ઉગતી કળીઓ
June 10, 2008
આજે જેઠ સુદ આઠમ
આજનો સુવિચાર:- આવેશ અને ક્રોધને વશમાં કરી લેવાથી શક્તિમાં વધારો થાય છે. આવેશને આત્મબળના રૂપમાં જ પરિવર્તિત કરી શકાય છે. – ગાંધીજી
હેલ્થ ટીપ:-એક ચમચો જૈતુન તેલમાં બે મોટા ચમચા તાજી મલાઈ ભેળવી ચહેરા પર લગાડવું. દસ મિનિટ બાદ હુંફાળા પાણીથી ચહેરો ધોઈ નાખવો. તેનાથી ત્વચા સ્વચ્છ મુલાયમ ચમકીલી થશે.
ઉગતી કળીઓ
ફરક છે એટલો મારા,
અને તમારા વચ્ચે ઓ મિત્રો,
ભૂલાઈ ને પણ તમો
યાદ આવો છો
યાદ આવીને પણ હું
ભૂલાઈ જાઉં છું.
નિષ્ફળતાથી નહિ ગભરાવ
સફળતા કેરૂં સોપાન છે એ
પુરુષાર્થીને પ્રારબ્ધ શું ?
પુરુષાર્થ જ એનું પ્રારબ્ધ છે.
ભૂતકાળને નહિ વાગોળો
ભવિષ્ય કેરી ચિંતા છોડો
વર્તમાનમાં જીવતાં શીખો
બાકી બધું ઈશ્વર પર છોડો
સરવાળામાં સુખ નથી
બાદબાકીમાં દુઃખ નથી
જીવન એ છે જિંદગીનો સરવાળો
મૃત્યુ એ છે જિંદગીની બાદબાકી.
—- હીરાભાઈ તલસાનીયા
ૐ નમઃ શિવાય
Entry Filed under: પોયણી[કાવ્યરસ]. .
4 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed


1.
કુણાલ | June 11, 2008 at 9:04 pm
ફરક છે એટલો મારા,
અને તમારા વચ્ચે ઓ મિત્રો,
ભૂલાઈ ને પણ તમો
યાદ આવો છો
યાદ આવીને પણ હું
ભૂલાઈ જાઉં છું.
sundar kadio …
2.
neetakotecha | June 12, 2008 at 3:22 am
ફરક છે એટલો મારા,
અને તમારા વચ્ચે ઓ મિત્રો,
ભૂલાઈ ને પણ તમો
યાદ આવો છો
યાદ આવીને પણ હું
ભૂલાઈ જાઉં છ
gr888888888888888888888888888888
gajab ni vat lakhi che..
3.
manvantpatel | June 12, 2008 at 9:01 am
Tame yaada aavo Chho !
4.
pravinash1 | June 12, 2008 at 3:59 pm
Wonderful thought process.