બે કવિતા
July 18, 2008
આજે અષાઢ વદ એકમ
આજનો સુવિચાર:- સારા થવા માટે સારું જોવું, સારું સાંભળવું અને સારું વિચારવું જરૂરી છે.
હેલ્થ ટીપ :- વારંવાર તરસ લાગતી હોય તો લવિંગને પાણી સાથે વાટી તેની પેસ્ટ બનાવી હુંફાળા પાણી સાથે લેવાથી તરસ છીપાશે.
[અમેરિકા સ્થિત શ્રી રમેશભાઈ પટેલે મોકલાવેલી આ રચનાઓ બદલ મેઘધનુષ તરફથી આભાર.]
સજાવી જાય છે
ગડગડાટ આભલે વાદળોની શક્તિથી સરજાય છે
કંદરાના પડઘા મફતમાં હુંકારા ધરી જાય છે
લાવ લાવની લતે સાગર ખારો થઈ પસ્તાય છે
ન્યોછાવરી મેઘો લીલોતરીની પ્રસાદી પીરસી જાય છે
છળકપટી જાદુ જમાનાનો સઘળે વરતાય છે
ઢોળના દાગીના સુર્વણ ભાવે વેચાઈ જાય છે
સાચા ફૂલો થયા જે બીચારા તવાયે શેકાય છે
કાગળના ફૂલો મહેફીલના રંગો માણી જાય છે
દ્વારે ઊભા ભગવાન સામે કમાડ બંધ થાય છે
થાપ દઈ શ્રધાને પાખંડી ખુદ પૂંજાઈ જાય છે
રંગમાં રંગ ભળે તો વસંત ખીલી જાય છે
માનવમાં માનવતા ખીલે તો પ્રભુતા પ્રગટી જાય છે
આકાશદીપ ગ્રહણ દોષે વિષાદી વરતાય છે
થઈ સપ્તરંગી વિજ ઉત્સવો સજાવી જાય છે
રમેશ પટેલ(આકાશદીપ)
પંચવટી
હું રે પંચવટી રાજા રામની,મંગલકારી ધરણી ભારત ભોમની
ચરણ રજ હૈયે ધરી , પ્રભુતા પખાળે માત ગોદાવરી
રામ રાવણના રે ભેદ, અમે નીરખ્યા ભરી આંખડી
ભારતવર્ષના પલટ્યા રે ભાગ્ય, વદુ હરખે રુડી વાતડી
પ્રતિજ્ઞા પાલક અયોધ્યા રાજવી, સાથે ભ્રાતા લક્ષમણ વીર
ધનુષ્ય બાણે શોભે રામજી, બનાવે અભય અરણ્યને ધીર
પુષ્પો પંખી લાગે પ્રેમડાં,સીતા રામના વરસે રે સ્નેહ
નગરનાં સુખ લાગ્યાં વામણાં,જંગલના મંગલ દિશે રે વેશ
મોહીત શૂર્પંણખા વને ભમતી,ગર્વે ધસી કરે રે ધૃષ્ટતા
કોપિત લક્ષમણે દીધા દંડદા, લંકા જઈ નાખે રે ધા
તપસ્વી વેષે રાવણ આવીયો,સીતા હરણના ખેલ્યા રે દાવ
થયો મારીચ સોના મૃગલો,પાથરી આસુરી માયાનો પ્રભાવ
ભૂલ્યો રે ભાન અભિમાની અંતમાં,ના ઓળખી વિનાશની આગ
જલાવી લંકા ભક્ત હનુમાને, રામ મુદ્રા દઈ આપી પહેચાન
કપિગણે રામસેતુ રચીયો,સાગર ઓળંગી આવ્યા લંકા દ્વાર
રોળ્યો રાવણ વિજયા દશમીએ,ધર્મ ધ્વજા ફરકાવી સંસાર
વંદે પરમ ભાગ્યને પંચવટી,તવ ચરણે તીર્થ પ્રગટ્યા યુગાવતરી
ધન્ય ધન્ય પંચવટી રાજા રામની,ભાવે થઈતું ચરણ અનુરાગિણી
રમેશ પટેલ(આકાશદીપ)
ૐ નમઃ શિવાય
Entry Filed under: પોયણી[કાવ્યરસ]. .
8 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed


1.
Vital Patel | July 19, 2008 at 7:43 am
ગમી જાય તેવી બંને રચનાઓ.
…પ્રભુતા પ્રગટી જાય
પ્રભુતા પખાળે માત ગોદાવરી
વિતલ પટેલ(U.S.A)
2.
Swetal Patel | July 20, 2008 at 4:23 pm
ગઝલના ભાવ અને ઉડાણ સરસ રીતે ગૂંથતી સારી ગઝલ
sweta Patel
3.
Chirag Patel | July 21, 2008 at 3:43 am
ગડગડાટ…કંદરાનો હુંકાર
સાગર…મેઘ
ફૂલો..કાગળના ફૂલો…કુદરત અને માનવ જીવનને ઉજાગર કરતી
કૌશલ્ય પૂર્ણ કૃતિ.માણવાનું મન થાય એવી રચના .
ચીરાગ પટેલ
4.
Keyur Patel | July 22, 2008 at 4:41 am
પંચવટી ભાવવાહી અને ભક્તિસભર રચના લાગી,આટલી સુંદર રચના આપવા બદલ નિલાબેન અને આકાશદીપને ધન્યવાદ.ખૂબ જ ગમી.
કેયુર પટેલ(યુએસએ)
5.
SV | July 22, 2008 at 6:01 am
Nice poems, thanks for sharing.
6.
devika dhruva | July 23, 2008 at 3:05 am
very nice creation.
7.
Snehal Patel | August 9, 2008 at 3:59 am
panchavati and sajavi jayachhe ,bot.h are very beautiful poems.
enjoyed .health trips are useful for life and .liked very much.
Snehal Patel
8.
Chandra Patel | August 12, 2008 at 3:56 am
પ્રભુતા પખાળે માત ગોદાવરી
નગરના સુખ લાગે વામણા,જંગલના મંગલ દિશે રે વેશ.
ગમી જાય તેવી પંક્તિઓ
ચન્દ્ર પટેલ