Posts filed under ‘નિરોગી[સ્વાસ્થય]’
જતન કરો
આજે ચૈત્ર વદ બીજ
જતન કરો
1] કુંવારપાઠુ એટલે ઍલોવેરા જે એક કુદરતી ક્લીંસીંગ લોશન, મોઈશ્ચરાઈઝ અને સ્કીન ટોનિકનું કામ કરે છે.
2] પગમાં ચીરા પડ્યા હોય અથવા તજા ગરમી દૂર કરવા પગના તળિયા પર એલોવેરા જેલની માલિશ ફાયદાકારક છે.
3] માથામાં ઍલોવેરાનો મસાજ કરવાથી વાળમાં ચમક આવે છે. તાળવામાં ઠંડક થાય છે અને વાળ લીસા થાય છે. ઍલોવેરાનો આયુર્વેદિક શેમ્પુનો ઉપયોગ કરી શકાય છે.
4] ત્વચા પર લગાડવાથી ત્વચા મુલાયમ બને છે.
5] હર્બલ ક્લીંસીંગ લોશનમાં પપૈયાનો માવો ચહેરા પર લગાવી 10 મિનિટમાં ચહેરો ધોઈ નાખવો.
6] ખીલ માટે ચંદન, તુલસી, લીમડો અને મંજીષ્ઠ આ બધા પાઉડર એલપ જેલમાં ભેળવી ખીલ પર લગાડવાથી મહિનાભરમાં ખીલ ગાયબ થઈ જશે.
7] વાળમાં ચમક લાવવા ત્રિફળા, સંતરાની છાલ, ભાંગરોનો પાઉડર સપ્રમાણમાં લઈ પેસ્ટ બનાવી વાળમાં 20 મિનિટ રાખવી.
8] મૂળાના પાનનો રસ ચોપડવાથી અઠવાડિયામાં ખીલ મટે છે.
9] છાશ વડે ચહેરો ધોવાથી ખીલના ડાઘા અને મોં પરની કાળાશ દૂર થાય છે.
10] જાંબુના ઠળિયાને પાણીમાં ઘસીને ખીલ પર લગાદવાથી ખીલ મટે છે.
11] દૂધની મલાઈ સાથે મીંઢળ ઘસીને ખીલ પર લગાડવાથી ખીલ મટે છે.
12] નારંગીની છાલ ઘસવાથી ખીલ મટે છે.
13] જાયફળ અથવા કાચી સોપારી પાણીમાં ઘસીને લગાડવાથી ખીલ મટે છે.
14] કાચા પપૈયાને કાપવાથી જે દૂધ જેવું પ્રવાહી નીકળે છે તે ખીલ પર લગાડવાથી ખીલ કાયમ માટે દૂર થશે.
સૌજન્ય :- જન્મભૂમિ
ૐ નમઃ શિવાય
હૃદયને સ્વસ્થ રાખો
આજે મહા સુદ નોમ
હૃદયને સ્વસ્થ રાખતા ફાયદાકારક ઉપચારો
કાંદો:-
એક કાચા કાંદાનું નિયમિત સેવન કરવાથી હૃદયના ધબકારા સામાન્ય થાય છે.
કાંદાનો રસ લોહીમાં ભળી જઈ તેના પ્રવાહમાં સહાયક બને છે અને હૃદયના રોગોથી બચાવે છે.
ગાજર:-
ગાજરનું સેવન તેમજ તેના રસનું સેવન ઘટ્ટ બનેલા રક્તને પાતળું બનાવે છે અને વધી ગયેલા હૃદયના ધબકારાને નિયમિત બનાવે છે.
લીંબુ:-
હૃદયની કમજોરી દૂર કરવા લીંબુ અત્યંત લાભકારી છે. તેનો લગાતાર ઉપયોગથી રક્તવાહિનીઓ ઢીલી પડતાં કોમળ બને છે. રક્તનળિકાઓની કઠોરતા દૂર કરવામાં લીંબું ઘણું ઉપયોગી છે. લીંબુનાં સેવનથી હાઈબ્લડપ્રેશર ઓછું થાય છે.
સફરજન:-
સફરજનનાં મુરબ્બાનું નિયમિત સેવન હૃદયની દુર્બળતા દૂર કરે છે.
જમરુખ:-
100 ગ્રામ જમરુખમાં 300 થી 450 મિ.ગ્રામ સુધી વિટામીન ‘સી’ હોય છે જે હૃદયને બળ તથા સ્ફુર્તિ આપે છે.
હિંગ:-
દુર્બળ હૃદયને શક્તિ આપે છે. રક્તને જામતા રોકે છે. રક્તસંચાર સરળતાથી થાય માટે તેને મદદ કરે છે. પેટમાં વાયુનું દબાણ પણ હિંગથી ઓછું થાય છે.
મોસંબી:-
હૃદય અને રક્તસંસ્થાન રક્તવાહિનીઓ કોમળ અને લચીલી બને છે. તેમાં એકત્રિત થયેલું ગંદુ કૉલેસ્ટ્રોલ શરીરમાંથી બહાર કાઢવા સહાયક બને છે.
ગોળ:-
દુર્બળ હૃદયને કારણે શારિરીક દુર્બળતા દૂર કરવા ગોળ મદદરૂપ બને છે.
આદુ:-
સૂંઠનો ગરમ કાઢામાં થોડું મીઠું ભેળવી પીવાથી હૃદયની દુર્બળતા દૂર કરવામાં મદદરૂપ થાય છે.
— સંકલિત
ૐ નમઃ શિવાય
જાંબુ – વર્ષાઋતુનું ફળ
આજે અષાઢ સુદ આઠમ
આજનો સુવિચાર:- અભાવ એ મનની સ્થિતિ છે.
જાંબુ – વર્ષાઋતુનું ફળ
જાંબુ વર્ષાના પ્રારંભકાળનું ફળ છે. ભારે વરસાદ પછી જાંબુની મોસમનો અંત આવે છે. જાંબુ નાના અને મોટા એમ બે પ્રકારના મળે છે. સ્વાદની દૃષ્ટિએ મોટા જાંબુ સારા લાગે છે જ્યારે ઔષધિય ગુણ વત્તાને દૃષ્ટિએ નાના જાંબુ ઉત્તમ છે.
સ્વાદે તૂરા, મધૂર અને ખાટા તેમજ ગુણથી લુખા અને શીતળ હોવાથી વાયુવર્ધક છે.
જાંબુનાં ઔષધિય ઉપયોગો
1] જાંબુમાં રહેલા ઍસિડ દ્રવ્યો પથરીને ઓગાળવાનો ગુણ ધરાવે છે. ખાસ કરીને જે બાળકોને સ્લેટની પેન તથા ચોક ખાવાની આદતને કારણે પથરી થતી હોય તેમના માટે મીઠું મરી મેળવેલા જાંબુનું સેવન લાભદાયક છે.
2] જ્યારે પેશાબમાં શર્કરાનું પ્રમાણ વધતું હોય અને વારંવાર પેશાબ માટે જવું પડતું હોય તેવા રોગીઓએ જાંબુના ઠળિયાનું ચૂર્ણ [બે ગ્રામ] સવારે ઠંડા પાણી સાથે લાંબો સમય સુધી લેવાથી ફાયદો થાય છે. સેંટ્રલ ડ્રગ રિસર્ચ ઈંસ્ટિટ્યુટ [લખનૌ] દ્વારા સંશોધન અનુસાર જાંબુના ઠળિયામાં આવેલી ઔષધિ થકી ડાયાબીટીસના દર્દીના પેશાબમાં વધતી સુગર લેવલમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.
3] વારંવાર થતા ઝાડા અને સંગ્રહણી [જૂનો મરડો] જેવી તકલીફ ધરાવતા રોગીઓ માટે લાંબા સમય સુધીજાંબુનાઠળિયાનું ચૂર્ણ [આશરે પાંચ ગ્રામ] છાશ અથવા દહીં સાથે દિવસમાં એક વખત લેવાથી સારૂં પરિણામ આવી શકે છે.
4] નસ્કોરી ફૂટી, નાકમાંથી લોહી નીકળે ત્યારે જાંબુના કૂણા પાનનો રસના બે ટીપાં નાખવાથી ફાયદો થાય છે.
5] દુઝતા હરસ અને મસામાં પાકા જાંબુ મીઠા મરી સાથે ખાવાથી ફાયદો થાય છે.
6] કમળો, લીવર તથા બરોળનો સોજા પર જાંબુનું સેવન અસરકારક છે.
7] કાનમાં પરૂ થયું હોય તો પાકા જાંબુનો રસ બે- બે ટીપા કાનમાં નાખવા.
8] શ્વેત પ્રદરમાં આશરે નાની વાટકી ચોખાના ઓસામણમાં બે ગ્રામ જાંબુના ઠળિયાનું ચૂર્ણ અસરકારક છે.
9] લોહીના વિકારથી થતા ગૂમડાં પર જાંબુના વૃક્ષની છાલનું ચૂર્ણ લગાડવું.
10] પયોરિયા અથવા દાંતમાંથી ઝરતા લોહી માટેજાંબુના ઠળિયાનું સેવન ફાયદાકારક છે.
11] પેટમાં કૃમિ તથા ચમકતી ત્વચા માટે જાંબુનું સેવન હિતકારી છે.
જાંબુનું સેવન કરતા પહેલાં આટલી બાબતનું ધ્યાન રાખવું.
સાંધાના દુ:ખાવાના દર્દી, સાયટિકાના દર્દી, વાઈ, આંચકી, કબજિયાત અને પેરેલીસીસનાં દર્દીએ ક્યારેય જાંબુનું સેવન ન કરવું.
શરીરે સોજા રહેતા હોયકે માસિક ધર્મના દિવસો દર્મિયાન અથવા ગર્ભિણી સ્ત્રીઓએ જાંબુનું સેવન ન કરવું.
ગાયકો કે વક્તાઓએ જાંબુનું સેવ ન કરવું તેનાથી સ્વરપેટીને નુકશાન થાય છે.
ભૂખ્યા પેટે કે ઉપવાસ દરમિયાન જાંબુનું સેવન ટાળો.
જાંબુ સાથે મીઠા મરીનો ઉપયોગ જરૂરથી કરશો.
– સંકલિત
ૐ નમઃ શિવાય
બીમારીમાં ઉપયોગી જ્યુસ
આજે વૈશાખ વદ નોમ
આજનો સુવિચાર:-અહંકાર જેટલો મોટો એટલો આત્મા દબાઈ જાય છે.
બીમારીમાં ઉપયોગી જ્યુસ
ફળ અને શાકભાજીના રસ જુદીજુદી બીમારીઓમાં ઔષધીના રૂપમાં આપવામાં આવે તો શરીરની ખનિજ અને વિટામીન વિટામીનની ઉણપ દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે તેમજ આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
* બ્લડ પ્રેશર:- દૂધી અને ટામેટાના જ્યુસથી બી.પી. કંટ્રોલમાં રહે છે.
* કમળો:- પાઈનેપલ, શેરડી તથા બિજૌરાનો રસ કમળા પર ફાયદાકારક છે. આ રસ પીવાથી ભૂખ ઉઘડે છે અને શરીરમાં શક્તિનો સંચાર થાય છે.
* એનીમીયા:- એનીમીયાના દર્દી માટે સફરજન, પપૈયા, મોસંબી તથા પાલક, ગાજર, ટામેટાઅને કોથમીરનો મિક્સ રસ ફાયદાકારક છે.
* એસીડીટી;- એસીડીટીના દર્દીએ સંતરા-પપૈયા અથવા ટામેટાનો રસ પીવો જોઈએ.
* કબજીયાત:- કબજીયાતની બીમારીમાં પપૈયા, લીંબુ અને ટમેટા, પાલક તથા ગાજરનો મીક્સ જ્યુસ ફાયદાકારક છે.
* આંખોના રોગ:- રતાંધળાપણું અથવાનજરની ખામીમાં ગાજર,કેરી,પપૈયું અને ટામેટાનો રસ આપી શકાય છે.
* ડાયાબિટીસ:- ડાયાબીટીસ પર કારેલા અને જાંબુનો રસ ફયદાકારક છે.
* અપચો તથા પેટના દર્દ:- ફૂદીનો અથવા દ્રાક્ષનો રસ અપચા તથા પેટના દર્દ પર ફાયદાકારક છે.
* શરદી-તાવ:- આદુ અને અરડુસીનો રસ શરદી અને તાવ પર લાભદાયક છે.
* માથાનો દુઃખાવો:- વિટામીન બી ની ખામીને લીધે જો માથાનો દુઃખાવો હોય તો કેળાનો રસ લેવો.
– સંકલિત
ૐ નમઃ શિવાય
ઉનાળામાં પાણી માટે ધ્યાન રાખો
આજે વૈશાખ સુદ એકાદશી
આજનો સુવિચાર:- સમસ્યાઓ બીજું કશું નથી, સર્જનાત્મક બનવા માટે ઈશ્વરે આપેલી એક તક છે.
ઉનાળામાં પાણી માટે ધ્યાન રાખો
* પાણીનું પાઉચ ખરીદતા પહેલા ISI માર્કની જાંચ કરો.
* પાણીના પાઉચ પર કઈ તારીખ પહેલા વાપરવાની સૂચના છે તે ચોક્કસ વાંચો. તેમજ પ્યોરીફીકેશનની માટે કઈ પદ્ધતિ વાપરી છે તે વાંચો
* નોન સ્ટન્ડર્ડ કંપનીનું પાણી ખરીદવાનું ટાળો.
* બૉટલનું સીલ તુટેલું નથી કે ફરીથી સીલ કરેલું નથી તેની ખાતરી કરી લો.
* મીનરલ વૉટરની બૉટલ ખાલી થયા બાદ તેને વૉટરબેગની જેમ વાપરશો નહી કારણ એકની એક બૉટલ વારંવાર વાપરવાથી તેનું પાતળું પ્લાસ્ટિક તે પાણીને પ્રદુષિત કરે છે.
* પ્લાસ્ટિકની બૉટલમાં પૅક પાણી સીધા સૂર્યપ્રકાશમાં પડ્યું હોય તેવી પાણીની બૉટલ ખરીદવાનું ટાળો.
* કાર, બાઈક કે બેગ કે જ્યાં સીધો સૂર્યપ્રકાશ પડતો હોય તે જગ્યાએ પાણીની બૉટલ કે પાઉચ ન મૂકશો.
* ઉનાળામાં તપી ગયેલું પાણી પીવાનું ટાળતા છોડવાને પાઈ દો.
* ઘરમાં કે બહાર ઘરનું સ્વચ્છ પાણી ફૂડ ગ્રેડની પ્લાસ્ટિકની બૉટલમાં ભરીને વાપરવાનો આગ્રહ રાખો.
— સંકલિત
ૐ નમઃ શિવાય
અજમાવી જુઓ
આજે ચૈત્ર વદ અમાસ
આજનો સુવિચાર:- ક્ષમા અસમર્થ માનવીઓનું લક્ષણ છે અને સમર્થોનું આભૂષણ છે.
— વેદ વ્યાસ
અજમાવી જુઓ
* પગના છાલા પર ઈંડાની સફેદી લગાડવાથી જલદી રાહત થાય છે.
* જીવાતના ડંખપર કાચો કાંદો ઘસવાથી દરદમાં રાહત થાય છે.
• ઊંદરથી છુટકારો પામવા તેના દર પાસે મરીનો ભૂકો ભભરાવવાથી ઊંદર દર છોડી દેશે.
• ગાદલા-તકિયા ભરાવતી વખતે રૂ સાથે થોડું કપૂર ભેળવી દેવાથી ગરમીમાં ઠંડક થશે તેમ જ માંકડ નહીં થાય.
• કાચનાં વિખરાયેલા નાના ટુકડાને ઉપાડવા પાઉંને ભીનો કરી તેનો લોટ જેવું બનાવી તેનાથી ઉપાડવાથી કાચ ચોંટી જશે. પાઉંને સ્થાને બાંધેલો લોટ પણ ચાલશે.
• ગરમ પાણીને વધુ ગરમ રાખવા તેમાં થોડું મીઠું ભેળવો.
• કાંદાના રસમાં પાણી ભેળવી કોગળા કરવાથી દાંત કે પેઢાના દુઃખાવામાં રાહત મળશે.
• તૈલી ચિત્રોને સાફ કરવા બટાટુ કાપી તેના પર હળવેથી ફેરવવું.
• સૂતી વખતે તકિયો ગરદન નીચે ન રાખવો તેનાથી ગરદન પર કરચલી પડવાની શક્યતા રહે છે.
• લગાડેલી મેંદી સુકાઈ ગયા બાદ તેને ખંખેરી નાખી તેના પર કોપરેલ તેલ લગાડવાથી રંગ સારો આવે છે.
• ટોઈલેટના એક ખૂણામાં એક ડીશમાં બેકિંગ સોડા રાખી મૂકવાથી ટોઈલેટની દુર્ગંધ દૂર થશે.
• અળાઈમાં રાહત મેળવવા ચંદનના ટુકડાને ગુલાબજળ સાથે ઘસી તેમાં ચપટી ફટકડી ભેળવી અળાઈ પર લગાડવી.
• મુખનાં ચાદા પર ટી બેગ મૂકવાથી રાહત રહેશે.
— સંકલિત
ૐ નમઃ શિવાય
અંજીર
આજે ફાગણ સુદ બારસ
આજનો સુવિચાર:- સારું વર્તન અનેક સાથે જોડશે પણ અભિમાન એકને એક દિવસ એકલા પાડી દેશે.
અંજીર
અંજીર એક મોસમી ફળ છે. જોકે તે સૂકાયેલા સ્વરૂપમાં આખું વર્ષ મળી રહે છે. અંજીરમાં પૌષ્ટિક તત્વો પુષ્કળ પ્રમાણમાં છે. વિટામિન એ, બી, ઉપરાંત ફૉસ્ફરસ, કૅલ્શિયમ, આયર્ન તેમજ મૅંગેનીઝ જેવાં ખનિજોનો સમાવેશ થાય છે.
અંજીરના ફાયદા
* પૅક્ટિન એક સોલ્યુબલ ફાઈબર છે જે પાચનતંત્ર માટે ઉપકારક છે અને શરીરમાં જમા થયેલા કૉલેસ્ટ્રોલને બહાર કાઢે છે.
* શરીરમાં સોડિયમનું પ્રમાણ વધવાથી તેમજ પૉટેશિયમનું પ્રમાણ વધવાથી ‘હાઈપર ટેંશન’ની પરિસ્થિતી સર્જાય છે. અંજીરમાં સોડિયમનું પ્રમાણ ઓછું અને પૉટેશિયમનું પ્રમાણ વધુ હોવાથી તે આ સમસ્યા દૂર કરે છે.
* સૂકા અંજીરમા ઑમેગા-3, ફિનોલ, ઑમેગા-6 અને ફેટી ઍસિડ હોવાને કારણે હાર્ટની બિમારીઓ રોકે છે.
* અંજીરમાં રહેલા કૅલ્શિયમથી હાડકાં મજબૂત રહે છે. * અંજીરમાં રહેલું પૉટેશિયમ ‘બ્લડ સુગર’નું નિયંત્રણ કરે છે તેથી ડાયાબિટીસનાં દર્દી માટે ફાયદાકારક છે.
* અંજીરમાં હાજર રહેલું આયર્ન ઍનેમિક પરિસ્થિતી દૂર કરવામાં મદદગાર થઈ રહે છે.
* તાજા અંજીરને પીસીને તેની પેસ્ટ ચહેરા પર લગાડવાથી ચહેરો ખીલી ઊઠે છે. આ પેસ્ટ ‘સ્ક્રબ’નું કાર્ય કરે છે. ચહેરા પરની મૃત પેશીઓને દૂર કરે છે.
* અંજીરનું સેવન થાક દૂર કરે છે તેમજ મગજને સતર્ક રાખે છે.
* વધતી ઉંમરમાં આવતી નજરની કમજોરી અંજીરના સેવનથી ઓછી વર્તાય છે.
–સંકલિત
ૐ નમઃ શિવાય
જો કોઈ વ્યક્તિ તોતડું બોલતી હોય તો..
આજે પોષ વદ એકમ
જો કોઈ વ્યક્તિ તોતડું બોલતી હોય તો..
જો કોઈ વ્યક્તિનો અવાજ સ્પષ્ટ નથી અને તે તોતડું બોલે છે તો તે વ્યક્તિના યોગમાં એક ખૂબ સરળ પ્રક્રિયા દર્શાવવામાં આવી છે. આ ક્રિયાનું ઉચ્ચારણ સ્થળ તથા વિશુદ્ધિ ચક્ર શુદ્ધ કરવામાં આવે છે.
ઉચ્ચારણ સ્થળ અને વિશુદ્ધિ ચક્ર- શુદ્ધિની વિધી
કોઈ શાંત અને સ્વચ્છ વાતાવરણમાં સામાન્ય સ્થિતીમાં ઉભા રહેવું. હવે મનને શાંત કરવું. આંખો બંધ કરીને સંપૂર્ણ ધ્યાન ઉચ્ચારણ પર રાખવું. લુહાર જે રીતે હથોડી ચલાવતી વખતે ઉચ્ચારણ કરે છે તેમ બોલવું (હમમમમ) અવાજ થોડે મોટેથી કાઢવો. આ ક્રિયા ઓછામાં ઓછી 25 વાર કરવી.
ઉચ્ચારણ સ્થળ તથા વિશુદ્ધિ ચક્ર – શુદ્ધિના લાભ
આ ક્રિયાને નિયમિત રીતે કરવાથી આપણો અવાજ એકદમ સાફ અને સુરીલો થઈ જશે. જે વ્યક્તિ તોતડું બોલે છે તેમના માટે આ ક્રિયા ફાયદાકારક છે. તેનાથી ફેફસાને બળ મળે છે. સાથે જ જે લોકો કેટલાક ઉચ્ચારણ કરવામાં કઠિન હોય તેમની સમસ્યા દૂર થાય છે. છાતીને બળ મળે છે. વાત, પિત્ત, કફ વગેરે રોગ દૂર થાય છે.
-સૌજન્યઃ- દિવ્ય ભાસ્કર
ૐ નમઃ શિવાય
પગની સંભાળ
આજનો સુવિચારઃ- આપણી સિદ્ધિ, સમદ્ધિ અને પ્રસિદ્ધિ વિષે બીજા શું ધારે છે તેની પરવા કર્યા વગર તેનો ભાર ખંખેરી અહમમાંથી મુક્તિ મેળવી લઈએ.
પગની સંભાળ
ચોમાસામાં વરસાદને કારણે ભરાતા ખાબોચિયામાં પગ પડતા જ ગંદા પાણીથી એલર્જી થવાનો ભય રહે છે તેથી ચોમાસામાં પગની વધુ કાળજી લેવી જરૂરી છે. જો પગની થોડી કાળજી લેવામાં આવે પગની સુંદરતા વધે છે. જોઈએ તો પગની કાળજી કેવી રીતે લેવી જોઈએ.
પ્રથમ તો જ્યારે બહારથી આવીયે તો પહેલા તો હાથ અને પગ ધોવાની આદત પાડવી જોઈએ.
પગને વ્યાયામની પણ જરૂરત છે તો તે માટે ચાલવુ જરૂરી છે જે પગ માટે ઉત્તમ વ્યાયામ છે.
દિવસભરનો થાક ઉતારવા ગરમ ઠંડા પાણીનો ઉપયોગ કરો. ‘એપ્સમ સોલ્ટ’ ભેળવેલા ગરમ ઠંડા પાણીમાં ક્ર્મશઃ પગ ડૂબાડવાથી થાક ઉતરી જશે. ‘એપ્સમ સોલ્ટ’ સારું પરિણામ આપે છે.
પગ પર ખંજવાળ આવતી હોય તો પગ પર લીંબુ અને સરકો લગાડો.
જૂતા એવા ખરીદો જે પગમાં પૂરેપૂરા ફીટ બેસે અને પગ પર દબાણ ન આવે તેનું ધ્યાન રહે.
પગની એડી પર નિયમિત મોઈશ્ચરાઈઝર લગાડો જેથી એડીની ત્વચા ફાટે નહી.
પગની એડીની ત્વચા ફાટવી એ બહુ જ સામાન્ય સમસ્યા છે.
ત્વચા રૂક્ષ થઈ જાય છે ત્યારે ત્વચામાં ચીરા પડે છે અને દુઃખાવો થાય છે અને કદીક તેમાંથી લોહી વહેવા માંડે છે અને સતત ખંજવાળ ચાલુ થઈ જાય છે. આના ઘણાં કારણો હોઈ શકે છે.
૧] રૂક્ષ ત્વચા
૨] સ્થૂળ કાયા
૩] નિષ્ક્રિય સ્વેદ ગ્રંથિઓ
૪] દિવસ દરમિયાન લાંબો સમય લાંબો સમય ઊભારહેવુ.
૫] પાછળથી ખુલ્લી ડિઝાઈનવાળા સેંડલ
૬] થાઈરોઈડની તકલિફ
૭] ડાયાબિટીઝ
ઉપચાર
૧] પગને હુંફાળા પાણીમાં બોળી રાખવા. પ્યુમિક સ્ટોનની મદદથી ‘ડેડ સ્કિન’ ઘસીને કાઢી નાખી તેની પર મોઈશ્ચરાઈઝર ક્રીમ લગાડવું. વેસિલિન પણ લગાડી શકાય. ત્યારબાદ પગમાં મોજા પહેરવા.
૨] ગરમ કોપરેલ તેલમાં થોડું વેક્સ ભેળવી ઠંડુ પડે પગની એડી પર લગાડવું.
૩] ગાયનું ઘી પગની એડી પર ઘસી શકાય.
૪] ૩૦ ગ્રામ પેરાફિન વેક્સમાં ૧૦૦ ગ્રામ રાઈનું [મસ્ટાર્ડ] તેલ અને ચપટી હળદર ભેળવી ગરમ કરવું, ઠંડું પડે રાતે તેને પગની એડી પર લગાડવું. સવારે ધોઈ નાખવું. ૧૦ થી ૧૫ દિવસમાં ફાયદો દેખાશે. ૫] નિયમિત પેડિક્યોર અને ફૂટ મસાજ કરાવવુ. એનાથી એડીની ત્વચા મુલાયમ રહેશે.
– સંકલિત
ૐ નમઃ શિવાય
અજમાવી જુઓ
આજે વૈશાખ સુદ દસમી
આજનો સુવિચાર:- જો તમે તમારો એક રૂપિયો તમારા મિત્રને આપી દઈ એનો રૂપિયો લઈ લો તો બન્ને પાસે એક રૂપિયો રહેશે. તમારો સુવિચાર તમારા મિત્રને આપી તેનો સુવિચાર લેશો તો બન્ને પાસે બબ્બે સુવિચાર રહેશે.
અજમાવી જુઓ
• હેડકી રોકવા થોડીવાર શ્વાસ રોકો.
• તુલસીના પાન મોંમા રાખી ચાવવાથી મોંની દુર્ગંધ દૂર થશે.
• સામાન્ય ઉલટી શાંત કરવા એક કપ ટામેટાનો રસ, સાકર, એલચી, લવિંગ તથા મરીનો ભૂકોએ ભેળવી પીવું. ઉલટી તેમજ પેટની ગરબડ દૂર થશે.
• સ્તનપાન કરાવતી માતાને જો ગાજર માફક આવતી હોય તો તેનો રસ નિયમિત પીવાથી દૂધ વધુ આવશે.
• એક ચમચી તુલસીનો રસ પીવાથી ઊલટી બંધ થાય છે.
• ચમેલીના પાનનો રસ પગની એડીની ફાટેલી ત્વચા પર લગાડવાથી રાહત થાય છે.
• કાંદાના રસમાં ખડા સાકર ભેળવી પીવાથી હરસ પર રાહત થાય છે.
• વાયુ, વિકાર તથા ગેસ તેમ જ કૃમિની રાહત પામવાફૂદીનાના રસમાં થોડું કાળું સંચળ ભેળવી પીવો.
• સંતરાની છાલની પેસ્ટ બનાવી શરીર પર લગાડવાથી સામાન્ય ત્વચા રોગમાં રાહત રહે છે.
• પ્રસૂતાને મખણાનો હલવો ખવડાવાથી શક્તિ વધે છે.
• દૂધ દહીંને સરખી માત્રામાં લઈ શરીરે માલિશ કરવાથી ત્વચા નિખરે છે.
• ચારોળીને દૂધ સાથે વાટી લગાડવાથી ત્વચા ચમકે છે.
— સૌજન્ય:- સહિયર
ૐ નમઃ શિવાય
![20091017jamun-212x280[1]](http://shivshiva.files.wordpress.com/2011/07/20091017jamun-212x2801.jpg?w=455)
![images[6]](http://shivshiva.files.wordpress.com/2011/05/images6.jpg?w=455)
![water-bottle-rocket-only-around-7[1]](http://shivshiva.files.wordpress.com/2011/05/water-bottle-rocket-only-around-711.jpg?w=455)
![p-fig1_1482202c[1]](http://shivshiva.files.wordpress.com/2011/03/p-fig1_1482202c1.jpg?w=455&h=284)
![legs[1]](http://shivshiva.files.wordpress.com/2010/07/legs1.jpg?w=300&h=200)


આભાર