Posts filed under 'મંજીરા[ભજન]'
રાધાઅષ્ટમી
આજે ભાદરવા સુદ આઠમ [રાધાષ્ટમી]
આજનો સુવિચાર:- જ્યારે મળવા લાગે છે ત્યારે વધુ મેળવવાનો લોભ જાગે છે.
![images[4] images[4]](http://shivshiva.files.wordpress.com/2009/08/images4.jpg?w=103&h=137)
રાધા માધવકી બન જાયે
મીત વહી જો બિના બુલાયે
મનમેં આયે ફિર નહીં જાયે
ગીત વહી જો અનજાનેમેં
બાર બાર મુખસે દોહરાયે
હીત વહી જો અપનેપનસે
સત્ય જીવનકા પથ દિખલાયે
પ્રીત વહી જો પાગલપન દે
પ્રાણોંમેં પીડા ભર જાયે
રીત યહી હૈ જીનકી ઈક
જિંદગી હી બંદગી બન જાયે
જીત યહી હૈ ‘શ્રાવણી’ તૂ ભી
રાધા માધવકી બન જાયે
કવિયિત્રી:- ગોસ્વામી ઈન્દિરાબેટીજી
ૐ નમઃ શિવાય
3 comments August 28, 2009
શિવ વંદના
આજે શ્રાવણ સુદ ત્રીજ
આજનો સુવિચાર:- મિત્રતા એ હૃદય વંદાવનનું અમૃત ફળ છે.
![shivji[1] shivji[1]](http://shivshiva.files.wordpress.com/2009/07/shivji1.jpg?w=455&h=341)
શિવ વંદના
शंकर शिव हर हर
भोला शंभू वर, महादेव भुवनेश्वर
चंद्रशेखर बैल बभूतनाथ योगेश्वर
शंकर शिव हर हर
दगन भूषण शिव हरी
पदम अदभुन नन्दना, दिगम्बरा
अजर अमर बम बम
शंकर शिव हर हर
ૐ નમઃ શિવાય
2 comments July 24, 2009
લેવા શિવ ચરણે વિશ્રામ મારે જાવું તીરથ ધામ
આજે જેઠ સુદ પુનમ [વડ સાવિત્રી]
આજનો સુવિચાર:- શારીરિક ક્ષમતાથી બળ પ્રાપ્ત થતું નથી તે તો અદમ્ય ઈચ્છાશક્તિથી મળે છે. — ગાંધીજી
![[121] Nilakanth Mahadev કૈલાસ [2007]](http://shivshiva.files.wordpress.com/2009/06/121-nilakanth-mahadev.jpg?w=455&h=341)
કૈલાસ [2007
લેવા શિવ ચરણે વિશ્રામ [2]
મારે જાવું તીરથ ધામ [2]
કાશીમાં કાયાનું કલ્યાણ થાતું
થાતું ધાર્યું કામ
અમરનાથની અમર કહાની [2]
અમર રાખે નામ
મારે જાવું તીરથ ધામ
પ્રગટ પરચા રામેશ્વર
ધરવાનું છે ધામ
કેદારનાથ તો કમાલ કરતા [2]
પાડે તું ભક્તનામ
મારે જાવું તીરથ ધામ
ભવેશ્વર દાદો ભવપાર પાડે
જુનાગઢને ધામ
ભીડભંજન ભીમનાથ સભારી
પૂરે હૈયાની હામ
મારે જાવું તીરથધામ
સોમનાથમાં સનમુખ જોયા
કૈલાસમાં છે મુકામ
કાશી ગયામાં દરશન કરી લે [2]
અંતરના આરામ
મારે જાવું તીરથધામ
લેવા શિવ ચરણે વિશ્રામ
મારે જાવું તીરથધામ
ગીત ગુંજ પર આ ભજન સાંભળી શકશો.
નોંધ:- હું 11મી જુનના દિવસે કૈલાસ યાત્રા જવાની છું તેથી હવે પછીનાં લખાણો જુલાઈમાં પ્રગટ કરીશ.
ૐ નમઃ શિવાય
4 comments June 7, 2009
રસીયા
આજે ફાગણ સુદ બારસ
આજનો સુવિચાર:- જો મને ઝાડ કાપવા માટે આઠ કલાક મળે તો હું છ કલાક કુહાડીની ધાર કાઢવામાં વીતાવીશ. — અબ્રાહમ લિંકન
હેલ્થ ટીપ:- સાંધાના દુઃખાવામાં એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુનો રસ દિવસમાં આઠથી દસ વખત પીવાથી રાહત રહેશે.
હોળી આવે એટલે રાધા કૃષ્ણ યાદ આવે. રસમય ગવાયેલા હોળી ગીત એટલે રસીયા. આવું જ એક રસમય ગીત એટલે
શ્રી ગોવર્ધન મહારાજ તેરે માથે મુકુટ બીરાજ રહ્યો

શ્રી ગોવર્ધન મહારાજ ગીરીરાજ
તેરે માથે મુકુટ બિરાજ રહ્યો
તો પે પાન ચઢે, તોપે ફૂલ ચઢે [4]
ઔર ચઢે દૂધનકી ધાર -હો ધાર
તેરે માથે મુકુટ બિરાજ રહ્યો
— શ્રી ગોવર્ધન મહારાજ
તેરે ગલેમેં કંઠા સોહી રહ્યો [4]
તેરી ઝાંખી બની વિશાલ –હો વિશાલ
તેરે માથે મુકુટ બિરાજ રહ્યો
—શ્રી ગોવર્ધન મહારાજ
તેરે કાનન કુંડલ સોહી રહ્યો[4]
તેરી થોડી પે હીરા લાલ – હો લાલ
તેરે માથે મુકુટ બિરાજ રહ્યો
— શ્રી ગોવર્ધન મહારાજ
તેરી સાત કોષકી પરક્રમ્મા હો [4]
ચકલેશ્વર પર વિશ્રામ –હો વિશ્રામ
તેરે માથે મુકુટ બિરાજ રહ્યો
— શ્રી ગોવર્ધન મહારાજ
તેરે ઘર ઘર હોલી ખેલ રહી –[4]
ઔર ખેલે વ્રજકી નાર – હો નાર
તેરે માથે મુકુટ બિરાજ રહ્યો
— શ્રી ગોવરધન મહારાજ
તેરે કદમ્બ પે બંસી બાજ રહી [4]
તેરી ટેઢી ટેઢી ચાલ –હો- ચાલ
તેરે માથે મુકુટ બિરાજ રહ્યો
— શ્રી ગોવર્ધન મહારાજ
આ રસીયા સાંભળવા અહીં ક્લિક કરો
ૐ નમઃ શિવાય
2 comments March 8, 2009
જમુના તટ શ્યામ ખેલે હોરી
આજે ફાગણ સુદ દસમ
આજનો સુવિચાર:- ઝંખેલુ બધું જડતું નથી, જે જડે છે તે બધું ઝંખેલું હોતું નથી.
હેલ્થ ટીપ:- ફૂદીનાના પાનને વાટી દાધર પર લગાડવાથી રાહત રહે છે.

સ્વર:- કૌમુદી મુનશી
જમુના તટ શ્યામ ખેલે હોરી
દાર દાર પિચકારી ચલાવત [2]
અબીર ગુલાલ ભરી ઝોરી જમુના તટ [2]
—- જમુના તટ
ગ્વાલ બાલકી ધીર સંગ લઈ
નાચત ગાવત દૈ તાલી જમુના તટ
—- જમુના તટ
ઐસી હારી ખેલન ન પાઈ
જૈસે ખેલે બનવારી જમુના તટ [2]
— જમુના તટ
ઘેર લીયો [3] ચહુ ઓર શોર કરી [2]
મોરીચુનર [4] અરે મોરી ચુનર રંગ ડારી જમુના તટ
—- જમુના તટ
ૐ નમઃ શિવાય
Add comment March 6, 2009
કાનુડો શું જાણે મારી પ્રીત
આજે ફાગણ સુદ સાતમ
આજનો સુવિચાર:- નવું નવું શીખતા રહો, જિંદગીમાં નવા નવા રંગ ઉમેરાશે.
હેલ્થ ટીપ:- જમતા પહેલા હળવા વેજીટેબલ સૂપ લેવાથી આહારમાં લેવાતી કેલેરીમાં 20%નો ઘટાડો થાય છે.

કાનુડો શું જાણે મારી પ્રીત
કાનુડો શું જાણે મારી પ્રીત, બાઈ અમે બાળ કુંવારા રે
જલ રે જમુનાનાં અમે ભરવાને ગ્યા’તા વાલા,
કાનુડે ઉડાડ્યાં આછાં નીર, ઉડ્યાં ફરરરર રે- કાનુડો
વૃંદા રે વનમાં વા’લે, રાસ રચ્યો રે વા’લા
સોળસે ગોપીનાં તાણ્યાં ચીર, ફાડ્યાં ચરરરર રે- કાનુડો
હું વેરાગણ કા’ના, તમારા નામની રે,
કાનુડે માર્યાં બે તીર, વાગ્યાં અરરરર રે- કાનુડો
બાઈ મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ વા’લા,
કાનુડે બાળીને કીધાં ખાખ, કે ઉડી ખરરરર રે- કાનુડો
જય શ્રી કૃષ્ણ
2 comments March 3, 2009
ગાઈએ ગણપતિ જગ વંદન
આજે મહા સુદ ચોથ [ગણેશચતુર્થી, ગણેશજયંતી]
આજે ગાંધી નિર્વાણ દિન
આજનો સુવિચાર:- દર્પણ હંમેશા કહે છે : તારા ચહેરાની પાછળ તારા પિતાનો ચહેરો છુપાયેલો છે. એ ચહેરો દર્પણમાં નહિ, અર્પણમાં દેખાશે !
હેલ્થ ટીપ :- પાનમાં ખાવાનો કાથો મોંમા ભભરાવવાથી આવેલું મોં મટે છે.
આજે ગણેશ ચતુર્થી એટલે ગણેશજીનો જન્મદિન
ગાઈએ ગણપતિ જગ વંદન – [3]
શંકર સુવન ભવાની નંદન
— ગાઈએ ગણપતિ
મોદક પ્રિયે મૃદુ મંગલદાતા
વિદ્યા વારીદી બુદ્ધિ વિધાતા
— ગાઈએ ગણપતિ
સિદ્ધિ સદન ગજવદન વિનાયક
કૃપાસિંધુ સુંદર સબગાયક
— ગાઈએ ગણપતિ
માંગત તુલસીદાસ કર જોરે
બસહુ રામ સીય માનસ મોરે
— ગાઈએ ગણપતિ
ૐ નમઃ શિવાય
4 comments January 29, 2009
ચોરી ચોરી માખન ખાઈ ગયો રે
આજે પોષ સુદ નોમ
આજનો સુવિચાર:- સારા અગર નરસા કરમનું, ભાથું સાથે લઈ જશે
સમર્યા હશે જો પ્રભુને તો, બેડો પાર થઈ જશે.
હેલ્થ ટીપ :- લીંબુના શરબતમાં થોડું ગ્લુકોઝ અને થોડું મીઠું ભેળવીને પીવાથી લો બી.પી.માં તરત રાહત રહેશે.
સ્વર:- ફાલ્ગુની પાઠક
ચોરી ચોરી માખન ખાઈ ગયો રે
વો તો છોરો ગોવાલકો -[2]
મૈંને ઉસે પુછાકે નામ તેરા ક્યા હૈ?
કિસન કન્હૈયા બતાઈ ગયો રે
વો તો છોરો ગોવાલકો
– ચોરી ચોરી
મૈને ઉસે પૂછા કી ગાઁવ તેરા ક્યા હૈ?
ગોકુલ મથુરા બતાઈ ગયો રે
વો તો છોરો ગોવાલકો
– ચોરી ચોરી
મૈને ઉસે પૂછા માબાપ તેરા કૌન હૈ?
નંદ જશોદા બતાઈ ગયો રે
વો તો છોરો ગોવાલકો
– ચોરી ચોરી
મૈંને ઉસે પૂછા કી ખાના તેરા ક્યા હૈ?
માખન મીસરી બતાઈ ગયો રે
વોતો છોરો ગોવાલકો
– ચોરી ચોરી
મૈંને ઉસે પૂછા શ્રીંગાર તેરા ક્યા હૈ?
મોતીયનકી માલા બતાઈ ગયો રે
વો તો છોરો ગોવાલકો
– ચોરી ચોરી
મૈંને ઉસે પૂછાકી કામ તેરા ક્યા હૈ?
ગૈંયા ચરાના બતાઈ ગયો રે
વો તો છોરો ગોવાલકો
– ચોરી ચોરી
મૈંને ઉસે પૂછા કી પ્યારી તેરી કૌન હૈ?
રાધારાનીજી બતાઈ ગયો રે
વો તો છોરો ગોવાલ કો
– ચોરી ચોરી
ૐ નમઃ શિવાય
1 comment January 4, 2009
ગીતા સાર
આજે માગશર વદ એકમ
આજનો સુવિચાર:- “જીવતા હોવું”[to be alive]અને “જીવંત હોવું [to be lively] એ બે વચ્ચેનો તફાવત માલગાડી અને પેસેંજર લઈ જતી ટ્રેન જેટલો મૂળભૂત ગણાય. - ગુણવંત શાહ
હેલ્થ ટીપ:- તલનું તેલ મેદ નાશક કહેવાય છે. મેદ ઉતારવો હોય તો તલના તેલમાં રસોઈ કરવી.

કૃષ્ણ ઉપદેશ
ગીતા સાર [કૃષ્ણાર્જુન સંવાદ]
બોલ્યા બોલ્યા શ્રી ભગવાન (2) અર્જુન સાંભળો રે,
તમને કહું છું ગીતા જ્ઞાન (2) અર્જુન સાંભળો રે
આત્મા મરતો નથી અમર છે એવું સમજે તે જ્ઞાની છે
તે સાંખ્ય યોગ કહેવાય, અર્જુન સાંભળો રે
સત કર્મ ધર્મ કહેવાય, આચરતા ચિત્ત શુદ્ધ થાય
તે કર્મ યોગ કહેવાય અર્જુન સાંભળો રે.
સતકર્મ સદા આચરીએ ફળ હરિને અર્પણ કરીએ
તે બ્રહ્માર્પણ કહેવાય અર્જુન સાંભળો રે
જેમ કમળ પત્ર પાણીમાં તેમ રહે છે આ દુનિયામાં
તે સન્યાસી કહેવાય અર્જુન સાંભળો રે
પોતે પોતાના ગુરૂ બનીએ નારાયણનું ધ્યાન ધરીએ
તે સંયમી કહેવાય અર્જુન સાંભળો રે
વાસુદેવ સર્વવ્યાપક છે હજારોમાં કોક જાણે છે
તે વિજ્ઞાની કહેવાય અર્જુન સાંભળો રે
આખા વિશ્વ તણો ક્ષય થાય, મારું ધામ અક્ષય કહેવાય
તે અક્ષરધામ કહેવાય અર્જુન સાંભળો રે
સરજુ પાળું ને સંહારું માટે ભજન કરો તમે મારું
તે રાજયોગ કહેવાય અર્જુન સાંભળો રે
હું અનંતરૂપે વસનારો, જગને ધારણ કરનારો
આ વિભૂતિ યોગ કહેવાય અર્જુન સાંભળો રે
અંતરની આંખો ખોલો મને સઘળે હવે તમે જોઈ લો
એ ભક્તિયોગ કહેવાય અર્જુન સાંભળો રે
દેહ પ્રકૃતિનો કહેવાય જીવ મારો અંશ કહેવાય
ક્ષેતક્ષેતજ્ઞ કહેવાય અર્જુન સાંભળો રે
જ્યારે ભેદ ભાવના જાયે ત્યારે સમાનતા આવે
તે નિર્ગુણાતિત કહેવાય અર્જુન સાંભળો રે
જગ વૃક્ષનું જે મૂળ છે જડ ચેતનથી ઉત્તમ છે
તે પુરુષોત્તમ કહેવાય અર્જુન સાંભળો રે
સદબુદ્ધિ દેવ કહેવાય, કુબુદ્ધિ અસુર કહેવાય
તે દેવાસુર કહેવાય અર્જુન સાંભળો રે
જેવું અન્ન તેવું મન, જેવી શ્રદ્ધા તેવું મન
તે શ્રદ્ધાતય કહેવાય અર્જુન સાંભળો રે
સઘળા ધર્મો છોડી દોને મારે શરણે તમે આવોને
મુક્ત સન્યાસી થઈને અર્જુન સાંભળો રે
ગીતામૃત પાન જે કરશેતેને જીવનમુક્તિ મળશે
શીવરામ થાશે જયકાર સૌ જન સાંભળો રે
બોલ્યા બોલ્યા શ્રી ભગવાન અર્જુન સાંભળો રે
કવિશ્રી – શ્રી શીવરામ
ૐ નમઃ શિવાય
5 comments December 13, 2008
શ્રીપાદ વલ્લભ દિગંબરા
આજે માગશર સુદ પૂનમ [દત્ત જયંતિ]
આજનો સુવિચાર:- જીવનમાં રોજ રોજ મને “તું” કહેનારાની સંખ્યા ઘટતી જાય છે અને “તમે” કહેનારાની સંખ્યા વધતી જાય છે. આ પ્રક્રિયાનું લૌકિક નામ તે “ઉંમર” છે.
હેલ્થ ટીપ:- ગોદંતી ભસ્મ મધમાં ચટાડવાથી બાળક માટી ખાવાનું છોડી દેશે.

શ્રીપાદ વલ્લભ દિગંબરા
શ્રીપાદ વલ્લભ દિગંબરા
દિગંબરા, દિગંબરા શ્રીપાદ વલ્લ્ભ દિગંબરા !
તવ ચરણે રહેજો અમ પ્રીતિ
હૃદિયામાં સાચી સંસ્કૃતિ;
શૌર્યતણી હો પરંપરા, શ્રીપાદ વલ્લભ દિગંબરા
અત્રિ છે ત્રિગુણોથી ઉપર,
અનસૂયા અસૂયાથી છે પર;
દત્ત બની તું આવ્યો વીરા, શ્રીપાદ વલ્લ્ભ દિગંબરા
સત્કાર્યોનો તું છે સર્જક
સદવિચારનો સાચો પોષક;
દુષ્ટ વૃત્તિને હણનારા, શ્રીપાદ વલ્લભ દિગંબરા
સર્જક બ્રહ્મા તું જ ગણાયો,
વિષ્ણુ પોષક થઈને આવ્યો
સંહારે શિવ બનનારા, શ્રીપાદ વલ્લભ દિગંબરા
દત્ત ગુરુ જય દત્ત ગુરુ
નામ રહો હૃદયે મધુરું;
જીવનદાન દેનારા, શ્રીપાદ વલ્લભ દિગંબરા
લીધું કામ કરો પૂરું,
મૂકો ના કો દિ અધૂરું;
કર્મયોગ અવિરત ધારા, શ્રીપાદ વલ્લભ દિગંબરા
ૐ નમઃ શિવાય
1 comment December 11, 2008

