ઈલકાબો વિષે થોડું વિશેષ
આજે વૈશાખ સુદ નોમ
આજનો સુવિચાર:- રાજા હો યા રંક, સૌથી સુખી એ છે જે પોતાના ઘરે શાંતિ મેળવે છે.
હેલ્થ ટીપ:- તુલસીનાં માંજર પાણીમાં પલાળી એ પાણી પીવાથી શરીરમાં ઠંડક રહેશે.
ઈલકાબો વિષે થોડું વિશેષ
26મી જાન્યુઆરી આપણા દેશમાં અપાતા ઈલકાબો વિષે થોડું જાણીએ.
1] ભારતરત્ન – જે આ વર્ષે કોઈને આપવામાં આવ્યો નથી.
2] પદ્મવિભૂષણ
3] પદ્મભૂષણ
4] પદ્મશ્રી
ઉપરોક્ત [2] [3] [4] ઈલકાબો સંગીતકલા ક્ષેત્રે, સાહિત્ય ક્ષેત્રે કે કોઈ વિશિષ્ટ ક્ષેત્રે અથવા તો દેશની ઉત્તમ સેવા કરવા બદલ આપવામાં આવે છે.
5] અર્જુન એવૉર્ડ – જે રમતગમતના ક્ષેત્રમાં આપવામાં આવે છે.
6] શ્રમરત્ન
7] શ્રમભૂષણ
8] શ્રમવીર
9] શ્રમદેવી
ઉપરોક્ત [6] [7] [8] [9] ઈલકાબ ઉદ્યોગક્ષેત્રે આપવામાં આવે છે.
આ ઉપરાંત અન્ય ઈલકાબો પણ આપવામાં આવે છે.
10] જમનાલાલ બજાજ એવૉર્ડ – જે સમાજસેવા માટે આપવામાં આવે છે.
11] જ્ઞાનપીઠ એવૉર્ડ – સાહિત્યક્ષેત્રે આપવામાં આવે છે.
12] શાંતિસ્વરૂપ ભટનાગર એવોર્ડ – વિજ્ઞાનક્ષેત્રે આપવામાં આવે છે.
13] નેશનલ ફિલ્મ એવૉર્ડ – શ્રેષ્ઠ ચલચિત્ર અથવા શ્રેષ્ઠ દિગ્દર્શક અથવા શ્રેષ્ઠ ઍક્ટર કે ઍક્ટ્રેસ માટે આપવામાં આવે છે.
14] સંચારશ્રી ઍવોર્ડ – દૂર સંદેશા ક્ષેત્રમાં રૂ. 3000/- નું ઈનામ અપાય છે.
— સંકલિત
ૐ નમઃ શિવાય
6 comments May 13, 2008





