Archive for March, 2009
વાસંતિક નવરાત્રી
આજે ચૈત્ર સુદ પાંચમ [ચૈત્રી નવરાત્રિનો પાંચમો દિવસ]
આજનો સુવિચાર:- કરેલી ભલાઈનો ભૂલેચૂકે અહંકાર ન કરવો – મોરારીબાપુ
હેલ્થ ટીપ:- રોજ સવારે બે ગ્લાસ ગરમ પાણી પીવાથી કબજિયાત મટે છે.

વાસંતિક નવરાત્રિ
યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ
માતાજી પોતે બનાવેલી આ સૃષ્ટિનું સૌંદર્ય સદા અચળ અને એમની બનાવેલી માનવ સૃષ્ટિને ઊની આંચ ન આવે તે માટે તેમણે ભિન્ન ભિન્ન સમયે અને ભિન્ન ભિન્ન રૂપ ધારણ કરી દર વખતે નવા નામે પ્રગટ થયાં હતાં. પોતાની અમોઘ શક્તિને વિભાજિત કરી પોતાનામાં રત રહેનારી મા જ્યારે દેવોને જરૂર પડે અને સ્મરણ કરતા ત્યારે તેઓ નીતિ, નિયમ અને ધર્મને આધીન રહી હાજર થતાં.
પિતા ધર્મ ચૂકેલા દક્ષ પિતાએ યોજેલા યજ્ઞમાં વગર નિમંત્રણે પહોંચેલા સતીથી પોતાના પતિ શિવજીની ઉપેક્ષા સહન ન થતા યજ્ઞમંડપમાંથી પાછા ન ફરતા યજ્ઞકુંડીમાં શિવજીને પુનઃ પામવાના નિરાધારથી પોતાના દેહને સમર્પણ કર્યું.
બીજે જન્મે હિમાલય પુત્રી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. હિમાલય પિતા હતા તેથી તેમનું નામ પાર્વતી પડ્યું. પર્વતપુત્રી હોવાને કારણે ઘણી જગ્યાએ તેઓ ‘ગિરિજા’ કે ‘શૈલજા’ નામે ઓળખાવા લાગ્યા તો કોઈ તમને ‘ક્ષિતિધર તનયા’ તરીકે ઓળખે છે.
આગલા જન્મમાં સતીના રૂપે તેમણે અગ્નિસ્નાન કર્યું હતું તેથી તેમનો દેહ કાળો થઈ ગયો હતો તેથી તેઓ ‘કાલિકા’ના નામે ઓળખાય છે.
શિવજી સાથે લગ્ન કરવાની પ્રબળ ઈચ્છાને કારણે માતા મેનકાને પોતાનો નિર્ણય જણાવ્યો. આ નિર્ણય સાંભળતા મેનકા બોલી ઊઠ્યાં કે ‘ઉમા’ જેનો અર્થ એ થાય છે કે ‘ન કરતી’. એ સમયથી તેઓ ‘ઉમા’ના નામે ઓળખાવા લાગ્યા.
શિવજીને મેળવવા મહેલ છોડી તેમણે તપ આદર્યું. ન જોયો તડકો કે ઠંડી, ન જોઈ વરસાદની અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ વર્ષો સુધી ઘોર તપશ્ચર્યા આદરી. વહેતી નદીમાં સ્નાન કરી હવનમાં મગ્ન રહેતા પાર્વતીજી કંદમૂળ કે સૂકા પાંદડા ખાઈ જીવનની સાધના આદરી. અંતે સૂકા પર્ણોનો આહાર છોડ્યો આથી તેઓ ‘અપર્ણા’ તરીકે ઓળખાવવા લાગ્યા.
પરીક્ષા લેવાના હેતુથી શિવજી એકવાર બ્રહ્મચારીનું સ્વરૂપ લઈ પાર્વતીજી પાસે ભિક્ષા માંગવા આવ્યા અએ તેમણે માતાજીને કહ્યું કે હું પ્રથમ સ્નાન કરી આવુ પછી હું ભિક્ષા લઈશ. શિવજી જે નદીમાં સ્નાન કરવા ગયા હતા તે નદીમાં મગર રહેતો હતો. શિવજીનો પગ એ મગરના મોંમા આવી ગયો અને શિવજીએ મદદ માટે બૂમો પાડી. તણાતા શિવજીને બચાવવા પાર્વતીજીએ શિવજી તરફ હાથ લંબાવ્યો અને બ્રહ્મચારી રૂપે આવેલા શિવજીનાં હાથમાંમૂક્યો. ત્યારથી પાર્વતીજી ‘હસ્તાલિકા’ના નામે ઓળખાવા લાગ્યા.
એકવાર શિવજીએ પાર્વતીજીને કાળી નાગણ સાથે સરખાવ્યા તેથી પતિને રીઝવવા ગૌરવર્ણ માટે તેમણે બ્રહ્માજી પાસે વરદાન મેળવવા તપ આદર્યું. બ્રહ્માજીએ ખુશ થઈને તેમનો વર્ણ ગૌર કર્યો. ત્યારથી તેઓ ‘ગૌરી’ને નામે ઓળખાવા લાગ્યા.
આમ જોવા જઈએ તો શક્તિ,નામ,કામ,ધામ સર્વ આપણા શરીરમાં કુંડલિની સ્વરૂપે વિદ્યમાન છે. શંકા-કુશંકા કરનારને આ આદ્યશક્તિનો અનુભવ થતો નથી. વિચારોના વમળોમાંથી બહાર આવી જોઈશું તો આ આદ્યાશક્તિ જીવનની હરપળે જરૂર પડે શક્તિરૂપે હાજર છે. એથી તો તેઓ ‘સર્વરૂપા’ તરીકે ઓળખાય છે.
માતાજી ‘લક્ષ્મી’ રૂપે કોલ્હાપૂરમાં વસ્યા છે. માતાજી ‘રેણુકા’ રૂપે માતુપુરમાં, ‘તુળજાભવાની’ રૂપે તુળજાપુરમાં, ‘સપ્તશૃંગી’ રૂપે નાસિકમાં વસ્યાં છે. હિંગળા, જ્વાલામાઈ, શાકંભરી, ભ્રામરી, રક્તાંબિકા, દુર્ગા જેવા જુદા જુદા નામ સાથે જુદા જુદા સ્થાને માતાજીએ વસવાટ કર્યો છે. વિદ્યાચલમાં ‘વિદ્યાચલી’ તરીકે કાંજીપુરમાં ‘અન્નપૂર્ણા’ તરીકે, નીલપર્વતમાં ‘નિલાંબા’ તરીકે સ્થિત છે. શ્રીનગર પાસે ‘જાંબુનવેશ્વરી’ તરીકે સ્થિત છે. વેદારણ્યમાં ‘સુંદરી’ તો એકાંબરમાં ‘પરાશક્તિ’,’મહીલસા’, અને ‘યોગેશ્વરી’ વળી ચીનમાં ‘નીલ સરસ્વતી’ રૂપે તેમજ મણિદ્વીપ પર્વત પર ‘ભુવનેશ્વરી’ તરીકે ઓળખાય છે. જ્યારે કામરૂપમાં ‘ત્રિપુરસુંદરી’ તરીકે પ્રખ્યાત છે.
આમ એક અને અખંડ, ભિન્ન દેખાતા માતાજી અભિન્ન છે. સદાયે આપણી સાથે રહેતા માતાજીને શત શત પ્રણામ.
— સંકલિત
ૐ નમઃ શિવાય
2 comments March 31, 2009
વાનગીમાં આવતા અંગ્રેજી શબ્દોનાં ગુજરાતી શબ્દો
આજે ચૈત્ર સુદ ત્રીજ
આજનો સુવિચાર:- નદીની વચ્ચે ગમે તેટલા અવરોધો આવે પન એ દરિયાને મળ્યા વગર રહેતી નથી.
હેલ્થ ટીપ:- એક વાડકી દહીંમાં અડધા લીંબુનો રસ ભેલવી વાળના મૂળમાં લગાડવાથી ખોડો દૂર થશે.
વાનગી પુસ્તકોમાં આવતા અંગ્રેજી શબ્દોનાં ગુજરાતી શબ્દો
અંગ્રેજી શબ્દ ગુજરાતી શબ્દ
આલ્મંડ બદામ
એલમ ફટકડી
એમરેથ ચોળીની શીંગ
એનિસીડ વરિયાળી
ઍપલસાઈડર સફરજનનો સરકો
ઍપ્રિકોટ જરદાળુ
ઍક્વા પ્રવાહી
ઍરિકાનટ સોપારી
ઍરોમા સુગંધ
ઍરમ અળવી
ઍસિફોડિટા હિંગ
બાર્લી જવ
બાર્મયીસ્ટ યીસ્ટ – ખમીર – આથો
બૅસિલ તુલસી
બૅ-લિફ તમાલપત્ર
બેસૉલ્ટ આખુ મીઠું
બીન કઠોળના દાણા
બૅગલ ગ્રામ ચણાની દાળ
બૅગલ ગ્રામ પાઉડર ચણાનો લોટ
બૅગલ ગ્રામ[હોલ] આખાચણા
બીટલ પાન
બીટલ નટ સોપારી
બીટર ગૉર્ડ કારેલા
બ્લેકગ્રામ અડદની દાળ
બ્લેક પેપર મરી
બૉટલગૉર્ડ દૂધી
કસ્ટર્ડઍપલ સીતાફળ
કોલ્વઝ લવિંગ
ડૅટ ખજૂર
ડિલ સૂવાની ભાજી
ડૉ કણક
પોમેગ્રેનેટ સીડસ દાડમ દાણા
ડ્રમસ્ટીક સરગવો
ઍગપ્લાંટ રીંગણ
ઈવાપોરેટેડમિલ્ક માવો
ફેનેલ વરિયાળી
ફેન્યુગ્રીક મેથીની ભાજી
લીફી વેજિટેબલ ભાજી સીડસ દાણા ફિગ અંજીર
ફાઈન ફ્લોર મેંદો
ગાર્લિક લસણ
જિંજર ડ્રાય [પાઉડર] સૂંઠ
જિંજર આદુ
ગૉર્ડ દૂધી
ગ્રેવી રસો
ગ્રીન ગ્રામ મગની દાળ
ગ્રીન ગ્રામ [હોલ] મગ
ગ્રાઉંડનટ શીંગ
જેક ફ્રુટ ફણસ
જેગરી ગોળ
લેંટિલ મસૂર
લેડીફિંગર ભીંડા
લોટસ સ્ટેમ કમળ કાકડી
મૅઝ મકાઈ
મિંટ ફુદીનો
[વધુ આવતા લેખમાં]
ૐ નમઃ શિવાય
2 comments March 28, 2009
વાનગીમાં આવતા અંગ્રેજી શબ્દોનાં ગુજરાતી શબ્દો
આજે ફાગણ વદ અમાસ
આજનો સુવિચાર:- અધિરાઈ એ સમજ્યા વિનાની હાનિકારક ઝડપ છે.
હેલ્થ ટીપ:- સવારના નાસ્તામાં એક વાડકી દૂધ અને વાડકી ફણગાવેલ કઠોળ ખાવાથી વાળ મજબૂત અને તંદુરસ્ત થશે.
વાનગી પુસ્તકોમાં આવતા અંગ્રેજી શબ્દોનાં ગુજરાતી શબ્દો
અંગ્રેજી શબ્દ ગુજરાતી શબ્દ
બ્રેકિશ ખારું
બ્રાન થૂલું
બ્રિંજલ રીંગણ
બ્રાઈની ખારુ
બ્રોકોલી લીલુ ફ્લાવર
બ્રોથ માંસ ઉકાળીને બનાવેલો રસ,
માંસ મચ્છીનું સૂપ
બ્રાઉન સુગર ખાંડસરી
બટર માખણ
બટરમિલ્ક છાશ
બટન ઓનિયન નાના કાંદા
કેબેજ કોબીજ
કેપ્સિકમ સિમલા મરચાં
કેરાવે અજમો
કૅરેટ ગાજર
કેશ્યુનટ કાજુ
કેસિયાલીફ તમાલપત્ર
કોબીફ્લાવર ફુલેવર
સેલીરસીડ અજમો
સિરિયલ ધાન્ય, અનાજ
ચિકપીઝ કાબુલી ચણા
ચીલી મરચા
સિનેમોન તજ
ક્લોવ લવિંગ
ફ્લસ્ટર બીંસ ગુવારફળી
કોકોનટ [ફ્રેશ] લીલું નાળિયેર
કોકોનટ ઑઈલ કોપરેલ તેલ
કોરિયાંડર કોથમીર
કોરિયાંડર સીડસ ધાણા
ક્રોટોન પાઉંના ટુકડા
કોંડિમેંટ્સ મસાલા
ક્યુકુંબર કાકડી
કરીલીફ મીઠો લીમડો
કર્ડ દહીં
[વધુ આવતા લેખમાં]
ૐ નમઃ શિવાય
Add comment March 25, 2009
અવનવું
આજે ફાગણ વદ તેરસ
આજનો સુવિચાર:- વ્યક્તિની ભાષા તેના આચાર વિચારનો આયનો છે.
હેલ્થ ટીપ:- સાંધાના દુઃખાવામાં એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુનો રસ ભેળવી આઠથી દસ વખત પીવું.
અવનવું
• અમેરિકામાં થયેલા સંશોધન દ્વારા સાબિત થયેલું છે કે ચાઈનીઝ પદાર્થોમાં અન્ય કોઈપણ પદાર્થો કરતાં સોડિયમનું પ્રમાણ 40% વધારે હોય છે અને કેલેરીનું પ્રમાણ અન્ય કોઈપણ ખોરાક કરતા ઓછું હોય છે એટલે વ્યક્તિને જેટલી કેલેરીની જરૂરત હોય છે તેના કરતાં અડધી મેળવી શકે છે. આમ ચાઈનીઝ ખોરાક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
• ધૂમ્રપાનથી હાર્ટએટેક આવી શકે છે. લોકો માને છે કે ધૂમ્રપાન કરવાથી ચિંતા ઘટે છે પરંતુ હૃદય પર તેનો ભાર વધતો જાય છે. જો તે પ્રત્યે ધ્યાન ન આપવામાં આવે તો લાંબા ગાળે ગંભીર બિમારીનો શિકાર બની શકે છે તેમજ કૅંસર થવાની શક્યતા વધે છે.
• ઠંડી છાશ પચવામાં હલકી અને પિત્તનાશક તથા કફ વધારનારી હોય છે પણ તેમાં મીઠું ભેળવી પીવાથી પાચક બને છે. સ્વાસ્થ્ય અને પાચનશક્તિ વધારવા માટે દહીં કરતા છશ વધારે ગુણકારી છે. ઉનાળામાં ગરમી બચવા,ઉદર રોગ, કુષ્ઠ રોગ, બળતરા તથા ક્ષય રોગમાં લાભદાયક છે.
• પક્ષીઓ ગીત કેમ ગાય છે?
પક્ષીઓની ભાષા નથી હોતી છતાં યે તેમનો કલરવ આપણને તેમનો અવાજ મધુર, તાલબદ્ધ અને લયબદ્ધ લાગે છે. આમ તો પક્ષીઓ એકબીજાને પ્રેમનો કે ભયનો સંદેશો આપવા અવાજ કરે છે તો કેટલાક પક્ષીઓ ગુસ્સે કે ભયભીત થાય છે ત્યારે અવાજ કરે છે કે નર – માદા એકબીજાને આકર્ષવા ગીત ગાય છે. જીવવિજ્ઞાન કાંઈ જુદુ જ કારણ બતાવે છે. પક્ષીઓની કંઠનળી અને શ્વાસનળી વચ્ચે પડદો હોતો નથી. તે દાણા ચણે છે ત્યારે ખોરાકના રજકણો શ્વાસનળીમાં જમા થાય છે. આ રજક્ણોનું પ્રમાણ વધી જાય છે ત્યારે તેને સાફ કરવી પડે છે. શ્વાસનળીમાંથી રજકણો દૂર કરવા માટે તે ફેફસાની હવા બહાર ધકેલે છે અને તેને કારણે અવાજ થાય છે. નિરીક્ષણ કરવામાં આવે તો ગીત ગાતાં પક્ષીઓની ચાંચમાંથી રજકણો ઉડીને બહાર ફેંકાતા જોશો. આ ક્રિયાથી તેમનું વધુ પડતું ચણત પણ રોકાઈ જાય છે.
• ખરતા તારા શું છે?
ક્યારેક રાત્રિ દરમિયાન આકાશમાંથી પૃથ્વી તરફ તેજ લિસોટા જોવા મળે છે. લોકો તેને ખરતા તારા કહે છે. હકીકતમાં આ ખરતા તારા નથી હોતા પરંતુ એ ઉલ્કામાંથી છુટા પડેલા અવશેષો છે જે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે તેજ લિસોટા સમાન દ્રશ્યમાન થાય છે જે સળગતી સ્થિતિમાં પૃથ્વીનાં વાતાવરણમાં પ્રવેશે છે. ક્યારેક અસંખ્ય લિસોટા જોવા મળે છે. કેટલાંક ભાગમાં નિયમિત રૂપે ઉલ્કા વર્ષા જોવા મળે છે.
• દરિયાનાં પેટાળમાં રહેતા ઑક્ટોપસ દુશ્મનોથી બચવા કાળા રંગની પિચકારી છોડે છે. તેના પેટમાં કાળારંગના પ્રવાહીની થેલી હોય છે. જ્યારે તે પિચકારી છોડે છે ત્યારે દૂર દૂર સુધી પાણી કાળું થાય છે અને એનો લાભ ઊઠાવતા તે ઝડપથી ભાગી દુશ્મનથી બચી પોતાનું રક્ષણ કરે છે.
• હાથીનાં શરીરમાં સ્વેદગ્રંથિ નથી હોતી તેથી તે પોતાની સૂંઠ દ્વારા પાણી ભરીને અવારનવાર પોતાના શરીર પર છંટકાવ કરી પોતાનું શરીર ઠંડુ રાખે છે.
• દીપડો પોતાના શિકારને સકંજામાં લેવા માટે તેના પર એટલી બધી ધૂળ ઊડાડે છે કે શિકારનો ભોગ બનનાર પ્રાણી કશું જોઈ ન શકવાથી દીપડાનો ભોગ બની જાય છે.
ૐ નમઃ શિવાય
4 comments March 23, 2009
હેલ્થ ટીપ્સ
આજે ફાગણ વદ બારસ
આજનો સુવિચાર:- અંતે રાખ, અંતરમાં ઘૂંટી રાખો.
અત્યાર સુધી મૂકાયેલી કેટલીક હેલ્થ ટીપ્સ.
હેલ્થ ટીપ:- વજન વધારવું છે? તો રાતના સૂતી વખતે હુંફાળા દૂધમાં એક ચમચી મધ ભેળવીને પીઓ.
હેલ્થ ટીપ:- અપચો [અજીર્ણ] થયો હોય ત્યારે લીંબુ અને આદુનો રસ સરખે ભાગે લઈ તેમાં ચપટી સિંધવ મીઠું ભેળવી તેમાં પાણી શરબત બનાવી દિવસમાં ત્રણ ચાર વખત પીવું.
હેલ્થ ટીપ:- કાચા પૌંઆ ખાઈને ઉપરથી પાણી ન પીવાથી માથાનો દુઃખાવો મટે છે.
હેલ્થ ટીપ:- ત્રણ અંજીરને પલાડી પોચે પડ્યે ચાવીને ખાવાથી પાઈલ્સ પર ખૂબ રાહત રહે છે. આ પ્રયોગ 15 દિવસ કરવાથી ખૂબ રાહત રહેશે.
હેલ્થ ટીપ:- ગોળના નાના ટુકડા સાથે 8 થી 10 દાણા ચારોળીના ચાવી જતાં થાક ઉતરી જશે.
હેલ્થ ટીપ:- મોંમાં પાણી ભરી આંખ પર પાણી છંટકારવાથી નેત્રની જ્યોતિ વધે છે.
હેલ્થ ટીપ:- જમતા પહેલાં ખાટાં ફળ અથવા રસ લેવા અને જમ્યા બાદ મીઠાં ફળ લાભકારી છે.
હેલ્થ ટીપ:- દાંતનાં દુઃખાવો થતો હોય ત્યારે તજના તેલનું પુમડું મૂકવાથી રાહત રહેશે.
હેલ્થ ટીપ:- સરસવનાં તેલમાં થોડી હળદર ઉમેરીને પગની માલિશ કરવાથી પગ ઘાટિલા અને સુડોળ બને છે.
હેલ્થ ટીપ:- જાંઘમાં દુઃખાવો થતો હોય ત્યારે પગનાં તળિયામાં માલિશ કરવાથી ફાયદો થાય છે.
હેલ્થ ટીપ:- સાંધાની પીડામાં ફણગાવેલી મેથી ઉત્તમ પરિણામ આપે છે.
હેલ્થ ટીપ:- નવરાત્રિ દરમિયાન કરાતા ઉપવાસ વખતે નાળિયેરનું પાણી શરીરને શક્તિ આપે છે.
હેલ્થ ટીપ:- રાત્રે કાંદાનું રાયતુ ખાવાથી ઊંઘ સારી આવે છે.
હેલ્થ ટીપ:- એસિડિટી લાગે ત્યારે થોડીક બદામ ખાઓ
હેલ્થ ટીપ:- પિત્ત વધી ગયું હોય ત્યારે બરફ નાખેલા પદાર્થો ન ખાવા અને તળેલા પદાર્થોનું સેવન ન કરવું જોઈએ
હેલ્થ ટીપ:- અઠવડિયામાં એકવાર મધનું એક એક ટીપું નાખવાથી આંખની ગરમી ઓછી થાય છે.
હેલ્થ ટીપ:- બળેલા શરીરને ઝડપી રૂઝવવા એલોવીરા અને હળદરના મિશ્રણમાં કોપરેલ ભેળવી બળેલા ભાગ પર લગાડવું.
હેલ્થ ટીપ :- શિકાગોમાં આવેલી યુનિર્વસિટીના સંશોધનકારોએ સંશોધન કરતા જણાવે છે કે કાળી ચામાં રહેલા પોલીફેનોલ્સ નામનો કમ્પાઉંડ દાંતને ધોળા રાખે છે.
હેલ્થ ટીપ :- નવા સંશોધન પ્રમાણે કસરત કરતા પહેલા હલકો નાસ્તો સ્ફુર્તિદાયક બની રહેશે અને ઝડપથી થાક લાગશે નહીં.
હેલ્થ ટીપ :- પથરીથી મુક્ત રહેવા માટે કળથીને આહારમાં સ્થાન આપો, રોજ નારંગીનો રસ પીઓ.
હેલ્થ ટીપ :- લીંબુના શરબતમાં થોડું ગ્લુકોસ અને થોડું મીઠું ભેળવીને પીવાથી લો બી.પી.માં તરત રાહત રહેશે.
હેલ્થ ટીપ:- પાતળા થવાના અભરખામાં ચોક્કસ ભોજનનો ત્યાગ નુકશાનકારક સિદ્ધ થશે.
હેલ્થ ટીપ:- ઠંડીથી બચવા પાણીમાં ખાંડેલી વરિયાળી, એલચી, લવિંગ, મરી, આદુ કે સૂંઠ સરખે ભાગે નાખી ઉકાળો. અડધો રહે ગાળી પીઓ.
હેલ્થ ટીપ:- . એક ચમચી અજમાને ગરમ પાણી સાથે ફાકવાથી પેટનું દર્દ મટે છે.
હેલ્થ ટીપ:- અતિસારમાં [ઝાડા થયા હોય] એક વાડકા દહીંમાં મેથીના દાણાનો પાઉડર મેળવી ખાઈ જાવ.
હેલ્થ ટીપ:- લોક આયુર્વેદ- મૂળો, મોગરી અને દહીં
બપોર પછી કદી નહિં.
હેલ્થ ટીપ:- માથા નીચે ગરમ કપડું રાખી ન સુવું.
હેલ્થ ટીપ:- એક ચમચી દ્રાક્ષાસવમાં થોડું પાણી ઉમેરી પીવાથી મગજની સ્ફૂર્તિ વધે છે. – લાભશંકર ઠાકર
હેલ્થ ટીપ:- ઠંડીને કારણે શરીરમા ધ્રૂજારી થતી હોય તો પગના તળિયામાં સરસિયા તેલની માલિશ કરવી.
હેલ્થ ટીપ:- ઘરે બનાવેલો શ્રીખંડ ખાવાથી જૂની શરદી મટે છે.
હેલ્થ ટીપ:- તજના ભૂક્કામાં લીંબુનો રસ ભેળવી પેસ્ટ બનાવી ખીલ પર લગાડવાથી ખીલ મટે છે.
હેલ્થ ટીપ:- તલનું તેલ મેદ નાશક કહેવાય છે. મેદ ઉતારવો હોય તો તલના તેલમાં રસોઈ કરવી.
હેલ્થ ટીપ:- ગોદંતી ભસ્મ મધમાં ચટાડવાથી બાળક માટી ખાવાનું છોડી દેશે.
હેલ્થ ટીપ:- સોજો કે મૂઢમાર વાગેલી જગ્યા પર હળદર અને મીઠું ભેગા કરી થોડા પાણીમાં ખદખદાવી લગાડવાથી રાહત રહેશે.
હેલ્થ ટીપ:- લીલી હળદર અને આદુનું કચુંબર દરરોજ લેવાથી દૂધ પીવડાવતી માતાને વધારે ધાવણ આવે છે.
હેલ્થ ટીપ:- કપાસીની કણી થઈ હોય તો તેની ઉપર થોડુ પાણી લગાડી તેની ઉપર ઈંટનો કટકો લઈ મધ્યમ વજનથી 15 થી 20 મિનિટ ઘસો. – લાભશંકર ઠાકર
હેલ્થ ટીપ:- મરીનાં ચૂર્ણને ઘીમાં ભેળવી દિવસમાં બે વખત ચાટવાથી શીળસમાં રાહત રહે છે.
હેલ્થ ટીપ:- શિયાળામાં પગમાં પડતા ચીરા નીવારવા રાત્રે સૂતા પહેલાં પગમાં ગ્લીસરીન અને ગુલાબજળનું મિશ્રણ લગાડવું.
હેલ્થ ટીપ:- વજન ઉતારવું છે? સવારના જમતા પહેલા બે ગ્લાસ છાશ પીઓ અને સાંજના ભોજનમાં સૂપ અને વરાળમાં બાફેલા શાકભાજી ખાઓ.
ૐ નમઃ શિવાય
Add comment March 22, 2009
કોણ ?
આજે ફાગણ વદ એકાદશી
આજનો સુવિચાર :-. ફરજ સારા માર્ગે દોરી જાય છે પરંતુ લગન તે માર્ગને સુંદર બનાવે છે.
હેલ્થ ટીપ :- ડિપ્રેશનથી દૂર રહેવા પોતાના ઉપર હસતા રહો.
કોણ???

કવિશ્રી:- સુન્દરમ
પુષ્પતણી પાંદડીએ બેસી હસતું કોણ ચિરંતન હાસ્ય?
પૃથ્વી ઉરથી ઊઠે કોનો સુરભિત પુલકિત મુખરિત શ્વાસ?
કોણ બદલતું સંધ્યાકાશે પલપલ નવલાં પ્રેમળ ચીર?
કોણ ઊછળતી મોકલતું નિજ કુમળી ઉર્મિ સરવરતીર?
અહો! ગૂંથતું કોણ પૃથ્વીને સેંથે ઝાકળ મોતીમાળ?
તરુએ તરુએ ફળતી કોની આશા કેરી સાખ રસાળ?
કોનાં કંકણ આજે એકલ સરીતા કેરે સૂને ઘાટ?
પર્વતને શિખરે સ્થિર બેસી કોણ સનાતન જોતું વાટ?
ઓ સારસની જોડ વિષે ઊડે છે કોની ઝંખનઝાળ?
અહો! ફલંગે કોણ અધીરું વાદળ વાદળ માડી ફાળ?
અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતનરૂપ ?
કાળકાળતણી ધરતીમાં ખોદી રહ્યું જીવનનાં કૂષ?
ૐ નમઃ શિવાય
Add comment March 21, 2009
સુખી અને સંતોષી જીવનનાં સૂત્રો
આજે ફાગણ વદ સાતમ
આજનો સુવિચાર :- નાનામાં નાની વસ્તુથી સંપૂર્ણતા મેળવી શકાય છે પરંતુ સંપૂર્ણતા એ કાંઈ નાની વસ્તુ નથી.
હેલ્થ ટીપ :- લીલા મીંઢળનો રસ માથે ચોપડવાથી જૂ નાશ પામે છે.
સુખી અને સંતોષી જીવનનાં નવ સૂત્રો
1] કામ કરવામાં આનંદ આવે એટલા પ્રમાણમાં સ્વાસ્થ્ય—
2] જરૂરિયાતો સંતોષી શકાય એટલું ધન —
3] મુશ્કેલીઓનો સામનો કરી, તેને માત કરવા માટેનું બળ —
4] પોતાની ભૂલ કબૂલ કરવા જેટલી મનની મોટાઈ —
5] પરિશ્રમ કરવાની અને સિદ્ધિ ન મળે ત્યાં સુધી પ્રયત્નો ચાલુ રાખવા જેટલી ધીરજ—
6] પાડોશીઓમાં સુન્દરતા, સજ્જનતા શોધી કાઢવા જેટલી ખેલદિલી —
7] બીજાને ઉપયોગી થવા જેટલો પ્રેમ —
8] ઈશ્વરની કૃતિઓને સમજવા માટેની શ્રદ્ધા —
9] ભવિષ્યની ચિંતા અને ડર ન રહે એટલા પ્રમાણમાં આશા.
ૐ નમઃ શિવાય
3 comments March 17, 2009
પરીક્ષા
આજે ફાગણ વદ છઠ
આજનો સુવિચાર:-માણસને બોલવાનું શીખતા બે વર્ષ લાગે છે, પણ મુંગા ક્યારે રહેવું એ શીખતા એની આખી જિંદગી વીતી જાય છે.
હેલ્થ ટીપ:- એસિડિટી હોય તો ગુલકંદનું સેવન કરો.
[યુ.એસ.એ. સ્થિત શ્રી રમેશભાઈ પટેલે એમની આ રચનાઓ મોકલવા બદલ મેઘધનુષ આભારી છે.]

પરીક્ષા
ત્રણ અક્ષરનું નામ તું પરીક્ષા
પ્રગતિનું તું છે દર્પણ પરીક્ષા
જ્ઞાનનો મહીમા અનેરો દેશ વિદેશે
નવયુગના થઈ તારા ચમકો આકાશે
વિદ્યા ઉપાસના એજ જીવનનું તર્પણ
કેળવણી છે સંસ્કારનું સોનેરી નિરુપણ
શ્રી રમેશભાઈ પટેલ (આકાશદીપ)
*******************************************
ચીમ્પુભાઈની પરીક્ષા
ભૂલી ભણવાનું હાય! કીધી અમે મજા
ભલા મમ્મી પપ્પાને થાશે હવે સજા
ડરતો ચીમ્પુ બોલ્યો ઓ પપ્પા
આવે છે દોડતી મારી પરીક્ષા
ચિમ્પુ છે નાનો સૌનો લાડકડો
પરીક્ષાના ભારે ચડ્યો છે તાવલો
ચીમ્પુભાઈને ગાદી ને તકિયા
મમ્મી આવી લેતી બલૈયા
શાળાનું પત્રક વાંચે જનકરાય
નોકરીયેથી રજા રાખે જનકરાય
આવી પરીક્ષા ને જાગે જનકરાય
વાંચવાનું ટેબલ બનાવે જનકરાય
ચીમ્પુને પાનો ચડાવે જોશે જનકરાય
પૂછાતા પ્રશ્નો કરાવે હોંશે જનકરાય
ચીમ્પુ ઝોકે ચડે ને ઉઠાડે જનકરાય
ચાનું થરમોસ વારેવારે માગે બટુકરાય
ગાંઠીયા ભાવનગરી તળે જનકરાય
પરીક્ષાના ઉજાગરા કરે જનકરાય
ગોળ સાકરના ટૂકડા મુખે મૂકતો ભાઈ
આવી પરીક્ષાને જંગે હાલ્યા ચીમ્પુભાઈ
પરીક્ષા આપી ચીમ્પુભાઈ હરખે હરખે ફૂલાયા
પાસ થયો ચીમ્પુ ને વધામણી ખાય જનકરાયા
શ્રી રમેશભાઈ પટેલ(આકાશદીપ)
ૐ નમઃ શિવાય
1 comment March 15, 2009
ચાલો મુંબઈની સહેલગાહે
આજે ફાગણ વદ ત્રીજ [તિથિ અનુસાર શિવાજી જયંતી]
આજનો સુવિચાર :- આ દુનિયામાં ભૂલ કરનાર ઘણા છે, પરંતુ ભૂલને કબૂલ કરનારા અને ફરીથી ભૂલ ન કરનારા બહુ ઓછા છે.
હેલ્થ ટીપ :- જાંબુનાં પાનને ઉકાળી તેનાં કોગળા કરવાથી ગળાની તકલીફ દૂર થાય છે.
ચાલો મુંબઈની સહેલગાહે
ઉનાળાની વેકૅશનમાં શાંત બીચ પર આરામ કરવાનો કાંતો પર્વતારોહણની અનેરી મઝા છે. આપણા દેશમાં વેકૅશન વીતાવવા વિવિધ વિકલ્પો છે. મુંબઈની આસપાસ જો રહેવું હોય અને બીચ પર આરામ કરવાનો વિચાર આવતો હોય કાં તો પર્વતારોહણની અનેરી મઝા લેવી હોય તો આ વિકલ્પો છે. જેને વિષે ઘણા લોકો જાણતા પણ નથી.

લોનાવલામાં ડ્યુક્સ નોઝ:-
11,000 ફૂટની ઊંચાઈ ધરાવતો આ નાગફણી પર્વત છે. પણ આ સ્થળ ‘ડ્યુકસ નોઝ’ તરીકે વધારે જાણીતુ છે. આ પર્વતનો આકાર ડ્યુક ઑફ વેલિંગ્ટનના નાકના આકારને મળતો આવે છે. આ સ્થળ મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પરથી નજરે પડે છે. સાહસિકોમાં આ સ્થળ પ્રિય છે. અહીંથી કાર્લાની ટેકરીઓની કુદરતી શોભા દૃશ્યમાન થાય છે. એડ્વેંચર ગ્રુપો રેપ્લિંગ જેવી રમતોનું આયોજન ઉનાળામાં કરે છે.
આ સ્થળે ટ્રેકિંગ કરવાનો ઉત્તમ સમય મે થી સપ્ટેંબર સુધીનો છે. પર્વતની ચોટ પર નાનકડું મંદિર છે. અહીંથી પશ્ચિમ મહારાષ્ટ્રનું સૌથી ઊંચું શિખર કળસુબાઈ પણ દેખાય છે.

દૂરશેત:-
હિમાલય સુધી ગયા વગર વહેતા પાણીમાં રાફ્ટિંગની મઝા લેવી હોય તો આ સ્થળ યોગ્ય છે. લોનાવલાની નજીક ‘કુંડલિકા’ નદીના ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હોવાથી રાફ્ટિંગ કરવું શક્ય છે.
મુંબઈ 3 કલાકને અંતરે આવેલા ખપોલી નજીક આ સ્થળ 30 એકરમા આંબાના અને મહુવાના વનની વચ્ચે આવેલું છે. અહીં રોક ક્લાઈમ્બિંગ, રેપલિંગ, ટ્રેકિંગ અને રિવર રાફ્ટિંગ કરી શકાય છે. રાફ્ટિંગ માટે સવારનો સમય ઉત્તમ છે જ્યારે બંધનું ધસમસતુ પાણી છોડવામાં આવે છે.

તકમક ટોક:-
ટ્રેકિંગના રસિક માટે રાયગઢનો કિલ્લો આદર્શ સ્થળ છે જે ત્રણ બાજુથી પર્વતોથી ઘેરાયેલો છે. શિવાજી દ્વારા બંધાયેલો આ કિલ્લો મહારાષ્ટ્રમા જળવાયેલા ઉત્તમ કિલ્લાઓમાંનો એક છે. તકમકટોક આ પર્વતોમાં આવેલું છે. આ સ્થળનું ઐતિહાસિક મહત્વ એ છે કે રાયગઢના આ હિસ્સો શિવાજીના સમયમાં ગુનેગારનો વધ માટે વપરાતો હતો.
બીચ પર ફરવા ઈચ્છા ધરાવતા હો તો તરકારણી, ગણપતિ ફૂલે, મુરૂડ, વિલાઘર જવા જેવા સ્થળો છે.

તરકારણી:-
મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામ6 આવેલો આ બીચ નયનરમ્ય બીચમાંનો એક છે. અહીંનો બીચ એટલો સ્વચ્છ છે કે દિવસે દરિયાની સપાટીથી 20 ફૂટની ઊંડાઈ સુધી દરિયાનું તળિયું સ્પષ્ટ જોઈ શકાય છે. ગોવા તરફ જવાના રસ્તે મુંબઈથી 550 કિલોમીટર દૂર આવેલું આ સ્થળ લોકપ્રિય છે.

ગણપતિફૂલે:-
કોંકણના કિનારે આવેલું આ બીચ ગણેશ મંદિરને કારણે પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર બની રહ્યું છે. ગાઢ મેગોવાથી છવાયેલા આ વિસ્તારમાં માલ્ગુંડ અને વેષણેશ્વર જેવા ગામ પણ આવેલા છે.

મુરૂડ:-
મુંબઈથી 150 કિલોમીટર દૂર આવેલા આ બીચ સુધી પહોંચતા 4 કલાક લાગે છે. અહીંનું મુખ્ય આકર્ષણ અહીંની સફેદ રેતી, ખ્જૂરનાં વૃક્ષો અને સ્વચ્છ વાદળી પાણી છે. અહીંથી વિખ્યાત જંજિરાના કિલ્લાની મુલાકાત પન લઈ શકાય છે. આ કિલ્લો દરિયામાં બાંધવામાં આવેલો છે જે એક સમયે અભેદ્ય ગણાતો હતો.

વિલાઘર:-
માઈલો સુધી સફેદ રેતી છવાયેલો આ બીચ માલવણથી 10 કિલોમીટરનાં અંતરે આવેલો છે. અહીંના દરિયામાં ડોલ્ફિન માછલીઓ જોવા મળે છે. આ સ્વચ્છ બીચ પર દરિયા તરફ જોઈ શકાય તેવા તંબુ પણ છે.
મુંબઈમાં અંબરનાથનું શિવાલય જોવાલાયક છે.
http://shivalay.wordpress.com/2009/03/13/shiv-dham/
ૐ નમઃ શિવાય
9 comments March 13, 2009
પિચકારી મારો નહીં ગિરધારીલાલ રે
આજે ફાગણ સુદ પૂનમ [ધુળેટી, શ્રી ચૈતન્ય જયંતિ]
આજનો સુવિચાર:- ‘લેટ ગો’ નામનો મંત્ર એ શાંતિને આમંત્રણ આપે છે.
હેલ્થ ટીપ:- સંતરાની તાજી છાલને હાથ પર રગડવાથી ત્વચા સાફ થઈ જશે.

પિચકારી મારો નહીં ગિરધારીલાલ રે
મારા હૈયામાં ફાગણનો ફોરમતો ફાલ રે
પીચકારી મારો નહીં ગિરધારીલાલ રે
તારા તે કાળજાને કેસુડે લાલ લાલ ઝૂલે
મારા અંતરની ડાળ રોમ આ રંગાઈ મારુ
તારી તે આંખમાં ઉડતા અણસાર ને ગુલાલ
રાધિકાનો રંગ એક તારું તે વ્હાલ રે
પિચકારી મારો નહીં ગિરધારીલાલ રે
મીઠેરી મોરલીના સૂર તણી ઘાર થકી
ભીનું મારું આયખાનું પોત અંતરને આંખના,
અબીલ ને ગુલાલની આજ લાગી વ્હાલની મને ચોટ
રાધિકાનો રંગ એક તારું તે વ્હાલ રે
પિચકારી મારો નહીં ગિરધારીલાલ રે
— શ્રી સુરેશ દલાલ
ૐ નમઃ શિવાય
Add comment March 11, 2009

