Archive for July 11th, 2008

ત્રિફળા

                     આજે અષાઢ સુદ દસમ

આજનો સુવિચાર:- જે કાર્યો આપણાં તન-મનને થકવી દેતા હોય છે, તેનો ત્યાગ કરો.

હેલ્થ ટીપ :- ગુલાબની પાંદડીનો રસ કાઢી તે હોઠ પર લગાડવાથી હોઠ ગુલાબી થાય છે.

                                    

                                         ત્રિફળા

       આજે રોગીઓની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે. જેટલી સમાજ અને દેશમાં સમૃદ્ધિ વધતી જાય છે એટલી જ પીડા વધતી જાય છે. વેદકાળથી ચાલી આવતી આપણી આયુર્વેદ એક એવી ચિકિત્સા પદ્ધત્તિ છે જેમાં લગભગ દરેક રોગનો એલ્લજા મળી આવે છે. એ વાત સાચી છે કે બીજી પદ્ધત્તિઓના મુકાબલે એની અસર ધીમે ધીમે થતી હોય છે પરંતુ તે રોગને જડમૂળથી કાઢી નાખે છે.

       ત્રિફળા એક એવી જડીબુટ્ટી છે જે ત્રણ ફળોનો સમાવેશ થાય છે. હરડે, આમળા અને બહેડા આ ત્રણ ફળોનો ત્રિફળામાં સમાવેશ થાય છે.

હરડે- આ જડીબુટ્ટીને પૂજનીય ગણાય છે. આયુર્વેદના શોધક ચરકે આ જડીબુટ્ટીને શરીર માટે ખૂબ ફાયદાકારક બતાવી છે. જ્યારેઅ શરીર હલન ચલન ન કરતું હોય, સ્કિન પ્રોબ્લેમ, અલ્સર વગેરેમાં રાહત આપે છે. બુદ્ધિ અને સ્મૃતિ વધારવામાં હરડે ઉપયોગી છે.

આમળા;- આમળા વિષે આગળ પણ ખૂબ લખ્યું છે. પિત્તજન્ય રોગ, પેટદર્દ, કબજિયાત જેવા રોગ દૂર કરે છે. માસિકધર્મ નિયમિત બનાવે છે.હૃદયરોગ, પ્રજનનસંબંધી આમળા એક મજબૂત ઔષધી છે. આમળામાં સૌથી વધારે વિટામિન સીનું પ્રમાણ વધારે છે.

બહેડા:- આ જડીબુટ્ટીથી કફજન્ય રોગો દૂર થાય છે. હૃદયને પોષણ મળે છે. અવાજ અને આંખોની ખામી દૂર કરે છે. વાળને ચમકીલા અને સુંદર બનાવે છે.

     આયુર્વેદમાં આ ત્રણ જડીબુટ્ટી ખૂબ ફાયદાકારક સાબિત થઈ છે. જેના ઉપયોગથી લાંબુ અને સ્વસ્થ અને નિરોગી જીવન જીવી શકાય છે. ત્રિફળા નાની મોટી દરેક વ્યક્તિ લઈ શકે છે. આની કોઈ આડઅસર નથી. યોગ્ય વૈદ્ય પાસેથી યોગ્ય રીત જાણીને એનો ઉપયોગ જાણી લેવો જરૂરી છે. ત્રિફળા ચૂર્ણના રૂપે પણ પ્રાપ્ત છે અને ગોળીના સ્વરૂપે પ્રાપ્ત છે. ચરકના મતાનુસાર ત્રિફળાના ચૂર્ણને પાણી સાથે મિક્સ કરી તેની પેસ્ત બનાવી ચોખ્ખા ઘી કે મધ કે માખણ સાથે નિયમિત એક વર્ષ લેવાથી નિરોગી બની લાંબુ જીવી શકાય છે.

     ત્રિફળા કોઈ પણ સમયે લઈ શકાય છે. સવારે કે રાત્રે સૂવાના અડધો કલાક પહેલા લઈ શકાય છે. ત્રિફળા લઈ થોડો હળવો નાસ્તો કરવાથી આ જડીબુટ્ટીનો યોગ્ય ફાયદો થાય છે. એક કપ ગરમ પાણીમાં થોડો ત્રિફળાનું ચૂર્ણ અથવા ત્રિફળાની ગોળી મિક્સ કરી ત્રિફળા ટી પી શકાય છે.

પ્રેગ્નંસીના સમયે ડૉક્ટરની સલાહ લઈ કોઈપણ જડીબુટ્ટીનું સેવન કરવું હિતાવહ છે.

ત્રિફળાથી થતા ફાયદા:-

• કબજિયાત દૂર થાય છે.

• કૉલેસ્ટ્રૉલ ઘટે છે.

• લોહીનું ભ્રમણ સુધરે છે.

• હાઈ બ્લડ પ્રેશર ઘટે છે.

• હૃદયરોગમાં રાહત મળે છે.

• વાઈરલ ઇંફેક્શન દૂર થાય છે.

• ડેડસ્કિન દૂર કરી ચહેરો કાંતિવાન બનાવે છે.

ત્રિફળનો નિયમિત ઉપયોગ એટલે અનેક સમસ્યામાંથી મુક્તિ, સ્વસ્થ આરોગ્ય પ્રાપ્તિ.

 

                                    ૐ નમઃ શિવાય

5 comments July 11, 2008


શોધખોળ

આભાર

saheldi on શિવાલયની પ્રથમ વર્ષગાંઠ ન…
ramesh &renuka on શિવાલયની પ્રથમ વર્ષગાંઠ ન…
Amritgiri Goswami on શિવાલયની પ્રથમ વર્ષગાંઠ ન…
Suresh Jani on જીવનમાં
Yogi on આજનો સુવિચાર

તાજેતરમાં લખાયેલુ

મહિનાની નોંધણી

તારીખીયુ

July 2008
M T W T F S S
« Jun   Sep »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

ભલે પધાર્યા

નિરીક્ષણ

ધબકારનાં ધબકતા હૈયા

Image Hosted by ImageShack.us

RSS ગીત ગુંજ

free counters