ગાયત્રી જયંતી
June 13, 2008
આજે જેઠ સુદ દશમ [ગંગા દશમી] [ગાયત્રી જયંતી]
આજનો સુવિચાર:- આપણી પાસે અતિમૂલ્યવાન કોઈ વસ્તુ હોય તો તે આપણો આત્મવિશ્વાસ છે.
હેલ્થ ટીપ:-પિત્તની અધિકતાને લીધે ખાટી ઉલટીઓ થતી હોય તેમને નારિયેળના પાણીમાં સાકર મેળવીને આપવું.

આજે ગંગા દશમી.
કહેવાય છે ભગીરથે પોતાના પૂર્વજોના ઉદ્ધાર માટે તપસ્યા કરી હતી અને એના ફ્ળરૂપે ગંગાનું અવતરણ પૃથ્વી પર થયું તે ખૂબ ધસમસતી હોવાથી મહાદેવે ગંગાને પોતાની જટામાં ઝીલી હતી. ભગીરથના પ્રયત્નોથી મહાદેવે પોતાની જટામાંથી આજના દિવસે વહેતી કરી હતી. તેથી આજનો દિવસ ગંગાદશમી તરીકે ઓળખાય છે. ગંગા હરદ્વારમાં ઉતરી હતી તેથી આજના દિવસે ગંગા સ્નાન પાપ હરણ ગણાય છે. આપણા દસ પાપ હરાતા આજે ગંગા દશહરી પણ કહેવાય છે.

આજે ગાયત્રી જયંતી પણ છે.
ૐ ભૂભુવઃ સ્વઃ તસ્યવિતુર્વરેણ્યમ ભર્ગો
દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત
24 અક્ષર ધરાવતો આ ગાયત્રી મંત્ર મહામંત્ર કહેવાય છે. તેને ઘણા ગુરુમંત્ર કહે છે. દેવ સંસ્કૃતિને ગાયત્રી મહામંત્રની ઉદગમ માનવામાં આવે છે. પૌરાણિક કથા મુજબ સૃષ્ટિના પ્રારંભે જ્યારે બ્રહ્માજીને વિશ્વબ્રહ્માંડની રચના માટે કાર્ય સોંપવામાં આવ્યું ત્યારે પોતે અસમર્થ સમજતાં બ્રહ્માજી વિમાસણમાં મૂકાઈ ગયા ત્યારે આકાશવાણી દ્વારા તેમને ગાયત્રીમંત્રના જાપનો આદેશ આપવામાં આવ્યો હતો. પ્રાચીનકાળમાં જ્યારે બાળક ગુરુકુળમાં ભણવા જતો ત્યારે તેવેદાંતના પ્રારંભે ગાયત્રી મંત્રની દીક્ષા આપવામાં આવે છે.
ૐ એ પ્રણવ છે. અ,ઉ,મ. જેના પ્રતિનિધીઓ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છે. ભૂ એટલે પ્રાણસ્વરૂપ, ભુવઃ એટલે દુઃખનાશક, સ્વ એટલે સુખ સ્વરૂપ, તત એટલે તે, સવિતુઃ એટલે તેજસ્વી, સૂર્યરૂપ, વરેણ્યમ એટલે શ્રેષ્ઠ, ભર્ગો એટલે પાપનાશક, દેવસ્ય એટલે દિવ્ય, ધીમહિ એટલે ધારણ કરે, ધિયો એટલે બુદ્ધિ, યો એટલે જે, નઃ એટલે અમારી, પ્રચોદયાત એટલે પ્રેરિત કરો. ઈશ્વરના પ્રાણસ્વરૂપ, દુઃખરહિત, આનંદસ્વરૂપ તેજસ્વી, શ્રેષ્ઠ, પાપરહિત, દેવગુણસંપન્ન સ્વરૂપનું ધ્યાન કરવાનો અર્થ એ કે આ ગુણો આપણામાં ઉતારી આચાર, વિચાર અને સ્વભાવને એવા બનાવીએ જેથી આપણી આત્મિક તથા ભૌતિક સ્થિતિ શ્રેષ્ઠ બને.
ગાયત્રીમંત્રના 24 અક્ષરને 24 અવતાર, 24 દેવતા અંર 24 ઋષિ માનવામાં આવ્યા છે. જેમાં દત્તાત્રેય ગુરુ પણ આવી જાય છે. આપણા શરીરમાં 24 મુખ્ય શક્તિના કેન્દ્ર માનવામાં આવ્યા છે. તેવી જ રીતે આપણા મસ્તિકમાં પણ શક્તિનાં 24 કેન્દ્ર છે.
ગાયત્રીનો મંત્ર અદભૂત અને પાવનકારી મંત્ર છે. ભુ, ભૂવઃ, સ્વઃની ત્રણ વિભૂતિઓ જેમ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ બની તેવી રીતે તેમની પ્રતિવિભૂતિઓ સરસ્વતી, મહાકાલી અને મહાલક્ષ્મી બની.
ભજન
ૐ ભૂ ભુવસ્વઃ તસ્ય વિતુર્વરેણ્યમ ભર્ગો
દેવ્સ્ય ધિમહી ધિયો યોનઃ પ્રચોદયાત
તુને હમે ઉત્પન્ન કિયા પાલન કર રહા હૈ
તુ તુજસે હી પાતે જ્ઞાન હમ દુઃખિયો કે કષ્ટ હરતા તુ
તેરા મહાન તેજ હૈ છાયા હુઆ સભી સ્થાન
તું સૃષ્ટિકી વસ્તુ વસ્તુમેં તુ હો રહા હૈ વિદ્યમાન
તુજસે હી પાતે પ્રાણ હમ માંગતે તેરી હી દયા
ઈશ્વર હમારી બુદ્ધિકો શ્રેષ્ઠ માર્ગ પર તુ ચલા
ૐ નમઃ શિવાય
Entry Filed under: મંથન[ભક્તિરસ]. Tags: Manthan.
3 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed


1.
manvantpatel | June 13, 2008 at 8:16 am
Adho/dho gangeyam padam upagataa
stokamathavaa;/
Viveka bhrashtaanam^ bhavati vinipaata:
Shatamukha://
2.
Chirag Patel | June 13, 2008 at 1:11 pm
આપણો આત્મા એ સુર્યસમાન છે. આપણું મન એમાંથી પ્રેરણા અને બુધ્ધી મેળવે છે. એટલે, ગાયત્રીમંત્ર એ આત્મા પર ધ્યાન ધરીને ઉચ્ચારવાથી યોગ્ય પ્રક્રીયાથી મનને શુધ્ધ કરે છે.
તમારું અર્થઘટન પણ સરસ છે.
3.
karshalakg | June 28, 2008 at 5:54 am
ગાયત્રી મંત્ર વિશે ટુંકમાં ઘણુ બધુ આ બ્લોગમાં આપ્યુ તે બદલ ખુબ ખુબ અભિનંદનને પાત્ર છે.