ઉંબરો
July 4, 2008
આજે અષાઢ સુદ ત્રીજ
આજનો સુવિચાર:- આત્મવિશ્વાસનો અર્થ છે પોતાના કામમાં અતૂટ વિશ્વાસ.
હેલ્થ ટીપ :- તુલસીના પાનના રસમાં થોડુંક કપૂર ભેળવી જરાક ગરમ કરો. આ ગરમ રસનાં ટીપાં કાનમાં નાખવાથી કાનનું કળતર દૂર થશે.

ઉંબરો
ઉંબરો જેની ઉપેક્ષા પણ થાય છે અને જેની ઉપાસના પણ થાય છે. ઘરની વાત ઉંબરાની બહાર જાય ત્યારે ઘરની ખાનદાની જોખમાય છે અને ઉંબરા બહારની વાતો ઘરમાં પ્રવેશે ત્યારે ઘરનું સુખ ડહોળાઈ જાય છે.
ઉંબરો એટલે ઘરની ખાનદાનીના તટસ્થ જન્માક્ષર. પ્રેમાળ પત્નીઉંબરે ઊભી ઊભી પતિના આગમનની પ્રતિક્ષા કરતી હોય છે ત્યારે પતિને ઘરમાં પ્રવેશતી વખતેસ્વર્ગમાં પ્રવેશવા સમાન અલૌકિક સુખની અનુભૂતિ થાય છે. દાદીમા જ્યારે ઘરનાં ઉંબરા પાસે બેસીને બાળકોને વાર્તાઓ કહેતાં હોય ત્યારે એ ઉંબરો અનોખી રંગભૂમિ બની જાય છે. ઉંબરે આપણી સંસ્કૃતિની પાઠશાળા બની જાય છે.
આપણી રોજિંદી જીવનની કેટકેટલી ઘટનાઓનો મૂક સાક્ષી ઉંબરો છે. ઉંબરો સ્થૂળ રીતે કદમાં નાનો કે મોટો હોઈ શકે. પરંતુ સભ્યતાના પ્રતિક તરીકે તેનું મહત્વ ઓછું નથી. ઘરના સ્વજનોક્યારેક સામાજિક પ્રતિષ્ઠા નંદવાય ત્યારે ઘરની વાતો ઉંબરાની બહાર જવા દેવાય નહિ જે લોકો નાદાન છે તેઓ ઘરની વાત બીજાના ઉંબરે જઈને કરે છે તે લોકો પછી કદીયે ગૌરવથી માથું ઉંચુ કરી શકતા નથી. બહારની વાત બહાર રાખો અને અંદરની વાત અંદર રાખો.
દુનિયાનો છેડો ઘર. દુનિયાભરનો પ્રવાસ કરીને આવેલો માણસ જ્યારે પોતાના ઘરના ઉંબરે પગ મૂકે છે ત્યારે હાશ શબ્દ દ્વારાનિરાંતનો અનુભવ કરે છે. ઘરનો ઉંબરો ત્યજીને નીકળી પડે છે ત્યારે અનેક સમસ્યાઓ અને સવાલો તેને ઘેરી વળે છે. માટે ઉંબરાની ઉપેક્ષા નહીં પણ ઉપાસના કરો એમાંજ પરિવારનું કલ્યાણ છે.
[શ્રી બાલાસિનોર નવયુવક સંઘ પ્રકાશિત જ્યોતિ પુંજ આધારિત]
ૐ નમઃ શિવાય
Entry Filed under: સાથિયો[અન્યરંગ]. .
1 Comment Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed


1.
Ramesh Patel | July 7, 2008 at 3:38 am
ઉંબરા વિશે ખૂબજ મનનીય લેખ, જીવન ઉપયોગી.
રમેશ પટેલ(આકાશદીપ)