આજે મહા વદ એકમ
આજનો સુવિચાર :- ભગવાન કસોટી કરે ત્યારે હિંમત ટકાવી રાખે તે જ સાચો વિશ્વાસુ ભક્ત. – હરીભાઈ કોઠારી
હેલ્થ ટીપ્સ:- ડાયાબિટીસ કે કોલેસ્ટ્રોલ ન હોય તો ખજૂર, અંજીર, બીટ, પાલક, ફણગાવેલા મગ, સફરજ વગેરે લોહી વધારવામાં મદદરૂપ થાય છે.
જવાબ આપો
1] ડાકોરમાં રણછોડરાયજીને લાવનાર ભક્ત કોણ?
2] હનુમાન કોનો અવતાર ગણાય છે?
3] બ્રહ્માજી નુ ઉત્પત્તિનું સ્થાન કયુ છે?
4] શ્રીમદ ભાગવત લખનાર કોણ?
5] વામન ભગવાને કયા રાજાને પાતાળમાં મોકલી આપ્યા?
6] ‘વિઠ્ઠલ’ ભગવાને કોને ત્યાં ધરકામ કરેલાં?
7] રામનો પરમ મિત્ર ભીલ રાજા કોણ?
8] કૃષ્ણ કોને ‘કાકા’ કહી બોલાવતા?
9] વાસુદેવની બીજી પત્નીનું શું નામ?
10] બાણાસુરની પુત્રી ‘ઓખા’ની સખીનું શું નામ?
11] દેવવ્રત [ભીષ્મ] ને ઈચ્છામૃત્યુનું વરદાન કોણે આપ્યું હતું?
12] કૃપાચાર્યના ભાણેજ કોણ? તેનું નામ શું?
13] અર્જુનને દ્રૌપદી સિવાય બીજી કેટલી પત્નીઓ હતી? તેમનાં નામ?
14] પાંડુરાજાને કેટલી પત્નીઓ હતી? તેમનાં નામ?
15] કર્ણના પાલક પિતાનું નામ?
જવાબો આવતા અઠવાડિયે મળશે ત્યાં સુધી પ્રયત્ન કરશોને?
ૐ નમઃ શિવાય
1. બોડાણો
4. વેદ વ્યાસ
5. બલી
7. સુગ્રીવ
8. અક્રુર
14. બે – કુંતી અને માદ્રી
બહુ અઘરા સવાલો પૂછ્યા. મારું અજ્ઞાન છતું થયું !
LikeLike