Posts filed under 'અવનવું'

થોડું શોધવાનો પ્રયત્ન કરો [જવાબ]

                      આજે વૈશાખ સુદ એકાદશી

આજનો સુવિચાર:- પોતાની પાંખ પર ઊડતા શીખો, અન્યની પાંખે ઊડવાનું શક્ય નથી.

 

હેલ્થ ટીપ:- લીંબુના રસમાં દૂધ અથવા મલાઈ અને ગુલાબજળ નાખી મિક્સ કરો અને ચહેરા, હાથ-પગ પર લગાવો. આ મિશ્રણ બ્લિચિંગનું કામ કરશે.

 

આપ સહુએ ઉત્તરો આપવા સારો પ્રયત્ન કર્યો છે તે બદલ આપ સહુનો આભાર.

થોડું શોધવાનો પ્રયત્ન કરો [જવાબ]

1] જુના કાળનો ‘સુમેરુ’ પર્વત અત્યારે ક્યાં છે?

આમાં બે મત છે. [1] કેદારનાથનો પર્વત – ગઢવાલનો રૂદ્ર મહાલય [2] કૈલાસ- તિબેટમાં આવેલ છે.

2] ગુજરાતના ‘સોલંકી’ યુગનો ‘લાટ’ પ્રદેશ કયો?

મહી અને તાપી નદીની વચ્ચેનો પ્રદેશ

3] કયા ત્રણ સંતોનો અંત કોઈ જાણતું નથી?

[1] મીરા જે દ્વારિકાધીશની મૂર્તિમાં સમાઈ ગયાં

[2] તુકારામ જે વિઠ્ઠલ વિઠ્ઠલ કરતા સદેહે સ્વર્ગમાં ગયા. [3] ચૈતન્ય મહાપ્રભુજી જે હરિૐ કરતાં જગન્નાથમાં ભળી ગયા.

4] ‘ગુડાકેશ’ કોનું નામ છે?

અર્જુન

5] મથુરામાં કૃષ્ણને મારવા કયા ચાર મલ્લોને કંસે તૈયાર રાખ્યા હતા?

શલ, તોશલ, ચાણૂર, મુષ્ટિક

 

6] ક્રિક્ર્ટનું બેટ મુખ્યત્વે કયા વૃક્ષનાં લાકડામાંથી બનાવવામાં આવે છે?

‘વિલો’ નામના વૃક્ષમાંથી બને છે.

7] ઈ.સ. 1999 અને ઈ.સ. 2003નો ક્રિકેટ વર્લ્ડ કપ ક્યાં રમાયો હતો. તેમાં વિજેતા દેશ ક્યો હતો?

1999 – ઈંગ્લેંડ- વિજેતા ઑસ્ટ્રેલિયા 2003- દક્ષિણ આફ્રિકામાં – વિજેતા ઑસ્ર્ટેલિયા

8] ભારતનો સૌથી ઊંચો મિનારો ‘કુતુબ મિનારો’ ક્યાં આવેલો છે?

દિલ્હી

9] ‘ગુરૂ’ ફિલ્મ કોના જીવન પર આધારિત છે?

ધીરુભાઈ અંબાણી

10] ‘ગીતાંજલિ’ કૃતિ માટે નોબેલ પ્રાઈઝ કોને મળ્યું હતું?

રવીન્દ્રનાથ ટાગોર

 

11] ‘ડ્રીમ ગર્લ’નું બિરૂદ કઈ અભિનેત્રીને મળ્યું હતું?

હેમા માલિની

 

12] સોમનાથનું મંદિર ક્યાં આવેલું છે?

વેરાવળ

13] ‘શિક્ષકદિન’ કોની યાદમાં ઊજવાય છે?

ડૉ. એસ. રાધાકૃષ્ણન

 

14] ગાંધીજીનું પ્રિય ભજન કયું હતું?

વૈષ્ણવ જન તો તેને રે કહીએ

 

15] ‘મહિલા હૉકી’ સાથે સંકળાયેલી શાહરુખ ખાન અભિનિત ફિલ્મ કઈ છે?

ચક દે ઈંડિયા

 

                                            ૐ નમઃ શિવાય


2 comments May 14, 2008

થોડું મગજ કસવાનો પ્રયત્ન કરશો?

                            આજે વૈશાખ સુદ દસમ

 

આજનો સુવિચાર:- માણસ આદર્શ માટે કામ કરે છે ત્યારે તેનો સામનો કરવો મુશ્કેલ બની જાય છે.

 

હેલ્થ ટીપ:- જે બાળકને ચૉક ખાવાની આદત હોય તેને પાકેલું કેળું મધમાં મસળી દિવસના બે વાર ખવડાવવાથી આદત છોડાવવામાં મદદ કરશે.

 

        થોડું મગજ કસવાનો પ્રયત્ન કરશો ?

 

1]   જુના કાળનો ‘સુમેરુ’ પર્વત અત્યારે ક્યાં છે?

2]   ગુજરાતના ‘સોલંકી’ યુગનો ‘લાટ’ પ્રદેશ કયો?

3]   કયા ત્રણ સંતોનો અંત કોઈ જાણતું નથી?

4]   ‘ગુડાકેશ’ કોનું નામ છે?

5]   મથુરામાં કૃષ્ણને મારવા કયા ચાર મલ્લોને કંસે તૈયાર રાખ્યા હતા?

6]    ક્રિક્ર્ટનું બેટ મુખ્યત્વે કયા વૃક્ષનાં લાકડામાંથી બનાવવામાં આવે છે?

7]    ઈ.સ. 1999 અને ઈ.સ. 2003નો ક્રિકેટ વર્લ્ડ કપ ક્યાં રમાયો હતો. તેમાં વિજેતા દેશ ક્યો હતો?

8]    ભારતનો સૌથી ઊંચો મિનારો ‘કુતુબ મિનારો’ ક્યાં આવેલો છે?

9]    ‘ગુરૂ’ ફિલ્મ કોના જીવન પર આધારિત છે?

10]   ‘ગીતાંજલિ’ કૃતિ માટે નોબેલ પ્રાઈઝ કોને મળ્યું હતું?

11]   ‘ડ્રીમ ગર્લ’નું બિરૂદ કઈ અભિનેત્રીને મળ્યું હતું?

12]   સોમનાથનું મંદિર ક્યાં આવેલું છે?

13]   ‘શિક્ષકદિન’ કોની યાદમાં ઊજવાય છે?

14]   ગાંધીજીનું પ્રિય ભજન કયું હતું?

15]   ‘મહિલા હૉકી’ સાથે સંકળાયેલી શાહરુખ ખાન અભિનિત ફિલ્મ કઈ છે?

 

                                          ૐ નમઃ શિવાય


8 comments May 13, 2008

અસત્યનારાયણના આધુનિક સહસ્ત્ર નામો

                     આજે વૈશાખ સુદ આઠમ

 

આજનો સુવિચાર:- કૌશલ્ય અને સદગુણનો વિકાસ જ માણસની પારાશીશી છે.

 

હેલ્થ ટીપ:- ગરમીની ઋતુમાં આમળાનો મુરબ્બો ખાધા પછી દૂધ પીવાથી શારીરિક અને માનસિક દુર્બળતામાં રાહત આપે છે.

 

સુરેશ દલાલ લિખિત અસત્યનારાયણની પૂજાના આધુનિક સહસ્ત્રનામો જોઈએ.

 

ૐ રૂપયાય નમઃ                    ૐ ડ્રાફ્ટાય નમઃ                  ૐ યશવંત સિન્હા નમઃ

ૐ ડોલરાય નમઃ                   ૐ ઑવરડ્રાફ્ટાય નમઃ          ૐ આર.બી.આઈ. નમઃ

ૐ પાઉન્ડાય નમઃ                 ૐ બેંક-બેલેંસાય નમઃ           ૐ બિઝનેસ-મેનેજમેંટાય નમઃ

ૐ રૂબલાય નમઃ                  ૐ બેંક કાઉંટરાય નમઃ           ૐ એન.આર.આઈ નમઃ

ૐ લીરાય નમઃ                   ૐ બેંક મેનેજરાય નમઃ          ૐ કાર્ડિયોગ્રામાય નમઃ

ૐ બેંકાય નમઃ                    ૐ બેંક ડિરેક્ટરાય નમઃ          ૐ બ્લડપ્રેશરાય નમઃ

ૐ કૉપરેટિવ બેંકાય નમઃ       ૐ લોનાય નમઃ                   ૐ ડાયાબિટીસ નમઃ

ૐ નેશનલાઈઅઝ્ડ બેંકાય નમઃ ૐ હૂંડી હૂંડાય નમઃ            ૐ ડૉક્ટરાય નમઃ

ૐ ઈંટરનેશનલ બંકાય નમઃ     ૐ નરસિંહરાવાય નમઃ       ૐ નર્સાય નમઃ

ૐ વર્લ્ડ બેંકાય નમઃ               ૐ હર્ષદાય નમઃ               ૐ ઑટોપ્સીકરાય નમઃ

ૐ પાસબુકાય નમઃ                ૐ બિરલાય નમઃ             ૐ ઍંજિયોગ્રાફી નમઃ

ૐ ચેક્બૂકાય નમઃ                  ૐ ટાટાય નમઃ                ૐ બાયોપ્સીકરાય નમઃ

ૐ સ્લિપબુકાય નમઃ               ૐ અંબાણી નમઃ              ૐ મિડિયોકરાય નમઃ

 

                                     ૐ નમઃ શિવાય


8 comments May 12, 2008

અખંડ ખાંસીનું ખંડ કાવ્ય

                         આજે ચૈત્ર વદ ચૌદસ

આજનો સુવિચાર:- જેનામાં નમ્રતા નથી આવતી તેઓ વિદ્યાનો સદુપયોગ નથી કરી શકતા, નમ્રતાનો અર્થ અહમભાવનો અત્યંત ક્ષય. – ગાંધીજી

હેલ્થ ટીપ્સ:- લાલ રંગ ભૂખ વધારનારો છે તો તેનો ઉપયોગ ડાઈનિંગ ટેબલ અને રસોડામાં વપરાય તો લાભદાયક છે.

 

    આજનાં એટલે તા. 4/5/2008 ના જન્મભૂમિ પ્રવાસીના તીરકીટધા વિભાગના લેખક શ્રી સ્નેહલ મઝુમદાર લીખિત એક અનોખુ હાસ્યકાવ્ય આવેલું છે. જેની રજુઆત અહીં કરું છું.

 

અખંડ ખાંસીનું ખંડકાવ્ય

શાર્દૂલવિક્રીડિત

ખાતો’તો કુલ્ફી અને શરબતી પીણાં અને ફાલુદા
માંહી નાખત ટુકડાં બરફના કૉફી તણાં ગ્લાસમાં
એસી ચાલત, કાળઝાળ ગરમી, પંખો ફરે જોરમાં
ઠંડુગાર ગમે મને, ન પરવા, ના છોડવી’તી મજા

 

વસંતતિલકા

આજે અચાનક મને શરદી થઈ છે
કંઠે ભર્યો કફ અને મુજ સાદ બેઠો
ખાધી નિમેષનયને ભરપૂર છીંકો
ખાંસી વધી ગઈ રહ્યો પટકી હું માથું

 

શિખરિણી

ભમે છે માથું ને સકળ તાવે ધગધગે
દુઃખે વાંસો આખો શિથિલ પગલાં શા ડગમગ
નથી સૂતો રાત્રે સજળ નયને નાક ગળતું
રહું બેચેનથી નહિ ગમતું કો કામ કરવું

 

શાર્દૂલવિક્રીડિત

ખોં ખોં ખોં કરતા નિશા ગુજરતી, ના કાંઈ સૂઝે મને
વીતી કેમ કરી ન જાણું રજની, ચાંદો ભલે ચોકમાં
ડાબેથી જમણે ફર્યાં મેં પડખાં, થાકી ગયો હાંફતા
થાઓ ના મુજ શત્રુને ય શરદી, ત્રાસી ગયો બલમા

 

મંદાક્રાંતા

સૂણો સૂણો ઉધરસ અને છીંકની શી દવાછે?
ઠંડા પીણાં બરફ કુલ્ફી માણવાની સજા છે
ધ્રૂજે આખુ6 તનબદન જે કંપતું થૈ બુખારી
લેવી ગોળી, કફસીરપ કે ઔષધો સોય ભોંકી ?

 

વસંતતિલકા

બેઠેલ કંઠે કરતો નવલાં લવારા
છીંકો અને ઉધરસો નિત સાથ વહાલાં
છોડે કદી ન મુજ સંગ બની પરાયા
જીયો ભયો તમ સખી, ધન ભાગ્યા મારાં

 

                                                 ૐ નમઃ શિવાય


10 comments May 4, 2008

શ્રી રાધાવતાર - એક પુસ્તક પરિચય

આજે ચૈત્ર વદ સાતમ [કાલાષ્ટમી]

 

આજનો સુવિચાર:- ભગવાન ભાર વિનાનો હોવો જોઈએ. — મોરારીબાપુ

હેલ્થ ટીપ્સ:- ચૈત્ર મહિનામાં લીમડાનું ખૂબ મહત્વ જણાવવામાં આવ્યું છે. ચામડીના રોગમાં લીમડો ઉત્તમ ગણાય છે.

શ્રી રાધાવતાર –એક પુસ્તક પરિચય

દ્વાપરમાં શ્રી કૃષ્ણનો એક નથી અવતાર,
શ્રીરાધાવતારનો સમકાલીન આધાર;
વ્યાસ પ્રણીત ભાગવતમહીં ‘રાધા’ સાક્ષાત્કાર,
શુકદેવનાં આરાધ્ય તો રાધાજી સરકાર !

 

શ્રી રાધા – રુકમણી મિલન

 

         આખરે ઉષાનો રક્તવર્ણી ઉજાશ ધીરે ધીરે પીતરંગી બનીને, શાંતિના શ્વેત વર્ણમાં પલટાઈ ગયો. ત્યારે ભગવાન સૂર્યનારાયણે દ્વારિકાના પૂર્વાકાશે ડોકિયું કર્યું. છેલ્લા નવદસ દિવસથી દ્વારિકામાં પધારેલાં સાધુસંતો અને વિદ્વજ્જનો હવે પોતપોતાના સ્થાને પરત જવા માટે ‘સંતશિબિરમાંથી વિદાય થઈ ગયા. આમંત્રિત ઋષિમુનિગણે વિચાર કર્યો કે આટલે સુધી આવ્યા છીએ તો ચાલો, દ્વારિકા પાસેના પુરાણપ્રસિદ્ધિ પિંડારક તીર્થક્ષેત્રની મુલાકાત લઈ, ત્યાનાં સમુદ્રમાં સમૂહમાં સમૂહસ્નાન કરીને પછી છૂટા પડીએ ! સૌએ પિંડારક તીર્થક્ષેત્ર ભણી પ્રયાણ કર્યું.

    બનવાકાળે એવું બન્યું કે, જેમના વર્તનથી શ્રીકૃષ્ણ સદૈવ ચિંતિત રહેતા હતા તેવા કેટલાક યાદવ નબીરાઓ આ વખતે એ બાજુ સહેલગાહે નીકળ્યા હતા અને મદિરા પીને મદોન્મત્ત બની સ્વછંદ વિહાર કરી રહ્યા હતા. એમની નજર આ ઋષિવૃંદ પર પડી અને તેમને એમની મશ્કરી કરવાની કુબુદ્ધિ સૂઝી. રાણી જાંબવતીના પુત્ર સાંબને સ્ત્રીનો વેશ પહેરાવી, એના પેટ પર છબડા ઘાટનું લોખંડનું તબાહરું બાંધી આ તોફાની યાદવો એને ઋષિગણ પાસે લઈ ગયા અને કૃત્રિમ નમ્રતા ધારણ કરીને પૂછ્યું :” મહારાજ! આ સ્ત્રી સગર્ભા છે. આપ તો ત્રિકાળજ્ઞાની છો, તો કૃપા કરીને એટલું કહો કે આ સ્ત્રીને પુત્ર પ્રસવશે કે પુત્રી ? એ પોતે આવું પુછતાં શરમાય છે તેથી એના વતી અમે આપને પૂછી રહ્યા છીએ….”

     આર્યાવર્તના શ્રેષ્ઠ ઋષિવૃંદની યાદવકુમારો દ્વારા આ રીતે થઈ રહેલી મશ્કરી એમાંના એક પ્રખર જ્ઞાની ઋષિથી સહન ન થઈ શકી અને કોપાયમાન થઈને તે ગર્જી ઊઠ્યા :” મૂર્ખના સરદારો ! બીજા કોઈની નહિ ને અમારી મશ્કરી ? ધિક્કાર છે તમને ! જાવ, આ સ્ત્રી તમારા આખા યાદવકુળનો નાશ કરનારા મૂશળને જન્મ આપશે………”

      મુનિનો શાપ સાંભળતાં પાંદડાની જેમ થરથર ધ્રુજતા યાદવકુમારો ત્યાંથી દોટ મૂકીને ભાગ્યા. થોડેક દૂર ગયા પછી તેમણે સાંબનો સ્ત્રીવેશ દૂર કર્યો અને પેલું તગારું છોડ્યું, તો અંદરથી સાચે જ એક મૂશળ નીકળ્યું ! ભય અને ચમત્કારથી હતપ્રભ થઈ ગયેલા તેઓ સૌ દોડતા રાજમહેલે આવ્યા અને સીધા ‘દેવકીભવન’ પર ગયા.

        હજી હમણાં જ સ્નાનપૂજાથી પરવારીને માતાપિતાને પ્રણામ કરવા દાઉ સાથે અત્રે આવીને બિરાજેલા વાસુદેવે પોતાના પુત્રો સહિત કેટલાક યાદવકુમારોને હાંફતા ને ધ્રૂજતા અંદર પ્રવેશતા જોઈ આંખો બંધ કરી દીધી. વસુદેવનું મોં પડી ગયું અને બલરામે એકદમ આગળ વધી સાંબનો હાથ પકડ્યો અને શું થયું પૂછવા માંડ્યું. સાંબે વીલે મોંએ જે બન્યું હતું તે બીતાંબીતાં કહી દીધું અને પેલું મૂશળ એમના ચરણમાં મૂકી દીધું. મૂશળ જોઈને એક વાસુદેવ સિવાય સૌ કોઈનાં મોં આશ્ચર્યથી પહોળાં થઈ ગયાં………

વધુ વાંચો ‘શ્રીરાધાવતાર’ ધાર્મિક-મૌલિક નવલકથામાં

 

:લેખક: પ્રિ. ભોગીભાઈ સી. શાહ:
એમ.એ.એમ.એડ. જ્ઞાનરત્ન.
નિવૃત આચાર્ય,
શેઠ ચી.ન.જી.ટી.સી.,
અમદાવાદ

                                                 ૐ નમઃ શિવાય


4 comments April 27, 2008

જીવનની સૌથી સુંદર પળો

                         આજે ફાગણ વદ એકાદશી

આજનો સુવિચાર:- સેવા જેટલો આનંદ આપે છે તેટલો આનંદ ‘મેવા’ નથી આપતા.

હેલ્થ ટીપ્સ:- કૉલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવા દૂધી તથા કાકડીનો રસ ફાયદાકારક છે.

                                       જીવનની સૌથી સુંદર પળો

1. પ્રેમ કરવો.

2. પેટ દુઃખે ત્યાં સુધી હસવું.

3. લાંબી મુસાફરી કરવી.

4. રેડિયો પર મનગમતા ગીતો સાંભળવા.

5. વરસાદની પડતી બુંદોના અવાજની લિજ્જત મ્હાલતાં સૂઈ જવું….. ddd

6. શાવર લઈને પોતાની જાતને હુંફાળા ટુવાલમાં વીંટળાઈ જવું.

7. ફાઈનલ પરીક્ષામાં સારા મર્ક્સથી પાસ થવું.

8. મનગમતી ચર્ચામાં ભાગ લેવો..

9. જુના કપડામાંથી પૈસા મેળવવા.

10. પોતાની જાત પર ખુબ હસવું.

11. મિત્રો સાથે મનગમતું ભોજન લેવું.

12. કારણ વગર હસવું.

13. “અચાનક” કોઈને પોતાના વિષે સારું કહેતા સાંભળવું.

14. સૂર્યાસ્ત જોવો.

15. ગીત સાંભળતા પોતાના જીવનની અંગત વ્યક્તિને યાદ કરવી.

16. પ્રથમ ચુંબન મેળવવું અથવા આપવું.

17. પોતાની ગમતી વ્યક્તિને જોતાં જ શરીરમાં ઉભરાતો ઉમંગ અનુભવવો.

18. મિત્રો સાથે સમય પસાર કરવો..

19. ગમતી વ્યક્તિને આનંદિત થતા નિહારવું.

20. મનગમતી વ્યક્તિનું શર્ટ પહેરી તેમાંથી પરફ્યુમની આવતી મીઠી સુગંધ મ્હાલવી.

21. જુના મિત્રો સાથે જુના સંસ્મરણો વાગોળવા.

22. જ્યારે કોઈ “I LOVE YOU” કહે તે સાંભળવું.

http://meresapane.spaces.live.com/recent/

                                                      ૐ નમઃ શિવાય


8 comments April 2, 2008

HAPPY WOMEN’S DAY

                              આજે ફાગણ સુદ એકમ

આજનો સુવિચાર:- નારી તુ નારાયણી.

હેલ્થ ટીપ:- તાવ ઊતારવા ધાણાનું પાણી અને સાકર પીઓ.


| View Show | Create Your Own 

HAPPY    WOMEN’S   DAY

                                 ૐ નમઃ શિવાય


6 comments March 8, 2008

આજના SMS

આજે મહા વદ છઠ્ઠ

આજનો સુવિચાર:- જ્ઞાન એવી પાંખ છે, જે આપણને સ્વર્ગ તરફ ઉડાડીને લઈ જાય છે.

હેલ્થ ટીપ્સ:- ધાણાને સૂંઠ સાથે પીવાથી ભૂખ ઉઘડે છે.

આજના એસ.એમ.એસ.

લબ્ઝ ના નિકલે
ફિર ભી આવાઝ હોતી હૈ
કુછ લમ્હોં કી બાત ખાસ હોતી હૈ,
આપ ચાહે માને યા ના માને
લેકિન આપ કી યાદ
હંમેશા દિલ કે પાસ રહેતી હૈ.

—–*****——*****—–

જીવનમાં રસ નથી
મરવામાં જશ નથી
ધંધામાં કસ નથી
જાવું છે USA પણ
ત્યાં મંદીનો કોઈ અંત નથી
સારા ઠેકાણે લઈ જવા
સારી બસ ઊપડતી નથી.

                                       ૐ નમઃ શિવાય


3 comments February 27, 2008

યાદ કરો [જવાબ]

                        આજે મહા વદ ચોથ [સંકષ્ટી ચોથ]
આજનો સુવિચાર:- દરેક માનવીમાં ઈર્ષાનો અંશ હોય છે જેને કારણે તે બીજાની પ્રગતિ સહન કરી શકતો નથી. માટે જ ઈર્ષા હૃદયનો વિકાસ કરવાને બદલે તેને સાંકડું બનાવે છે.

હેલ્થ ટીપ્સ:- સતત હેડકી આવતી અટકાવવા ખૂબ પાણી પીઓ અથવા બરફ ચાવીને ખાઓ અથવા જોરથી તમાચો મારો.

[પ્રથમ શાબાશી કચ્છ સ્થિત ભાઈ અનિમેષને આપવી રહી જેમણે લગભગ દરેક સવાલનાં સાચા ઉત્તરો આપ્યાં છે અને અમેરિકા સ્થિત વડિલ શ્રી મનવંતભાઈનો સાચા ઉત્તર આપવાનો પ્રયત્ન કરવા બદલ મેઘધનુષ તરફથી આભાર.]

                                 યાદ કરો [જવાબ]

1] માડાગાસ્કર હિંદી મહાસાગરમાં આવેલા ટાપુની સરકારે આપણા ક્યા ભારતીય નેતાઓની ટપાલટિકિટ બહાર પાડી છે?

જવાબ:- મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ અને ઈંદિરા ગાંધીની ટપાલટિકિટ બહાર પાડી હતી.

2] ‘બાઉલ’ સંગીત એ કયા રાજ્યમાં ગવાતા સંગીતનો પ્રકાર ગણાય છે?

જવાબ:- પ. બંગાળમાં ગવાતા લોકસંગીતનો એક પ્રકાર છે

3] અત્યારનું રાષ્ટ્રપતિ ભવન અંગ્રેજોના શાસન વખતે ક્યા નામે ઓળખાતું ? અને તેમાં કેટલા ઓરડા આવેલા છે?

જવાબ:- ‘વાઈસ રોય હાઉસ’ તરીકે ઓળખાતા આ ભવનમાં 340 ઓરડા આવેલા છે.

4] વિશ્વમાં સૌથી ખારું પાણી ધરાવતા સમુદ્રનું નામ શું ?

જવાબ:- લાલ સમુદ્ર [RED SEA]

5] ભારતના ફિલ્મ ઉદ્યોગની ‘ગ્રેટા ગારબો’ કોણ કહેવાય છે ? અને તેની સાથે સંજીવકુમારની કઈ જાણીતી ફિલ્મ છે?

જવાબ:- ‘સુચિત્ર સેન’ ગ્રેટા ગારબો કહેવાય છે અને સંજીવકુમાર સાથેની તેમની જાણીતી ફિલ્મ ‘આંધી’ છે.

6] નીચેની શોધ કોણે કરી?

  1] લિફ્ટ 2] રેડિયમ 3] થર્મોમીટર 4] વાયરલેસ મૅસેજ

જવાબ:-
1]  ઈ.જી. ઑટિસ
2] માદામ ક્યુરી
3] ગેલિલિયો
4] જી. માર્કોની

7] બાંગ્લાદેશમાં ક્રિક્ર્ટની મૅચ રમતાં માથામાં બૉલ વાગતાં ક્યા ભારતીય ક્રિકેટરનું મૃત્યુ થયું ?

જવાબ:- રમણ લાંબા [ક્રિકેટર]

8] પશ્ચિમને પૂર્વનો પરિચય કરાવનાર અને ‘શાકુંતલ-ઋતુસંહાર-ગીતા વગેરે ગ્રંથો અંગ્રેજી ભાષામાં ઉતારનાર અંગેજ વ્યક્તિ કોણ ?

જવાબ:- સર વિલિયમ જોંસ

9] મુંબઈનો કયો વિસ્તાર ‘કાલાઘોડા’ તરીકે જાણીતો હતો ?

જવાબ:- ફોર્ટ એરિયા જ્યાં અત્યારે જ્યાં ‘જહાંગીર આર્ટ ગેલેરી’ આવેલી છે તેની સામેનો ચૉક તે કાલાઘોડા તરીકે જાણીતો હતો.

10] ભારતનું પહેલું સ્ટેડિયમ, જ્યાં પહેલી વાર ફ્લડ લાઈટમાં ‘ડે એંડ નાઈટ’ની ક્રિકેટ મૅચ રમાઈ હતી તેનું નામ શું ?

જવાબ:-   કોલકત્તાનો ‘ઈડન ગાર્ડન’ સ્ટેડિયમમાં પહેલીવાર ‘ડે એંડ નાઈટ’ મેચ રમાઈ હતી.

11] ‘વનરાણી’ નામે જાણીતી બાળકો માટેની મિનિ ટ્રેન ક્યાં ચાલે છે ?

જવાબ:- બોરીવલીના ‘નેશનલ પાર્ક’માં આ ટ્રેન બાળકો માટે દોડે છે. છે.

તો મેળવો આપના જવાબ.

                                            ૐ નમઃ શિવાય


Add comment February 24, 2008

યાદ કરો

                         આજે મહા સુદ બારસ

આજનો સુવિચાર:- શાંતિના માર્ગ દ્વારા જ ગુનિયાને શલ્તિશાળી બનાવી શકાય છે.

હેલ્થ ટીપ્સ:- કસરતથી ઊંઘ સારી આવે છે. ચિંતા દૂર થાય છે, ઉત્સાહ અને સ્ફૂર્તિમાં વધારો થાય છે, તાણ,ગુસ્સો અને શરીરનો થાક દૂર થાય છે.

                                         યાદ કરો

1]     માડાગાસ્કર હિંદી મહાસાગરમાં આવેલા ટાપુની સરકારે આપણા ક્યા ભારતીય નેતાઓની ટપાલટિકિટ બહાર પાડી છે?

2]     ‘બાઉલ’ સંગીત એ કયા રાજ્યમાં ગવાતા સંગીતનો પ્રકાર ગણાય છે?

3]     અત્યારનું રાષ્ટ્રપતિ ભવન અંગ્રેજોના શાસન વખતે ક્યા નામે ઓળખાતું ? અને તેમાં કેટલા ઓરડા આવેલા છે?

4]     વિશ્વમાં સૌથી ખારું પાણી ધરાવતા સમુદ્રનું નામ શું ?

5]     ભારતના ફિલ્મ ઉદ્યોગની ‘ગ્રેટા ગારબો’ કોણ કહેવાય છે ? અને તેની સાથે સંજીવકુમારની કઈ જાણીતી ફિલ્મ છે?

6]     નીચેની શોધ કોણે કરી?

અ]  લિફ્ટ 2]  રેડિયમ 3]  થર્મોમીટર 4]  વાયરલેસ મૅસેજ

7] બાંગ્લાદેશમાં ક્રિક્ર્ટની મૅચ રમતાં માથામાં બૉલ વાગતાં ક્યા ભારતીય ક્રિકેટરનું મૃત્યુ થયું ?

8] પશ્ચિમને પૂર્વનો પરિચય કરાવનાર અને ‘શાકુંતલ-ઋતુસંહાર-ગીતા વગેરે ગ્રંથો અંગ્રેજી ભાષામાં ઉતારનાર અંગેજ વ્યક્તિ કોણ ?

9] મુંબઈનો કયો વિસ્તાર ‘કાલાઘોડા’ તરીકે જાણીતો હતો ?

10]    ભારતનું પહેલું સ્ટેડિયમ, જ્યાં પહેલી વાર ફ્લડ લાઈટમાં ‘ડે એંડ નાઈટ’ની ક્રિકેટ મૅચ રમાઈ હતી તેનું નામ શું ?

11]     ‘વનરાણી’ નામે જાણીતી બાળકો માટેની મિનિ ટ્રેન ક્યાં ચાલે છે ?

સાચા જવાબની ચાર દિવસની રાહ જુઓ.

                                                 ૐ નમઃ શિવાય


3 comments February 18, 2008

Previous Posts


વિભાગો

Recent Comments

himalek32 on થોડું શોધવ…
Kartik Mistry on થોડું શોધવ…
Kartik Mistry on થોડું મગજ ક…
Harsukh Thanki on ઈલકાબો વિષ…
અનિમેષ … on થોડું મગજ ક…

Recent Posts

Archives

Calendar

May 2008
M T W T F S S
« Apr    
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

વાચક સંખ્યા

નિરીક્ષણ

ધબકારનાં ધબકતા હૈયા

Image Hosted by ImageShack.us

Links