હમકો મનકી શક્તિ દેના

આજે પોષ વદ ચોથ

આજનો સુવિચાર:-કોઇપણ કાર્ય માટે સ્વાધીનતા હોવી જરૂરી છે.

હેલ્થ ટીપ્સ:- જ્યારે થાક વરતાય ત્યારે નાની ગોળની કાંકરી ખાવાથી થાક ઉતરી જાય છે.

મારા સાત વર્ષના પૌત્ર ઈશે આ પ્રાર્થના ગાઈ છે.
[odeo=http://odeo.com/audio/5376063/view]
હમકો મનકી શક્તિ દેના, મન વિજય કરે
દૂસરોંકી જયસે પહેલે ખૂદકો જય કરેં

ભેદભાવ અપને દિલસે સાફ કર સકે
દોસ્તોસે ભૂલ હો તો માફ કર સકે
જૂઠસે બચેં રહે, સચકા દમ ભરેં
દૂસરોંકી જયસે પહેલેં ખૂદકો જય કરેં

મુશ્કીલેં પડે તો હમ પે, ઈતના કર્મ કર
સાથ હૈં તો ધર્મકા ચલેં તો ધર્મ પર
ખુદ પે હોંસલા રહે બદીસે ના ડરેં
દૂસરોંકી જયસે પહેલે ખૂદકોં જય કરેં

                         ૐ નમઃ શિવાય

અને મારી જીંદગી બની ગઈ

              આજે પોષી પૂનમ

આજનો સુવિચાર:- આપ મૂઆ વિના સ્વર્ગે ન જવાય.

હેલ્થ ટીપ્સ:- મચ્છર કરડે ત્યારે ઘા પર ઠંડું પાણી ચોપડવાથી ઘાની બળતરામાં રાહત રહે છે.

    ‘સસ્તા સાહિત્ય’નાં પ્રણેતા શ્રી ભિક્ષુ અખંડાનંદજીનો 3/1/1874ના દિવસે બોરસદમાં લુહાણા પરિવારમાં જન્મ થયો હતો.. સ્વામી શિવાનંદજીનાં મહેણાંથી ચા બીડીનો ત્યાગ કર્યો.. એમણે ગુજરાતી પ્રજાને ગુજરાતી ભાષામાં સારા, સસ્તાં-શિષ્ટ અને સાત્વિક પુસ્તકો આપવાનો સંકલ્પ કર્યો હતો. સત્ચારિત્ર્ય, આયુર્વેદ, સમાજસેવા, ધર્મ તત્વજ્ઞાન, નીતિમય જીવન વગેરે સંબંધી અનેક મૂલ્યવાન ગ્રથ લોકો સુધી પહોંચાડ્યા છે.અમદાવાદમાંઅનેક પ્રાચીન પુસ્તાકાલયો છે.

        પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પોષી પૂનમે મા અંબામાનો પ્રાગટ્ય દિવસ મનાવાય છે. ગુજરાતની આ મુખ્ય શક્તિપીઠ ગણાય છે. જૈનોના તીર્થંકર પાર્શ્વનાથજીના અધિષ્ઠાતા દેવી અંબાજી હતાં. તેથી આજે શક્તિ અને જૈન તીર્થોમાં ઉત્સવ અને મેળા ભરાય છે.

                 આપવીતી

           દસ વર્ષ પૂર્વે મેં વિદ્યાનગરમાં એમ.એસ.સી.માં ઍડ્મિશન લીધું. અંગ્રેજી માધ્યમ, ગોથા ખવાય છતાં વિદ્યાનગર ભણતી દીદીના સહકારથી મહેનત કરતી. સત્રાંત પરીક્ષા આવી. દરરોજના બે પેપર. ઉજારગરો કરવો અનિવાર્ય… પરીક્ષાની આગલી રાત્રે પ્રયત્નો છતાં ઝોકાની આવન જાવન ચાલુ. ત્રણ કલાક સુધી દીદી અસમંજસમાં રહ્યાં. છેવટે હિંમત કરીને મને તમાચો માર્યો.. ‘પેપરમાં ફેલ થવું છે’? હું સફાળી જાગી, રડી, સ્વસ્થ થઈ કહ્યુ,’ તમાચો વહેલો માર્યો હોત તો? ‘ ખેર, જાગ્યા ત્યારથી સવાર માની તૈયારી કરી.

     સવારે પરીક્ષા આપવા પગથિયાં ઊતરતી હતી. ખબર નહી, બધા મને જોઈને કેમ હસતાં હતાં ! મનમાં ઉઠતાં પ્રશ્નોને વાર્યા પેપરો લખી બહાર આવી. દીદી અને મારી બધી ફ્રેંડ્સ ખડખડાટ હસવા લાગી કારણ મેં પાયજામો ઊંધો પહેર્યો હતો. હું શરમાઈ ગઈ.

પરીક્ષા દરમિયાન ઊંધા પાયજામાની બીકથી કદાચ સારા પેપર્સ ન લખાયા હોત. કારકિર્દી બગડી ગઈ હોત અને હું લેક્ચરર ન હોત. દીદીનાં તમાચે મારી જીંદગી બની ગઈ.
                                                                       — સંકલિત

                              ૐ નમઃ શિવાય

HAPPY NEW YEAR

                       આજે પોષ સુદ તેરસ

આજનો સુવિચાર:- સંસારમાં થઈને મુક્તિના ધામમાં જવાશે. પ્રેમની દીક્ષા લઈને જ ભક્તિનો અધિકાર મળશે. માનવધર્મ પાળીને જ વિશ્વધર્મ પળાશે. — યુવાચાર્ય મહાપ્રજ્ઞ

હેલ્થ ટીપ્સ:- નાગોળના પાન અને કડવા લીમડાનાં પાનને ઉકાળી તેનો શેક [steaming]લેવાથી ફ્રોઝન શોલ્ડર પર ખૂબ રાહત રહેશે.

 

Wishing YOU a NEW YEAR filled with new hope, new joy and beginning with beatiful and insiring WISH

WELCOME    2007

                       ૐ નમઃ શિવાય