજથી બસો વર્ષ પહેલાં યુરોપનાં દેશોમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ હતી. માલિક અને મજૂર બે વર્ગ પડી ગયા. મજૂરોને યોગ્ય વળતર માટે શિકાગોમાં 1-5-1887ના દિવસે વિશાળ મજૂર આંદોલન થયું. સેંકડો મજૂરો શહિદ થયા. એમની યાદમાં આજે મજૂર દિન અથવા મે ડે મનાવવામાં આવે છે.

આજથી મે મહિનો ચાલુ થાય છે. આ મે મહિનો સમગ્ર ભારત માટે વરસાદી મોસમ લાવે છે.

 

આ ગરમીની લહેરીમાં ઠંડકનો અનુભવ કરાવતું કવિશ્રી વેણીભાઈ પુરોહિતનું આ કાવ્ય યાદ આવ્યા વગર ન રહે.

 

સાખી

ગરમ હવાની લહેરખીયે,નીજ કોમળ તન કરમાશે
અગન પીછોડી ઓઢી ધરતી, તુજ ચરણે ચંપાશે
સખી થંભી જા વાટે લગાર, સખીરી

તારો છેડલો તું માથે તું માથે રાખને જરા
આતો ચૈતર વૈશાખનાં વાયરા
તારી વેણીની મ્હેક જાશે ઉડી
આતો ચૈતર વૈશાખનાં વાયરા

અંગારા વેરતો તડકાનો તોર કાંઈ
અંગારા ઝીલતો આંખ્યુંનો તોર કાંઈ
તારી આંખ્યું અધોકડી તું રાખને જરા
આતો ચૈતર વૈશાખનાં વાયરા

ઊનાયે વાયરા ને પાલવડે
પુરનાં ઓછરતાં ઓરતા ઉના
તારા હૈયા પર હાથ તો રાખને જરા
આતો ચૈતર વૈશાખનાં વાયરા

ગાયક: શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય

 

                              ૐ નમઃ શિવાય


2 comments May 1, 2008


વિભાગો

Recent Comments

himalek32 on થોડું શોધવ…
Kartik Mistry on થોડું શોધવ…
Kartik Mistry on થોડું મગજ ક…
Harsukh Thanki on ઈલકાબો વિષ…
અનિમેષ … on થોડું મગજ ક…

Recent Posts

Archives

Calendar

May 2008
M T W T F S S
« Apr    
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

વાચક સંખ્યા

નિરીક્ષણ

ધબકારનાં ધબકતા હૈયા

Image Hosted by ImageShack.us

Links